ધરમને નામે ચાલતો ધતીંગ–ધંધો

શું મન્દીરો બીઝનેસ–હબ છે? ધાર્મીક સ્થળે શ્રદ્ધાભાવના બદલામાં પ્રસાદને બદલે પ્રપંચ મળે છે? માત્ર નાણાકીય શોષણ જ નહીં; પરન્તુ અશીસ્ત અને અવ્યવસ્થામાં પણ આપણાં મન્દીરો મોખરે છે?

આવો માણીએ ધાર્મીક સ્થળોએ પુજા–વીધી કરાવવા દેશ–દેશથી આવનારાઓને થતા કડવા અનુભવોની કરમ કથા…

ધરમને નામે ચાલતો ધતીંગ–ધંધો

–પુજા શાહ

લંડનમાં વસતા અપુર્વ અને દીશા શાહની 16 વર્ષની પુત્રી નાવ્યા અને બાર વર્ષના પુત્ર વરુણને માતા–પીતા સાથે ભારત આવવાની ઈચ્છા નથી થતી; કારણ કે દર વર્ષે જ્યારે ભારત આવવાનું થાય ત્યારે મમ્મી–પપ્પા તેમને જબરજસ્તી વીવીધ મન્દીરોમાં લઈ જાય. મન્દીરોની આસપાસની ગન્દકી, ભીડ, દુર્ગન્ધ તેમને અકળાવે. હજારો રુપીયા ખર્ચીને જે હોટેલોમાં રહ્યા હોય ત્યાં પણ જોઈએ તેટલી સુવીધા ન હોય. ડગલે ને પગલે મમ્મી–પપ્પા હજારો રુપીયા ધાર્મીક વીધી કે પુજાના નામે કે પ્રસાદ સામગ્રીના નામે ખર્ચે તે તો બન્ને બાળકોને સમજાય જ નહીં. વળી, મોટા ભાગની હીન્દી ફીલ્મોએ બાળકોને એમ જ બતાવ્યું છે કે ભારત એવો દેશ છે જ્યાં પારાવાર ગરીબી છે. બાળમજુરોનો દેશ છે. અહીં હજારો લોકો ઝુપડાંમાં રહે છે, તેમને ખાવા–પીવા–રહેવા–ઓઢવા પણ ન મળે. તેઓ ગટરની પાસે રહે, સ્લમડૉગ જેવી તેમની હાલત અને બીજી બાજુ મન્દીરોમાં કેટલાય લીટર દુધના અભીષેક થાય, શનીમહારાજને તેલથી નવડાવાય, મન્દીરો આખા સોનાથી શણગારેલા હોય, ભગવાન સોનાના સીહાસન પર દાગીનાથી લદોલદ ભરેલા હોય. આ બન્ને વીરોધાભાસ વચ્ચે બાળકો શ્રદ્ધા અને આસ્થાને બદલે વીસ્મય જ પામે અને મમ્મી–પપ્પા સાથે આવવાની વાતથી જ તેમને એમ થાય કે આવા ભારતમાં શું જવું. ભારતમાં પર્યટકોને છેતરવાની વાત તો સાવ જુની છે. લોકોની આ ટેવ સુધરે તે માટે કેન્દ્ર સરકારે હીન્દી ફીલ્મના લોકપ્રીય અભીનેતા આમીર ખાનને ચમકાવતી જાહેરખબર પણ આપી, જેમાં રીક્ષાચાલક કે પછી નાની–મોટી વસ્તુઓ વેચનારાઓને પર્યટકોને છેતરી ભારતની નકારાત્મક છાપ ન ઉપસાવે તેવી ભલામણ કરવામાં આવે છે; પરન્તુ ભારતમાં આવતા ભારતીયો પોતાના જ માદરે વતનમાં છેતરાઈને જાય છે ત્યારે માત્ર પૈસા કે અગવડ નહીં; પરન્તુ હૃદયને પણ ઘા લાગે છે. વીદેશમાં જઈને શું કહે? અમારા દેશમાં જ અમે છેતરાયા?

વૈષ્ણવોના સૌથી પવીત્ર મનાતા શ્રીનાથજીમાં સવારે પાંચ વાગે કે સેવકીના નામે ધોતી–કુરતામાં સજ્જ એક સેવકીયો તમારી હોટેલ કે ધર્મશાળાના રુમમાં પહોંચી જાય. દુનામાં તમને એકાદ ચમચી જેટલો પ્રસાદ આપે અને તે બાદ તમે જેટલી સેવકી(પૈસા) આપો તેમાં બાર્ગેનીંગ કરી વધારે જ માગે અને જો ખબર પડી કે તમે તમારી આલીશાન કારમાં આવ્યા છો કે એન.આર.આઈ. છો… તો ઓમ સ્વાહા!

આ પછી મન્દીરમાં જાઓ એટલે જલદી દર્શન કરવાની લાયમાં વી.આઈ.પી. ક્વૉટામાં ખીસ્સાં ખાલી થાય. શ્રીનાથજીનો ઠોર(કડક સાટી) લગભગ બધાને પ્રીય હોય તેમાં તો રીતસરની લુંટ જ ચાલે. મનોરથ કરાવો ત્યારે ખબર પડે કે આટલા રુપીયાનો મનોરથ આપણા ગામની કોઈ હવેલીમાં કરાવ્યો હોય તો આખો પરીવાર જમી શકે. આવી તો કેટલીય બાબતોમાં આપણે છેતરાતા હોઈએ છીએ અને ફરવા આવ્યા હોઈએ ત્યારે અજાણ્યા શહેર કે જગ્યામાં ક્યાં કહેવા જઈએ તે પણ એક પ્રશ્ન હોય છે. વીદેશમાંથી આવતા વીદેશીઓ તો ભારતમાં આવીને ઘણી વાર અહીંની ગંદકી, રીક્ષા–ટેક્સીથી માંડી દરેક જગ્યાએ થતી લુંટફાટ, રહેવા–જમવાની અવ્યવસ્થા વગેરેને લીધે અસંતોષની લાગણી અનુભવતા હોય છે; પરન્તુ ભારતીય મુળના પર્યટકો જ્યારે પોતાના માદરે વતનમાં આવી છેતરાય અથવા કોઈની ખરાબ વૃત્તીનો શીકાર બને ત્યારે તેમની લાગણી પણ ઘવાતી હોય છે. એ પણ ખાસ કરીને જ્યારે કોઈ ધાર્મીક સ્થળે ગયા હોય અને શ્રદ્ધાભાવના બદલામાં પ્રસાદને બદલે પ્રપંચ મળે. 

આવો જ કંઈક અનુભવ તાજેતરમાં થયો અમેરીકાથી આવેલી એક મરાઠી પર્યટકને મહારાષ્ટ્રમાં આવેલા નરસોબા વાડી નામાના ધાર્મીક સ્થળે.

‘આ વાત ભગવાન દત્ત અને શ્રી નરસીમ્હા સારસ્વતી મહારાજના ભક્તો માટે બહુ જાણીતી નરસોબા વાડીની અમારી મુલાકાતની છે, જે એક દુ:ખદ અનુભવમાં ફેરવાઈ ગઈ. સાંગલી, મીરાજ કોલ્હાપુરથી નજીક આવેલું અને ક્રીષ્ણા નદીના કીનારે પથરાયેલું આ મન્દીર ખુબ જ સુન્દર છે અને મહારાજના દયાભાવ અને પ્રેમની ગાથાઓ સાંભળીને જ અમે મોટાં થયાં છીએ; પરન્તુ હાલમાં આ સ્થળ મન્દીરને બદલે કોઈ બીઝનેસ–હબ હોય તેમ લાગી રહ્યું છે.’ તેમ જણાવી પોતે કઈ રીતે અલગ અલગ પુજારીઓ દ્વારા છેતરાયા તે વીશે તેઓએ પત્રમાં પોતાની વ્યથા ઠાલવી છે. તેમના જણાવ્યા અનુસાર મન્દીરના ઘણા પુજારીઓ ત્યાં આવતા યુવાન અને અજાણ્યા ભક્તોને મન્દીરમાં વીવીધ પુજા કરાવવા માટે દબાણ કરે છે. આ પુજાથી આ ફાયદો થશે, પેલીથી પેલો એ રીતે તેમને ભરમાવવાની પુરી કોશીશ કરે છે. આ સાથે દેશમાં સૌથી વધારે માનતાઓ આ મન્દીરમાં ફળે છે તેમ પણ કહે છે. જો કોઈ મન્દીર વીશે કે પુજારીઓ વીશે અણછાજતું બોલશે તો મહારાજ તેને શાપ દેશે, તેમ પણ કહે છે.

આ પર્યટક અને તેમના પરીવારને ચાર પુજારીએ અલગ અલગ રીતે છેતર્યા અને હજારો રુપીયા પડાવી લીધા હતા. સૌપ્રથમ તેઓ જે પુજારીને મળ્યા એમને તેમણે અમેરીકાથી ફોન કર્યો હતો. તે સમયે તેમણે પુજા કરાવવા જણાવ્યું હતું અને તેમની ઈચ્છા મુજબનો ભોગ ચડાવવા કહ્યું હતું; પણ કોઈ ખાસ રકમ કહેવામાં આવી ન હતી. તેઓ અને તેમનાં પત્ની ફોન પર દીકરી કહીને જ બોલાવતાં ને બહુ ભાવભર્યો વ્યવહાર કરતાં. તેમણે પુજાની કોઈ કીમ્મત ન કહેતાં તેમના પર શક પડતાં તેમણે અન્ય પુજારીનો સમ્પર્ક સાધ્યો.

એ વ્યક્તીએ તેમના ભાઈ પાસે પુજા કરાવવા કહ્યું; પરન્તુ પાછળથી વાડીમાં તેમના નીવાસ દરમીયાન તેમની પાસેથી પૈસા ઉઘરાવ્યા. તેમણે તેમના પતીને કહ્યું કે તમારી પત્ની પર કોઈએ કાળો જાદુ કર્યો છે અને ખાસ પુજા કરાવવી પડશે, જે માટે રુપીયા 25,000/- ચુકવવા પડશે. તે બાદ અમુક વધારાની વીવીધ પુજાઓ માટે ફરી રુપીયા 35,000/- માગ્યા. તેમનાં પત્ની અને પુત્રએ પણ અમને વારંવાર આમ જ જણાવતાં આટલી મોટી રકમ ખર્ચી નાખી. તેની પત્ની પણ અમને વારંવાર કામવાળી અને આજુબાજુમાં રહેતા લોકોને દાન આપવાનું કહેતી તેમ જ નજીકના સ્થળ ઔદુમ્બર ફરવા ગયા ત્યારે અમારા સામાનમાંથી રુપીયા 4,000/- પણ ચોરાઈ ગયા હતા, તેમ પર્યટકે પોતાના પત્રમાં લખ્યું છે.

એ બાદ ત્રીજા પુજારીએ ફોન પર તેમની સાથે બહુ મોટી મોટી વાતો કરી હતી; પરન્તુ પરીવાર સાથે જ્યારે પુજા કરાવવા આવ્યા ત્યારે તેમને પોતાને કંઈ જ ન આવડતું હોવાથી તેમણે અન્ય પુજારીઓને બોલાવ્યા હતા, જેમણે મહાપુજા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું; પરન્તુ જે વીધી કરવાની હોય તે કરી ન હતી અને પુજા અધુરી છોડી હતી.

એક અન્ય પુજારી, જે કૉલેજના નીવૃત્ત પ્રૉફેસર છે. નીવૃત્તી બાદ વાડીમાં સ્થીત થયા છે અને હવે પુજારીનો ધીકતો ધંધો કરે છે. તેઓ રુમ પણ ભાડે આપે છે. આ પરીવાર તેમના જ રુમમાં રહેતો હતો; પરન્તુ તેમની પાસેથી વધુ પૈસા લઈ બહુ ગંદી અને ખરાબ જગ્યામાં રાખ્યા હતા. તેમના ઘર પાસેનું તેમનું મન્દીર પણ બહુ ગંદુ હતું. વાડીમાં પુજાવીધી કરી પોતાની શ્રદ્ધાને સન્તોષવા આવેલો આ પરીવાર અને આના જેવા કેટલાય પરીવારોને ભગવાનને નામે છેતરવામાં આવે છે. તેમણે આ બાબતે કોલ્હાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ પણ નોંધાવી હતી; પરન્તુ તે કરતાં પણ તેમની શ્રદ્ધા અને આસ્થાને જે ઠેસ પહોંચી છે એનાથી તે બહુ વ્યથીત છે. ‘મુમ્બઈ સમાચારે’ વાડીનો સમ્પર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો; પરન્તુ સાધી શકાયો નહોતો.

વાત માત્ર વાડીની નથી કે એક–બે મોટાં મન્દીરોની નથી. નાનાં શહેરોમાં પણ મન્દીરમાં ધર્મને નામે ધંધો ફુલ્યોફાલ્યાના ઘણા અનુભવો આપણને સૌને ક્યારેક થયા હશે. તર્પણ, ગ્રહદોષ, ગ્રહશાંતી, પીતૃદોષના નામે હજારો પરીવાર રીતસરના ફના થઈ ગયાના અનેકો દાખલા આપણી વચ્ચેથી જ મળી આવશે. આ લુંટફાટની રકમનો ગ્રાફ જોતાં તો યુપીએના ભ્રષ્ટાચારના ગ્રાફને પણ આંબી લે તેવો છે. માત્ર નાણાકીય શોષણ જ નહીં; પરન્તુ અશીસ્ત અને અવ્યવસ્થામાં પણ આપણાં મન્દીરો મોખરે છે. અધુરામાં પુરું ભક્તો પણ આ પ્રકારની પ્રવૃત્તીઓને પોષે તેવા મળી રહે છે.

ભારતમાં આમ પણ જે વસ્તુઓને ભગવાનનો કે દૈવી દરજ્જો આપવામાં આવે તેની સૌથી વધારે દુદર્શા થાય છે. પછી, તે આપણી ધરતી માતા હોય, નદીઓ હોય, પ્રાકૃતીક તત્ત્વો હોય, વૃક્ષો હોય, ગૌમાતા હોય કે આ દેશની નારીઓ. તમામને દૈવી દરજ્જો આપી આપણે છુટી ગયા છીએ. ગંગામૈયા સહીતની નદીઓમાં મૃતદેહો નાખતાં આપણે એક મીનીટ અચકાતા નથી. વૃક્ષદેવતાને કાપીને આપણે જંગલોનું તો નીકન્દન કાઢી નાખ્યું છે. પ્લાસ્ટીકની થેલીઓમાં ખાવાની વસ્તુઓ નાખતાં પહેલાં એક વાર પણ વીચાર કરતા નથી કે આપણી માતા ગાયને આનાથી કેટલું નુકસાન થશે.

વાત કોઈની ધાર્મીક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નથી કે કોઈ પણ સમ્પ્રદાયની ધાર્મીક વીધીઓની ટીકા કરવાની નથી; પણ વાત જ્યારે આસ્થાની હોય ત્યારે કોઈની લાગણીઓ ન દુભાય અને ધર્મને ધંધો ન બનાવાય તેની જવાબદારી આપણી નહીં? શ્રદ્ધાનો વીષય હોય ત્યાં પુરાવા ન જોઈએ તે બરાબર; પણ પવીત્રતા તો જોઈએ જને?

દેશમાં એવાં હજારો ધાર્મીક સ્થળો છે જ્યાં દેશ–વીદેશથી લોકો દર્શન કે ધર્માદો કરવા આવે છે અને સાથે પ્રસાદ કે આશીર્વાદને બદલે આવા કડવા અનુભવો લઈને જાય છે. આ જ છે આપણું ઈનક્રેડીબલ ઈન્ડીયા…!!!

–પુજા શાહ

‘મુમ્બઈ સમાચાર’ દૈનીક, મુમ્બઈની તારીખ : 19 જુન, 2013ની બુધવારીય પુર્તી ‘ઈન્ટરવલ’માં, પ્રગટ થયેલ લેખમાંથી, લેખીકાના અને મુંબઈ સમાચારના સૌજન્યથી સાભાર…

મુમ્બઈના રૅશનાલીસ્ટમીત્ર નરેન્દ્ર મસરાણીએ આ લેખ, ‘અભીવ્યકતી’ બ્લૉગ માટે મને મોકલવા બદલ તેઓનો દીલથી આભાર.

લેખની નકલ મોકલવા બદલ મુમ્બઈના રૅશનાલીસ્ટમીત્ર નરેન્દ્ર મસરાણીનો આભાર.

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન :  ગોવીન્દ મારુ   ઈ.મેઈલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 25–01–2019

16 Comments

  1. 1983-84માં પરીવાર સાથે અહીંથી (ન્યુઝીલેન્ડથી) અમે દેશ આવ્યાં હતાં અને બાળકોને દીલ્હી, મથુરા, હરદ્વાર, ઋષીકેશ વગેરે ફરવા માટે લઈ ગયાં હતાં. તે સમયે પણ મેં સાંભળ્યું હતું કે મથુરાના મંદીરમાં પુજારીઓ માત્ર પૈસા પાછળ જ હોય છે. આથી મથુરાના મંદીરમાં હું પોતે તો ગયો ન હતો. મેં તે સમયે પણ કહ્યું હતું કે આવા પુજારીઓને છોડીને ભગવાન તો ક્યારનાયે જતા રહ્યા છે, ત્યાં ભગવાન છે જ નહીં.
    હરદ્વારમાં ગંગા નદીના કીનારે પુજા કરાવવા માટે એક બ્રાહ્મણે આગ્રહ કર્યો હતો. મેં સાંભળ્યું હતું કે એ લોકો માત્ર સવર્ણની જ પુજા કરે છે. મેં એને કહ્યું હતું કે હું કોળી છું, તમે પુજા કરશો? એ ભાઈએ તરત જ ચાલતી પકડી હતી.
    મને તો લાગે છે, અને હું અનુભવું પણ છું કે માત્ર દેશમાં જ નહીં પરદેશોમાં પણ હવે ધર્મને એના જાગીરદારોએ ધંધો બનાવી દીધો છે.

    Liked by 1 person

  2. જો કે મેં પોતે અહીં વીસેક વર્ષ સુધી હીન્દુ ધર્મની બધી વીધીઓ કશી પણ અપેક્ષા વીના કરી છે, બીજું કોઈ સમાજનું શોષણ ન કરે એ આશયથી.

    Like

  3. NRI Indians -હો તો બહુ જ ધ્યાન રાખીને, બે-ત્રણ opinion લઈને જ કોઈ પણ ધાર્મિક activities મા involve થવું
    NRI Indians માટે બહુ જ Nagative અને ભ્રામક માન્યતાઓ ત્યાં ફેલાયેલી છે
    મોટા ભાગે ‘દા્ક્ષ ખાટી છે’ વાળુ Attitude જ હોય
    બાકી ભગવાન તો આપણા મા જ વસે છે —મંદિરોમાં નહિ

    Liked by 1 person

  4. “વાત કોઈની ધાર્મીક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની નથી કે કોઈ પણ સમ્પ્રદાયની ધાર્મીક વીધીઓની ટીકા કરવાની નથી; પણ વાત જ્યારે આસ્થાની હોય ત્યારે કોઈની લાગણીઓ ન દુભાય અને ધર્મને ધંધો ન બનાવાય તેની જવાબદારી આપણી નહીં?”

    લેખમાં ભારતમાં ધર્મના નામે જે થઈ રહ્યું છે, તે વિષે લખેલ છે. લખવાનો હેતુ કોઈની ધાર્મીક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ વાસ્તવિકતાને રજૂ કરવાનો છે. ભારતમાં હિન્દુઓ ઉપરાંત મુસ્લિમો પણ વસે છે, તે વિષે તેઓના સંદર્ભમાં ભારત અને પાકિસ્તાનમાં ઈસ્લામ ધર્મના નામે, ધર્મના બદલે જે ધંધો થાય છે, તે વિષે હું બહુજ ટૂંક માં વિગત આપું છુ.

    કરાચી, પાકિસ્તાનના ઉર્દૂ ભાષા ના ઍક ટોચ ના અખબાર “જંગ” દૈનિકના ૧૫ ડીસેબર ૨૦૧૮ ના અંક માં આવોજ ઍક લેખ પ્રગટ થયેલ છે, જેનું શીર્ષક છે “મઝારો (દરગાહઓ) પર શું થઈ રહ્યું છે?” કીશવર નાહીદ નામની ઍક મુસ્લિમ મહિલાઍ આ લેખ લખેલ છે.

    ઉર્દૂ જાણતા વાંચકોની જાણ માટે આ લેખની લીન્ક નીચે આપેલ છે:

    https://jang.com.pk/news/587471-kishwar-naheed-column-16-12-2018

    ટૂંક માં લખવાનું કે મઝારો અને દરગાહઓ પર ધંધા થઈ રહ્યા છે, અને ઍવું થઈ રહ્યું છે, જેને ઈસ્લામ ધર્મની સાથે દૂરનો પણ સંબધ નથી. આ ઉર્દૂના લેખમાં ઍક વાક્ય આ છે: “મઝારો પર જે ચાદરો ચઢાવવામાં આવે છે, તે ચાદરો પાછી ચાદરો વેચતા દુકાનોમાં ચાલી જાય છે.”

    Liked by 1 person

  5. શ્રી ગોવીનભાઈ મારું,
    એક કહેવત છે કે દરિયામાં ડૂબતો માણસ તરણું ઝાલીને બચવાની કોશીશ કરે. બચવું શક્ય નથી. એવીજ રીતે ધાગા દોરમાં માણનારા આજે પણ લગભગ લાખો લોકો છે. હું એટલુજ લખું છું કે સંપૂર્ણપણે રેશનાલીસ્ટ બનવું શક્ય નથી. એનું કારણ દૃઢ શ્રદ્ધા છે. અમે અમારા કુળદેવનાં નિવેદ દર વર્ષે કરીએ છીએ .નિવેદ કુળદેવને પહીચે કે નહિ એ અમે જોતા નથી. પ્રથમ જન્મેલા દીકરાના બાળ મોવાળા ઉતારવા અમે દેશમાં કુળદેવના ગોખલે જઈએ છીએ. જાણ ખાતર લખ્યું છે. – જયજીનેન્દ્ર. કૃપયા ગેરસમજ કરશો નહિ.

    Like

  6. I think this is perennial problem. I have read so many related articles on the same subject. There are several books on related subjects. It is not impossible but highly improbable to change the attitude about these so called religious Hindus living abrod who still blindly follow old orthodox stigmas. Even students of Science believe in these blind faith. What to talk about illerate people! Alas!

    Liked by 1 person

  7. I agree with Sanatbhai. I find more fault with the people who go to such places, to please their so called God or Kuldevi/devata, and become victims of these cheater pandas prey. I also know many scientists and doctors who go for this kind of nonsense. I think they deserve what they get, feeling of being deceived and loss of money and self respect. You need awakening of mass conciousness to remove this kind of attitude.

    Liked by 1 person

    1. I thank you Mr. Dineshbhai Patel, Sir. You are one in million people, few and far between. I appreciate your comments. Science does not believe in power or faith. Science wants hard facts. If you are interested in reading, I suggest the book “the History of God” by Karen Armstrong, Ctholic nun for 23 years and finally left the church out of frustration. According to her God did not create us but we created God according our economic needs. Also she says that we have forgotten the basic religion of humanity and putting more emphasizing on peripheral and ritual activities. Just a food for thought. I live in USA for last 57 years and I have seen more religious activities than I have seen in India. And let me say, sadly, that this is prevalent in all religions.

      Liked by 1 person

  8. વાચક મિત્ર,
    પૂજાબેનની માફી માંગીને કહેવાનું કે આ લેખમાં આપવામાં આવેલી વિગતો સાથેની માહિતિથી આપણે સૌ વિદિત છીઅે…..વરસોથી….દસકાઓથી….હજારો વરસોથી……
    હું વાંક પૂજારીઓનો નથી જોતો. તેઓ તો લુચ્ચા વેપારીઓ જ છે….. હજારો વરસોથી……..
    વાંક કે ભૂલ લોકોની છે. આ લેખમાં પરદેશ વસેલાં કુટુંબી જનોની છે…ખાસ કરીને સ્ત્રીઓનો….સ્ત્રીઓ…ભારતીય, હિન્દુ સ્ત્રીઓને ઘરમને નામે કોઇ પણ વ્યક્તિ સારી અને સહેલી રીતે ઉલ્લુ બનાવી છકે છે….હાં ‘ ઉલ્લુ‘ બનાવી શકે છે. ભારતની સ્ત્રીઓ ળની અઢળક ‘ શ્રઘ્ઘા‘…‘ અંઘશ્રઘ્ઘા‘ માં હોય છે. તેમના પતિદેવો પય્નિઓના દિલને દુ:ખી કરવા નથી ઇચ્છતા. બાળકોને કે બાળકોના વિચારોની અવગણના મા બાપ તરફથી આ વિષયોમાં થતી જ રહે છે.
    પરદેશ વસેલા જો ઘાર્મિક વેપારીૌને ના ઓળખી શકે તો તેઓ શરીરથી મોટા થયા હશે પરંતું મગજથી તો પાછળ જ રહીને જીવન જીવે છે….અને ઉલ્લુ બનતા રહે છે….વારંવાર….
    પોલીટીશીયનો અને ઘાર્મિક વેપારીઓ લોકોને ઉલ્લુ બનાવીને પોતાની મર્સીડીઝ ગાડી દોડતી રાખે છે તેટલી પણ બુઘ્ઘિ, આપણા લોકો…દેશમાં…કે ..પરદેશમાં હોય , પણ નથી હોતી તે સનાતન સત્ય છે.
    પેલા પૂજારીને કહો કે તું માંદો પડે..કેન્સર થઇ જાય ત્યારે તારા મંદિરના પત્થરના દેવની સામે બેસીને તેનું ઘ્યાન ઘરી રહેજે…તારો ભગવાન સારું કરી દેશે. હોસ્પીટલમાં જતો નહિ…….
    અમેરિકામાં અેક ઘાર્મિક સાઘુને કહેતા સાંભળ્યા હતાં કે તેઓ અમેરિકાની ગલીઅે ગલીે મંદિર બાંઘશે. હા…હા…હા….
    પુજાબેન તમે જે લખ્યુ છે તે તો વરસો જુનું સનાતન સત્ય છે…ઓલમોસ્ટ બઘા જાણે છે પરંતું અંઘશ્રઘ્ઘાના આ ગુલામોને બલીનો બકરો બનવાની ચળ આવતી હોય છે. કોણ બચાવવા દોડવા માટે નવરું છે ?
    જેને મંદિરોમાં જઇના….લુચ્ચા પુજારીઓ પાસે બલિનો બકરો જ બનવું હોય તેમની ચિંતા અસ્થાને છે.

    અમૃત હઝારી.

    Liked by 1 person

  9. Seriously? This has been happening for Centuries in ALL the buildings we call Places of Worship. Yup, it’s a Business in the name of God!
    Do these people have Conscience ?
    Do they feel guilty at all?
    Nope!
    Easy Money!

    Next week I am going on my travels to India.. Should I visit such places?
    Now that is a Big question, isn’t it?
    Well, the plan is to avoid as many as possible. (I would not be tricked into it)

    I do agree that some people and NRIs feed into these actions.
    Many have been trapped in the ‘old traditions and rituals’ so follow blindly.
    So many have been brain-washed.
    Lots and lots of people act in fear.
    A few are naive.
    Some of them want to ‘show off’ their wealth.
    What a shame!

    My faith is within me, (I have written about it umpteen times).
    Blind Faith has NO space in our household.
    I shall continue to spread my knowledge and understanding amongst my family and friends.

    With due respect to those in their Beliefs…
    Sent with love and faith…..
    Urmila

    Liked by 1 person

  10. પુજાબેન, એક જ શબ્દમાં કહુ તો મંદિરમાં ભગવાન સિવાય બધુ જ છે. એ કેવી વિચિત્રતા છે કે જે ખાતો નથી એને છપ્પનભોગ ધરાવાય છે. જેને ટાઢ કે ગરમી સતાવતી નથી એને માટે ગરમ વાધા કે ચંદનનો લેપ કે ઠંડક માટે એરકંડીશન વસાવાય છે.જે કદી સુતો કે જાગતો નથી એને મંગળાથી જાગૃત કરાય ને શયન કરાવાય છે. જે સાંભળતો નથી એનેત્યા ઢોલ,નગારા ને ઝાલરના ઝળકારથી આરતી કરાય છે.એ જો સર્વશકિતમાન હોય તો એની રક્ષા માટે મંદિરમાં તાળાકુચી ને સિક્યોરીટીની જરુર શું છે? એ જો નીતિમતામાં માનતો હોય તો અનીતિના લાખો રુપિયા મંદિરમાં ધરાવનારના પૈસાને લાત કેમ નથી મારતો?

    Liked by 1 person

  11. મિત્રો,
    સાંભળેલુ હતું કે…પ્રભુ કે ઘર દેર હૈ…મગર અંઘેર નહિ…..આજે કાંઇક અજુગતું લાગે છે. ઇમીડીયેટ અેક્સન ના લે, ભાઇ…બિચારો બીઝી બીઝી….જીવ….ક્યાં ક્યાં જાય…દોડે ???????????
    મને સવાલ અે થયો…મોડે…મોડે…( માણસ રહ્યો ને ! ) કે જેને લોકો ભગવાન કહે છે તેને અેટલી પણ સમજ નથી પડતી કે આ સાલાૌ તેના નામે ચરી ખાય છે…તેનું નામ વગોવે છે….અને ‘ નો અેક્શન ?‘ મને નથી લાગતું કે દરેક ઘાર્મિકસ્થાનોમાં…પૃથ્વિ ઉપરના દરેક ઘાર્મિકસ્થાનોમાં જેને ભગવાન કે માતાજી કહીને બેસાડેલા છે તે સૌ આંખ, કાન, નાક, અને મગજ વિનાના છે.
    વિચાર કરો કે આપણે…જેને આપણે પોતે ‘ પામર ‘ કહીઅે છીઅે તે , જો કોઇ તેનું નામ વટાવી ખાય, તો કેવા ગુસ્સે થઇ જઇઅે છીઅે ?
    આ વિચારનું કન્ક્લુઝન અભટલું જ કે….???????
    હે પામર માનવી તું જ તોરો પોતાનો ભગવાન છે. તું પોતે તારું ભલું કે બુરું કરી શકે છે. કોઇ પણ…જે તમને કથા કરી…પૂજા કરીને…જે નથી તે બતાવે,,,,સ્વર્ગ ? તેને પૂછતાં શીખો કે તું આ પૈસા કમાવાના ઘંઘા કરીને લોકોને ઉલ્લુ બનાવીને ક્યા સ્વર્ગમાં જવાનો છે કે જવાની છે ??????????????
    The best way to predict the future is to create yourself.
    જબ આપકે હાથ હૈ તકદીર કી કિતાબ, ક્યા ક્યા લીખા કરેંગે યે અબ આપ સોચીયે….( મગજ હોય તો )
    ચંન્દ્રકાંત બક્ષીઅે નેપથ્યમાં ક્વોટ કરેલું જ્ઞાન…..
    ભગત જગત કો ઠગત હે, ભગતહિં ઠગૈ સો સંત, જો સંતન કો ઠગત હૈ, તિનકો નામ મહંત. ( ઉત્તરપ્રદેશની લોકોક્તિ.)
    બલીનો બકરો, સ્વર્ગની લાલચમાં મરવા જાય તો તેને વાજતે ગાજતે મોકલવો.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  12. જ્યાં લોભિયા,અંધશ્રદ્ધાળુ લોકોનો ટોળા હોય ત્યાં લેખમાં દર્શાવેલ પૂજારીઓને આસાનીથી બકરા મળી જતા હોય છે.આ માટે પૂજારીઓને જેટલા જવાબદાર ઠરાવીએ તેના કરતા તેમની પાસે જતા લોકો પણ એટલાજ જવાબદાર છે.માટે આવા પુજારીઓથી દુર રહેવામાં જ સલામતી છે.બાકી જેમને સ્વેચ્છાએ લુટાવું હોય તેને કોઈ રોકી શકે તેમ નથી.ઉર્મિલાબેન જો તમે ઇન્ડિયા જવાના હો તો આવા સ્થળોની કુતુહલતા ખાતર મુલાકાત લેજો અને ચોકન્ના રહેજો.

    Liked by 1 person

  13. મૂળભૂત રીતે તદ્દન સાચી વાત કહી છે કે બીજા શબ્દો મા ઘર્મ નો કે મંદિર ના પૂજારી ઓ નો ખોટો આડંબર ભારત દેશ મા છે તેની પોલ ખોલી દીધી. આભાર 🙏🏻

    Liked by 1 person

  14. Really true. All temple have become business canter now. many people now make temple to have better earning. in my city Baroda one tea seller started sail baba temple and stopped selling tea. now he is earning lot without efforts.

    Liked by 1 person

  15. Temples, Mosque and Churches all have become a business center in USA also. People have blind faith and then, they are cheated.

    Humanity is the highest level of religion. Lord lives in everybody. It is better to help needy human being and animals rather than wasting money for temples.

    Thanks for the article.

    Pradeep H. Desai
    USA

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s