‘અંગદાનથી નવજીવન’
–ગોવીન્દ મારુ
રોનાલ્ડ લીનાએ પોતાના ભાઈને બચાવવા સન 1954માં સૌ પ્રથમ કીડનીનું દાન કર્યું હતું. ત્યારે ડૉ. જોસેફ મુરે અને તેમની ટીમે સૌ પ્રથમ કીડનીનું સફળ પ્રત્યારોપણ કર્યું હતું. આ અભુતપુર્વ ઘટનાએ અવયવોનાં પ્રત્યારોપણ માટેનાં દ્વાર ખોલી નાખ્યાં.
આમ છતાં, દર વર્ષે હજારો બ્રેઈન–ડેડ કે એક્સીડેન્ટના કારણે મૃત્યુ પામ્યા હોય તેવા મૃતદેહને સ્મશાન કે કબ્રસ્તાનમાં અનુક્રમે અગ્નીસંસ્કાર કે ભુમીસંસ્કાર કરવામાં આવે છે. તેમ કરવાથી મૃતકનાં અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય છે. મૃત્યુની રાહ જોતા અને રીબાતા દરદીઓને સમયસર અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે તો અનેક લોકોને નવજીવન આપી શકાય છે. દરેક વયસ્ક વ્યક્તી ‘અંગદાતા’ બની શકે છે તેમ જ મા–બાપની સમ્મતીથી બાળકનાં અંગોનું પણ દાન કરી શકાય છે. કોઈ પણ વ્યક્તી 100 વર્ષની વય સુધી : આંખ અને ત્વચા; 70 વર્ષ સુધી : કીડની અને લીવર, 50 વર્ષ સુધી : હૃદય અને ફેફસાં તથા 40 વર્ષની વય સુધી : હૃદયના વાલ્વનું દાન કરી શકે છે. કહેવાય છે કે– આપણે પોતાના ખાતર તો જીવીએ છીએ; પણ મૃત્યુ પછી જો આપણાં અંગો બીજાના ઉપયોગમાં આવે તો તેનાથી રુડું બીજું કશું હોય શકે નહીં.
અંગદાન એટલે કુદરતે તમને જે આપ્યું છે તે, અહીંથી જતાં પહેલાં બીજા માણસને આપી, તેને નવજીવન બક્ષવાનું છે. કુદરતને રીસાઈકલ કરવી જોઈએ. અંગદાન કુદરતી છે, તેમાં ધર્મ, જ્ઞાતી–જાતી, ઉચ્ચતા–શુદ્રતા, અમીર–ગરીબના ભેદ વચ્ચે આવતા નથી. કારણ કે લોહીનો રંગ તો બધાનો લાલ જ હોય છે. મુસ્લીમનું હૃદય–કીડની હીન્દુને નવજીવન આપી શકે. માનવસેવા અને માનવજીવનને સમૃદ્ધ કરવાના સીદ્ધાન્તો દરેક ધર્મમાં છે. પ્રેમ, સેવા, માનવતા માટે દરેક ધર્મ ઉપદેશ આપે છે. અંગદાન નૈતીક છે, તેમાં કુદરત રીસાઈકલ(ફેરવપરાશ) થતી હોવાથી તે વૈજ્ઞાનીક પણ છે.
પશ્ચીમી દેશોની સરખામણીએ આપણા ભારત દેશમાં અંગદાન(Cadaver Organ Donation)ની બાબતમાં ભારે ઉદાસીનતા પ્રવર્તે છે, જેને માટે મોટે ભાગે ધાર્મીક માન્યતાઓ કારણરુપ છે. અંગદાન અંગે લોકો રસ ધરાવતા થાય અને આગામી 13 ઓગસ્ટના રોજ ‘વર્લ્ડ ઓર્ગન્સ ડોનેશન ડે’ નીમીત્તે ‘અભીવ્યક્તી’ બ્લૉગના વાચકમીત્રો સ્વેચ્છાએ અવયવદાતા તરીકે નોંધણી કરાવે; એવા ઉમદા હેતુથી, ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર સાત લેખોની લેખમાળા દર સોમવારે સાંજે 7.00 વાગ્યે પ્રગટ કરવામાં આવશે. ‘મણી મારુ પ્રકાશન’ પછીથી તે લેખોની એક ઈ.બુક ‘અંગદાનથી નવજીવન’ પ્રકાશીત કરશે. આ લેખમાળા વાંચીને વાચકમીત્રો શરીરનાં અવયવોનું દાન કરવાનો નીર્ણય કરશે તો લોકજાગૃતીનો મારો આ પ્રયાસ સાર્થક થશે.
મીત્રો, સન 2011માં આ લખનારે ‘અંગદાન’ અને ‘દેહદાન’ કરવાનો સંકલ્પ કર્યો હતો. મારા ‘અંગદાતા કાર્ડ’, ‘દેહદાન’ની પહોંચ’ અને ‘અન્તીમ ઈચ્છાપત્ર (મરણોત્તર વીલ)’ https://govindmaru.wordpress.com/will/ થી મારો પરીવાર, સગાં–સમ્બન્ધી, સમાજ અને મીત્રો વાકેફ છે જ. મારા એક પારીવારીક સ્વજનનાં પત્નીની બન્ને કીડની બે વર્ષથી કામ કરતી નથી. તેઓ દવા, ઈન્જેક્શનો અને હૉસ્પીટલના ચક્રાવે ચઢી ગયાં છે. દીવસમાં ત્રણ વખત ઘરમાં જ મારા સ્વજન તેમની ડાયાલીસીસની પ્રક્રીયા કરે છે. જો તે બહેનને સમયસર દાતા મળી જાય અને કીડનીનું સફળ પ્રત્યારોપણ થાય તો જ આ અસહ્ય વેદનામાંથી છુટકારો પામીને, તેઓ નવજીવન પ્રાપ્ત કરી શકે અને પરીવાર પણ તેમની વેદનાથી મુક્ત થઈ શકે તેમ છે.
વીશ્વભરમાં આવા તો અસંખ્ય રીબાતા દરદીઓને સમયસર અવયવોનું પ્રત્યારોપણ કરવામાં આવે એવા ઉમદા આશયથી ‘વર્લ્ડ ઓર્ગન્સ ડોનેશન ડે’ નીમીત્તે આ લેખમાળા પ્રકાશીત કરવાનો અને તેની ઈ.બુક ‘અંગદાનથી નવજીવન’ બનાવવાનો મેં નીર્ણય લીધો. મારા આ નીર્ણયમાં સાથ આપનાર કેનેડાસ્થીત લેખકમીત્ર જનાબ કાસીમ અબ્બાસ, મુમ્બઈસ્થીત ‘મીડ–ડે’ દૈનીકના લેખીકા બહેનો જીગીષા જૈન, શર્મીષ્ઠા શાહ, હેતા ભુષણ, અલ્પા નીર્મલ અને લેખકમીત્ર જયેશ શાહ તેમ જ આદરણીય રમેશભાઈ સવાણીસાહેબ(IPS)નો હૃદયપુર્વક આભાર વ્યક્ત કરું છું. મુમ્બઈનું દૈનીક ‘મીડ–ડે’ અને કેનેડાનું સાપ્તાહીક ‘સ્વદેશ’નો પણ તહેદીલથી આભાર માનું છું.
વાચકમીત્રોને નીમ્ન લીખીત ત્રણ સંસ્થાઓની વેબસાઈટની મુલાકાત લઈ, આ ત્રણેય સંસ્થાનો પરીચય ઉપરાન્ત ઘણી બધી પ્રેરક વાતો ત્યાંથી જાણવા વીનન્તી. અવયવોના અભાવે દુ:ખી રહેતા માનવીઓની શારીરીક પીડા દુર કરવા માટે તારીખ 13 ઓગસ્ટના રોજ ‘વર્લ્ડ ઓર્ગન્સ ડોનેશન ડે’ નીમીત્તે અંગદાન રજીસ્ટ્રેશન કરાવવા સર્વ વાચકમીત્રોને વીનન્તી છે.
સંસ્થા–સમ્પર્ક :
(1) ગુજરાત રાજ્યમાં થતાં ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટમાંથી પચાસ ટકાથી વધુ ઓર્ગન્સ ડોનેશન સુરતની ‘ડોનેટ લાઈફ’ સંસ્થા દ્વારા કરાવવામાં આવ્યા છે. ‘ડોનેટ લાઈફ’ સંસ્થાએ અંગદાનની પ્રવૃત્તીથી ભારતમાં અને વૈશ્વીક સ્તર(સુરતના બે દીલ યુએઈ તથા યુક્રેઈનની દીકરીઓમાં ધબકે છે) પર 615 જરુરીયાતમન્દ દરદીઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
‘ડોનેટ લાઈફ’, આઈ.ડી.બી.આઈ. બેંક સામે, કાસા નગર, કતારગામ, સુરત–395 004 ટોલ ફ્રી નંબર : 18002331944 સેલફોન : +91 75730 11101 અને +91 075730 11103 વેબસાઈટ : http://www.donatelife.org.in/ ઈ.મેલ : info@donatelife.org.in સરનામે સમ્પર્ક કરી શકાય છે.
‘ઓનલાઈન રજીસ્ટ્રેશન’ કરાવવા https://docs.google.com/forms/d/e/1FAIpQLSeLIg9oEta484MXycCjBjjXZGF68DA7a-OJauhPhKtk4S_Ocg/viewform?c=0&w=1 ની મુલાકાત લઈ, ફોર્મ ભરવા વીનન્તી છે.
(2) ‘શતાયુ–જીવનની ભેટ’, ગણેશ કોર્પોરેટ હાઉસ, હેબતપુર–થલતેજ રોડ, સોલા બ્રીજ પાસે, અમદાવાદ – 380 054 ફોન : (079) 6618 9000 ઈ.મેલ : info@shatayu.org.in વેબસાઈટ : http://shatayu.org.in/ સરનામે સમ્પર્ક કરી શકાય છે.
તે માટેની ‘શતાયુ’ સંસ્થાની વેબસાઈટ : http://shatayu.org.in/index.php/register/as-an-organ-donor ની મુલાકાત લઈ, ફોર્મ ભરવા વીનન્તી છે.
(3) ભારતમાં વસવાટ કરતા હોય અને અંગદાન કરવા ઈચ્છા ધરાવતા હોય તેવા વાચકમીત્રોને, કોકીલાબહેન ધીરુભાઈ અંબાણી હૉસ્પીટલ એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ, મુમ્બઈની વેબસાઈટ : http://www.organdonationday.in/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા વીનન્તી છે.
દેહદાન સંકલ્પ પત્ર (ફોર્મ)
તમારી નજીકની મેડીકલ કૉલેજમાં જઈ, દેહદાન સંકલ્પ પત્ર (ફોર્મ) ભરીને દેહદાનની નોંધણી કરાવવા માટે પણ સર્વ વાચકમીત્રોને વીનન્તી છે.
–ગોવીન્દ મારુ
લેખક–સમ્પર્ક :
ગોવીન્દ મારુ, 405, સરગમ કો – ઓ હાઉસીંગ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પ્રથમ ગેટ સામે, પોસ્ટ : એરુ એગ્રીકલ્ચર કોલેજ – 396 450. વીજલપોર. જીલ્લો : નવસારી. સેલફોન : 9537 88 00 66 ઈ–મેઈલ : govindmaru@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પ્રુફવાચન સૌજન્ય : ઉત્તમ ગજ્જર ઈ–મેઈલ : uttamgajjar@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 02–07–2018
અંગદાન મહાદાન.
સારો વિષય પસંદ કરી લેખમાળા દ્વારા જાગૃતિના અભિયાન માટે ગોવિંદભાઇને સો સો સલામ.
@ રોહિત દરજી “કર્મ “,હિંમતનગર
LikeLiked by 3 people
ઉત્તર અમેરિકામાં અંગદાનનું કેટલું મહત્વ છે, તેનું ઉદાહરણ ઍ આપી શકાય કે ત્યાં ડ્રાઈવીંગ લાયસન્સ મેળવવા માટે અથવા રીન્યુ કરવા સમયે અરજી ફોર્મની સાથે અંગદાન ફોર્મ (Organ Donation Form) પણ હોય છે, જેમાં અરજદારે, જો તે અંગદાન કરવા ઈચ્છતો હોય, તો તે પોતાની સમન્તિ આ ફોર્મ ભરીને આપી શકે છે.
LikeLiked by 3 people
આ એક ખુબ ઉપયોગી અને અભિનંદનીય પ્રવૃત્તિ આપે શરુ કરી છે. ધન્યવાદ.
LikeLiked by 2 people
This is a very good beginning, in the right direction and should be widely published all over the world. When more and more people come forward for body donation, then the organ shortage will be ameliorated. Thanks and keep up the good work.
LikeLiked by 2 people
સરસ સરાહનીય પ્રવૃત્તી ગોવીન્દભાઈ. હાર્દીક આભાર.
અહીં ન્યુઝીલેન્ડમાં પણ ડ્રાઈવીંગ લાયસન્સ લેતી વખતે કે રીન્યુ કરતી વખતે અંગદાન કરવાના વીકલ્પની સુવીધા છે. મારા ખ્યાલ મુજબ મારા એક દીકરાએ એ વીકલ્પ પસંદ કર્યો છે અને મેં પણ.
LikeLiked by 2 people
વહાલા વડીલ ગાંડાભાઈ,
આપશ્રી અને આપના દીકરાએ અંગદાનનો વીકલ્પ પસન્દ કર્યો છે તે બદલ બન્નેને અઢળક અભીનન્દન..
ધન્યવાદ..
LikeLike
Govind Bhai is man of Action and has taken bold decision and documented all will and other organisation along with receipt- which I circulate in media.along with re-blogging. yes he deserve salutes “thousands”.
At least some of us is motivated through this movement it will be great.
LikeLiked by 2 people
ખુબ ખુબ આભાર..
LikeLiked by 1 person
Reblogged this on કાન્તિ ભટ્ટની કલમે and commented:
Govind Bhai is man of Action and has taken bold decision and documented all will and other organisation along with receipt- which i circulate in media.along with re-blogging. yes he deserve salutes “thousands”.
At least some of us is motivated through this movement it will be great.
LikeLiked by 2 people
વહાલા મહેન્દ્રભાઈ,
આપના બ્લોગ ‘કાન્તી ભટ્ટની કલમે’ પર ‘અંગદાનથી નવજીવન’ લેખને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLiked by 1 person
સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
આ અેક માનવતાભરેલું પગલું તમે લીઘું. સમાજને ઉપયોગી કર્મોને સમાજમાં ફરતાં કરીઅે કે જે આ રીતે માનવજીવન બક્ષે. મારા ઓળખીતાઓ ઘણા છે જેમણે અહિં અમેરિકામાં ડ્રાઇવિંગ લાયસન્સ લેતી વખતે પોતાની સ્વેચ્છા.. અંગદાન માટે લખી આપી હોય છે. આ કર્મને સદ્કર્મ કહેવાય. મંદિરોમાં બેસાડેલી મુરતીને દૂઘ ચઢાવવાના કર્મને ફક્ત સ્વાર્થસેવા કહેવાય કારણકે તેમાં કાંઇક આપીને કાંક મેળવવાનો આશય છુપાયેલો રહેલો હોય છે.
( ગીતાના અઘ્યાય : ૩ના શ્લોક નં. : ૧૦, ૧૧ અને ૧૨ને વાંચી સમજીને જોજો….‘ તું પહેલાં દેવને પ્રસન્ન કર પછી દેવ તને …..)
( ૨૦૧૮ની સાલમાં….કચેરીઓની ખુરસીઓમાં બેઠેલા દેવોને તું પહેલાં પ્રસન્ન કર પછી તે દેવ તને….)
વાતને વઘુ બીજે રસ્તે ના દોરતાં અેક આજના લેખના અનુસંઘાનમાં કહેવાનું કે…….
મારા નજીકના અેક રીલેટીવના ફાઘરે… મેડીકલ સાયન્સને તેમની રીસર્ચ કરવા માટે વઘુ સાઘનો આપવાના વિચારે પોતાની મૃત કાયાને મેડીકલ રીસર્ચના ડીપાર્ટમેંટને, પોતાનું આખુ શરીર અગ્નિસંસ્કાર કરવા વિના, ભેટ આપી દીઘું હતું.
મેં પણ મારા વિલમાં મારું મૃત શરીર મેડીકલ સાયંસના રીસર્ચ વિભાગને વઘુ રીસર્ચ માટે દાન આપવાનું લખ્યુ છે.
ફક્ત અંગદાન જ નહિ પરંતું મૃતશરીરદાન પણ શક્ય છે. ( વઘુ કાયદાકીય વાતો કાયદા નિષ્ણાતો તરફથી મળી શકે.)
આજકાલ અમેરિકામાં થોડા ઘર્મોવાળાઓ ગામે ગામ મંદિર બાંઘવાના હેતુને વળગીને મંદિરો બાંઘવા મંડી પડયા છે. કોઇ… જેને તે લોકો ભગવાન કહે છે તે ભગવાનને લાગવગ લગાડીને આટલું કહેતાં કરે કે ‘હે પામર માનવીઓ મરા નામે મંદિરો નહિ પણ ગરીબોની સેવા માટે હોસ્પિટલો બાંઘો તો મને આનંદ થશે.‘
અમૃત હઝારી.
LikeLiked by 2 people
Very well said. Nothing more to add, you said all Amrutbhai. Thank you.
LikeLiked by 2 people
ગોવિંદભાઈએ દેહદમન માટે સંકલ્પ કર્યો એ ઘણી જ માનવતા સભર અને પ્રસંશનીય બાબત છે. લોકોમાં દેહદમન માટે જાગ્રુતિ આવે એ સમયની માંગ છે. અહીં કેનેડામાં દરેક વ્યક્તિને ફરજિયાત હેલ્થકાર્ડ આપવામાં આવે છે જેનો ઉપયોગ ડોક્ટર કે હોસ્પીટાલની મુલાકાત વેળા જરૂરી બંને છે. આ કાર્ડમાં વ્યક્તિના અંગદાન કે દેહદાન અંગે વ્યક્તિની સંમતિથી નોંધ કરવામાં આવે છે. ગમો પતિ-પત્નિ અહીં સ્થાયી થયેલા છીએ અને બન્નેના હેલ્થકાર્ડમાં દેહદાનની નોંધણી કરાવેલી છે. જગતની કોઈપણ વ્યક્તિને મ્રુત્યુ પછી અમારા અંગો નવજીવન માટે કે અભ્યાસ હેતુએ ઉપયોગમાં આવશે તો અમારા જીવતરને ધન્ય માનીશું.
LikeLiked by 1 person
વહાલા ધનેશભાઈ,
આપણા અંગો અંગો રાખ થઈ જાય છે કે માટીમાં ભળી જાય તેને બદલે અહીંથી જતાં પહેલાં જરુરીયાતમંદ માણસને નવજીવન પ્રાપ્ત થાય કે આપણો દેહ મેડીકલના વીદ્યાર્થીઓને અભ્યાસ માટે ઉપયોગમાં આવે એનાથી ધન્ય બીજું શું હોય શકે!!
આપશ્રીએ ‘અંગદાન’ તેમ જ ‘દેહદાન’નો વીકલ્પ પસન્દ કર્યો છે તે બદલ અઢળક અભીનન્દન..
ધન્યવાદ..
LikeLike
હું માનવી માનવ થાવ તોય ઘણું સારું! આ વાત જો દરેકને યાદ રહે તો જીવનમાંથી આપણે જાતે એકબીજા માટે ઉભી કરેલી જ નહિ, કુદરત દ્વારા આવેલી તકલીફોને પણ આપણે દુર કરી શકીએ છીએ. આવું જ અંગદાનનું છે. લોકો માને છે કે અંગદાન કરવું એ ખુબ મહાન કાર્ય છે પરંતુ મારું માનવું છે કે એમાં મહાનતા નહિ પરંતુ માનવતા જ છે અને એક માનવી તરીકે માનવ બની રહેવાની આપણી ફરજનો જ એક ભાગ છે.
ગોવિંદભાઈને હું વધુ સમયથી નથી જાણતી પરંતુ જેટલા ઓળખું છું એ એક માનવી નહિ પરંતુ મુઠી ઉચેરા માનવી છે. કારણકે એ બીજા અઢળક લોકોને એનો માનવતા ધર્મ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસને મારી સલામ. આજ રીએ આપણે બધા મળીને માનવતાને જીવતી રાખી શકીએ એ જ આશા.
LikeLiked by 1 person
Reblogged this on RKD-रंग कसुंबल डायरो.
LikeLiked by 1 person
વહાલા અતુલભાઈ,
‘‘અંગદાનથી નવજીવન’’ લેખને ‘RKD-रंग कसुंबल डायरो’ બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
–ગો. મારુ
LikeLike