વૈજ્ઞાનીક અભીગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં, ગેરબંધારણીય પણ છે

વૈજ્ઞાનીક અભીગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં,

ગેરબંધારણીય પણ છે

–બીરેન કોઠારી

વીજ્ઞાન, વીજ્ઞાની અને વૈજ્ઞાનીક અભીગમ સામાન્યપણે આપણા દેશમાં હાંસીપાત્ર બનતાં આવ્યાં છે. કોઈ પણ મુદ્દે જેને ફટકારી શકાય એવી હાથવગી ‘પંચીંગ બૅગ’ અથવા દેશી ઉપમા વાપરીને કહીએ તો રસ્તે પડેલા ગલુડીયા જેવી તેની હાલત છે. જતુંઆવતું કોઈ પણ તને અડફેટે લઈ લે. વીજ્ઞાન થકી મળતા લાભ બધાને લેવા છે; પણ તેના થકી વૈજ્ઞાનીક અભીગમ કેળવવાને બદલે આખરે અન્ધશ્રદ્ધાનો કે જડ વીચારધારાઓનો જ પ્રચાર કરતા રહેવું છે. આજના યુગમાં મોબાઈલ ફોન એવું ઉપકરણ છે કે જે ગરીબ–અમીર, સાક્ષર–નીરક્ષર સહીતના તમામ અન્તીમવાળા લોકોના જીવનને રોજબરોજ સ્પર્શે છે. તેનો સદુપયોગ જીવનને ઘણે અંશે સરળ બનાવી શકે છે; પણ તેના થકી સુવીધા કરતાં ત્રાસ થતો હોય એવું વધુ જોવા મળે છે. વીજ્ઞાન કે વૈજ્ઞાનીક અભીગમ સાથે આ ઉપકરણના વપરાશકર્તાને કશી લેવાદેવા હોતી નથી. આનું એક કારણ એ કે વૈજ્ઞાનીક અભીગમ અપનાવવામાં આવે તો ઘણી બધી અન્ય બાબતોનો સ્વીકાર કરવો પડે, જે આપણી પરમ્પરા સાથે કે બહુમતી સમાજના અભીગમ સાથે સુસંગત ન હોય. તેને બદલે આભાસી સલામતીના કોચલામાં પુરાઈને પોતાની માન્યતાઓને વળગી રહીને સન્તોષ માનતા રહેવું વધુ સુવીધાજનક છે. આ લક્ષણ કેવળ વ્યક્તીગત સ્તરે નહીં, વ્યાપક સામાજીક સ્તરે તેમ જ શાસકીય સ્તરે પણ જોવા મળે છે.

શાસકો આપણી વૈજ્ઞાનીક સીદ્ધીઓને ગમે એટલી બીરદાવે, તેઓ હૈયેથી સાંસ્કૃતીક કટ્ટરવાદનું જ સમર્થન કરતા હોય છે. આ કોઈ વ્યક્તીગત માન્યતા નથી; પણ દેશભરના વીજ્ઞાનીઓ દ્વારા અનુભવાઈ રહેલું સત્ય છે. આ મહીનાની નવમી તારીખે દીલ્હી, મુમ્બઈ, હૈદરાબાદ, કોલકાતા સહીત પચીસેક શહેરોમાં વીજ્ઞાનીઓએ રેલી કાઢી. શી હતી તેમની માગણીઓ?

તેમની પ્રાથમીક માગણી એ હતી કે બન્ધારણના પરીચ્છેદ 51 A (h)નો સુયોગ્ય ઢબે પ્રચાર કરવામાં આવે. તેમાં જણાવાયા મુજબ પ્રત્યેક નાગરીકની એ મુળભુત ફરજ છે કે તે વૈજ્ઞાનીક અભીગમ, માનવવાદ, જીજ્ઞાસા તેમજ સુધારાવૃત્તી કેળવે. નાગરીકો કંઈ આપમેળે આ કરવાના નથી, એટલે સરકારે તેનો યોગ્ય પ્રચારપ્રસાર અને અમલ થાય એ મુજબ કાર્યક્રમો ઘડવા જોઈએ. વીજ્ઞાન અને ટેકનોલોજીને વીકસાવવાની વાતો જોરશોરથી થાય છે; પણ તેની વાસ્તવીકતા શી છે?

2015માં તીરુપતી સાયન્‍સ કોંગ્રેસના આરમ્ભીક ઉદ્‍બોધનમાં આપણા વડાપ્રધાને જણાવ્યું હતું કે વીકાસની તત્કાળ આવશ્યકતા માટે વીજ્ઞાન અને ટેકનોલોજી હાથવગાં હોવાં જોઈએ અને કોર્પોરેટ સોશીયલ રીસ્પોન્‍સીબીલીટી (સી.એસ.આર.)નું ભંડોળ વૈજ્ઞાનીક શોધના ઉત્તેજન તરફ વળવું જોઈએ. ત્યાર પછી દહેરાદુનમાં યોજાયેલી ચીંતન શીબીરમાં જાહેરનામું રજુ કરવામાં આવ્યું કે લૅબ એટલે કે સંશોધનલક્ષી પ્રયોગશાળાઓ વીકાસલક્ષી બનાવવી જોઈએ, જે 2017 સુધીમાં અંશત: નફાલક્ષી પણ બને તેમજ અંશત: તે નાણાકીય રીતે સ્વનીર્ભર બને એમ થવું જોઈએ. આ જાહેરનામાને પગલે વીજ્ઞાન અને પ્રૌદ્યોગીકી મન્ત્રાલયના તાબામાં કામ કરતી સંસ્થા ‘કાઉન્‍સીલ ઑફ સાયન્‍ટીફીક એન્‍ડ ઈન્‍ડસ્ટ્રીઅલ રીસર્ચ’ (સી.એસ.આઈ.આર.)ને જણાવવામાં આવ્યું કે તેઓ પોતાના દ્વારા વીવીધ લેબોરેટરીને ફાળવવામાં આવતા ફંડની રકમમાં અડધોઅડધ વધારો કરે. આ સંસ્થા અંતર્ગત કુલ 38 લેબોરેટરી રાષ્ટ્રભરમાં કાર્યરત છે. સામે પક્ષે લેબોરેટરીઓને પણ સુચના આપવામાં આવી કે તેઓ વખતોવખત નીયમીતપણે જાણકારી આપતી રહે કે તેમના દ્વારા કરાયેલાં સંશોધનો શી રીતે વર્તમાન સરકારનાં આર્થીક તેમજ સામાજીક ધ્યેયને આગળ વધારે છે. પહેલી નજરે આ આખું ચીત્ર એકદમ સંપુર્ણ લાગે અને એમ પણ થાય કે આમ જ હોવું જોઈએ.

પાયાની સમસ્યા વીજ્ઞાન સાથે સરકારી કાર્યક્રમની ભેળસેળની છે. વૈજ્ઞાનીક શોધ લાંબા ગાળાની પ્રક્રીયા છે. એ તત્કાળ તેમજ ઈચ્છા મુજબ ફળ આપતું કોઈ કલ્પવૃક્ષ નથી. શાળાના વીદ્યાર્થીઓની પ્રગતીનો વખતોવખત અહેવાલ મેળવી શકાય, વીજ્ઞાનીઓ દ્વારા હાથ ધરાયેલા કાર્યનો નહીં. કેમ કે, દરેક પ્રયોગ સફળ થશે જ તેની કોઈ ખાતરી હોતી નથી. અનેક અખતરાઓ નીષ્ફળ જાય ત્યારે સફળતા મળે તો મળે. આજે ગૌરવભેર આપણે જે ઉપગ્રહો તૈયાર કરીને અવકાશમાં સફળતાપુર્વક તરતા મુકી રહ્યા છીએ, તે રાતોરાત નહીં, પણ કેટલાય દાયકાઓની જહેમત પછી પ્રાપ્ત થયેલું ફળ છે.

ઉદ્યોગો સાથે વૈજ્ઞાનીક શોધને સાંકળવાની દરખાસ્ત પહેલી નજરે આકર્ષક લાગે; પણ તેમાં મુળભુત સંશોધનો હડસેલાઈ જાય એ શક્યતા રહેલી છે. એટલે કે ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં સંશોધનોનું વ્યાપારીકરણ થાય અને તેનો સીધો લાભ જે તે ઉદ્યોગો કે ઉદ્યોગગૃહોને જ મળે. રાષ્ટ્રને તેનો સીધો લાભ ભાગ્યે જ મળે. બીજી રીતે કહીએ તો રાષ્ટ્રે પોતે જ સ્વતન્ત્રપણે વૈજ્ઞાનીક સંશોધનને ઉત્તેજન મળે એ રીતે અંદાજપત્રમાં નાણાંની ફાળવણી વધારવી રહી.

દેશના અલગ અલગ પચીસેક શહેરોમાં રેલી કાઢવા પાછળ વીજ્ઞાનીઓનો આશય આ હકીકત પ્રત્યે સૌનું ધ્યાન દોરવાનો હતો. તેમની માગણી હતી કે ભારતની જી.ડી.પી.ના ઓછામાં ઓછા ત્રણ ટકા વૈજ્ઞાનીક તેમજ પ્રૌદ્યોગીકી સંશોધન પાછળ અને દસ ટકા શીક્ષણ માટે ફાળવવામાં આવે. એ જાણવું જરુરી છે કે અંદાજપત્રમાં છેલ્લાં ત્રણ વર્ષથી શીક્ષણ માટેનાં નાણાંની ફાળવણીનું પ્રમાણ સતત ઘટતું રહ્યું છે, જે 2016–17ના વર્ષમાં માત્ર 3.65 ટકા જ હતું. છેલ્લા બજેટમાં વીજ્ઞાન અને પ્રૌદ્યોગીકી માટે અંદાજપત્રની કુલ રકમના 0.52 ટકા જ ફાળવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લેખના આરંભે જણાવ્યું એમ બંધારણના ઉક્ત પરીચ્છેદને સુસંગત અવૈજ્ઞાનીક, પ્રગતીવીરોધી તેમજ ધાર્મીક અસહીષ્ણુતાને સમર્થન આપે એવો પ્રચાર બન્ધ કરવાની આ વીજ્ઞાનીઓની માગણી છે. આ ઉપરાંત શૈક્ષણીક પ્રણાલીમાં તેઓ એવું શીક્ષણ દાખલ કરવા ઈચ્છે છે કે જે વૈજ્ઞાનીક પુરાવાઓ પર આધારીત હોય. સાથે સાથે નીતીઓ પણ એવી રીતની હોય જે વૈજ્ઞાનીક પ્રમાણને અનુરુપ હોય.

સરકાર દ્વારા વીવીધ પાઠ્યપુસ્તકોમાં પોતાની વીચારધારાને અનુકુળ તથ્યોના તોડમરોડની નવાઈ રહી નથી. ઈતીહાસ તો ઠીક, સાહીત્ય અને વીજ્ઞાનના ક્ષેત્રોમાં પણ તેમની દખલગીરી વધી રહી છે. વીજ્ઞાનીઓ એક થઈને આ બધાં અનીષ્ટોની સામે દેખાવો યોજે તો આગામી અંદાજપત્રમાં નાણાંની ફાળવણી પર તેની થોડીઘણી માત્રામાં હકારાત્મક અસર થઈ શકે એ શક્યતા નકારી શકાય નહીં. પણ એ સીવાયની બાબતો અમલમાં અઘરી છે.

એક પ્રજા તરીકે આપણે જ ધર્મ, સંસ્કૃતી, નાતજાત અંગેની અનેક ગેરમાન્યતાઓ અને ગેરસમજણોથી પીડાઈએ છીએ. રાજકારણીઓ પોતાના મતના સ્વાર્થ ખાતર આ ખાઈને વધુ ને વધુ પહોળી કરી રહ્યા છે. તેમને મળી રહેલી સફળતા હકીકતમાં પ્રજા તરીકે આપણી વ્યાપક નીષ્ફળતા સુચવે છે. હજી આપણને વૈજ્ઞાનીક અભીગમ અપનાવવાનું જચતું નથી. બંધારણમાં ભલે ગમે તે લખાયું હોય, તેનો અમલ આખરે આપણા હાથમાં છે. વીજ્ઞાનનો ઉપયોગ અને વૈજ્ઞાનીક અભીગમ બન્ને અલગ બાબતો છે. ઉલ્લેખનીય છે કે આ અખબારમાં, આ જ સ્થાન હૃદયસ્થ રમણ પાઠકવાચસ્પતી’એ સતત 38 વર્ષ સુધી પોતાની સાપ્તાહીક કટાર ‘રમણભ્રમણ’ દ્વારા વૈજ્ઞાનીક અભીગમ કેળવવાનો નોંધપાત્ર પ્રયાસ કર્યો હતો, જેનાં ફળ અનેકને મળી રહ્યાં હશે. આ એક સતત ચાલતી પ્રક્રીયા છે, અને એક વાર શરુ થયા પછી આજીવન રહે છે. વ્યક્તીગત ધોરણે વૈજ્ઞાનીક અભીગમ કેળવાય એ પ્રશંસનીય છે, પણ તેનો વ્યાપક પ્રસાર થાય એ વધુ જરુરી છે. વીજ્ઞાનીઓએ ત્યાર પછી રેલી કાઢવાની જરુર નહીં રહે.

–બીરેન કોઠારી

‘ગુજરાતમીત્ર’, દૈનીકમાં દર ગુરુવારે ચીન્તક–લેખક શ્રી. બીરેન કોઠારીની લોકપ્રીય કટાર ફીર દેખો યારોંનીયમીત પ્રગટ થાય છે. તા. 17 ઓગસ્ટ, 2017ની એમની કટારમાંનો એમનો આ લેખ, લેખકશ્રીના અને ગુજરાતમીત્રના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક : શ્રી. બીરેન કોઠારી, બ્લૉગ :  Palette (અનેક રંગોની અનાયાસ મેળવણીhttp://birenkothari.blogspot.in ઈ.મેલ : bakothari@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ–મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16–02–2018

13 Comments

  1. Science, Scientist and Scientific Temper
    I understand that the terms Science, Scientist and Scientific Temper are related to each other but they have entirely different connotation.
    One may study science as a subject for knowledge or curiosity. But he does not necessarily become a scientist and does not necessarily cultivate scientific temper.
    There are several renowned scientists in the past and in present who have developed great researches but they do not or may not have scientific temper. Many scientists of old and present times had and have faith in religion and God. In their psyche science, scientific temper and religion-belief in God have very convenient coexistence.
    There are several science teachers and science researchers who have not an element of scientific temper. They are as theists and orthodox, dogmatic like any other who does not know science at all.
    I am a very sincere, dedicated teacher of social-behavioral science, Psychology. But I am in great pain when I learn that my students and colleague teachers in Psychology even though they have learnt the characteristics of science and scientific method, experimentation and verification etc but in their daily life they are as ritualistic and superstitious as ordinary individuals.
    For cultivating scientific temper study of science is not necessarily a prerequisite, however study of science and scientific method may facilitate to cultivate scientific temper. We have among us many not highly educated or even semi literate who have an objective, unprejudiced and unbiased temperament.
    To day we all live among the technologies developed by science, enjoy its benefits and praise the benefits of science but along with that we have equal faith in non science also.
    So our efforts and objectives in our movement should be directed not only in creating acquaintace with science but emphasize what and why of science, that is creating and developing an attitude for looking at and evaluating events and information
    Science is mere information about the elements and objects in nature. Scientific Temper is an Attitude, Spirit of Doubt, Non acceptace of any authority-religious or any source of information, Looking at the event or experience or data with an objective, unbiased outlook without involvement of personal likes and dislikes.
    Though our knowledge comes from experiences but same experience should have consistency and it is to be verified, examined and proved without exception. Etc.
    So we may make efforts to popularize science but the emphasis should be on creating an attitude.
    Dr. B.A.Parikh
    Ex. Vice-chancellor of Veer Narmad South Gujarat University
    and
    Ex. President of Satyasodhak Sabha
    Surat

    Liked by 1 person

  2. Friends,
    One sentence on the article written by Dr. B.A.Parikh is very important….
    ” So we make efforts to popularize science but the emphasis should be on creating an attitude.”
    The word “attitude” and the other word Dr. Parikh has used several times is ” temper”.
    Attitude = વલણ.
    Temper =જુસ્સો, મન:સ્થિતિ,
    લેખ ખૂબ જ સરસ છે. આંખ ખોલનારો છે.
    ડો. પરીખનો લેખ પણ અેટલો જ સરસ અને આંખ ખોલનારો છે. ગોવિદભાઇને થેંક્સ…આ લેખને રેફરન્સ તરીકે મુકવા માટે.
    મારા વિચારો.
    (૧) જ્યારે લોકો દ્વારા, લોકોને માટે, લોકોના કામ કરવા માટે ચૂંટાયેલા લોકો જ અભણ, અંઘશ્રઘ્ઘાળું, લુચ્ચા, લફંગા અને પોઝીસનનો ગેરલાભ ઉઠાવીને પોતાના ઘર ભરતા હોય, તો શું અેક્ષપેક્ટ કરવું ?
    (૨) લુચ્ચાઇ કરતાં કરતાં પોતાનો સ્વાર્થ સાઘવા માટે મગરના આંસુ સારતા હોય, લોકોને ગમતું બોલતાં હોય અને પોતાની પકડ સમાજ અને સામાન્ય માણસની ઉપર રાખતાં હોય તેના તરફથી શું અેક્ષપેક્ટ કરવું.?
    (૩) શાળાઓના પાઠયપુસ્તકોમાં રાજકારણીઓની ચાલ ચાલવા ખોટા ખોટા ફેરફારો કરનાર પાસે શું અેક્ષપેક્ટ કરવું ?
    દેશના અભણ કે ભણેલાં ઇવન વૈજ્ઞાનિકો પણ જો સાઘુ બાવાઓની પાછળ ભમતા ફરતાં હોય તો તે પ્રજા પાસે શું અેક્ષપેક્ટ કરવું.?
    પેલા સદ્ ગુરુ આજકાલ ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, વૈજ્ઞાનિકો…યુવાનો, યુવતીઓ…બાળકો સૌને પોતાના ગાંડા બનાવીને ફરે છે. તેમની વાતોના વડા કોનું પેટ ભરે છે ? સ્મશાન વૈરાગ્ય જ જન્માવે છે. કહેવાતા ૫૦૦૦ વરસો જુનો રોગ દરેક ભારતીયોના ૨૩ જીન્સમા અેક જીન બનીને બેઠેલો છે. ભારતીય વિજ્ઞાનીઓમાંથી કદાચ ૫૦ ટકા કે વઘારે ઘર્મને પ્રથમ ગણે છે. તેઓ માને છે કે ભગવાને જ તેમની આ રીસર્ચમાં સંપૂર્ણ મદદ કરી છે નહિ તો હું તો અેક પામર માનવી જ છું.
    ભારતથી સાચા અર્થમાં ભણીને પોતાની શક્તિઓનો સદુપયોગ કરવાં જે જે વિદ્યાર્થિઓ અમેરિકા આવે છે તેમની ઉપલબ્ઘિઓ જૂઓ. તેમની પ્રગતિ જૂઓ..
    .ભારતમાં પોલીટીક્સ પ્રથમ સ્થાને છે. દરેક વિષયમાં પોલીટીક્સ……લોકલ લેવલે અને રાજકારણીઓનું પોલીટીક્સ…બઘું જ બરબાદ કરે છે. આનંદ અેટલો કે આ બઘું થાય છે છતાં ભારત ટેકનીકલ અને વૈજ્ઞાનિક ક્ષેત્રે સારું અેવું પ્રદાન કરી રહ્યુ છે. તેને માટે અભિનંદનને પાત્ર છે.
    પોલીટીક્સ અને ( ૮૦ ટકાના) પોલીટીશીયનો સામાન્ય માણસ કે સીટીઝનના મહાન દુશ્મનો છે…આખી દુનિયામાં…ભારત હોય કે અમેરીકા હોય…..
    અમૃત હઝારી.

    Liked by 1 person

  3. ગેર બંઘારણિય ? ભારતમાં કોઇને પણ બંઘારણના કાયદાઓની પડેલી છે ? ફાર્માશ્યુટીકલ ઇન્ડસ્ટ્રીનો ઊંડો અભ્યાસ કરવા જેવો છે. કાયદા કી તો અૈસી તૈસી…..રસ્તાઓ ઉપર….??? કાયદાશબ્દની સ્પેલીંગ કે અર્થ કોને ખબર છે ?
    અમૃત હઝારી..

    Liked by 1 person

  4. “it is to be verified, examined and proved without exception.” writes Dr. Parikh.

    Not every aspect of of our lives can be subjected to such rigorous analysis. For example, grandparents’ love for their grand kids. What is important is to use our common sense without being impressed by propaganda or being afraid to differ from our peers.

    Liked by 1 person

  5. Extremely interesting article, Thank you Govindbhai.

    Where do I start? What shall I write? I shall use bullet points to make it easy!

    1. I do believe that the love for Science and Scientific knowledge should start at a very early age.
    2. Religion and Science are different subjects, however they do have something in common
    3. Blind faith overtakes around 80% in peoples’ lives
    4. To eradicate Blind faith, much needs to be done by various organisations including ‘Places of Worship’ and their leaders need to be Educated
    5. Most pupils in the West ask Logical questions and expect Logical answers
    6. The word ‘Dharma’ is corrupted; need modification
    7. Not everything can be proved Scientifically
    8. There is so much corruption in Drug Companies, they produce medicines to sell to the Medical Organisations, making special deals
    9. Yes, Politics is embedded in our daily lives
    10. Humans need to turn to Nature to learn real Science
    11. India had a Legacy of Science and Technology, got wiped out but need to brought back, somehow!
    12. We need to make our youngsters understand the value of Experiments, Investigations, Research and Discovery
    And finally, I have started this journey with my fellow pupils hoping they will reach to the Stars!
    Best wishes to all on this Blog.

    Liked by 1 person

  6. ડૉ. પરીખનો સુંદર મનન્ય લેખ બદલ ડૉ. સાહેબનો ખૂબ -ખૂબ આભાર
    સાથે આલેખ અમારા સુધી પહોંચાડવા બદલ ગોવિંદ સાહેબનો અતિ આભાર.

    Liked by 1 person

  7. સાચું હોય તે બધું જ માનવજાત માટે સારું જ હોય તેવું નથી. આઇન્સ્ટાઇનની થીયરી
    સાચી છે કે નહીં તે ચકાસવા વૈજ્ઞાનીકોએ પ્રજાના અબજો ડોલર ખરચાવ્યા અને તેને
    સાચી ઠરાવી. તેમનું સમીકરણ પણ સાચું ઠર્યું. તેમણે 1939માં પત્ર લખીને
    અમેરીકાના પ્રેસીડેન્ટને સુઝાવ્યું કે અમેરીકાએ અણુંબોંબ બનાવવો જોઈએ. બીજા
    ત્રણ પત્રો લખી દબાણ પણ કર્યું. રીચાર્ડ ફેઈનમાન, નીલ બોહર , ઓપનહાઈમર વગેરે
    મહાન વૈજ્ઞાનીકોએ અમેરીકન સરકારને મદદ પણ કરી. ઇ.સ. 1905 થી 1939 સુધીના 34
    વરસો દરમ્યાન અને ત્યાર બાદ પણ આ બધા મહાન વૈજ્ઞાનીકોમાંથી કોઈએ પણ
    અણુંશક્તિનો ઉપયોગ અણુવિદ્યુત પેદા કરવા માટે કરવાનું ના સુચવ્યું. કારણ?

    હજુ આજે પણ આઇન્સ્ટાઇનની થીયરી અનુસાર gravitational waves નોંધવા માટે ખાસ
    વ્યવસ્થા કરોડો ડોલરને ખર્ચે બાંધી ને તેના નિભાવ માટે લાખો ડોલર ખરચવામાં આવે
    છે જે પૈસા બીજા વધારે ઉપયોગી સંશોધનોના બજેટમાં ઉમેરાવા જોઈતા હતા.

    ટુંકમા વૈજ્ઞાનીક સિધ્ધિઓથી અંજાઈ જવાની જરુર નથી.

    2018-02-15 20:17 GMT-05:00 ‘અભીવ્યક્તી’ :

    > ગોવીન્દ મારુ posted: “વૈજ્ઞાનીક અભીગમ પ્રત્યે ઉપેક્ષા ગેરલાભકર્તા જ નહીં,
    > ગેરબંધારણીય પણ છે –બીરેન કોઠારી વીજ્ઞાન, વીજ્ઞાની અને વૈજ્ઞાનીક અભીગમ
    > સામાન્યપણે આપણા દેશમાં હાંસીપાત્ર બનતાં આવ્યાં છે. કોઈ પણ મુદ્દે જેને
    > ફટકારી શકાય એવી હાથવગી ‘પંચીંગ બૅગ’ અથવા દેશી ઉપમા વાપરીને ક”
    >

    Like

  8. નમસ્તે બિરેનભાઇ તથા ગોવિંદભાઇ, આટલી રસપ્રદ ને માહીતીસભર કોમેન્ટ વાંચ્યા પછી આમ તો વિચારવા ને ખાસ એ પ્રમાણે વર્તવા સિવાય બાકી રહેતુ નથી. છતા આટલુ તો કહુ કે દરેક વિજ્ઞાની માણસ જ હોય છે. એનામાં પણ કોઇ
    વિરાટ શકિત કે ભગવાન પ્રત્યે આશ્થા હોઇ શકે. આપણા અબ્દુલ કલામની પરાત્પર બુક વાંચો. વિજ્ઞાની એનામાં સામાન્ય માણસ કરતા વધારે જ્ઞાન હોય એથી એ માણસ મટી નથી જતો. ઉલ્ટુ કયારેક માણસ ટોચ પર હોય ત્યારે એને પડવાની વધારે બીક હોય કેમ કે ખીણનુ ઉંડાણ એ જ જોઇ શકે. એને પણ આધારની જરુર પડે. સામાન્ય માણસને ગનની જેટલી બીક લાગે એના કરતા પોલીસને વધારે લાગે કેમ કે એ એની વિનાશકતા જાણે છે.એક માણસ સારો વિજ્ઞાની હોય એટલે સારો માણસ જ હોય એની ખાતરી નહોય.બુધ્ધિ ભગવાનની દેન હોય પણ એનો ઉપયોગ એ માણસના વિવેક પર રહે છે. એટલે આ બધી શોધખોળોનો ઉપયોગ વિકાસ માટે કરવો કે વિનાશ માટે એ માણસે પોતે જ નક્કી કરવાનુ. બીજુ આપણા સંસ્કાર કહો કે ઘર્મ પણ કુદરતના દરેક તત્વમાં આપણે દૈવત્વ જોયુ છે પણ બુધ્ધિથી સમજવાનો પ્રયાસ કર્યો નથી. આપણને વિજળીમાં ઇન્દ્ર, પાણીમાં વરુણ, મૃત્યુમાં યમ, આગમાં અગ્નિદેવ,ગાયમાં કામધેનુ, બળદમાં નંદી, બાકીમા પ્રાણી જેમકે કુકડા, મોર, ઉંદર, કુતરો, વાઘ, બળદ , નાગ,ગરુડ, હંસ બધાને આદેવોના વાહનો બનાવી દીધા છે. પછી તો એક જ કામ બાકી કે પીપળાની, ગાયની, નાગ વગેરેની પુજા કરો. જે ધ્યેય માટે બુધ્ધિશાલી વિજ્ઞાની પ્રયોગશાળામાં માથા ફોડે એ તો આપણા પ.પુ.ધ,ધુએક ચપટી વગાડતા જ કરી નાખે. હા એ અલગ વાત છે કે એ મુસાફરી પુષ્પક વિમાનમાં નહિ પણ એર ઇન્ડીયામાં જ કરે છે. આકાશવાણી કે સંજયદ્રષ્ટિને બદલે ફોન ને સ્કાઇ પે ઉપયોગ કરે છે.

    Liked by 1 person

  9. ઈશ્વરનું અસ્તિત્વ નકારતા પહેલા વિચારવું જોઈએ કે “શું મને જીંદગીમાં કોઈએ જ મદદ નથી કરી? શું તે બધા સ્વાર્થી હતા? ના, તો તેમણે મને મદદ શા કારણે કરી હતી? વિજ્ઞાનનો એવો કયો નિયમ છે જેણે તેમને ફરજ પાડી હશે? શું મેં પોતે પણ કોઈને જ નિસ્વાર્થપણે મદદ નથી કરી? કરી હતી તો તેમ કરવાની વૃત્તિ મને કોણે આપી હતી? તે જે કોઈ કે કશું છે તે નથી એમ કહેવાથી હું નગુણો ના થાઉં?”

    Liked by 1 person

  10. Good thought provoking article, science , scientific attitude to create things for benefit for others are done by scientist.Yet we have to believe that there is some power which gives intuition to scientist to make discovery .we have to accept that power as God. ( This is personal beliefs ) Beliving in God gives piece to our mind.

    Liked by 1 person

  11. One should have faith in science but not blind faith; one should have faith in God but not blind faith. Excessive faith in either can also be blind faith. Some people seem to have too much faith in all activities conducted or proposed as scientific research or religious ones. Proper balanced thinking is needed when evaluating them.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s