Join 1,240 other subscribers
‘અભીવ્યક્તી’ બ્લૉગ પર મુકાતા વીચારો લેખકના પોતાના મૌલીક વીચારો છે. લેખકના વીચારો સાથે બ્લોગર તરીકે મારે કે વાચક તરીકે તમારે સમ્મત થવું ફરજીયાત નથી. પ્રતીભાવકોએ પણ કોઈની લાગણી દુભાય તેવા પ્રતીભાવો ન લખવા વીનન્તી છે.
..ગો.મારુ
© ’અભીવ્યક્તી’ [Abhiwykti], 2010. Unauthorized use and/or duplication of this material without express and written permission from this blog’s author and/or owner is strictly prohibited. Excerpts and links may be used, provided that full and clear credit is given to "Govind Maru" and "અભીવ્યક્તી" with appropriate and specific direction to the original content. ---

૧. લેખના વીષયને અનુરુપ પ્રતીભાવો આપવા.
૨. કોઈપણ જાહેરાત કે વાચન માટે અન્ય લીન્ક કે કોઈ વીડીયો ક્લીપીંગ ન મુકવા વીનન્તી.
૩. કૉમેન્ટ લખનાર પોતાનાં સાચાં નામ/ઠામ લખે તે ઈચ્છનીય છે.
૪. કોઈની માનહાની થાય તેવી ભાષાનો પ્રયોગ તો ન જ કરવા આગ્રહભરી વીનન્તી.
૫. વીષયાંતર થાય કે ચર્ચામાં સામસામે ઉગ્ર મતભેદ થાય ત્યારે, અહીં ચર્ચા કરવાને બદલે એક્બીજાના ઈ-મેઈલ એડ્રેસ મેળવીને સૌહાર્દપુર્ણ અંગત ચર્ચાઓ કરી લેવી; પણ આ બ્લોગને જાહેર કુસ્તીનો અખાડો નહીં બનાવવા પ્રેમભરી વીનન્તી.
..ગો.મારુ
દીનેશભાઈ, તમે નકામા ઉકળી પડ્યા છો! બહુ જ સાદી વાત છે. ‘અમારે લીધે તમને તકલીફ પડી તેમાં અમારે શું?‘
LikeLiked by 2 people
જાહેર માર્ગો પર થતી આવી પુજાવીધીને કારણે ટ્રાફીક અવરોધાય છે અને એને કારણે આવા અકસ્માતો થાય છે.
પ્રથમથી જ ટ્રાફીકનો ઓવરલોડ ધરાવતા આપણાં સાંકડા જાહેર માર્ગો પર વખતોવખત રથયાત્રા, પોથીયાત્રા, શોભાયાત્રા, મુર્તીની પ્રાણપ્રતીષ્ઠા, લગ્નના વરઘોડા, તાજીયા, ગણેશ વીસર્જનયાત્રા જેવા અનેક ધાર્મીક જુલુસોનું આક્રમણ થતું રહે છે.
શ્રીમાન દીનેશ પાંચાલ સાહેબે ૧૦૦ ટકા સત્ય લખેલ છે.
મારો પ્રતિભાવ
ધાર્મિક ઉત્સવો અને ધર્મનો મહિમા
આ વિષે એક મુસ્લીમ તરીકે હું અમારા મુસ્લીમ ધર્મમાં પણ વારે તહેવારે ઉજવાતા ઉત્સવોમાં થતા પૈસા, સમય તથા પર્યાવરણના બગાડ વિષે મુસ્લીમોનું ધયાન દોરવા ચાહું છું.
ભારતમાં, પાકિસ્તાનમાં તથા બીજા અમુક દેશો માં મુસ્લીમો ૧૦મી મહોર્રમના દીવસે હજરત ઇમામ હુસેન (ર.અ.) ની યાદમાં તથા ૧૨ રબિઉલ અવ્વલના દીવસે પયગંબર સાહેબ હજરત મોહંમદ (સ.અ.વ.) ની જન્મતિથિના દિવસે ભવ્ય અને લાંબા જુલુસો કાઢીને તેમને અંજલી આપે છે. અહિં પ્રષ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આ પ્રકારના ઉત્સવો પ્રસંગે પૈસા, સમય તથા પર્યાવરણનો બગાડ કરીને લાંબા લાંબા જુલુસો કાઢીને જ આ બન્ને મહામોટા માર્ગદર્શકો ને અંજલી આપી શકાય છે? આ સર્વે પ્રકારના બગાડના બદલે ઇસ્લામ ધર્મના આ બન્ને મહામોટા માર્ગદર્શકો ના પગલે ચાલીને, તેમના જીવનને તથા તેમની આદર્શ રહેણીકરણીને પોતાના જીવનમા ઉતારીને તથા તેમના કથનો તથા તેમની દોરવણીનું ચુસ્તપણે અનુસરણ કરીને તેમને ભવ્ય અંજલી આપી શકાય છે.
ખરી રીતે જોતા ઇસ્લામ ધર્મ એ માનવતાનો ધર્મ છે, અને મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં માનવતા ની સેવા પર બહુજ ભાર મુકવામાં આવેલ છે. અત્યારે આ એકવીસમી સદીમાં ત્રીજી દુનિયામાં કરોડો માનવો બે ટંક ભોજનથી વંચિત રહે છે, ત્યારે પાલનહાર અલ્લાહને તથા આ બે મહામોટા માર્ગદર્શકોના આત્માને રાજી કરવા માટે મુસલમાનો, જગતના કરોડો ભુખ્યાઓને ભુલીને કરોડો રુપિયાનો ધુમાડો કરીને એમ માને છે કે ધનનો ધુમાડો કરવાનું આ કાર્ય મહા પુણ્ય સમાન છે! ક્યાંનું તર્કશાસ્ત્ર છે આ?
મુસ્લીમ ધર્મશાસ્ત્ર કુરાન મજીદમાં કે પયગંબર સાહેબ હજરત મોહંમદ (સ.અ.વ.) ના કથનો (હદીસો) માં આવા ખોટા ખર્ચાઓ કરવા વિષે કશા પ્રકારના આદેશો નથી આપવામાં આવેલ. મુસલમાનોને જે આદેશો આપવમાં આવેલ છે તેમાં ખોટા ખર્ચાઓ કરવાની મનાઈ કરવામાં આવેલ છે અને ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે ખોટા ખર્ચા કરવાવાળઓ શેતાનના ભાઈ સમાન છે. (કુરાન મજીદ – પ્રકરણ ૧૭, શ્લોક ૨૭).
મુસલમાનોનું એ કર્તવ્ય હોવુ જોઈએ કે તેઓ મુસ્લીમ ધર્મ શાસ્ત્ર કુરાન મજીદનો અભ્યાસ કરે, અને તેના આદેશો અનુસાર ખોટા ખર્ચાઓથી દુર રહે.
કાસીમ અબ્બાસ,
ટોરંટો, કેનેડા
LikeLiked by 2 people
ખૂબ સરસ લેખ..
જીવોને ગમે તે રીતે પ્રતાડિત કરનારા આવા ધર્મ, શું કામના?
…માનવતા …જ સર્વશ્રેષ્ઠ છે.
LikeLiked by 2 people
લેખ વાંચીને આનંદ થયો. સુંદર લેખ. બઘા જ દુષણોને આવરી લઇને પોત પોતાની જગ્યાઅે ઉઘાડા પાડયા. દીનેશભાઇને હાર્દિક અભિનંદન.
. સામુહિક લગ્નોની વાત થઇ તે આ વિષયમાં જોડાવી નહિ જોઇઅે. ખૂબજ માનવતા ભરેલું કર્મ છે. અને તે તો મોટા પ્લોટમાં થાય છે. રસ્તા રોકાતા નથી. કદાચ લાઉડસ્પીકરનો ઉપયોગ થતો હશે તે ખોટો છે.
ઘોંઘાટ…ભારતનું માનીતુ દુષણ છે. ઘોંઘાટ વિના ભારતીઓને ઊંઘ નહિ આવે.
ભારતથી અમેરીકા જે વડીલો આવે તેમને અહિ ગમતું નથી…કહે….શ્મશાનની શાંતિ અહિ છે…નથી ગમતું.
. પોલીટીશીયનો પોતાના લાભ માટે જેટલાં પણ દુષણો લોકોને પસંદગીના હશે તે બઘાને હાર્દિક મંજુરી આપશે.
દુનિયામાં જાપાન જેવા..બીજા ઘણા દેશો છે જ્યાં અહિ દર્શાવેલી કોઇપણ દુષણોથી ભરેલી અેક્ટીવીટી નથી થવા દેતા. પરંતું ભારતમાં લોકોને જ આ બઘી દુષણોવાળી અેક્ટીવીટી જોઇઅે છે. તેના વિના તેમને શાંતિ ના મળે. સરકાર ચલાવનાર…ગમે તે હોય….તે તે પાર્ટીને તો લોકોને જે જોઇઅે તે આપો અને પોતાનો સ્વાર્થ સાઘી લો….ની ફીલોસોફી બની રહે છે.
નાગરીકોના સૌથી મોટા દુશ્મનો જો કોઇ હોય તો તે છે પોલીટીશીયનો. જ્યાં જ્યાં પોલીટીક્સ ત્યાં ત્યાં અન્યાય…સ્વાર્થ અેક મોટું કારણ હોય છે જે માણસને પોલીટીશીયન બનાવે છે. નાનામાં નાનુ યુનીટ જ્યાંથી તે શરું થાય છે તે છે ઘર…કુટુંબ…..ફરીથી દીનેશભાઇને હાર્દિક અભિનંદન. ગાજરની પીપુડી આ લેખ બનીના રહે તેવી આશા…….
અમૃત હઝારી.
LikeLiked by 2 people
“અન્ધશ્રદ્ધા અને અબૌદ્ધીક્તા એ પ્રજાની બે મુખ્ય નબળાઈઓ છે. “
LikeLiked by 2 people
Dineshbhai has as usual described all aspect of Andhshraddha- very powerfully and friends have commented appropriately specially Quasim Abbas bhai has described giving kuran quote :
“મુસલમાનોને જે આદેશો આપવમાં આવેલ છે તેમાં ખોટા ખર્ચાઓ કરવાની મનાઈ કરવામાં આવેલ છે અને ત્યાં સુધી કહેવામાં આવેલ છે કે ખોટા ખર્ચા કરવાવાળઓ શેતાનના ભાઈ સમાન છે. (કુરાન મજીદ – પ્રકરણ ૧૭, શ્લોક ૨૭).”
but even we human don’t follow what is worth following and following what is not worth following. obviously for multiple reason known to all of us.
But multiple efforts from person like you will definitely bring change sooner or later for Better.
LikeLiked by 2 people
સુજ્ઞ દિનેશભાઇ, કોઇ પણ જાગૃત નાગરીકને દુઃખ થાય આવા દેખાડા જોઇને. આપણામાં આ પ્રર્દશનવૃતિ છે એ માત્ર દેશમાં નહિ પણ પરદેશમાં ય સ્થાનિક નાગરીકોની આંખે ચડે છે. આપણો વ્યકિગત તહેવાર કે ઘરનો પ્રસંગ પણ આપણને શાંતિથી ઉજવતા આવડતો નથી. બસ, બધાને જાણ થવી જ જોઇએ. બીજા લોકોને તમારી ઇર્ષા આવવી જ જોઇએ. ઉંડે ઉંડે તો આ જ ભાવના હોય છે. એટલે કોઇની અગવડ જોવાનો વિવેક તો હોય જ ક્યાથી? ઉલ્ટુ તમે તમારી તકલીફ જણાવી અવાજ ઓછો કરવા વિંનતી કરો તો એ બમણો અવાજ કરશે. આપણને જાહેર સંપતિ માટે માન જ નથી. એટલે તો આપણી નદીઓ, તીર્થસ્થાનો, પ્રવાસના સ્થળો, રેલ્વેસ્ટેશનકે બસ ને રેલ્વે કે કોઇપણ જાહેર શૌચાલય નરકથી કમ નથી હોતા. કુંભમેળા કે પ્રવિત્ર મનાતા કુંડ કે નદીમાં સ્નાન કરવુ એટલે સાક્ષાત વૈતરણીમાં નહાવુ.
કોના બાપની દિવાળી’ આ જ આપણી પ્રજાનુ માનસ છે. દુઃખ તો એ થાય કે ભણેલ અભણ બધા ય સરખા. કોને રાવ કરવી?
LikeLiked by 2 people
Really impressed with the Article. Thank you.
We need to educate people to make them understand the true meaning of Religion which is in the ‘Act Of Humanity’ and not in the display of the Rituals.
When will the masses understand?
When will people support the ‘God within?’
If Atma is a part of Parmatma, then why shoul one search God elsewhere?
It’s very difficult to eradicate Blind Faith but hopefully writers like Govindbhai are trying to teach the correct way of following a moral way of life.
My pranam from the bottom of my heart!
LikeLiked by 2 people
શ્રદ્ધા હોવી અને દેવ સ્થાને દર્શન કરવાં તે નિજી સઁસ્કારની વાત છે. પણ જાહેર રસ્તા ઉપર અડચણ રૂપ બાંધી દીધેલ દેરી કે દરગાહ હટાવી પણ ન શકો તે મોટો રાજકીય વિષય છે, આવા દબાણો પાછળ કોઈ વગદાર વ્યક્તિ નો જ હાથ હોય છે. આ કોઈ શ્રદ્ધા થી નહીં પણ ધર્મ નામે ધંધાર્થે આવા સ્થાનો સર્જાય છે, કરુણતા એ છે કે કોઈ હટાવી શસકતું નથી.
આપણા કરતા ઘણો નેનો અને મુસ્લિમ દેશછે, ઇન્ડોનેશિયા, ત્યાં કોઈ પણ આવા દબાણો ચલાવી લેવામાં આવતા નથી, અરે ક્બરસ્થાન ખોદી કાઢી ને રસ્તાઓનું નિર્માણ કર્યું છે,
એક વાક્ય સરસ વાંચ્યું હતું: જ્ઞાની કો પંજાબ ભલા, સંત કો બંગાળ, ઋષિઓ કો હિમાલય ભલા ઔર ઢોંગી કો ગુજરાત
LikeLiked by 2 people
101% true Govindbhai! That’s why we are so behind. JSK
LikeLiked by 2 people
ઘણી દુઃખદ બાબત છે અફસોસ છે લોકો કોઈ રીતે સમજે તેમ નથી
LikeLiked by 2 people
Bahu Saras. Wonderful article.
LikeLiked by 1 person
Quite needed article, people should learn about other’s tolerance.I can quote many personal experiences , when I was studying in science Colledge & afterwards medicle college our exams were coming at the time of navaratra & Diwali . Navaratra garba were disturbing during reading, if I request the garba people they will tell ” garba to karavanaj hoyne, tare vanchvu hoy to bije Jaime vanch.” People dance during marriage vargoda & block traffic , ambulances have to wait till the dance goes .
My daughter once told area garba folk to keep the volume of loud speakers somewhat low because she was reading , they made a joke out of it, telling her ” areiana lockone garba sambhlwana tu bije jaine vanch athwa room bandha karine vanch”
LikeLiked by 1 person