અમર આત્માની મધુર કલ્પના

5

અમર આત્માની મધુર કલ્પના

        –વીક્રમ દલાલ

ગીતા અને વીજ્ઞાન બન્ને એક વાત પર સહમત છે કે ગમે તેટલું મથીએ તો પણ જન્મતાંની સાથે જ શરુ થયેલી આપણી જીવનયાત્રા પ્રત્યેક ક્ષણે મૃત્યુની દીશા તરફ જ આગળ વધતી હોય છે. અને તેથી જન્મેલો દરેક માણસ વહેલોમોડો મૃત્યુ પામે છે(2/27, 28) મૃત્યુ નીશ્ચીત અને અનીયતકાલીન છે.

‘મૃત્યુ પછી શું?’ એ પ્રશ્નનો જવાબ કોઈ ખાતરીપુર્વક આપી શકે તેમ તો નથી; પરન્તુ જ્યારે હીન્દુઓ શબને બાળે, મુસલમાનો અને ખ્રીસ્તીઓ દાટે, પારસીઓ ગીધને હવાલે કરી દે, તેનું પોસ્ટમૉર્ટમ થાય કે શબ આગળ સગાવહાલાઓ ગમે તેટલી રોકકળ કરે – કોઈ પણ શબ ઉંહકારો સુધ્ધાં કરતું નથી. આ ઉપરથી એટલું તો નક્કી જ છે કે શબને લાગણી થતી નથી. મૃત્યુ થાય એટલે દુનીયાના તમામ સમ્બન્ધોનો અન્ત આવી જાય છે. તેથી કબીર કહે છે, ‘‘આપ મુએ પીછે ડુબ ગઈ દુનીયા’’. આમ છતાં શરીર ઉપરના મોહને કારણે બહુજનસમાજ આ વાસ્તવીકતા સ્વીકારી શકતો નથી અને દેહદાનના વીચારમાત્રથી તે ધ્રુજી ઉઠે છે.

જન્મ અને મરણ વચ્ચેના ગાળાને ‘જીવન’ કહેવાય છે. બધા જ પ્રાણીઓની જેમ માણસમાં પણ જીજીવીષા હોય છે તેથી તે બુદ્ધીનો ઉપયોગ કરીને જીવનને બને તેટલું લાંબુ અને સરળ બનાવવાના ઉપાયો શોધે છે.

જીવનયાત્રા સરળતાથી પસાર કરવી હોય તો એક બાજુ ટાળી ન શકાય તેવું મૃત્યુ અને બીજી બાજુ પ્રાણીસહજ જીજીવીષા છે. આ પરસ્પર વીરોધી વાસ્તવીકતાઓ વચ્ચે કોઈક રીતે મેળ બેસાડવો જોઈએ. આ માટે ગીતામાં ‘ના મામા કરતાં કહેણો મામો સારો’ એવો ‘પુનર્જન્મ’નો મનોવૈજ્ઞાનીક સધીઆરો કૃષ્ણએ આપ્યો છે(2/12 – 13 અને 4/5). કૃષ્ણ કહે છે, ‘‘આત્મા અને શરીર બે જુદાં છે.’’ આત્મા મરતો નથી પણ શરીર મરે છે(2/19 – 20). જેમ શરીર ફાટેલું વસ્ત્ર બદલીને નવું વસ્ત્ર પહેરે છે તેમ મૃત્યુ પછી તારા આત્માને નવું શરીર મળશે એટલે ફરી પાછું જીવાશે(2/22). જેઓ પોતાના જીવનથી કંટાળેલા છે તેવાઓને કૃષ્ણએ મોક્ષનો વીકલ્પ આપ્યો છે(8/15 – 16).

મૃત્યુના ડરને હળવો કરવાના અને માણસની જીજીવીષાને સંતોષવાના આ ‘વ્યવહારુ’ ઉપાયમાં કેટલું તથ્ય છે તે તો જાણી શકાય તેમ નથી(2/25); પણ પુનર્જન્મની કલ્પનાનો આધાર લઈને વર્તમાન જીવન કેવી રીતે જીવવું જોઈએ તે કૃષ્ણ સમઝાવે છે. કૃષ્ણ કહે છે કે જો હવે પછીનો જન્મ સુધારવો હોય કે પછી મોક્ષ પામવો હોય તો (આ પણ એક પ્રકારની લાલચ જ છે) તે માટેની યોગ્યતા તારે આ જન્મમાં જ મેળવવી પડશે. વળી પુનર્જન્મના સીદ્ધાન્તનો ઉપયોગ કરીને માણસો વચ્ચેની આવડત, બુદ્ધી, દેખાવ વગેરેની અસમાનતાનો ખુલાસો પણ તે આપે છે(6/41, 42, 43). આમ, અમરઆત્માની કલ્પના કરીને મહર્ષી વેદવ્યાસે એક કાંકરે ત્રણ પક્ષી માર્યા છે – મૃત્યુનો હાઉ, જીવનસુધારણા અને માણસો વચ્ચેનો તફાવત.

એમ જણાયું છે કે જીવન દરમીયાન કરેલી કે થઈ ગયેલી ભુલોને છાવરનાર ઘમંડી માણસ અન્તકાળે પસ્તાય છે એટલે પરેશાન થાય છે. ભુલ તો બધાંની જ થાય; પરન્તુ જો ભુલનો ખરેખર અફસોસ થતો હોય તો તેનો ડંખ નીવારી શકાય છે. જે મૃત્યુ સમયે પ્રસન્નતા ઈચ્છતો હોય, તેણે દરરોજ રાત્રે સુતા પહેલાં બહાનાંખોર મનને ચુપ કરીને દીવસે કરેલા દરેક કાર્યનું તટસ્થતાથી અવલોકન (ધ્યાન) કરવું જોઈએ અને જો ભુલ જણાય તો નીખાલસતાથી સ્વીકારીને તે સુધારી શકાય તેમ હોય તો સુધારી લેવી જોઈએ. જો સુધારી શકાય તેમ ન હોય તો તેવી ભુલ ફરીવાર ન થાય તેનો ખ્યાલ રાખવો જોઈએ. આમ કરવાથી માણસમાં અપરાધભાવ પેદા થતો નથી. ઘડપણમાં આવતા ડીપ્રેશનનું મુખ્ય કારણ આવી જાગરુકતાનો અભાવ છે. રોજ સવારે છાપામાં આવતી બેસણાની જાહેરખબર વાંચીને એક દીવસ આપણી પણ આવી જાહેરખબર આવશે તેવો ખ્યાલ જેને રહેતો હોય છે તે જીવનમાં ખોટું કામ કરવાનું પસન્દ કરતો નથી. માણસનો વીકાસ કરવાનું એના પોતાના જ હાથમાં છે(6/5, 6). ‘ઉંડા અન્ધારેથી પરમ તેજે’ જાતે જ જવાનું છે, લઈ જવા માટે પ્રભુ આવવાનો નથી.

બહારની અને અન્દરની દુનીયા વચ્ચે જેમ તફાવત ઓછો તેમ જીવનમાં ઉદ્વેગની માત્રા ઓછી. નીખાલસતાને સદ્ ગુણ ગણવાને બદલે સારી રીતે જીવન જીવવાની રીત તરીકે સમજવાથી તેને અપનાવવી મુશ્કેલ નથી. ડંખ વગરનું મૃત્યુ એ કુદરતે આપેલું સદ્ વર્તનનું ઈનામ છે.

–વીક્રમ દલાલ

દરેક પ્રશ્નને ખુલ્લા દીલથી અને બધી બાજુએથી તપાસનારા રૅશનાલીસ્ટ અને વડીલ લેખકમીત્ર વીક્રમ દલાલે 12 સંજ્ઞાઓ ઓછી શીખવી પડે તથા જોડણી યાદ રાખવી ન પડે તેવી સરળ લીપીમાં પ્રગટ કરેલી પુસ્તીકા રૅશનાલીસ્ટની દૃષ્ટીએ ગીતાનો સંદેશ(પાનાં : 40, મુલ્ય : મફત)નો આ પાંચમો લેખ, પુસ્તકનાં પાન 22થી 23 ઉપરથી, લેખક અને પ્રકાશકશ્રી વીક્રમભાઈના સૌજન્યથી સાભાર..

લેખક–સમ્પર્ક : 

શ્રી. વીક્રમ દલાલ, 2/15, કલ્હાર બંગલોઝ, શીલજ ગામ પાછળ, અમદાવાદ – 380 058 સેલફોન : 94273 25820 મેઈલ : inkabhai@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 01–06–2018

11 Comments

  1. Good article, I like it. Greta is written by Ved Vyasa and narrated through the mouth of one of the character, Krishna. Many or almost all of the commentators don’t say this, they have always promoted as God’s saying or teaching, thus it has become a revered religious book. In reality it is psychological solace to a grieving or agitating mind. Many thanks to Vikrambhai and Govindbhai.

    Liked by 3 people

  2. મધુર કલ્પના અને ગુરુઓની લાલચને કારણે હીન્દુ, મુસ્લીમ, ઈસાઈ બધા ફસાઈ ગયા. 

    રાજકરણમાં ડુબેલો અને હમેંશા ખોટું બોલનાર પણ મોક્ષ ઈચ્છે છે. પછી લેભાગુ ગુરુઓને મેદાન મળી જાય છે. આત્મા અને શરીર અલગ અલગ હોય તો શરીરની બાળવાથી શું ફાયદો? મોક્ષની રચના તો હીન્દુઓએ જ કરી છે. બસ પછી મુક્તી. કોઈ કર્મ ન કરવું પડે. મુર્ખ ગુરુઓ આત્મા, પુન જન્મનો ભય બતાવી જે ઠગાઈ કરે છે એ દરેકને ખબર થયા પછી લાલચની હદ હોય છે.

    ખુદ રામને આત્મહત્યા કરવી પડેલ. કૃષ્ણનું મરણ પણ સુધરેલ તો નથી જ. મહાત્મા ગાંધી અને ઈંદીરા ગાંધીનું મૃત્યુ પણ છેવટે તો બંદુકની ગોળીથી થયેલ.

    આત્મવાદીઓ નવા નવા ગતકડા કાઢી મુરખાઓને છેતરે છે અને લાલચમાં ફસાઈ જાય છે.

    સરળ રીતે પોસ્ટમાં લેખકે બધું જ જણાંવેલ છે. ગીતામાં સ્પષ્ટ લખેલ છે કે આત્મા અને શરીર અલગ અલગ છે. આ ભટકતા આત્માને શરીરમાં પ્રવેશની જરુર શા માટે પડે છે?

    મુરખાઓ થોડાક વીચાર કરશે કે આ આત્માનું શરીરમાં સ્થાન ક્યાં છે અને કુદરતી કે અચાનક મોત કેમ થાય છે? બીજા ધોરણથી ગણીત શીખવાની શરુઆત થાય છે. પછી તો પ્રાથમીક, માધ્યમીક ઉચ્ચ માધ્યમીક અને સ્નાતક, અનુસ્નાતક સુધી ગણીતનો અભ્યાસ થઈ શકે છે પણ જંગલમાં ફરતા હોઈએ અને વાંદરો જાપટ મારી હાથમાંથી થેલી લઈ જાય પછી પણ આપણે વાંદરા પાછળ દોડીએ છીએ? વાંદરો તો ઝાડ ઉપર ચડી જાય છે અને ગણીત ખોટું પડે છે.  લેખકે ખરેખર સમજાવેલ છે કે ગુરુઓ મુરખાઓને લાલચ આપી મોક્ષ કેમ સમજાવે છે…

    Liked by 2 people

  3. Yes as all our commentator friends said, “One of the best and Straight message” from Vikrambhai- and made in short very clear.
    However we are in crowd of Ships- so accept all gurues for Atmaunaati- self realization- and believe in all religious books which are many times misinterpreted.
    “બહારની અને અન્દરની દુનીયા વચ્ચે જેમ તફાવત ઓછો તેમ જીવનમાં ઉદ્વેગની માત્રા ઓછી. નીખાલસતાને સદ્ ગુણ ગણવાને બદલે સારી રીતે જીવન જીવવાની રીત તરીકે સમજવાથી તેને અપનાવવી મુશ્કેલ નથી. ડંખ વગરનું મૃત્યુ એ કુદરતે આપેલું સદ્ વર્તનનું ઈનામ છે.”
    This are striking lines.. like it. Thanks to Vikrambhai and Govindbhai for efforts taken to bring forth for our knowledge.

    Liked by 2 people

  4. સ્નેહીજનો,
    ઓશોનું અેક વાક્ય, આજના લેખને સાચી દીશામાં લખાયેલું જોવું હોય તો , મનોમંથન કરવા અને સાચો…અેટલે કે પોતાના મનને ગમતો માર્ગ કરી આપે છે…….
    ” The real question is not whether LIFE exists after death.,
    The real question is whether you are ALIVE before death ?”
    આજનો લેખ ગીતાભક્તિનો લેખ લાગ્યો. ગીતાના અઘ્યાય ૪ના ૧૩માં શ્લોકમાં કહે છે કે ….
    ‘ ગુણો અને કર્મોના વિભાગ પ્રમાણે મેં ચાર વર્ણો ઉત્પન્ન કર્યા છે. તેના કર્તા છતાં તું મને અકર્તા ને અઘિકારી જાણ.‘
    આ દેવવાણિનો તેના ફોલોઅર્સે જે દુરુપયોગ આજે કર્યો છે તેની વાત સૌઅે વિચારવી જોઇઅે. આજના લેખનું ટાઇટલ છે….
    ‘ અમર આત્માની મઘુર કલ્પના‘
    હાં અએ મઘુર કલ્પના જ છે. જે વિષયને હું જાણતો નહિ હોઉં જેને માટે દુનિયામાં થોક પુરાવા નહિ હોય, જેને માટે કોઇ બેઝ….આઘાર નહિ હોય, તેની ચર્ચા કેવી રીતે કરી શકું ? હવામહેલ બાંઘું તો મારા જેવો મુરખ કોઇ નહિ. અને પછી તે પરિકલ્પનાની દુનિયાના ખ્વાબોમાં રાચતાં રાચતાં આજની સુંદર જીંદગીને વેડફી નાંખું !.

    સત્ય જે છે તે મારી, તમારી સામે છે. તેને સ્વિકારો. શાહમૃગ બનવાનું બંઘ કરો. શાહમૃગ છેવટે નુકશાનમાં જ જાય છે.
    ગીતામાં દેવે વચન પણ આપેલું છે….હજી સુઘી પાળ્યુ નથી અેમ સર્વે હિન્દુઓ કહે છે. કહે છે કે હજી તે સમય નથી આવ્યો. તો રાહ જૂઓ તે સમયની…..ખેડૂત બીચારો….વરસાદની રાહ જોતાં જોતાં બઘિ રીતે બરબાદ જ થતો રહે છે…..
    જેમ કહ્યુ કે જે સામે છે…જેને જોઇ શકો છો…અડકી શકો છો…માણી શકો છો….જીવંત છે….તેને જીવન માનો…બને તો તેને ભગવાન માનો…તે છે…મા…બાપ….સગા….સંબંઘીઓ…..માનવ બનીને કર્મશીલ બનો…..અને તેને માટે…કોઇ કવિ…મહાત્મા કહી ગયા છે…….
    ‘ મુઝે કોઇ જન્નત કા નહિ પતા….
    ક્યોંકી હમ માં કે કદમોં કો હી જન્નત કહેતે હૈ…‘
    જે છે તેને નથી ગણવું અને જે નથી અથવા જેને વિષે કોઇ પુરાવો નથી તેને માટે ખોટે રસ્તે આજનું સુંદર જીવન વેડફી નાંખો છો…શા માટે ?
    ખોટી ચર્ચા કરી અનુપમ અને કિંમતી સમયને વેડફવાનું બંઘ કરીઅે…તો જતાં જતાં અેક સંતોષ લઇને જવાનું થશે…મનને શાંતિ હશે. મરણ પછી સ્નેહી જનો…ઓમ શાંતિ તો બોલશે જ પરંતું આપણે પોતે શાંતિ લઇને જઇશું..તેનો સંતોષ જરુર હશે.

    માનવ બનીને માનવતાથી ભરેલું જીવન પોતે સ્વર્ગ છે.

    અમૃત હઝારી.

    Liked by 2 people

  5. લેખ સારો છે. લેખક્શ્રી વિક્રમ દલાલ અને બ્લોગરશ્રી ગોવિંદભાઇને અભિનંદન. આત્મા કે પરમાત્મા જેવું કંઇ હોય જ નહીં. પુનર્જન્મ એક ગેરમાન્યતા છે. બાકી, સનાતન સત્ય એક જ છે- તમામ જન્મેલા જીવનુ મૃત્યુ નિશ્ચિત છે.
    ઊંડુ અંધારુ કે પરમ તેજ જેવુ પણ કશુ હોય નહીં, માત્ર કવિઓએ સજાવેલી શબ્દોની દુનિયા છે.
    લેખનુ આ વાક્ય ગમ્યુ- રોજ સવારે છાપામાં આવતી બેસણાની જાહેરખબર વાંચીને એક દીવસ આપણી પણ આવી જાહેરખબર આવશે તેવો ખ્યાલ જેને રહેતો હોય છે તે જીવનમાં ખોટું કામ કરવાનું પસન્દ કરતો નથી.
    @ રોહિત દરજી “ કર્મ ” , હિંમતનગર
    મો. 94267 27698

    Liked by 2 people

  6. લાચાર હરણું જેમ વાઘના પંજામાંથી બચવા બધા પ્રયત્નો કરી છુટે છે છતાં એની પકડમાંથી છૂટી શકતું નથી એમ મૃત્યુની પકડમાંથી કોઈ બચી શક્યું છે ખરું ? માણસ જીવન, ધર્મ ,આત્મા ,પરમાત્મા વિગેરે વિષયો ઉપર ઊંડું ચિંતન કરતો હોય છે પરંતુ મરણનું સ્મરણ કરવાનું એ હમેશા ટાળતો હોય છે.મોત ઉપર મનન કરવાના વિચાર માત્રથી જ જાણે કે એ ગભરાતો ન હોય ! ફ્રેંચ ફિલસુફ પાસ્કલે લખ્યું છે કે ” મૃત્યું સતત પીઠ પાછળ ઉભું છે પણ મૃત્યુંને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે.મૃત્યુંને યાદ રાખીને કેમ વર્તવું એ વાત તે નજર સામે રાખતો નથી.” ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બોધ આપતાં કહ્યું છે કે જેણે જ્ન્મ લીધો એનું મૃત્યું નિશ્ચિત છે અને જેનું મરણ છે એનો જન્મ નક્કી છે તેથી
    આવી ન જ ટાળી શકાય એવી બાબતનો શોક કરવો તારા માટે યોગ્ય નથી .વધુમાં ગીતામાં કહેવાયું છે કે જેવી રીતે કપડાં જૂનાં થતાં તેમને ત્યાગીને આપણે નવાં કપડાં પહેરીએ છીએ,તેવી જ રીતેએક દેહ જીર્ણ થતાં તેને ત્યજીને માણસ બીજો દેહ ધારણ કરે છે .આમાં દુખી થવા જેવું શું છે?
    ગીતામાં દેહની ક્ષણભંગુરતા, આત્માની શાશ્વવતતા અને પુનર્જન્મ સહીત શ્રી કૃષ્ણ મુખે સારી એવી ચર્ચા કરવામાં આવી છે.મહાત્મા ગાંધીએ પણ કહ્યું છે કે” જે રીતે ઝાડ ઉપર ખારેક પાકીને સુકાઈ જાય એટલે પોતાના ડીંટાને સહેજ પણ દુખ કે ત્રાસ ન આપતાં ખરી પડીને વૃક્ષથી અલગ થઇ જાય છે,તે જ રીતે માણસે પણ પોતાના મનમાં કશો જ દગદગો ન રાખતાં આ જગતની વિદાય લેવી જોઈએ.

    Liked by 2 people

    1. 21 ઈ.બુક્સ પ્રકાશીત થઈ છે. ઉપર આમુખમાં ‘ઈ.બુક્સ’ વિભાગમાંથી ડાઉનલોડ કરવા વીનંતી છે. જો આપને ત્યાંથી ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો આપની પસંદગીની ઈ.બુકનો ક્રમ જણાવવા વીનંતી.

      Liked by 1 person

  7. સુજ્ઞ વિક્રમભાઇ તથા ગોવિંદભાઇ,
    સત્ય તો એ જ છે કે શરીરને નામ હોય છે, આપણી સરળતા ખાતર અપણે કાનાભાઇ, દામાભાઇ કે કાંતાબેન શાંતાબેન એવી ઓળખ આપીને અલગતા ઉભી કરીએ છીએ. મરણ સાથે બધી નામ સાથે જોડાયેલી ઓળખાણ ઓગળી જાય. એ માત્ર શબ છે પછી એ નર, નારી, ગમેતે ધર્મ, જાતિ કે દેશના માણસનું હોય. પુર્નજન્મ વિષે કોઇ પ્રમાણભૂત માહીતી નથી. વિગત આત્માઓએ પોતાના મૃત્યુ પછીના નિવાસસ્થાન કે પાપપુણ્યની સજા કે મજા વિષે ઇમેઇલ કે ફોન કર્યો નથી. જો મૃત્યુ પછી આવી સજા થતી હોય તો આપણને કેમ યાદ નથી? જો યાદ ન હોય તો માણસ ફરીવાર આવી ભુલ કરવાનો જ. એટલે ચાર્વાકે કહ્યુ છે એ બરાબર લાગે છે કે આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા? ખોટુ કરનાર જાણતો જ હોય છે ને કાળક્રમે એનો બદલો અંહી જ મળી જાય છે. કયારેક આપણને બહુ સજ્જન ગણાતા માણસને ત્યા એવું અસહ્ય દુઃખ આવી પડે ત્યારે કહીએ છીએ કે ‘ધર્મીને ત્યા ધાડ’ પણ પોતાના છાના પાપ એ માણસ જ જાણતો હોય એવુ બને. ગીતામાં કહ્યુજ છે કે ‘મન એજ મોક્ષ ને મન એ જ બંધનનું કારણ છે’

    Liked by 2 people

Leave a comment