1008 ધ.ધુ.પ.પુ. સ્વામી શ્રી. રોહીતાનન્દજી જણાવે છે કે છ પ્રકારના લોકો વારંવાર છેતરાય છે. ભોટ, અહંકારી, વહેમીલા, લોભીયા–લાલચુ, અણઘડ અને શૉર્ટકટ શોધનારા લોકોને છેતરવાનું ખુબ સરળ હોય છે? તેમને ઠગનારા પાખંડીઓની બહુ મોટી ફોજ સમાજમાં છે? કયા છ પ્રકારના માણસો સતત લુંટાતા–છેતરાતા રહે છે એ વીગતવાર સમજવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવા નીમન્ત્રણ છે.
કયા છ પ્રકારના લોકો વારંવાર છેતરાય છે?
–રોહીત શાહ
1008 ધ.ધુ.પ.પુ. સ્વામી શ્રી. રોહીતાનન્દજી જણાવે છે કે છ પ્રકારના માણસો પોતાની સમ્પત્તીનું રક્ષણ કરી શકતા નથી. તેઓ વારંવાર લુંટાતા અને છેતરાતા રહે છે. એમાં જે લોકો પાસે બે નમ્બરની કમાણીનો ઓવરફ્લો થતો રહેતો હોય છે તેમને બહુ ફરક નથી પડતો. લેકીન–કીન્તુ–પરન્તુ જે લોકો લીમીટેડ ઈન્કમથી નીર્વાહ કરનારા છે તેઓ ખુબ દુ:ખી–દુ:ખી થતા રહે છે. તેમનું દેવું સતત વધતું રહે છે. આખરે તેઓ દેવામાં ડુબી જાય છે, પાયમાલ થઈ જાય છે. કયા છ પ્રકારના માણસો સતત લુંટાતા–છેતરાતા રહે છે એ વીગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ.
આંધળો ભરોસો કરનારા :
ઘણા લોકો પોતાની તમામ પ્રકારની ખરીદી કોઈ એક ફીક્સ દુકાનદાર પાસેથી જ કરતા હોય છે. તેમને દુકાનદારની પ્રામાણીકતા પર પુરો ભરોસો હોય છે. દરેક વેપારી અપ્રામાણીક ન હોય તેમ દરેક વેપારી કંઈ પ્રામાણીક પણ નથી હોતો. આપણે કોઈ પણ ચીજ ખરીદવી હોય ત્યારે એ ચીજની સાચી બજારકીમ્મત જાણવી પડે. ક્યારેક વસ્તુ સસ્તી હોય પણ ટકાઉ ન હોય એવુંય બને. વેપારી પરના આંધળા ભરોસાના કારણે કાં તો તે વધારે કીમ્મત લઈને આપણને છેતરે કાં તો ડુપ્લીકેટ અને ગુણવત્તા વગરની વસ્તુ ભટકાડી દે. દુકાનદાર સાથે ગમે તેટલો સારો સમ્બન્ધ હોય, ગમે તેટલો જુનો સમ્બન્ધ હોય તો પણ ગ્રાહક તરીકે આપણે અલર્ટ રહેવું જોઈએ.
ધનવાન હોવાનો ડોળ કરનારા :
કેટલાક લોકોને પોતે ખુબ ધનવાન કે શ્રીમન્ત હોવાનો ડોળ કરવાનું વ્યસન હોય છે. તેઓ પોતાને જરુર હોય કે ન હોય છતાં વારંવાર ખરીદી કરતા રહે છે. એક ચીજની જરુર હોય તો ત્રણ ચીજો ખરીદી લે છે. લેટેસ્ટ ટેક્નોલૉજીવાળી ચીજો સતત વસાવતા રહે છે. આડોશ–પાડોશમાં અને મીત્રો–સ્વજનોમાં વટ પાડવા માટે બજારમાંથી નવી–નવી ચીજો ખરીદી લાવે છે. વળી, પોતે ધનવાન છે એવું બતાવવું હોય એટલે વસ્તુનો ભાવતાલ તો કરે જ નહીં, સીધો ઑર્ડર જ આપી દે! એમાં પાછા કેટલાક લોકો તો એવા ડફોળ હોય છે કે તેમને માત્ર મોંઘી ચીજો જ ખરીદવાનું ગમે છે. સસ્તું હોય એ હમ્મેશાં ખરાબ જ હોય એવી ગેરસમજ તેમના દીમાગમાં ચોંટી ગયેલી હોય છે. નાની દુકાને કે ફુટપાથ પર બેઠેલો ફેરીયો જે વસ્તુ પાંચસો રુપીયામાં વેચતો હોય એ જ ચીજ મોટા શો રુમમાં ત્રણ–ચાર ગણી કીમ્મતે વેચાતી હોય છે. મોટા–ભવ્ય શો રુમમાંથી ખરીદી કરવી એ કેટલાક લોકો માટે સ્ટેટસ સીમ્બોલ બની ગયું હોય છે. હાઈ–ફાઈ લાઈફ–સ્ટાઈલનો ડોળ કરવા માટે આ રીતે છેતરાયા કરવાનો પણ એક નશો હોય છે. ગાડી અને ડ્રાઈવર સાથે ખરીદી કરવા નીકળેલી અહંકારી સ્ત્રીઓ અને નબીરાઓને વાજબી કીમ્મતે વસ્તુ ખરીદવાનું ભાગ્યે જ આવડતું હોય છે.
સમયના અભાવવાળા કે રઘવાયા લોકો :
કેટલાક લોકો એટલા બધા બીઝી રહેતા હોય છે કે તેમને ખરીદી કરવા માટે પુરતી ફુરસદ પણ નથી હોતી. પોતાને જોઈતી ચીજ ફટાફટ ખરીદી લેતા હોય છે. એ જ રીતે ઘણા અણઘડ લોકો અગાઉથી કશું પ્લાનીંગ કરી શકતા નથી અને હમ્મેશાં છેલ્લી ઘડીએ ઈમર્જન્સીમાં જ ખરીદવા નીકળે છે. ફુરસદના સમયે અને અગાઉથી પ્લાનીંગ કરીને ખરીદી કરવા જઈએ તો આપણને રઘવાટ–ઉચાટ ન હોય. યોગ્ય વસ્તુ, યોગ્ય કીમ્મતે ન મળતી હોય તો થોડી રાહ જોઈ શકાય એટલી નીરાંત હોવી જરુરી છે. મેડીસીન ખરીદવાની હોય, કપડાં ખરીદવાનાં હોય, જુતાં ખરીદવાનાં હોય, પ્રવાસ માટે જરુરી સામગ્રી ખરીદવાની હોય, લગ્ન કે અન્ય કોઈ ખાસ પ્રસંગની ખરીદી કરવાની હોય ત્યારે પ્રી–પ્લાનીંગ ખુબ લાભદાયક બની રહે છે. ક્યારેક અનીવાર્ય સંજોગોમાં ઈમર્જન્સીમાં ખરીદી કરવી પડે એ જુદી વાત છે; પરન્તુ દરેક વખતે એવી ઈમર્જન્સી ઉભી થતી હોય તો જાણવું કે આપણે અણઘડ છીએ.
અન્ધશ્રદ્ધામાં અટવાયેલા લોકો :
તમે જોયું હશે કે કેટલાક લોકો ડગલે ને પગલે જ્યોતીષીઓ પાસે, વાસ્તુશાસ્ત્રીઓ પાસે, તાન્ત્રીકો પાસે અને વીધીવીધાન કરનારા લોકો પાસે દોડી જતા હોય છે. આવા વહેમીલા લોકોને સત્ય દેખાતું કે સમજાતું હોતું નથી. પોતે સુખી હોય તોય પોતાને દુ:ખી માનતા હોય છે. આવા ડોબાઓને ઠગશાસ્ત્રીઓ પુરતા પ્રમાણમાં મળી જતા હોય છે. કશાય કારણ વગર ગળામાં, હાથે–પગે મન્ત્રેલા દોરા–ધાગા અને તાવીજો બાંધીને ફરનારા લોકોની સમ્પત્તી પેલા ધતીંગબાજો લુંટતા જ રહે છે. એક નડતરનો ઉપાય કરે અને નવા ત્રણ નડતર ઉભા કરે. નવી–નવી વીધીઓ કરાવવા કહે. ગ્રહો કોઈને નડતા નથી અને જગતમાં ભુવા–બાવા–તાન્ત્રીકોથી ચડીયાતા વળગાડ બીજા કોઈ નથી. આપણી બુદ્ધી અને આપણી સંસ્કૃતીનું શોષણ કરીને આપણને ગુમરાહ કરવા સીવાય એ લોકો કંઈ જ કરી શકતા નથી. શૉર્ટકટ શોધનારા કેટલાક લોકો મહેનત કરવાનું પસન્દ કરતા નથી. તેમને બધું ઈઝીલી અને તરત જોઈતું હોય છે. આ કારણે તેઓ છેતરાતા રહે છે. શૉર્ટકટથી ગ્લૅમરની દુનીયામાં છવાઈ જવું છે, શૉર્ટકટથી વીઝા મેળવીને વીદેશ જવું છે, શૉર્ટકટથી જૉબ મેળવવી છે, શૉર્ટકટથી પ્રમોશન કે વીશેષ સત્તા હાંસલ કરવી છે એટલે એ માટે હેતુપુર્વક, જાણીજોઈને આપણે છેતરાતા હોઈએ છીએ. ખોટાં રીસ્ક ઉઠાવીએ છીએ અને ક્યારેક કાનુની ફંદામાં ફસાઈ જઈએ છીએ. એવું થાય તો એ ફંદામાંથી બહાર નીકળવા માટે પણ બેસુમાર ખર્ચા કરવા પડે છે. જેઓ નીતીના માર્ગે ચાલીને લાયકાત જેટલું મેળવવા મથે છે એ લોકો ભલે શ્રીમન્ત નથી થતા, પણ કોઈથી છેતરાતાય નથી!
લાલચુ અને લોભીયા લોકો :
આ સંસારમાં સૌથી વધુ જો કોઈ છેતરાતા હોય તો એ લાલચુ અને લોભીયા લોકો જ છેતરાતા હોય છે. પોતાની પાસે જે સમ્પત્તી કે દાગીના છે તે ડબલ કરી નાખવા છે અથવા તો મફતમાં કંઈક મેળવી લેવું છે એટલે ઠગભગતોની વાતો માનવી પડે છે. મહીલાઓને ‘સેલ’ અને ‘ગીફ્ટ’ શબ્દો સૌથી વહાલા હોય છે. છાપામાં લાલચુ–લોભીયા લોકોને છેતરનારા લેભાગુઓના ન્યુઝ છાશવારે છપાતા હોય છે છતાં આવા લોકોની સંખ્યા ઘટતી નથી!
શૉર્ટકટ શોધનારા લોકો :
કેટલાક લોકો મહેનત કરવાનું પસન્દ કરતા નથી. તેમને બધું ઈઝીલી અને તરત જોઈતું હોય છે. આ કારણે તેઓ છેતરાતા રહે છે. શૉર્ટકટથી ગ્લૅમરની દુનીયામાં છવાઈ જવું છે, શૉર્ટકટથી વીઝા મેળવીને વીદેશ જવું છે, શૉર્ટકટથી જૉબ મેળવવી છે, શૉર્ટકટથી પ્રમોશન કે વીશેષ સત્તા હાંસલ કરવી છે એટલે એ માટે હેતુપુર્વક, જાણીજોઈને આપણે છેતરાતા હોઈએ છીએ. ખોટાં રીસ્ક ઉઠાવીએ છીએ અને ક્યારેક કાનુની ફન્દામાં ફસાઈ જઈએ છીએ. એવું થાય તો એ ફન્દામાંથી બહાર નીકળવા માટે પણ બેસુમાર ખર્ચા કરવા પડે છે. જેઓ નીતીના માર્ગે ચાલીને લાયકાત જેટલું મેળવવા મથે છે એ લોકો ભલે શ્રીમન્ત નથી થતા; પણ કોઈથી છેતરાતાય નથી!
–રોહીત શાહ
લેખક–સમ્પર્ક :
શ્રી. રોહીત શાહ, ‘એકાન્ત’, ડી–11, રમણકળા એપાર્ટમેન્ટ, સંઘવી સ્કુલના રેલવે ક્રૉસીંગ પાસે, નારણપુરા, અમદાવાદ – 380 013 ફોન : (079) 2747 3207 ઈ–મેઈલ : rohitshah.writer@gmail.com
મુમ્બઈના ‘મીડ–ડે’ દૈનીકમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘સોશ્યલ સાયન્સ’ (26 માર્ચ, 2014)માંથી.. લેખકશ્રીના અને ‘મીડ–ડે’ના સૌજન્યથી સાભાર…
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24–05–2019
‘જેઓ નીતીના માર્ગે ચાલીને લાયકાત જેટલું મેળવવા મથે છે એ લોકો ભલે શ્રીમન્ત નથી થતા; પણ કોઈથી છેતરાતાય નથી!’
રેશનલ વાત
LikeLiked by 1 person
ઘ.ઘૂ.પ.પૂ….શ્રી રોહીતાનંદજી મહારાજકી જય.
તમે જગજાહેર સાચી વાતોને શબ્દોમાં વણીને લોકો સુઘી પહોંચાડી છે.
છતાં સ્વભાવ અને વર્તણુકને બદલવાનું જરા અઘરી વાત બની જાય છે. જન્મો જન્મથી લોકો આ સચ્ચાઇઓને અવગણતા આવ્યા છે…બરબાદી કદાચ આંખ ખોલે તો ગંગા ન્હાયા…..
સરસ અેનાલીસીસ કર્યુ છે તમે….બાકી તો બઘુ
સ્મશાનવૈરાગ્ય.
જય ,શ્રી રોહીતાનંદજી મહારાજ ની….
સરસ.
અમૃત હઝારી.
LikeLiked by 1 person