દીવ્ય દૃષ્ટી!

સાધુ–સન્તો, બાવા–બાબાઓ, ગુરુ–મહન્તો, ભુવા–ભારાડીઓ, સ્વામીઓ, શાસ્ત્રીઓ અને અધ્યાત્મવાદીઓ ‘દીવ્ય દૃષ્ટી’ના બણગા ફુંકે છે તે વાત સાચી છે? ભગવાનના આ એજન્ટોને ‘મોતીયો’ આવે તો ‘દીવ્ય દૃષ્ટી’થી ‘મોતીયો’ દુર થાય કે ‘દીવ્ય અન્ધદૃષ્ટી’ પ્રાપ્ત થાય?

દીવ્ય દૃષ્ટી!

–ગોવીન્દ મારુ

સાધુ–સન્તો, બાવા–બાબાઓ, ગુરુ–મહન્તો, ભુવા–ભારાડીઓ, સ્વામીઓ, શાસ્ત્રીઓ અને અધ્યાત્મવાદીઓ ‘દીવ્ય દૃષ્ટી’ની ફેન્ટસી ફેલાવે છે…! પરન્તુ આ ધાર્મીક એજન્ટોની દૃષ્ટીમાં ખામી આવે ત્યારે તેઓ સાયન્સ અને ટૅક્નોલૉજીના શરણે જાય છે અને હૉસ્પીટલમાં ડૉક્ટર પાસે સારવાર લે છે. વીરોધાભાસ એ છે કે, આ એજન્ટો ભોળા ભક્તોને ‘દીવ્ય દૃષ્ટી’ના ઓસડીયા પાય છે અને ખુદ વીજ્ઞાનનો ઉપયોગ કરે છે. આ સાધુ–સંતો, બાવા–બાબાઓ, ગુરુ–મહન્તો, ભુવા–ભારાડીઓ, સ્વામીઓ, શાસ્ત્રીઓ અને અધ્યાત્મવાદીઓ ભક્તોને ગેરમાર્ગે દોરે છે અને ‘દીવ્ય દૃષ્ટી’ની વાતોમાં ગોળગોળ ફેરવ્યા કરે છે. પોતાને પ્રગટબ્રહ્મસ્વરુપ ઘોષીત કરનારાઓને પણ ‘દીવ્ય દૃષ્ટી’ ઉપયોગી થતી નથી એટલે તેમણે હૉસ્પીટલમાં સારવાર કરાવવી પડે છે. અર્થાત્ સાયન્સ અને ટૅકનોલૉજીનો ઉપયોગ ન કરે તો પોતાને ‘દીવ્ય અન્ધદૃષ્ટી’ પ્રાપ્ત થાય, તેવી આ એજન્ટોને સમજણ હોય છે! ટુંકમાં, મન્ત્રોથી ‘દીવ્ય દૃષ્ટી’ પ્રાપ્ત ન થાય, વીજ્ઞાનથી જ થાય.

      આપણા શરીરનો દરેક ભાગ, દરેક અંગ અગત્યના છે; પરંતુ તેમાંય સૌથી વધુ મહત્ત્‍વનું અંગ ‘આંખ’ છે. નવસારી(ગુજરાત)માં 41 વર્ષથી ‘આંખ’ની સારવાર અને શીક્ષણ માટે ‘રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ’ પ્રસીદ્ધ છે. આ ‘રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ’ના ડૉ. રુપમબહેન દેસાઈ, (M.S. Ophthal, D.O.M.S.) તેમ જ ડૉ. જીગીષાબહેન રાંદેરી, (M.S. Ophthal)એ, હાલ ડીસેમ્બર, 2018માં મારી બન્ને આંખોના ‘મોતીયા’ (Cataract)નું ઑપરેશન અને તે પછીની સારવાર કરી. ધાર્મીક એજન્ટોની ‘દીવ્ય દૃષ્ટી’થી વીપરીત, ‘રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ’નાં અદ્યતન સાધનો/ટૅકનોલૉજી, ડૉક્ટરો અને મેડીકલ સ્ટાફે, મારી આયુનાં 65મા વર્ષે, મને વધારે સારી અને નવી દૃષ્ટી આપી છે તે માટે તેઓનો હાર્દીક આભાર..

પ્રત્યક્ષ મુલાકાતથી, ફોનથી, વ્યક્તીગત ઈ.મેલથી, ‘અભીવ્યક્તી’ બ્લૉગ પર પ્રતીભાવ આપી અને સોશીયલ મીડીયા મારફત, મારી બન્ને આંખોની સારવાર માટે મને શુભેચ્છાઓ પાઠવનારા સર્વ વડીલો, ભાઈઓ અને બહેનોનો હૃદયપુર્વક આભાર..

એક મહીનાના વીરામ [ઈન્ટરનેટ–ઉપવાસ(Keeping Away from Internet)] બાદ આજથી હું આપની સેવામાં હાજર થાઉં છું.

ધન્યવાદ..

ગોવીન્દ મારુ

લેખકસમ્પર્ક : ગોવીન્દ મારુમેઈલ : govindmaru@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ પ્રગટ કરવામાં આવે છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખવામાં આવે છે.

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 07–01–2019 

16 Comments

  1. ” આ સાધુ–સંતો ભક્તોને ગેરમાર્ગે દોરે છે અને ‘દીવ્ય દૃષ્ટી’ની વાતોમાં ગોળગોળ ફેરવ્યા કરે છે. પોતાને પ્રગટબ્રહ્મસ્વરુપ ઘોષીત કરનારાઓને પણ ‘દીવ્ય દૃષ્ટી’ ઉપયોગી થતી નથી એટલે તેમણે હૉસ્પીટલમાં સારવાર કરાવવી પડે છે ” – ગોવીન્દ મારુ

    આ પર થી મને યાદ આવે છે કે આજ થી અમુક સમય પહેલા ટોરન્ટો, કેનેડામાં પાકિસ્તાન થી ઍક આવોજ પાખન્ડી બાબો આવેલ હતો અને તેણે અખબારો માં જાહેરાત આપેલ હતી કે તે બિમારો નો આધ્યાત્મિક ઈલાજ (spiritual treatment) કરશે. ઍક ઈન્ટરવ્યૂ માં તેણે પોતેજ કહેલ કે તેને આંખો માં મોતીયો છે. કેવું વિચિત્ર? જગત નો ઈલાજ કરનાર પોતાનો ઈલાજ પહેલા નથી કરતો. આનું નામ બેવડું ધોરણ. મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં કહેવામાં આવેલ છે કે “ હે શ્રધ્ધળુઑ, તમે ઍ વાત શા માટે કહો છો જેના પર તમે પોતે અમલ નથી કરતા? “

    આ પર થી મેં ટોરન્ટો, કેનેડાના અખબાર માં અંગ્રેજી માં ઍક લેખ લખેલ હતો ” Allah’s agents on earth “. આ લેખ નું ગુજરાતી ભાષાંતર ” પૃથ્વી પરના અલ્લાહના ઍજન્ટો (પ્રતીનીધીઓ) થી સાવધાન “ શ્રી બીપીન શ્રૉફે પોતાના માસિક પ્રકાશન “ વૈશ્વીક માનવવાદ “ ના ઑકટોબર ૨૦૦૭ ના અંક માં પ્રગટ કરેલ હતું.

    Liked by 2 people

    1. I always read the contents of various writers on the social beliefs and religious practices adopted by literate as well as educated persons in our society.
      While most of the contents are worth for our thinking in this modern world we live and cherish.

      I take an opportunity to suggest every one who read your this Blog that in addition to our wrong practices and beliefs , we should highlight the effects of materialism in our society where we are quick to adopt what ever comes from the developed countries and adopt unethical means to achieve such luxuries and comforts without realizing the facts that India is one of the poorest country where 40% of children are not getting even two square meals a day and the rich spends millions and throw lavish parties for various causes.
      The money comes from bribe money ,robbing our Nationalized Banks and other corrupt methods.

      CAN WE HIGHLIGHT IN YOUR FUTURE BLOGS ON SUCH ISSUE WHICH IS WIDE SPREAD AMONG EVERY SEGMENT IN OUR SOCIETY.

      Liked by 1 person

  2. Welcome back Govindbhai. Like the term: Internet Upvas!
    Referring to my comment on RNIB Blog Post a gentleman asked me a question: What does it mean by Sight loss and Vision loss? Here’s my reply:

    “Brian Williams I will explain in my own words.
    Sight loss is a disorder of eye/s and one cannot see well or not at all. It is caused by many fold reasons.
    Vision loss is when one does not have future plans or ideas. They have given up hope in own abilities.
    Inner Vision has a Spiritual meaning. One can look within; a mind that has very good imagination.

    So a sighted person may not have vision but a person with a sight loss may have an excellent vision.
    Hope this makes sense!”
    By Urmila Sharma-Valand

    Sight or Vision can have physical, mental, biological or spiritual meaning.
    There’s so much Technology out there to help individuals.
    Being Blind myself my life depends on my iPhone and iPad, SIRI is my assistant all the way, every day.
    I am writing this so people understand that those Bava and Saint will not help me ‘see’ the World. Science and Technology do, indeed. I am the Living Proof!

    Have a great day.
    Urmila

    Liked by 1 person

  3. ભગવાન અને ભુવા બંનેમાં ‘ભ’ છે એ આજે મને દેખાયું! ગોવિંદભાઈ, તમને તો મારા કરતાં વધારે ઉંડાઈથી હવે દેખાશેને?

    નેત્રોની નવી નજરે નવું નવું લખતા ને પિરસતા રહો એવી ભગવાનને પ્રાર્થના!

    નવા વર્ષની તમને અને પરિવારને શુભેચ્છા,

    ‘ચમન”

    Liked by 1 person

  4. Welcome back Govindbhai,and Happy New Year of 2019. Hope your eyesight is very well restored. Just curious to know how many cataract removals and treatment of glaucomas and other eye diseases ,Drs, Rupamben and Jigishaben rendered to all different babas and ammas(who claim to have Divya drusti and super powers) They tell the gullible public something different, and when their turn comes with a major illness, they seek the modern medical treatment, I am sure they all have to goto a qualified surgical specialist for simple thing like hernia repair or removal of inflamed appendix. Their faki or jadibutti do not work in these cases.
    Have a nice day and wish you and your family all the best!

    Liked by 1 person

  5. દિવ્યચક્ષુ અેટલે દિવ્ય અથવા અદ્ ભુત દ્રષ્ટિવાળું…….having divine or miraculous vision or sight.
    દિવ્ય અેટલે દૈવી અદ્ ભુત , ચમત્કારી, તેજસ્વી…વિ…divine, celestial, wonderful, miraculous, Brilliant, beautiful, Charming…….
    સ્નેહી શ્રી ગોવિંદભાઇ,
    હેપી ન્યુ યર…૨૦૧૯….
    તમારી આંખોના ઓપરેશનો સફળતાપૂર્વક થઇ ગયા હશે અને સરસ જુની દ્રષ્ટિ પ્રાપ્ત થઇ ગઇ હશે. વાંચનમાં સરળતા પ્રાપ્ત થઇ ગઇ હશે.
    તમારા લેખના પહેલાં પેરેગ્રાફના છેલ્લા વાક્યને વારંવાર વાચવાનું અને આનંદ પામવાનું ગમ્યુ.
    ટુંકમા, મંન્ત્રોથી ‘ દિવ્યદ્રષ્ટિ‘ પ્રાપ્ત ન થાય, વિજ્ઞાનથી જ થાય.
    તમે લેખમાં જે વિગતો આપી છે તે સાઘુઓ, કથાકારો, મહંતો, પુજારીઓ….સંતો….વિ સૌને ૧૦૦ ટકા લાગુ પડે છે. પરંતું તેૉ તો ઘેટાઓને પોતાના ગુલામો બનાવવાના ઘંઘામાં પડેલા છે. તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. મુરખો તો પેલા ઘેટાઓ છે જે ખાતકિવાડે બલિનો બકરો બનવા જાય છે.
    બકરાઓની સંખ્યા ભારતમાં અગણિત છે. વિજ્ઞાનને સમજવાવાળા ઓછા છે.
    વિજ્ઞાન અે સાબિત થયેલું જ્ઞાન છે જેને આપણે સૌ….રોજીંદા જીવનમાં વાપરીને જીવનને સરળ બનાવીઅે છીઅે. …પેલા કહેવાતા દિવ્યદ્રષ્ટિવાળાઓ પણ…..ડો. જેકીલ અેન્ડ મી. હાઇડની પ્રજા……પેલા જેને લોકો સત્ય સાંઇબાબા કહેતા હતાં તેઓ પણ હોસ્પિટલમાં દોડેલાં…જીવ બચાવવા માટે….
    કહેવાય છે કે , ‘ ઘણે ભાગે માણસોમાં ‘ શ્રઘ્ઘા‘, અંઘશ્રઘ્ઘામાં જ વઘુ રહેલી હોય છે.
    મારે તો ફક્ત પેલાં ઘેટાંઓને સદ્ બુઘ્ઘિ પ્રાપ્ત થાય તેટલિ જ ઇચ્છા પ્રદર્શીત કરવાની…..
    અમૃત હઝારી.

    Liked by 1 person

  6. “આ ‘રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ’ના ડૉ. રુપમબહેન દેસાઈ, (M.S. Ophthal, D.O.M.S.) તેમ જ ડૉ. જીગીષાબહેન રાંદેરી, (M.S. Ophthal)એ, હાલ ડીસેમ્બર, 2018માં મારી બન્ને આંખોના ‘મોતીયા’ (Cataract)નું ઑપરેશન અને તે પછીની સારવાર કરી. ધાર્મીક એજન્ટોની ‘દીવ્ય દૃષ્ટી’થી વીપરીત, ‘રોટરી આઈ ઈન્સ્ટીટ્યુટ’નાં અદ્યતન સાધનો/ટૅકનોલૉજી, ડૉક્ટરો અને મેડીકલ સ્ટાફે, મારી આયુનાં 65મા વર્ષે, મને વધારે સારી અને નવી દૃષ્ટી આપી છે તે માટે તેઓનો હાર્દીક આભાર..”
    we are glad to see you back here and on whats app- convey our thanks to rotary eye institute dr rupamben and dr Jigishaben too for bestowing again good- sound eye sight to you to serve humanity.

    Liked by 1 person

  7. Dear Govindbhai,

    We love your article and approach towards life. We wish you good luck after cataract surgery in your eyes. Science is ultimate truth in life. Please take care and feel better.
    Thanks,

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

  8. “મન્ત્રોથી ‘દીવ્ય દૃષ્ટી’ પ્રાપ્ત ન થાય, વીજ્ઞાનથી જ થાય.”

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s