બૌદ્ધીક શ્રદ્ધાળુઓના ઘોડાપુરમાં રૅશનાલીઝમનું ધોવાણ

બૌદ્ધીક શ્રદ્ધાળુઓના ઘોડાપુરમાં

રૅશનાલીઝમનું ધોવાણ

– પ્રા. સુર્યકાન્ત શાહ

અન્ધકારયુગમાં ફરી જવા માટે સમાજે જે તેજ રફ્તાર પકડી છે તે સમક્ષ રૅશનાલીસ્ટો ધીમાને ધીમા પુરવાર થતા જાય છે. તેઓ આધુનીકતા અને માનવવાદનો આગ્રહ કરે છે; પણ પુન: પુરાણા થઈ જવા માંગતા સમાજ સમક્ષ તેઓ અપ્રસ્તુત બનતા જાય છે. અત્યાર સુધી તેઓ સામા પુરે તરવા માટે ફાંફા મારતા હતા, હવે પૌરાણીકતાની સુનામી સમક્ષ તેઓ ફંગોળાઈ જાય તેવી પરીસ્થીતી પેદા થઈ છે. કેટલાક શ્રદ્ધાળુ બૌદ્ધીકો શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા વચ્ચેની પાતળી ભેદરેખાને કેન્દ્રમાં રાખીને દલીલ કરતા હોય છે કે શ્રદ્ધા રાખવામાં કશું ખોટું નથી. અન્ધશ્રદ્ધા નહીં હોવી જોઈએ. ઈશ્વર, ખુદા કે ગૉડનું અસ્તીત્વ પુરવાર થયું નથી; છતાં તે હોવાનું માનવું તે બૌદ્ધીક શ્રદ્ધાળુઓની દૃષ્ટીએ અન્ધશ્રદ્ધા છે! રૅશનાલીસ્ટો દલીલ કરે છે કે ઈશ્વર અને ભુત બન્નેનું અસ્તીત્વ પુરવાર થયું નથી. તેથી બન્નેના અસ્તીત્વમાં માનવામાં કોઈ તાત્વીક તફાવત પડતો નથી. આથી શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધા બન્ને એક જ છે. બૌદ્ધીક શ્રદ્ધાળુઓના ઝીણા કાંતણને રૅશનાલીસ્ટો આ દલીલથી રફેદફે કરે છે. અત્યાર સુધી આ શ્રદ્ધાળુઓ રૅશનાલીસ્ટોના આ ચાળાને સહન કરતા હતા. તેઓ નવેસરથી બૌદ્ધીક વ્યાયામ કરી જરાક જુદી રીતે શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધાનો તફાવત પાડે છે. પુન: એમની રૅશનાલીસ્ટો સાથેની ચર્ચા શરુ થાય છે, જામે છે. બન્ને એકબીજાથી વીરુદ્ધ મતને સહન કરીને ચર્ચા કર્યા કરે છે. કેટલીકવાર તો એવું લાગે કે, આ ચર્ચા અનન્ત જ રહેશે. દરેક પક્ષ પોતાના મતને દૃઢતાપુર્વક વળગી રહેશે અને જુદા–જુદા સ્વરુપે એકની એક દલીલો કર્યા કરશે. એનાથી બહેતર તો એ છે કે બન્ને પક્ષકારો એ મુદ્દા પર સમ્મત થઈ જાય કે તેઓ પરસ્પરની દલીલો ને મુદ્દાઓ પર અસમ્મત છે અને અસમ્મત જ રહેશે! ટુંકમાં, તેઓ ઈશ્વર, ખુદા, ગૉડના અસ્તીત્વને સ્વીકારે કે નહીં સ્વીકારે; પરન્તુ તેઓ એટલે કે બૌદ્ધીક શ્રદ્ધાળુઓ અને રૅશનાલીસ્ટો એકબીજાના અસ્તીત્વને સ્વીકારશે. સામાન્ય અને બૌદ્ધીક શ્રદ્ધાળુઓની સંખ્યા ઘણી મોટી છે અને રૅશનાલીસ્ટો નગણ્ય સંખ્યામાં છે. આથી, શ્રદ્ધાળુઓ રૅશનાલીસ્ટોને ‘સહન’ કરી લેવાનું પણ નક્કી કરીને અત્યાર સુધી તો બેઠા હતા. આમ, અત્યાર સુધી કોઈકવાર શાંત તો કોઈકવાર ઉગ્ર ચર્ચા અન્ધશ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને થતી રહી છે. બૌદ્ધીક શ્રદ્ધાળુઓ એમણે આંકેલી વ્યાખ્યા અનુસાર અન્ધશ્રદ્ધાળુ બનવા માંગતા નથી; પણ શ્રદ્ધાળુ રહેવાનો આગ્રહ તો કરે જ છે.

અન્ધશ્રદ્ધા અને અસહીષ્ણુતા

રૅશનાલીસ્ટો આમ સહનશીલ બૌદ્ધીક શ્રદ્ધાળુ સાથે શ્રદ્ધા અને અન્ધશ્રદ્ધાની ચર્ચા કરે છે. બૌદ્ધીક શ્રદ્ધાળુઓ સહનશીલ છે એટલે માત્ર પ્રકાશ પાથરતી ચર્ચા ચાલે છે. છેલ્લા ચાર–પાંચ વર્ષથી આ અભીગમમાં આમુલ પરીવર્તન આવવા માંડ્યું છે. એ તો હકીકત છે જ કે શ્રદ્ધાળુઓની સંખ્યા રૅશનાલીસ્ટો કરતાં ઘણી વધારે છે. એક સર્વેક્ષણ એમ જણાવે છે કે ભારતમાં માંડ ત્રણ ટકા લોકો નાસ્તીક અને તેનાથી આગળ વધીને રૅશનાલીસ્ટ છે. બાકીના સત્તાણુ ટકા શ્રદ્ધાળુઓ છે. શ્રદ્ધાળુઓનું સંખ્યાબળ જ એટલું વધારે છે કે તેઓ ધારે ત્યારે રૅશનાલીસ્ટોને માત્ર બોલતાં જ બન્ધ નહીં કરી દે; પરન્તુ આગળ વધીને તેઓ રૅશનાલીસ્ટોને મસળી નાંખી શકે એમ છે. આમ રૅશનાલીસ્ટોએ સ્વીકારવું જ પડે એમ છે કે એમનું અસ્તીત્વ શ્રદ્ધાળુઓની સહનશીલતા પર આધાર રાખે છે. હકીકત ભલે એ હોય કે ઈશ્વર જેવા કોઈ તત્ત્વનું અસ્તીત્ત્વ પુરવાર થયું જ નથી; પણ અસહીષ્ણુ બહુમતી લોકો જો એ હકીકત સ્વીકારવાનો ઈનકાર કરે તો એ હકીકતની ઐસીતૈસી જ થઈ જાય! બહુમતી લોકો જો જવાબદાર અને સહીષ્ણુ નાગરીક બનવાનો ઈનકાર કરે અને બેજવાબદાર તેમ જ જંગલી બનવાનું નક્કી કરે તો એ આત્મઘાતી રસ્તા તરફ દોડતી બહુમતી પ્રજાને અટકાવી શકાતી નથી. આ બહુમતી પ્રજા એકવાર નક્કી કરે કે એ ચૌદમી સદીમાં પુન: પરત જવા માંગે છે, એ મધ્ય–પુર્વના દેશોની જેમ અન્દરોઅન્દર દાયકાઓ સુધી લોહી રેડવા માંગે છે અને તેમાંથી તાલીબાની સંસ્કૃતી પેદા થાય તો તેને એ આવકારશે તો તેને કોઈ સંસ્કૃતીસભર કાનુન, બીનસામ્પ્રદાયીકતા, અદાલતો કે બન્ધારણ અટકાવી શકતાં નથી. આવી અસહીષ્ણુ અને જંગાલીયત સ્વીકારતી બહુમતી પ્રજાને શ્રદ્ધાથી પેદા થતા બુદ્ધીના લકવામાં અને પ્રકાશના એક પણ કીરણ વીનાના પ્રગાઢ અન્ધકારમાં જીવવામાં આનન્દ મળે છે!

આથી ચર્ચા ઉપાડતી વખતે રૅશનાલીસ્ટોએ સતર્ક રહેવાની જરુર છે કે, બહુમતી શ્રદ્ધાળુ લોકો એમની વાતો સાંભળવાને તૈયાર છે એના મત કરતાં તદ્દન વીરુદ્ધનો મત હોવા છતાં તે એમને સહન કરવાને તૈયાર છે અને તેઓ પ્રામાણીકપણે પોતાનો મત વ્યક્ત કરી શકશે કે કેમ આ સન્દર્ભે છેલ્લાં ચાર–પાંચ વર્ષથી આપણા દેશમાં જે પરીવર્તન આવ્યું છે તેને રૅશનાલીસ્ટો બરાબર સમજવાનો પ્રયત્ન કરે. અનેક બનાવો રૅશનાલીસ્ટોને ચેતવણી આપે છે કે બહુમતી શ્રદ્ધાળુઓની સહનશીલતા ઓછી થવા માંડી છે. રૅશનાલીસ્ટો એમના પ્રામાણીક મતને નીર્ભયતાપુર્વક વ્યક્ત કરે એવી શક્યતાની માત્રા ઘટવા માંડી છે. નરેન્દ્ર દાભોલકર અને એવા અન્ય રૅશનાલીસ્ટો અને કર્મશીલોની હત્યા એના પુરાવા છે. બબ્બે–ત્રણ–ત્રણ વર્ષ નીકળી ગયા છતાં પોલીસ અને સીબીઆઈ ગુનેગારોને પકડતી નથી. પોલીસ અને સીબીઆઈના લાંબા હાથ જોતાં એમને મન ગુનેગારોને પકડવાનું ઘણું સહેલું છે; પરન્તુ સત્તાધીશોની આંખ લાલ થશે તે તેઓ જાણે છે એટલે ગુનેગારોને પકડવામાં આવતા નથી. આ અને આવા અનેક બનાવો પુરવાર કરે છે કે સત્તાધીશો પોતે જ અસહીષ્ણુ છે અને બહુમતી પ્રજા અસહીષ્ણુ બને તેવા ઈશારા એમના તરફથી સતત થતા રહે છે. બહુમતીમાંની જે વ્યક્તીઓ અને જુથો આ ઈશારા સમજે છે. તેઓ ગૌમાંસ, લવજેહાદ અને ગૌરક્ષાના નામે અસહીષ્ણુતાની આગને પવન આપે છે. દેશદ્રોહીના લેબલ લગાડે છે.

રૅશનાલીસ્ટો એકવાર બૌદ્ધીક શ્રદ્ધાળુઓની દલીલને સ્વીકારવા ખાતર સ્વીકારીને માત્ર કહેવાતી અન્ધશ્રદ્ધાનો વીરોધ કરે તો પણ તેમને માથે જોખમ વધી જાય તેમ છે. કારણ કે સત્તાધીશોના પ્રચ્છન્ન ટકા હેઠળ બહુમતી પ્રજા ધીમે–ધીમે અન્ધશ્રદ્ધાના સ્ટેશનથી આગળ વધીને અસહીષ્ણુતાના સ્ટેશન તરફ ધપવા માંડી છે. ગાયના પુછડામાં એકાધીક દેવો હોવાની માન્યતા ભલે અન્ધશ્રદ્ધા હોય છતાં કોઈ રૅશનાલીસ્ટ નહીં; પણ બૌદ્ધીક શ્રદ્ધાળુ પણ એ માન્યતાને અન્ધશ્રદ્ધા હોવાનું જાહેર કરે તો એ શ્રદ્ધાળુનો જાન પણ જોખમમાં આવી પડે તેવી પરીસ્થીતીનું સર્જન થઈ રહ્યું છે. અસહીષ્ણુતાના ભડકા એવા બળવા માંડ્યા છે કે અન્ધશ્રદ્ધાનો તાપ તો જાણે શીતળતા આપતો હોય એવું લાગે છે! ખરેખર રૅશનાલીસ્ટો માટે કપરા દીવસો આવ્યા છે. એમની પણ એક શ્રદ્ધા હતી કે તેઓ હકીકત અને સત્યના પક્ષે છે તેથી તેઓ ચર્ચા, સમજાવટ અને પુરાવા દ્વારા આજે નહીં તો કાલે રૅશનલસમાજની રચના કરી શકશે. એ શ્રદ્ધા પણ આસ્તીકોની શ્રદ્ધા જેવી જ પોકળ પુરવાર થવા માંડી છે. હવે તો પાંચ–પચ્ચીસ માણસો શેરીઓમાં આવી કોઈ પણ એક હાકોટો પાડે તો એ હજારોનાં ટોળાં એકઠાં કરી શકે છે. સાર્વજનીક અને અંગત મીલકતોનાં એમના તરફથી થતાં નુકસાન તો દેખાય છે; પરન્તુ લાંબાગાળાનું ગમ્ભીર નુકસાન–સમાજને બાંધતા તાણા–વાણાનું તુંટવું દેખાતું નથી. આ બહુ મોટું નુકસાન છે. સૌથી વધારે આ નુકસાન અસહીષ્ણુ થતી બહુમતી પ્રજાને જ થાય છે.

જેઓ શાંતીથી જીવવા માંગે છે; છતાં પોતાની શક્તીનો ઉપયોગ કરવા માંગે છે તેઓ દેશ છોડી દે છે. બહુ મોટાપાયા પર બુદ્ધીની નીકાસ થાય છે. રૅશનાલીસ્ટો સમાજના જ્યોતીર્ધર થવાનું માંડી વાળે છે. તેઓ જો માંડી નહીં વાળે તો કાં તો એમના મૌનને વરેલું માનવામાં આવે છે અથવા બળ પ્રયોગથી બોલતા બંધ કરવામાં આવે છે. સમાજને જેનાથી સૌથી વધારે લાભ થાય છે તે વૈજ્ઞાનીક અભીગમને સ્વીકારવાનો રસ્તો જ બંધ થઈ જાય છે. બહુમતી પ્રજા સતત ઉશ્કેરાયેલી રહે છે. ‘મર’ નહીં તો મારનાર લાવ!ના નીયમે એમની લોહી તરસી આંખો સતત કોઈને કોઈ ‘બકરો’ શોધતી હોય છે. એવા નીર્દોષ બકરાને હલાલ નહીં કરે ત્યાં સુધી એનો ઉશ્કેરાટ શાંત પડતો નથી. કાયદો અને અદાલતો માત્ર અપ્રસ્તુત બનતાં નથી, નીષ્પ્રાણ થઈ જાય છે. ‘મારે તેની તલવાર’નો જંગલી કાયદો અમલમાં આવે છે. પરીણામે બહુમતી પ્રજા પોતે જ સતત ભયના ઓથાર નીચે જેમ તેમ અસ્તીત્વ ટકાવતી થાય છે. ક્યારે કોના પર કોણ હુમલો કરશે એની આગાહી જ કરી શકાય નહીં એવી પરીસ્થીતી પેદા થાય છે. બહુમતી પ્રજાની સહીષ્ણુતા, ધીરજ અને વીરોધી વીચારોને સાંભળવા અને સમજવા તેમ જ એમાંથી જે સ્વીકારવા યોગ્ય હોય તે સ્વીકારી સતત સુધારતા રહેવાનો અભીગમ જ બહુમતી પ્રજા માટે ઉપકારી છે એવું તે જેટલું જલદી સમજી લે એટલું એના લાભમાં છે. રૅશનાલીસ્ટો, અલગ મત અને માન્યતા ધરાવતી લઘુમતીઓ અને સહીષ્ણુ શ્રદ્ધાળુઓ ભલે મોતના ઘાટ ઉતરીને સાફ થઈ જાય; પરન્તુ તેમ થતાં બહુમતી શ્રદ્ધાળુ લોકો પોતાના સર્વનાશનો રસ્તો તૈયાર કરી રહ્યા છે– તે એમને બને એટલું વહેલું સમજી લેવું જોઈએ. અસહીષ્ણુતાના સ્ટેશન તરફ દોડવાનું માંડી વાળીને સાચાખોટા વીવેકબુદ્ધીને સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ.

–પ્રા. સુર્યકાન્ત શાહ

‘ગુજરાત ગાર્ડીયન’ દૈનીકમાં પ્રગટ થયેલો લેખ, તેઓની કૉલમ ‘વીસ્તરતી ક્ષીતીજો’ (તા. 14 એપ્રીલ, 2018)માંથી, લેખકના અને ‘ગુજરાત ગાર્ડીયન’ના સૌજન્યથી સાભાર…

લેખકસમ્પર્ક :

PROF. SURYAKANT SHAH, 17, Gayatri Ganga Nagar, Near Makanji Park, Adajan, Surat 395009. Mobile: 98793 65173 eMail: suryasshah@yahoo.co.in

Editor of ‘Satyanveshan’http://satyanveshan.com/ – Monthly magazine & President of ‘SatyaShodhak Sabha’, Surat (GUJARAT)

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 18–05–2018

   

11 Comments

  1. પોસ્ટમાં પ્રાધ્યાપકે ઘોડાપુરમાં રેશનાલીઝમનું ધોવાણ અને અહેવાલ આપેલ છે.

    અંતમાં  ….  પરન્તુ તેમ થતાં બહુમતી શ્રદ્ધાળુ લોકો પોતાના સર્વનાશનો રસ્તો તૈયાર કરી રહ્યા છે– તે એમને બને એટલું વહેલું સમજી લેવું જોઈએ… આ ચેતવણી પણ આપેલ છે.

    દેશમાં રાજકરણીઓ હોંશીયાર થતા જાય છે અને સત્તા માટે મંદીર મસ્જીદ લઈ આવે છે. દીલ્લી કે મુંબઈમાં લાખો લોકો આજીવીકા માટે રેલ્વે મુસાફરી ફરજીયાત કરે છે પણ ભીડમાં જરાક રેશનલ ચર્ચા થાય કે ઉશ્કેરાટ વધી જાય છે.

    Liked by 3 people

  2. રેશનલ ચર્ચા થાય અને ઉશ્કેરાટ વધી જાય, અને લોકો એ બાબત અસહીષ્ણુ બની જાય એનો અર્થ તો તેઓને પોતાની માન્યતા, પોતાની શ્રદ્ધા ખરેખર સાચી હોવા વીશે શંકા હોવી જોઈએ. આથી એ શ્રદ્ધા વીરુદ્ધ દલીલ તેમને ડગમગાવી દે છે. પણ દુખની વાત તો એ છે કે આવી શ્રદ્ધાને કારણે એવા લોકોને અંતે જે સહન કરવાનું આવે છે તેને તેઓ જોઈ શકતા નથી. પોતાને જ્યારે એ વીતે ત્યારે બહુ મોડું થઈ ગયેલું હોય છે.

    Liked by 3 people

  3. વીરોધ પ્રદર્શીત કરવા માટે પોતાને જ વાપરવાની બસ બાળતી પ્રજા પાસે રૅશનાલીટીની વાત કરવી એ ‘ભેંશ આગળ ભાગવત વાંચવા’ જેવી વાત છે. બીજાને સુધારવા અશક્યછે. જ્યારે બીજાને સુધારી શકાયા છે તેમ લાગે ત્યારે હકીકત એ છે કે તેને સુધરવામાં આપણે એને મદદ કરી છે. સુધારણા દરેકે જાતે જ કરવાની હોઈને કોઈને તેની ઈચ્છાવીરુધ્ધ સુધારી શકાતા નથી.

    Liked by 3 people

  4. very learned and balanced article–but at end said truth:
    “બહુમતી શ્રદ્ધાળુ લોકો પોતાના સર્વનાશનો રસ્તો તૈયાર કરી રહ્યા છે– તે એમને બને એટલું વહેલું સમજી લેવું જોઈએ. અસહીષ્ણુતાના સ્ટેશન તરફ દોડવાનું માંડી વાળીને સાચા–ખોટા વીવેકબુદ્ધીને સ્વીકારવાનો પ્રયત્ન કરવો જોઈએ.”

    Liked by 2 people

  5. Thought provoking article.
    But why Rationalist thinks that only his view is right & “Believers “are wrong ?
    Extreme thinking of both sides is not right.Let both views coexist.

    Liked by 2 people

  6. પોસ્ટમાં પ્રાધ્યાપકે લખેલ છે કે …  બહુમતી પ્રજા સતત ઉશ્કેરાયેલી રહે છે…

    પ્રજા કે ટોળાને ઉશ્કેરવું એ દેશના રાજકરણીઓનો મુખ્ય ધંધો છે. નજીવા કારણસર રાજકરણીઓ ટોળાને
    ઉશ્કેરે છે. ગાયનું માંસ, દલીતનું રાજમાર્ગ ઉપર ચાલવું કે રાત્રીના ધોબીનું કથન…

    દ્રૌપદી ચીર હરણ વખતે ભીષ્મ ચુપ રહી શકે એ હીસાબે રેશનલીસ્ટો તો પામર
     જીવ સમજવા. 

    અયોધ્યામાં બાબરીનો ઢાંચો ટોળાને ઉશ્કેરી તોડી નાખવામાં આવ્યો. 
    હાલની સરકારે રામ મંદીરનો મુદ્દો લઈ લોકોને ઉશ્કેરેલ અને જીતી ગઈ.

    અહીં અભીવ્યકતીમાં રેશનલીસ્ટોને મોકળું મેદાન મળેલ છે. લખવાની જેમને
    ફાવટ આવી ગઈ હોય એમણે પોતાના વીચારો જરુર રજુ કરવા જોઈએ. 
    ચુપ રહેવાથી જ સીતાને વનમાં જવું પડ્યું અને દ્રૌપદીના ચીર લુંટાતા રહેશે.

    Liked by 1 person

  7. “Religion is the price that the mankind has to pay for being intelligent but not sufficiently so.” – Aldous Huxley

    અને જો ધર્મ ચલાવવો હોય તો ઈશ્વર તો જોઈએ ને? માટે જ બુદ્ધ અને મહાવીરને પણ તેમના અનુયાયીઓએ ઈશ્વર બનાવી દીધા. વળી કેટલાક બૌદ્ધધર્મીઓએ તો તેમનો કરુણાનો ઉપદેશ અવગણીને પરધર્મીઓ પર જુલમ પણ કર્યા છે. (જેવો જાપાનીઓએ ચીનની પ્રજા પર કરેલો.)

    અમે આસ્તિકો પાસે તમારા જેટલું બુદ્ધિધન નથી. અમે તો દસ હજાર રુપિયા લઇ સાડી ખરીદવા નીકળેલા મધ્યમવર્ગી ઘરાક છીએ. આપની દુકાનમાં સાચા રેશમની મોંઘી સાડીઓ વ્યાજબી ભાવે મળે છે તે કબુલ પણ અમારા ગજવાને (ભેજાને) પોસાતું નથી. તેથી અમે બીજી દુકાનોમાં (ગુરુઓની જ તો) જઈએ છીએ. ત્યાં ભાવની રક્ઝક કરીને છ હજારની સાડીના આઠ હજાર આપી આવીએ અને હરખાઈએ કે બે હજાર બચાવ્યા. પછી ભલે સાડીમાં નુકસાની નીકળે તો એ પાટલીમાં દબાઈ જાય. એવું જ તમારા રેશનાલીઝમનું છે. કંઈ સમજાય તેવી વાત કરો તો સાંભળીએ ને?

    “I would never die for my beliefs because I might be wrong!”- Bertrand Russell.

    Liked by 1 person

  8. A well written balanced article. In the first para bauddhika shrddhaluoni and rationalisto are inter changed, may a printing error. When you change the places of these words, then the meaning is clear.
    Many good comments follow the article. We or rationalists are in abject minority, and are against the tsunami of the faithful and believers.AAstikta and rationalism can not go together, either you are aastik or you are rationalist, you can not be both at the same time. Sir Issac Newton was a famous scientist of his time and still today, but he was also a strict church going christian and a staunch believer in bible, thus he was not a rationalist.You don’t need to be a fanatic about any thing,but have to your views strongly and should be able to present them clearly without fear.There is no question of fight and dying and when other proofs are available be ready to change or modify accordingly, but you have to be clear and can not have the cake and eat it also.
    Congratulations to Prof. Suryakantbhai for writing this article and also to Sri Govindbhai for publishing it.

    Liked by 2 people

  9. પ્રા. સુર્યકાંત શાહને સલામ. અભિવ્યક્તિને પાને સૌ પ્રથમ અેક વિગતે થયેલી રીસર્ચ…(સંશોઘન) તેના પ્રેક્ટીકલ રુપે છપાયુ છે…..આટલી ઉંડાણ અને તે પણ પ્રેક્ટીકલ….સમાજમાં વપરાતી અને સાબિત થયેલી રીસર્ચ માટે ફરી અેક વાર પ્રા. શાહને હાર્દિક અભિનંદન. લેખનો અેક અેક શબ્દ મહત્વનો છે. આંખ ઉઘાડનારો છે. અભિવ્યક્તિના તમામ લેખકો અને વાંચીને પોતાના વિચારો દર્શાવનારા મિત્રો પણ રોજે આ પરિસ્થિતિમાં પોતાને હોવાનું અનુભવતા હશે જ.
    વન્સ અપોન અે ટાઇમ……ઘેર વોઝ અે કીંગ…..
    આ રાજા તેના મંત્રી જોડે નગરચર્યા કરવાં નિકળ્યો હતો. અેટલાંમાં વરસાદ પડયો. અને રાજ્યના જે જે લોકો આ વરસાદમાં ભીંજાયા હતાં તેઓ તરત જ ઊંઘા થઇને હાથ ઉપર અને પગ ઉપર રાખીને ચાલવા માંડયા. રાજાઅે મંત્રીને પૂછયુ….‘ મંત્રીજી…..આ શું થઇ રહ્યુ છે ? મંત્રીજીઅે જવાબ આપતાં પહેલાં રાજાને ચેતવ્યા કે જલ્દી કરો અને તમે અને હું બન્ને પેલાં લોકોની જેમ હાથ ઉપર ચાલવા માંડીે નહિ તો આપણી ખેર નથી.‘
    રાજાઅે મંત્રીજીની વાત માની…..તે પહેલાં દૂરથી અવાજ આવ્યો….‘ જૂઓ ભાઇઓ…પેલા બે આપણા વિરોઘીઓ દેખાય છે….ચાલો મોરો…..તેમને….
    લોકો મારવા આવે તે પહેલાં રાજા અને મંત્રી બન્ને હાથ ઉપર ચાલતા થઇ ગયેલાં હતાં…
    …જાન બચી લાખો પાયે……
    થોડા અવતરણો……..
    * Never underestimate the power of stupid people in large group.
    * Culture is not static for any group of people.
    * The best way to predict the future is to create yourself.
    * Yesterday I was clever, so I wanted to change the world. Today I am wise, so I am changing myself.
    * Rumors are carried by hearts, spread by fools and accepted by idiots.
    * If, someone does not appreciate your presence, make them appreciate your absence.
    * Sometimes removing some people out of your life, makes room for better people.
    * Never argue with stupid people, they will drag you down to their level and then beat you with experience.
    * Absolute proof of blind belief is destructiveness.
    * You can not reach for anything new, if, your hands are still full with yesterday’s junk.
    * The real question is not whether life exists after death…..The real question is whether you are alive before death.
    * Definition of Blind Belief. ” Belief without true understanding, perception, or discrimination.”
    * Albert Einstein: ” Blind belief in authority is the greatest enemy of truth.”
    And……
    * Arguing with a fool only proves that there are two.”
    Once again Hearty congratulations to Prof. Shah and also to Govindbhai.
    Amrut Hazari.

    Liked by 2 people

  10. વિક્રમ દલાલની સાથે સંમત છું,
    દુનિયામાં દરેક ધટના, કર્મ થવા પાછળ કારણ(rational) હોય જ, ઉ.દા. કરોળિયો દિવસ રાત મહેનત કરી વારંવાર ઝાળા બનાવતો જ રહે છે,શા માટે? કેમ કે એ તેના જીવન નિર્વાહ માટે જરૂરી છે અન્યથા તે મૃત્યુ પામશે, પ્રાણીઓ પણ પોતાના દમ પર જીવે છે, તેમને કોઈ ભગવાનની જરૂર નથી પડતી. તો તેમનાથી પણ શક્તિશાળી એવા માણસો કેમ કોઈ જ rational વગર ના ઉપજાવેલ ભગવાનની મૂર્તિ ઓ આગળ ઊંધા પડ્યા રહે છે?આટલા નિર્બળ કેમ?
    મોટી સંખ્યામાં રહેલા આવા માણસો, રેશનાલિસ્ટોને મસળી નાખતા મૃત્યુની જ ભેટ આપે.

    Liked by 2 people

Leave a comment