મન્દીર : શ્રદ્ધાળુઓ માટે ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્‍ટર..!

31

મન્દીર : શ્રદ્ધાળુઓ માટે ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્‍ટર..!

– દીનેશ પાંચાલ

એક મીત્રે બચુભાઈને પુછ્યું, ‘રૅશનાલીઝમ’ એટલે શું?’ જવાબમાં બચુભાઈએ એક વાર્તા કહી. કડકડતી ઠંડીમાં વાંદરાઓની મીટીંગ મળી. ઠંડીથી રક્ષણ મળે તે માટે તેમણે ‘શીતનીવારણ યજ્ઞ’ કરવાનું સર્વાનુમતે ઠરાવ્‍યું. આખું જંગલ ખુંદી તેમણે ચણોઠી ભેગી કરી અને તેને અગ્ની સમજી ફુંક મારવા લાગ્‍યા. ઝાડ પર પોતાના માળામાંથી એક ચકલી આ બધું જોઈ મુછમાં હસી રહી હતી. ચકલીએ નીચે આવી વાંદરાઓને કહ્યું– ‘ભાઈઓ ચણોઠીથી કદી આગ પ્રગટી શકે નહીં. માટે યજ્ઞની વાત છોડો ને ઠંડીથી બચવું હોય તો અમારી જેમ ઘર બનાવીને રહો!’ વાંદરાઓ આસ્‍તીક હતા. તેમને લાગ્‍યું કે આ ટચુકડી ચકલી તેમનું અપમાન કરી રહી છે. તેમણે ચકલીને કહ્યું– ‘હે મુર્ખ ચકલી, આ બુદ્ધીનો નહીં શ્રદ્ધાનો વીષય છે. શ્રદ્ધા હોય તો ચણોઠીમાંથીય આગ પ્રગટી શકે. તું અમારી ધાર્મીક ભાવનાને ઠેસ પહોંચાડે છે. તને શી રીતે માફ કરી શકાય!’ કહી વાંદરાઓએ ચકલીને મારી નાંખી. અને વાંદરાઓ પણ મુછમાં હસવા લાગ્‍યા. તાત્‍પર્ય એટલું જ કે રૅશનાલીઝમ એવી મુછ છે, જે હોય તો ચકલીનેય હોય છે અને ના હોય તો વાંદરાઓનેય નથી હોતી! બચુભાઈએ અંતે ઉમેર્યું– ‘આગ પેટાવવા ચણોઠીમાં ફુંક મારવી તે અન્ધશ્રદ્ધા કહેવાય અને લાકડાં ભેગાં કરી દીવાસળી વડે તે સળગાવવાની કોશીષ કરવી તેને રૅશનાલીઝમ કહેવાય!’

આસ્‍તીકોની ઈશ્વર આસ્‍થાનાં કારણો મહદ્‌અંશે પ્રાકૃતીકતા સાથે સંકળાયેલા છે. પ્રારમ્ભમાં સુર્ય, ચન્દ્ર, તારા, ધરતી, આકાશ, વરસાદ જેવાં કુદરતી પરીબળોથી પ્રભાવીત થઈ માણસ ઈશ્વરને માનવા પ્રેરાયો હતો. જાદુગર કે. લાલ. પોતાના જાદુની કરામત સમજાવે તે પછી જાદુનું કોઈ આશ્ચર્ય રહેતું નથી. તેમ વીજ્ઞાને એક પછી એક બધાં જ પ્રાકૃતીક રહસ્‍યોનો પર્દાફાશ કર્યો છે. આદીમાનવ વીજળી અને વાદળોના ગડગડાટથી ડરતો હતો. આજનો આદીવાસી વરસાદને દેવ માની પુજતો નથી કે વીજળીથી ડરીને ઝુંપડામાં સન્તાઈ જતો નથી. ધર્મ કે ભગવાન વીષેના વીચારો માણસને પુર્વજો પાસેથી પ્રાપ્‍ત થતાં હોય છે. પણ જેમ ફાનસ ગયાને ઈલેકટ્રીક બલ્‍બ આવ્‍યા તેમ આસ્‍તીકતા ગઈ અને નાસ્‍તીકતા આવી એવું થયું નથી. હા, દબાતા પગલે રૅશનાલીઝમનો પ્રવેશ થઈ ગયો છે; પણ આજેય દુનીયામાં આસ્‍તીકોની બહુમતી છે.

આપણી ધર્મપ્રધાન સંસ્‍કૃતીમાં દેવીદેવતાઓની બોલબાલા રહી છે. માણસ સમજણો થાય ત્‍યારથી પોતાના માબાપે અપનાવેલાં દેવીદેવતાઓને પુજવાનું ચાલુ કરે છે. મોટો થઈ તે ભગવાન વીશે કલ્‍પના કરે છે ત્‍યારે તેની નજરમાં તેણે માનેલા દેવની મુર્તી સહજપણે ઉપસે છે. તે પોતાના દેવને સૃષ્ટીના એક માત્ર સાચા ભગવાન તરીકે જુએ છે. એક બાળક પરીપક્‍વ થાય ત્‍યાં સુધીમાં ભગવાન વીશે એટલી બધી ચમત્‍કારીક વાતો સાંભળે છે કે તેના દીલમાં ભગવાન વીશે એક સુપરમેન તરીકેની ઈમેજ બંધાય છે. ઈશ્વર સર્વશક્‍તીમાન છે. તે ધારે તે ચમત્‍કાર કરી શકે છે. ઈશ્વરની રાત દહાડો પુજા કરીશું તો આપણાં સર્વ દુઃખો દુર થઈ જશે. ઈશ્વરને નહીં ભજીશું તો આપણે નર્કમાં જઈશું… એવી ભ્રામક માન્‍યતાઓના સંસ્‍કાર વચ્‍ચે બાળક મોટું થાય છે. પછી બને છે એવું કે કાળક્રમે તે માનસીક પુખ્‍તતા હાંસલ કરે છે ત્‍યારે બાળપણની બીજી બધી ગેરસમજો બદલાય છે; પણ ઈશ્વર વીશેની પરમ્પરાગત માન્‍યતાઓ બદલાતી નથી. પરીણામે આપણો વીજ્ઞાનશીક્ષક પણ બાધા આખડી, જન્તર મન્તર અને ભગત ભુવામાં માને છે. (વર્ષો પુર્વે જામનગરની કોલેજમાં વીજ્ઞાન ભણાવતા એક ગુજુ પ્રૉફેસરે ઈશ્વરને પ્રાપ્‍ત કરવા પોતાના જ પુત્રનો બલી ચઢાવ્‍યો હતો, એટલું જ નહીં તેણે જણાવ્‍યું હતું કે તેણે કશું જ ખોટું કર્યું નથી!’) પ્રત્‍યેક શ્રદ્ધાળુ પાસે પોતાના ભગવાન વીશેના ચીત્રો બહુ સ્‍પષ્ટ છે; પણ દરેકના ચીત્રો જુદા જુદા હોય છે. એક જણના ભગવાનનો બીજાના ભગવાન જોડે મેળ ખાતો નથી. બધાં ભગવાનમાં માને છે; પણ બધાંના ભગવાનો જુદા હોય છે. માણસમાં એકતા હોય શકે; પણ ભગવાનમાં એકતા હોતી નથી. એ માની લીધેલા ભગવાનની રક્ષા ખાતર માણસોએ આજપર્યન્ત અનેક યુદ્ધો કર્યાં છે.

થોડાંક માણસોને મોડે મોડે સમજાઈ રહ્યું છે કે ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળતો હોય કે ના હોય; પણ માણસના રોજીન્દા જીવનમાં ઈશ્વરની કોઈ દખલ નથી. માણસ ખુન કરે તો તે ખફા થતો નથી અને ખેરાત કરે તો તે ખુશ થતો નથી. સદીઓથી ચાલતી આવેલી ઈશ્વરની નીષ્‍ક્રીયતાથી તે એમ માનવા પ્રેરાયો છે કે આ પૃથ્‍વીલોકમાં ચોમેર માનવીની સત્તા પ્રવર્તે છે. માણસ જ દુનીયાનો સાચો કર્તાહર્તા છે. દુનીયાનો દસ્‍તાવેજ ઈશ્વરે માણસને નામે કરી દીધો છે. એથી બાળપણના સંસ્‍કારવશ માણસ ઈશ્વરને ભજે છે ખરો પણ તેનાથી ડરતો નથી. તે માને છે કે પુજા એ પ્રભુનો આદેશ નથી માણસની આધ્‍યાત્‍મીક્‍તામાંથી ઉભી થયેલી સ્‍વૈચ્‍છીક રસમ છે!

માણસને ઈશ્વરના મામલામાં કોઈએ સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું હોય તો આપણા સાધુસંતો અને ધર્મગુરુઓએ! તેઓ પાસે ઈશ્વર અને સૃષ્ટી અંગેનું કોઈ વૈજ્ઞાનીક જ્ઞાન હોતું નથી. ભગવા વસ્‍ત્રો પહેરી હીમાલય ચાલ્‍યા જવું એ ધર્મની કે ઈશ્વરીય જ્ઞાનની સાબીતી નથી. હીમાલયમાં તપ કરતા સાધુ સંતો કરતાં રોડ પર લારી ખેંચતો એક મજુર દુનીયાને વધુ ઉપયોગી હોય છે. એવા સાધુઓ માનવ વસતી વચ્‍ચે આવે છે ત્‍યારે ભગવાન વીશેના અતાર્કીક વીચારોનો પ્રચાર કરે છે. ક્‍યારેક વળી એવા બાવાઓ ભક્‍તોને ઠગવાથી માંડી સેક્‍સ કૌભાંડો આચરવા સુધી પહોંચી જાય છે. તેમણે પરાણે પાળવું પડેલું બ્રહ્મચર્ય બંડ પોકારે છે ત્‍યારે શ્રદ્ધાનું શીયળ લુંટાય છે. એવા સાધુઓની સેક્‍સલીલાની સીડી હવે બજારમાં મળતી થઈ ગઈ છે.

આપણી ભોળી પ્રજાને ઈશ્વરના નામે છેતરાવાની વર્ષોથી એવી ફાવટ આવી ગઈ છે કે સત્‍યશોધક સભાની શી મજાલ કે તેમને છેતરાતાં બચાવી શકે? તેમની અન્ધશ્રદ્ધા ગેરેન્‍ટેડ છે. તેમની અન્ધશ્રદ્ધા પર આઈ.એસ.આઈ.નો માર્કો લાગ્‍યો છે. (મહેસાણા જીલ્લાના છાણોત ગામે એક પ્રાથમીક શાળાના ત્રણ શીક્ષકોને એક ગઠીયો ઈશ્વરના દર્શન કરાવવાને બહાને ઠગી ગયો હતો. એમ કહી શકાય કે પેલા અન્ધશ્રદ્ધાળુ શીક્ષકો કરતાં એ અભણ ગઠીયો વધુ હોંશીયાર હતો. પાકું છેતરાયા પછી ય શીક્ષકોના મુખમાંથી ઉદ્‌ગાર સરી પડ્યા– ‘ભગવાનને ગમ્‍યું તે ખરું… એ દુષ્ટને ભગવાન સજા કરશે…!’)

પ્રજાના માનસ પર પ્રારમ્ભથી જ ધર્મ અને ભગવાનનો ચમત્‍કૃતીપુર્ણ પ્રભાવ રહ્યો છે. આપણા બહુધા ધર્મગ્રંથોમાં તરેહ તરેહના ચમત્‍કારો દર્શાવાયા છે. મંત્રોથી બાળકો પેદા થયા છે. નખમાંથી અગ્ની પ્રગટ્યો છે. મુત્‍યુ પામેલી વ્યક્‍તી સંતના આશીર્વાદથી પુનઃ જીવીત થઈ છે. પાપીઓ પર દેવની ખફા દષ્ટી થતાં તેઓ બળીને ભસ્‍મ થઈ ગયા છે. આ બધાં ચમત્‍કૃતીપુર્ણ વર્ણનો કે સીરીયલોમાં દર્શાવાતા દેવોના અલૌકીક ચીત્રણોથી આસ્‍તીકોને ઈશ્વર વીશેની પરમ્પરાગત માન્‍યતાઓમાં વધુ વીશ્વાસ બેસે છે. એક શીક્ષીકાને હાથમાં ફુલ લઈને રામાયણ સીરીયલ જોતાં મેં નજરે જોઈ છે. સીરીયલ પુરી થાય ત્‍યારે તે ટીવી તરફ ફુલ ફેંકીને પગે લાગે છે. આપણે ત્‍યાં ધર્મ અને ભગવાનની બાબતમાં ભણેલા અને અભણ વચ્‍ચે ખાસ તફાવત હોતો નથી.

ભગવાન એટલે તેમને મન ‘મહાભારત’ની સીરીયલમાં સાત ઘોડાનો રથ દોડાવતી પરાક્રમી હસ્‍તી! જેના એક બાણથી દશ માથાવાળો રાવણ ઢળી પડે છે એ રામને કોઈ સમગ્ર સૃષ્ટીનો ભગવાન માને છે તો વળી કોઈ કૃષ્‍ણને! તાત્‍પર્ય એટલું જ કે ધર્મગ્રંથો તેમને માટે ભગવાન અંગેની ગાઈડ છે. મન્દીરો કે તીર્થસ્‍થળોને તેઓ ભગવાન ખરીદવાનું શૉપીંગ સેન્‍ટર સમજે છે અને સાધુસંતો કે ગુરુઓ તેમને મન ભગવાનના શેરબ્રોકરો છે. આમ ધર્મ અને ઈશ્વરના કસુંબલ રંગે રંગાયેલી આપણી પ્રજા સમક્ષ જ્‍યારે જ્‍યારે ભગવાન વીશેના વાસ્‍તવીક સત્‍યો રજુ કરવામાં આવે છે ત્‍યારે આસ્‍તીકો માટે એ તેજાબ સમા દાહક બની રહે છે. ઈશ્વરના અસ્‍તીત્‍વના વીરોધથી ઈશ્વરને કોઈ નુકસાન થતું નથી; પણ માણસના દીલમાં બંધાયેલું સદીઓ જુનું શ્રદ્ધાનું મન્દીર ધરાશાયી થઈ જાય છે ત્‍યારે બાબરી મસ્‍જીદ જેવો હોબાળો મચી જાય છે. સોનાની લગડી સમજી જેને જીન્દગીભર બેંકના લોકરમાં જાળવી રાખી હોય તે લગડી લોખંડની નીકળે તો માણસ આઘાત પામ્‍યા વીના રહી શકતો નથી. પોતાના દીલમાં સદીઓથી સ્‍થાપીત થયેલી ગાઢ ઈશ્વરશ્રદ્ધાનું ડીમોલીશન થાય છે ત્‍યારે માણસ હચમચી ઉઠે છે.

– દીનેશ પાંચાલ

લેખકમીત્ર શ્રી. દીનેશ પાંચાલનું મુલ્યવાન રૅશનલ પુસ્તક ચાલો, આ રીતે વીચારીએ (પ્રકાશક : સાહીત્ય સંગમ, પંચોલીની વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત  395 001 ફોન : (0261) 259 7882/ 259 2563 ઈમેલ : sahityasangamnjk@gmail.com પાનાં : 126, મુલ્ય : રુપીયા 90/–)માંનો આ 31મો લેખ, પુસ્તકનાં પાન 106થી 108 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : શ્રી. દીનેશ પાંચાલ, સી–12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી – 396 445 સેલફોન : 94281 60508 ઈ.મેઈલ : dineshpanchal.249@gmail.com બ્લોગ : dineshpanchalblog.wordpress.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ .મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 16/04/2018

19 Comments

  1. It is a very nice and 100% true article. The common people do not think about this. The people have been brain washed for so many years. They do not want to come from this mess. Thanks to author.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  2. શ્રીમાન દીનેશ પાંચાલ લખે છે:
    આપણી ભોળી પ્રજાને ઈશ્વરના નામે છેતરાવાની વર્ષોથી એવી ફાવટ આવી ગઈ છે કે……..

    ખરી રીતે જોતા મન્દીરો, મસ્જીદો, દેવળો વગેરે ને અંધશ્રદ્ધા ની ફેકટરીઓ જ કહી શકાય, જ્યાં અંધશ્રદ્ધા નું ઉત્પાદન થોકના ભાવે થાય છે, અને તેના ડાયરેકટરો છે: પૂજારીઓ, મોલવીઓ, પાસ્ટરો વગેરે, જેઓ આ ફેકટરીઓ માંના અંધશ્રદ્ધાના ઉત્પાદન માં થી મબલખ કમાણી કરે છે. અને નુકસાન માં રહે છે ગ્રાહકો, ઍટલે કે અંધશ્રદ્ધા માં માનનારાઓ, જેઓ પોતાના લોહી પસીના ની કમાણી સ્વર્ગ માં જવા ની લાલચે આ લેભાગુઓઆના ચરણે ધરી દે છે.

    કાસીમ અબ્બાસ

    Liked by 2 people

  3. Not only the “Shopping Center” but “Bargain Center” in the truest sense of the word. Also it is Begging center for rich people while poor people beg outside the temple. This is going on and on for centuries and it will never change. Alas!

    Liked by 1 person

  4. સરસ.
    સરસ લેખ.
    મોટા થઇ ગયેલાં જ આ અભીવ્યક્તીના આર્ટીકલો વાંચે છે.
    કુમળી કળીઓને આપણે તો વાળવી છે. જે બગડી ચૂક્યા છે તેને બગડેલા રુપે જ મરવા દો.
    જે હજી શીખાઉ છે કે શીખી રહ્યા છે તેમને સાચા માર્ગે દોરીઅે.
    થોડો સમય વઘુ લેવો કે આપવો પડશે પરંતું તેનું પરિણામ લાભદાયક…સાચે રસ્તે ઉપજેલું મળશે. સત્યશોઘકોને પ્રાથમિક શાળામા દર અઠવાડીઅે અેક કે બે ક્લાસ આપો. મને લાગે છે કે તેઓ ચાર્જ નહિ કરે. પરંતું તેમના પ્રયત્નોનું ફળ મોટા પ્રમાણમાં મળશે…૧૦૦ ટકા તો નહિ જ મળે પરંતું ૭૦ ટકા પણ મળશે તો તેને ‘ ડીસ્ટંક્શન‘ કહેવાશે.
    પ્રયત્ન ચાલુ કરો. વિષય તો જાણીઅે જ છીઅે. પ્રશ્ન તો જાણીતો જ છે. ફક્ત સોલ્યુશન મેળવવાના પ્રયત્નોની શરુઆત કરવાની છે. પ્રયત્નો કરવાવાળા પણ તૈયાર છે. તેમને સાથ આપવાની શરુઆત કરવાની કે કરાવવાની જરુરત છે.
    યા હોમ કરીને પડો…ફતેહ છે આગે…..
    બીજું….જે વડીલો કે મા બાપ જાગૃત થયા છે તેમણે પોતાના ઘરેથી આ સોલ્યુશન મેળવવાની શરુઆત કરવી જોઇઅે.
    પ્રશ્નને વાગળવા કરતાં પ્રશ્નની નાબુદી ઉપર ઘ્યાન ઘરીઅે….ફતેહ છે આગે.
    અમૃત હઝારી.
    નોંઘ: મારા ઘરમાં આ સોલ્યુશન મેળવવાની શરુઆત વરસો પહેલાં થઇ ચૂકી છે…પરિણામો આનંદ દાયક મળેછે. અેક્સેપ્ટ….જૂના વિચારોવાળા કડક હાડકાને વાળવું મુશ્કેલ છે.
    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. મંદિર નામના શોપિંગ સેન્ટરમાં હાજરાહજૂર ભગવાન મળતા હોય તો પણ મારે નથી જોઈતા.
    ખૂબ જ ભણેલા પ્રાધ્યાપક, ડૉક્ટર વગેરે પણ જો ભગવાનભ્રમમાં રાચતા હોય તો તે તેમણે ભણેલા મહાન ‘વિજ્ઞાન’ નુ અપમાન છે.

    Liked by 2 people

  6. કેટલાક ઈશ્વરવાદીઓ ઈશ્વરને અવલમ્બનરુપ ગણે છે. દોરી સીવાય વેલો ન ચઢે તેવી તેમની દલીલ હોય છે. મોટાભાગની વ્યક્તીઓ માટે અવલમ્બન જરુરી હશે અને ઈશ્વરમાં માન્યતા ધરાવવાથી, પુજા કરવાથી, ભજન કરવાથી કે કથાવાર્તા સાંભળવાથી તેમને માનસીક રાહત રહેતી હશે પણ તે તો ઍસ્પીરીન લેવા જેવી વાત છે. ઍસ્પીરીન દુખનું ભાન થવા દેતું નથી પણ તે રોગને દુર પણ કરી શકતું નથી.
    અવલમ્બન જો જરુરી લાગતું હોય તોપણ આપણે સમઝી લેવું જોઈએ કે તે માત્ર અવલમ્બન જ છે. ખાતર–પાણી વેલાને આપવાના છે, પેલી દોરીને નહીં. આપણે ચાલણગાડી ચલાવતા બાળક જ રહેવાનું છે કે ટેકા વગર ચાલતા શીખવાનુ છે?

    ઈશ્વરની ઈચ્છા’ એ વણઉકેલાયેલા પ્રશ્નોનો કામચલાઉ ઉકેલ છે.

    Liked by 3 people

  7. બચુભાઈ ગામડામાં રહીને પણ રેશનાલીસ્ટ છે પરંતુ એમની મોડર્ન ગણાતી વહુ પ્રદેશમાં ઘરના દરવાજે ઘોડાની નાળ જડાવે છે અને લીંબુ-મરચા પણ લટકાવેલા રાખે છે. રેશનાલીઝમની જાગ્રુતિ માટે આવા લેખોનું વાંચન વિશેષ જરૂરી છે.

    Liked by 2 people

    1. અફસોસની વાત છે કે જેને આવું વાંચવું અને સમઝવવું જોઈએ તે આવા લેખો વાંચતા નથી.

      Liked by 2 people

  8. Again another thought provoking article by Sri Dinesh Panchal. How many are there like “Bachubhai”? We always carry a shopper mentality of bargaining even in the temple and with the perceived God. Satya Narayan Katha and pooja is the glaring example of this sort of bargaining at every stage in life, and this goes on for thousands of years, so what will our people learn and behave? Do they want to behave like Sadhu Vaishya? Indeed they do.
    Many people say they go to temple for peace of mind. Our temples are so crowded and congested with tremendous noise, how can you feel peaceful.Many people have a huge trepidation and fear of not good after life, so they go to mandir to appease the so called god or gods. Better they take steps to improve the present life on earth but that also is not possible for them without the help of their god, so they join this circle of pooja and temple going and involving in such activities more and more.This is a never ending problem and I don’t fore see any quick solution of this malady.
    I also see the same circle of writers and commentators, in short there is no wide spread reach out of these kind of thoughts, which should have been circulating to a much wider and bigger audience.Thank you for allowing me to write this note.

    Liked by 2 people

  9. દિનેશભાઇ, મને એ સમજાતું નથી કે આટલો વિરોધાભાસ કેમ? આપણા ધર્મમાં સાદગી, સંતોષ ને ત્યાગને મહત્વ અપાયું છે. જેમ કે તપ ,ઉપવાસ કરવાથી પુન્ય મળે, એ માટે સ્વાદિષ્ટ ખોરાક નહિ લેવો, જીભને વશમાં રાખવાની, થોડામાં સંતોષ માનવાનો, સાદા વસ્ત્રો ને મોજશોખ કે એશોઆરામનો ત્યાગ કરવાનો. પણ મંદિરમાં આનાથી તદન ઉલ્ટુ. ભગવાનને છપ્પન ભોગ, ભવ્ય આવાસ, કિંમતી આભૂષણો, હીરના ચીર, દરેક ભગવાનને બાળકો સાથે પરિવાર. શું સંદેશો આપે છે આ મંદિરો? ભલા માણસો મંદિરમાં નહિ મનની અંદર જાવ ને તમારા અંતકરણનું દર્શન કરો.

    Liked by 1 person

  10. માનવીય ગુણો તમને ઉન્નતિના પંથે લઈ જાય ને સમાજને માર્ગ દર્શન આપે , એ રીત-રસમ ચાલી ને પછી વર્ચસ્વ સ્થાપવા નિભાવવા મૂલ્યો ભૂલ્યા.
    સુધારાવાદીઓ સંઘર્ષ કરતા રહ્યા ને રહેશે.

    ગેબી ગજબની સર્જન કેસંહાર કરતી શક્તિઓ,
    વૈજ્ઞાનિક રીતે કામ કરે છે, અસ્તિત્વમાં છે જ , ખબર પડી એટલે માન્યતા તૂત , આવી મનોવૃતિ પણ ઉણપવાળી છે. કારણ કે અનેક આફતો ઝીલતી જ સંસ્કૃતિ ખીલી કરમાઈ છે.
    સમાજમાં ધર્મને નામે સારી વસ્તુ પ્રસ્થાપિત થાય છે, એ સામે આંખ આડા કાન રરેશનાલિસિટ કરે એ ગેર વ્યાજબી ઘણી વખત લાગે છ, અંધ શ્રધ્ધાથીય ખતરનાક કારણ કે સમજદાર લોક છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Liked by 1 person

  11. पंडितो के मोहल्ले मे एक ठाकुरसाब. रहते थे,
    जो हर रोज चिकन बनाकर खाते थे.

    चिकन की खुशबू से परेशान होकर
    पंडितो ने महंत से शिकायत की.

    महंत ने ठाकुरसाब. को कहा
    कि आप भी ब्राह्मण धर्म स्वीकार कर लो,
    जिससे किसी को आपसे कोई
    समस्या ना हो.

    हमारे। ठाकुरसाब. मान गए.

    तो महंत ने ठाकुरसाब पर
    गंगा जल छिडकते हुए संस्कृत में कहा
    “तुम पैदा राजपूत हुए थे पर अब तुम ब्राह्मण हो ”

    अगले दिन फिर ठाकुरसाब . के घर से
    चिकन की खुशबू आई तो सब पंडितो ने
    महंत से उसकी फिर शिकायत की.

    अब महंत पंडितो को साथ लेकर
    ठाकुरसाब . के घर मे गए तो देखा,

    ठाकुरसाब . चिकन पर
    गंगा जल छिडक रहे थे
    और कह रहे थे,

    ” तुम पैदा मुर्गे हुए थे पर अब तुम आलू हो ”
    😂😂😂😂😂😂😂😜😜😜😜😜😜😜😜😜😜😜

    Liked by 3 people

  12. સોનાની લગડી સમજી જેને જીન્દગીભર બેંકના લોકરમાં જાળવી રાખી હોય તે લગડી લોખંડની નીકળે તો માણસ આઘાત પામ્‍યા વીના રહી શકતો નથી. પોતાના દીલમાં સદીઓથી સ્‍થાપીત થયેલી ગાઢ ઈશ્વરશ્રદ્ધાનું ડીમોલીશન થાય છે ત્‍યારે માણસ હચમચી ઉઠે છે.
    very powerful presentation..sure it will help few to realize truth -thx for your efforts

    Liked by 2 people

  13. વાંદરાને શ્રદ્ધા હતી કે ઝાડ કે ચણોઠીને ફુંક મારવાથી અજ્ઞી જરુર પ્રગટ થશે જ્યારે ચકલી ખબર હતી કે માળો બાંધી ઘરમાં રહેવાથી ઠંડી નહીં પડે. લેખકે પોસ્ટમાં સહેલી રીતે શ્રદ્ધા અને રેશનલીસ્ટ સમજાવેલ છે.

    Liked by 2 people

Leave a comment