Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
“જનસેવા એજ પ્રભુ સેવા!” Service to Humanity is service to God.
“માનવતા કરતા કોઈ ધર્મ મહાન નથી” No religion is greater than Humanity.
જે કોઈ મંદીર ની બહાર ભૂખ્યા દરિદ્રો ની અવગણના કરી ને પથ્થરની મૂર્તિ પર દૂધ ની નદીઓ વહાવે
તથા
દરગાહો કે મઝારો ની બહાર ઠંડી માં ઠુઠવાતા દરિદ્ર બાળકો ની અવગણના કરીને મૃત્ય પામેલા સંતો ની કબરો પર ચાદરો ચઢાવે
તે આસ્તિક તો શું, મનુષ્ય કરતાં પણ નીચો કહેવાય.
જે કોઈ પોતાના ઈશ્વર, અલ્લાહ, ગોડ ના આદેશ અનુસાર માનવતા નૅ પ્રાથમિકતા આપે તે જ સાચો આસ્તિક મનુષ્ય કહેવાય.
કાસીમ અબ્બાસ
LikeLiked by 1 person
મારા મતે આસ્તિક એટલે ‘અસ્તિત્વને સ્વિકારનાર’.હું કોઈ દેવી-દેવતા કે ધર્મના આડંબરને ન સ્વિકારનાર,આસ્તિક જ છું, ચાહે સૌની નજરમાં નાસ્તિક હોવ.
LikeLiked by 1 person
It is very true. I agree with the author.
Thanks for a good article.
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
મિત્રો,
લેખ વાંચ્યો. આજના સમાજને લાગતો વળગતો લેખ છે. સરસ છે. લેખના બીજા પેરેગ્રાફની પહેલી લીટીઓ આખા લેખનું આત્મબિંદુ છે. માણસે માનવ બનવા માટે શું કરવું જોઇઅે તે રસ્તો બતાવે છે. મુરારીબાપુની નામ સાથે વાત લખી છે. તેઓશ્રીઅે કથા કરવાનું બંઘ કરીને માનવતાના, માનવતા ભરેલાં જીવંત પરિણામો મળે તેવા કર્મો…કામો…યજ્ઞો…કરવા જોઇઅે. રામાયણ તેમના મોઢે સાંભળી સાંભળીને હિંદુૉની કદાચ બે પેઢી આ જગ છોડી ગઇ હશે પરંતું …….
તિલક કરતાં ત્રેપન થયાં
જપમાળાનાં નાકા ગયા,
કથા સુણી ફૂટયા કાન,
અખા , તોઅે ના આવ્યું બ્રહ્મજ્ઞાન. અને…..
આંઘળો સસરો ને શણગટ વહુ,
કથા સાંભળવા ચાલ્યા સહુ,
કહ્યુ કાંઇ ને સમજ્યા કશું,
આંખનું કાજળ ગાલે ઘસ્યું,
ઉંડઈ કુવો ને ફાટી બોક,
શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
મોરારીબાપુ કે બીજા બઘા જ કથાકારોને કહો કે ‘ માનવતા‘ ના કર્મો કરો. બહું ઘન કમાયા છો..બહું નામ કમાયા છો…બહું ઘણા…ફોલોઅર્સ જીત્યા છો…તો પરિણામો…સારા પરિણામો આપતાં કર્મયજ્ઞનો કરો. ગરીબોને માટે, બાળકોને માટે…ફ્રી હોસ્પીટલો ચાલુ કરો…ફોલોઅર્સ તો પેસા આપશે જ. ગરીબ બાળકો માટે તમારા પોતાના મેનેજમેંટ હેઠળ શાળા ચાલુ કરો. પોલીટીશીયનોને દૂર રાખો….ફરી કહું છું પોલીટીશીયનોને દૂર રાખો અને પોલીટીશીયનોથી દૂર રહો. ગાંઘિજીની હાંકલ ઉપર ઠક્કર બાપા, રવિશંકર મહારાજ જેવાં કેટલાઅે માનવતાવાદીઓે જે કર્મો કરેલાં તે જૂઓ…કથા કરવાથી જ્ઞાન નથી અપાતું કે નથી મેળવાતું તે અખાજી સમજાવી ગયા હતાં….ઉપર લખેલાં અખાજીનાં બે ચાપખાં વાંચીને પણ સમજો તો માનવતા મહેકી ઉઠશે.
માનવતાની વાત ક્યારે જીવનમાં આવી ?
આ ઘરા ઉપર માણસ ચાલતો થયો ત્યારે તો તે માણસ જ હતો…જ્યારે પણ કહેવાતા ‘ ઘર્મ‘ ની સ્થાપના થઇ હશે ત્યારથી માણસના મગજોના ભાગલા પડવા માંડયા હશે. વાડા બંઘાવા માંડયા હશે. માણસ..માનવ બનવાને બદલે રાક્ષસ બનવા માંડયો હશે.
ગીતાના અઘ્યાય: ૪..શ્લોક: ૧૩માં શ્રીકૃષ પોતે ચાર વર્ણો પાડવાની વાત કહે છે…તે પાડવા પાછળ હેતુ સારો પણ હશે પરંતું અમલમાં માણસે પોતાના સ્વાર્થ માટે કર્યો. માણસ કદાપી માનવ બનવા તરફ વિચારતો થયો જ નથી….થોડ શીવાય.
કથા કરવા પાછળ કેટલા મેનપાવર, મેનઅવર્સ બરબાદ થાય છે તેનો વિચાર કરવો જોઇઅે પેલા કથાકારોઅે. પોતાની દેખરેખ કે મોનેજમેંટ હેઠળ શાળા કે હોસ્પીટલ ચલાવે તો કેટલાં મેન અવર્સ અને કેટલાં મેનપાવરનો સદઉપયોગ થાય તેની ગણત્રી કરો તો સાચે જ તે કથાકારો માનવ બનીને માનવતાના કર્મો કરતાં થશે. જ્યારે તેૉ માનવ બનશે ત્યારે હું મારી ફ્રી સર્વિસ આપવા આવીશ.
મારા સર્વે મિત્રોને વિનંતિ છે કે રસ્તે ચાલતાં વડીલોને, અંઘજનોને હાથનો ટેકો આપીને રસ્તો ક્રોસ કરાવશો તે પણ માનવતાનું કર્મ હશે….કથામાં જઇને સ્નશાન વૈરાગ્ય લઇને બહાર આવવું માનવતાનું કર્મ નહિ કહેવાય.
અખાજી બીજી વાત કહી ગયા હતાં…..
પોતે હરિને જાણે લેશ,
અને કાઢી બેઠા ગુરુનો વેશ !
જ્યમ સાપને ઘેર પરોણોં સાપ,
મુખ ચાટી વળ્યો ઘેર આપ…………..અને…..
અંઘ અંઘ અંઘારે મળ્યા,
જ્યમ તલમાં કોદળા ભળ્યા,
નથાય ઘેંસ કે ન થાય ઘાણી!
અેણી પેર બન્ને ઘૂળઘાણી.
ઘર્મો કે પોલીટીક્સ વાતોના વડા કરી માનવતાના ગીતો ગાય છે અને ગવડાવે છે….ઠઈક…પરિણામજનક મજબુત માનવતાનાં કર્મો ….જેમકે ( થોડાને બાદ કરતાં ) શાળા કે હોસ્પીટલો….પોલીટીશીયનોને દૂર રાખીને જો ચલાવે તો તે સાચા અર્થમાં માનવતાનું કર્મ ગણાશે.
બિજું…મારી કારની આગળની અેક વેનમાં સ્લોગન હતું…મને લાગ્યું ભારતને માટે યોગય સંબંઘ ઘરાવે છે….
No Farm….No Farmer….No food…..
ખૂબ જ સચ્ચાઇ અહિં દેખાય છે. સરકાર અને પૈસાવાળા વેપારીઓ.. ખેતર… ખેડૂતો….. અને ફુડ…. માટે કેટલાં માનવતાનાં કર્મો કરે છે ? ફુડ…. દેશના દરેક માણસની જરુરીઆત છે…. સેલ્ફ સફીસીયન્ટ ફુડ પ્રોડક્શન દેશનું કેટલું ભલું કરે તેનો ખ્યાલ છે ? દરેક ખોરાકની કિંમત ઘટે…દરેક પેટ ભરાય… ઘરાય… દેશ શક્તિશાળિ બને…. પરંતુ ભારતની કોઇપણ સરકારને આ માનવતાનું કર્મ કરવું નથી.
સૌ મિત્રો , પોતાના વિચારો લખે અને દરેક કથાકારો અને પોલીટીશીયનોને પહોંચાડે તેવી ઇચ્છા….
દુનિયામાં ફક્ત અેક જ ઘર્મ હોવો જોઇઅે….માનવ ઘર્મ. HUMANITY.
અમૃત હઝારી.
LikeLiked by 2 people
નાસ્તિક વો નહીં, જો ભગવાનકો નહીં માનતા,
નાસ્તિક વો હૈ, જો ભગવાનકો નહીં જાનતા.
@રોહિત દરજી”કર્મ”,હિંમતનગર
LikeLike
આ વાંચતાં મારું કાવ્ય મૂકવાનું મન થઈ ગયું!
ઢાળઃ એક મુરખને એવી ટેવ…..)
એક ડાહ્યાને એવી ટેવ,
પ્રસાદ માટે પૂજે દેવ.
ન્હાયા વગર ન અડે,
નેતાઓના પગે પડે.
લસણ ડુંગળી ના ખાય,
મસાલાથી મોઢું ગંધાય.
ફરે લઇ હાથમાં માળા,
કરીલે ભક્તિના ચાળા.
વાર તહેવારો ખૂબ કરે,
બોલે ત્યારે અંગારા ઝરે.
ગરજે ગધાડાને બાપો કહે,
જીભ પર જાણે ગંગા વહે.
કપટ કરી કરી કમાણી કરે,
ગળે માળાઓ નાખી ફરે.
બોધ બધાને બહું આપે,
સ્વાર્થમાં લોકોના પગ કાપે.
ડીગ્રી મેળવી ના’વ્યું જ્ઞાન,
ક્યારે આવશે ‘ચમન’ ભાન?
* ચીમન પટેલ “ચમન”
LikeLiked by 3 people
A nice article. Who is a real ‘astik’? is the question. I think there are four type of people. Most of the common public is simple astik (the believers ) and a few people are nastik (non believers ). Now there are other two categories,and that is very interesting.
There are people who are staunch nastik but pretend to be astik of astik to deceive the public and accumulate a massive amount of wealth and power and prestige. A majority of so called ‘gurus’ and all kind of preachers,babas, maharaj, bapus, ammas, dadas etc. fall in this category.
The fourth group is of people, and they are only a few,who are indeed astik in the sense as Mr. Panchal mentioned, but outwardly they may come out as ‘nastik’. When those two ladies came to collect a fund for yagna, he did not give them any, so they departed with the impression that what a nastik person is this.
In reality these kind of people are astik or believers, as they believe in humanity and not an imaginary god.
I end with a quote of a famous couplet by Sri Ved Vyasa,
Shlokardhen pravakshyami, yaduktam granth kotibhihi,
Paropkarah punyay, papay parpidanam.
The meaning is, help somebody to attain a boon and by hurting others you get sin.
Finally I agree wholeheartedly with the comment by Sri Amrut Hazari.
LikeLiked by 1 person
I fully agree with Chaman Patel and Dinesh Patel ‘s views. It is everywhere in this world. Diamonds are rare to find but stones are every where.
As long as you do not cheat or hurt any body in this world, you are astik.
Lord is every where and in every things. It depends upon your understanding and view angle.
Thanks for a good article and good views fro readers. I very appreciate it.
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
Reblogged this on and commented:
લેખક અને અન્ય પ્રતિભાવો આપનાર મિત્રોએ વ્યક્ત કરેલ્લ વિચારો સાથે મહ્દ અંશે સહમત થતો હોવાથી મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરુ છું. આભાર અને ધન્યવાદ ગોવિંદભાઈ તથા શ્રી દિનેશ ભાઈ !
LikeLiked by 1 person
વહાલા અરવીન્દભાઈ,
‘સાચો આસ્તીક કોણ…? ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
DINESH PANCHAL IS PERFECT RATIONALIST.
LikeLiked by 1 person
Agreed wholeheartedly.
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
Be real Human
LikeLiked by 1 person
વહાલા ડૉ. મહેન્દ્રભાઈ,
‘સાચો આસ્તીક કોણ…? ’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike
Dineshbhai, has very aptly written this essay on True AAstik, which is appealing giving all possible examples seen all at one place not same in blood but in emotions and biological needs like hunger- thirst- illness treatment is same- doctor never differentiate even on religious belief but Human and Humanity, then why we need to divide Humanity– actually its opposite– those who divide are real naastik, naughty, nasty, spread nonsense, negativity .
this article should spread far and wide.
LikeLiked by 1 person
I like Shri Chiman Patel’s poem very much. The computer does not let me express it.
LikeLiked by 1 person
Excellent message to apply in life! Really meaningful Shree Govindbhai!
Keep it on and on your progress. JSK.
LikeLiked by 1 person
આસ્તિક-નાસ્તિક વિષે વિચારક અને લેખક ડો. ગુણવંત શાહ એમના એક લેખમાં આમ કહે છે
”જુઠાબોલા રેશનલિસ્ટથી અને જુઠાબોલા ભક્તથી ચેતવા જેવું છે. આસ્તિક મહાત્મા ગાંધી કહે છે, ‘સત્ય એ જ પરમેશ્વર.’ નાસ્તિક નિત્શે કહે છે, ‘ભગવાનનું અવસાન થયું છે.’ નિત્શે કદી પણ એમ ન કહે, ‘સત્યનું અવસાન થયું છે.
આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે.”
LikeLike
આમ તો ધર્મ અને ભગવાન બંને અલગ બાબતો છે પણ લગભગ સૌએ અને ખાસ તો આસ્તિકોએ ભેળસેળ કરી દીધી છે. ધર્મ સામાજિક નીતિનિયમો છે જ્યારે ઈશ્વરને ફક્ત સૃષ્ટિના રચયિતા તરીકે જોવા જોઈએ.
ધર્મો માણસોએ બનાવ્યા છે, કોઇ સ્વયંભૂ બનેલા નહોતા. આસ્તિકો ઈશ્વર હોવાની કલ્પના કરે છે કારણ કે એટલું તો નક્કી છે કે સૃષ્ટિ/બ્રહ્માંડ કોઈ માણસે કે સામાન્ય જીવે નથી બનાવ્યું એટલે (જો કોઈએ બનાવ્યું હોય તો) જેણે પણ બનાવ્યું તેને તેઓ ઈશ્વર માને છે.
તો હવે સવાલ એ છે કે આસ્તિક કોને કહેવો – ધાર્મિક હોય તેને કે ઈશ્વરમાં માનતો હોય તેને કે બંને?
આમ જોવા જઈએ તો ધાર્મિક તો નાસ્તિક પણ હોવાના કેમ કે એ પણ કોઈને કોઈ સામાજિક નીતિ-નિયમોને માનતા-પાળતા હોય (અથવા એવો દાવો કરતા હોય) પછી ભલે એ માનવધર્મ કે નાગરિક ધર્મ (બંધારણ તથા દેશના કાયદા) જ કેમ ન હોય.
આસ્તિકની વાત કરીએ તો એ ઈશ્વરમાં માનનાર હોવો જોઈએ, મતલબ તેની માટે ધર્મ પાળવો જરૂરી નથી(!), અને જો કોઈ વ્યક્તિને ઈશ્વર વિશે ક્યારેય જણાવવામાં ન આવે તો શું થાય? મોટેભાગે તો એ નાસ્તિક જ બને, ખાસ તો કદાચ અગ્નેયવાદી.
—–
જો તમારા પારીવારીક-પારંપરિક એક ધર્મને જાણો તો મોટેભાગે આસ્તિક-ધાર્મિક બનો.
જો એકથી વધુ ધર્મને પૂર્વગ્રહ વિના જાણો તો મોટેભાગે બિનસાંપ્રદાયિક બનો; પૂર્વગ્રહ સાથે જાણો તો મોટેભાગે બીજા ધર્મ વિરોધી કટ્ટર આસ્તિક-ધાર્મિક બનો.
અને બધા “ધર્મોનો ઇતિહાસ” પૂર્વગ્રહ વિના જાણો તો મોટેભાગે નાસ્તિક બનો. (ઇતિહાસમાં નોંધાયેલું / ભણ્યું છે કે સદીઓથી કેટલાય લોહિયાળ ધાર્મિક યુધ્દ્યો થતા આવ્યા છે અને તેમાં લાખો-કરોડો લોકોએ જીવ ખોયા છે. જો ધર્મોએ આવું જ આપ્યુ હોય તો શું જરુર રહે છે પરંપરાગત ધર્મોની!)
LikeLiked by 1 person