તબીબો અને દર્દીઓ

આપણા માંદા સમાજના અકથીત રોગીઓ કોને વશ થઈ કેવા ઉપાય માટે ભગત, ભુવા, પીર, બાવા, સાધુ, મૌલવી કે પાદરી પાસે જાય છે? આવી વ્યક્તીઓના વીજ્ઞાપન અને વેચાણકળાનાં અસરકારક સાધનો કયાં અને તેની માંગ કેવી રીતે ઉભી થાય છે? ભગતના ‘અહમ્’ને ખુબ પોષનારા તત્ત્વો કોણ છે? આ સવાલોના જવાબ જાણવા માટે ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવી રહી..

3

તબીબો અને દર્દીઓ

        –પ્રા. સુર્યકાન્ત શાહ

(આ પુસ્તકનો બીજો લેખ https://govindmaru.com/2019/05/20/suryakant-shah-7/ ­­­­­­­ના અનુસન્ધાનમાં..)

વીકૃતીને એક અકથીત રોગ તરીકે એટલા માટે ઓળખવી પડે છે કે એમાં માણસની જે આકાંક્ષા હોય છે. માણસને જે સમસ્યા સતાવતી હોય છે તેના ખરા ઉપાય અને તે કરનારની માહીતી એની પાસે હોય છે; છતાં એ એક પ્રકારની માનસીક પરાધીનતા અથવા ગુલામીને વશ થઈ તે ખોટા ઉપાય માટે અને ખોટા ઉપાય કરનાર પાસે જાય છે. એનું મગજ વીશ્વવસનીય અને અવીશ્વવસનીયતાના ભેદ પામી શકતું નથી. એને વાજબીપણાની માહીતી હોય છે; છતાં જાણે પરવશ બની એ ગેરવાજબીને સ્વીકારે છે. એને અનુભવ થાય છે કે માંગેલું મળ્યું નથી; છતાં પોતાના ગેરવાજબી સ્વીકારને–અવીશ્વવસનીય પસન્દગીને એ છોડતો નથી. આવા આ રોગના તબીબો(?) એટલે જેના પર વાસ્તવમાં વીશ્વાસ મુકી શકાય જ નહીં તે (1) ભગત (2) ભુવા (3) પીર (4) બાવા (5) સાધુ (6) મૌલવી (7) પાદરી જેવી વ્યક્તીઓ તબીબની ભુમીકા ભજવે છે. સમાજનો ખુબ મોટો ભાગ આ રોગથી પીડાય છે. આથી, આ તબીબોની માંગ મોટા પ્રમાણમાં છે. હજુ થોડું ઘણું કાયદા–રાજ ચાલે છે, તેથી આ તબીબોનો મોટો ભાગ પોતાના ધંધાની મોટા પાયા પર જાહેરાત કરી શકતા નથી. અલબત્ત, પ્રચ્છન્ન રીતે તો થાય જ છે. અડધોઅડધ લોકો પોતાની દુકાનની બહાર પાટીયાં લગાડતાં નથી. ઘણા ભગત–પીર તો પોતાના નીવાસસ્થાનમાં જ ધંધો ચલાવે છે. એમનો વેશ, એમની વીશીષ્ટ બોલી, એમનાં ટીલાં, ટપકાં, દાઢી, લાંબા વાળ વગેરે એમનાં વીજ્ઞાપન અને વેચાણકળાનાં અસરકારક સાધનો બને છે. સમાજને એમની જરુર એટલી બધી છે કે એમના કથીત ચમત્કારો, એમની સચોટ(?) આગાહીઓ અને એમના કથીત લબ્ધીદાતા આશીર્વાદ અફવાની ઉડતી પાંખે સમાજમાં ફેલાયેલા હોય છે! એમના ધંધાને વીકસાવવા માટે જેમના કામ ભાગ્યે જ થયાં હોય છે એવા મુર્ખ રોગીઓ–ગ્રાહકોની કર્ણોપકર્ણ થતી વાતો કારણભુત હોય છે. સત્યશોધક સભા’ જેવી સંસ્થાઓ આ તબીબોનાં પોકળ બહાર પાડવા આગળ આવે છે, ત્યારે એના કાર્યકર્તાઓ માંડ ત્રીસ–પાત્રીસ મીનીટમાં એ તબીબો પાસે એમની પોકળતાનો સ્વીકાર કરાવી શકે છે. આ હકીકતો સુચવે છે કે આ તબીબોની વેચાણકળા, વીજ્ઞાપન કે કસબ એમને સમાજમાં ટકાવતા નથી; પરન્તુ સમાજના બહુસંખ્ય અકથીત રોગથી પીડાતા દર્દીઓ એમને ટકાવે છે. આ ભગત–ભુવા–પીરના મોટા ભાગના લોકો ધોરણ દશ સુધી પણ ભણેલા હોતા નથી. એમણે ભુતકાળમાં જે આર્થીક વ્યવસાય સ્વીકારેલ હોય તેમાં તેઓ નીષ્ફળ જતાં વાખાના માર્યા ભુવા–પીર બનતા હોય છે. જેવા તેઓ ભુવા–પીર બને છે કે તરત સમાજના અકથીત રોગના બહુસંખ્ય રોગીઓ એમને ખભે બેસાડી જાણે કે પાલખીમાં ફેરવે છે! આ આખીયે અવૈજ્ઞાનીક અને સમાજવીરોધી પ્રવૃત્તી માટે આવા તબીબો કરતાં દર્દીઓ વધારે જવાબદાર છે. કહેવત છે કે, ‘દુનીયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહીયે!’ એ જ પ્રમાણે આપણો સમાજ મુર્ખ બનવા માંગે છે, માંદો રહેવા માંગે છે તેથી એને આવા ભગત–ભુવા–પીર–બાવા–પાદરી–સાધુ–મૌલવી મળી જાય છે. સમાજ માંગે અને તેને મળે નહીં એવું તો બનતું નથી. માંગ–પુરવઠાના વાયુમંડળમાં કશે શુન્યાવકાશ રહેતો નથી.

દર્દીઓનું ચીત્ર

સુરત જેવા શહેરમાં આવા ભગત–પીરની સંખ્યા એક હજારથી ઓછી નહીં હોય. જે ભગતના ચોપડા મળ્યા છે તે 2001ની સાલના છે. કદાચ, એકાદ–બે ચોપડા ઓછા પણ મળ્યા હશે. જે ચાર ચોપડા મળ્યા છે તેમાં દર્દીઓનાં પુરા નામ, સરનામા, વ્યવસાય અને કેટલાકમાં તો એમના કુટુમ્બીજનો અને સગાસમ્બન્ધીઓનાં નામ–સરનામા પણ લખ્યાં છે. આ બધાની વીગતો વાંચતા સમજાય છે કે રુઢીચુસ્ત ગણાતો આપણો સમાજ આવા ક્ષમતાવીહોણા લોકો સમક્ષ પોતાનાં મન (અને તન પણ) સા‘વ ખુલ્લા કરી દે છે. આ ઉઘાડ એટલો બધો હોય છે કે તે માહીતી મેળવીને કોઈ પણ ભુવો–પીર દર્દીનું, અંગ્રેજીમાં જેને, બ્લેક–મેઈલીંગ કહે છે તે, કરી શકે. જે ચાર ચોપડા મળ્યા છે તેમાં 771 દર્દીઓની પુરી ઓળખ સાથેના ઉલ્લેખ છે. એમ ધારી લઈએ કે એક વર્ષમાં આ ભગતે આ ચાર ચોપડામાં  સમાવવામાં આવ્યો છે એટલો જ ધંધો કર્યો છે અને તે ધંધો રોજેરોજ કર્યો છે એટલે કે રવીવારની અને બેસતા વર્ષની પણ એણે રજા લીધી નથી તો રોજ એની દુકાને સરેરાશ નવા બે ગ્રાહકો દર્દી બનીને આવતા હતા. ચોપડા જોતાં દેખાય છે કે માતા બનવાની આકાંક્ષાવાળી મહીલાઓને તો એ એક મહીનાના આંતરે ‘કરવા’ માટે બોલાવતો હતો. બીજા ઘણા દર્દીઓને તે એકાધીકવાર બોલાવતો હતો. ચોપડા જોતાં પુન: મુલાકાત માટેની સરેરાશ ત્રણની મુકી શકાય એટલે કે, એની દુકાને સરેરાશ રોજના બે નવા અને ત્રણ જુના દર્દીઓ આવતા હતા. જો શહેરમાં આવા ભગત–પીર 1,500 આસપાસ હોય તો સુરતમાં રોજ નવા 3,000 માણસો આ અકથીત રોગના સ્વેચ્છાએ રોગી બની આવા અનાધીકૃત માણસો પાસે જાય છે. નીચેનો કોઠો તપાસતા દેખાય છે કે આવા દર્દીઓમાં 20 ટકા સુરત બહારના લોકો છે. રોજના નવા 3,000 માણસોની સરેરાશ વર્ષાંતે એક યા બીજા ભગત–પીર પાસે જાય છે! એમાંથી 20 ટકા બહારના બાદ કરીએ તો સુરતના લોકોના આંકડો આશરે આઠ લાખ એંસી હજારનો થાય. સુરતની સ્થાનીક વસતી જો સોળ લાખની(2001 પ્રમાણે) મુકવામાં આવે તો માત્ર એક વર્ષમાં એની અડધી વસતી ભુવા–ભગત–પીર–સાધુ–મૌલવી–પાદરી પાસે પોતાની સમસ્યાઓ લઈને જાય છે. આ આંકડો ચોંકાવનારો છે. તે આપણા માંદા સમાજની સાક્ષી પુરે છે.

કોઠો–1
સુરતના એક ભગતના દર્દીઓની માહીતી (ઈ.સ. 2001)

                      1          2
                     સ્ત્રી        465
                    પુરુષ        306
               કુલ સરવાળો           771

કોઠો–2
સુરતના એક ભગતના દર્દીઓની માહીતી (ઈ.સ. 2001)

                     1          2
            સુરત બહારના        121 *
                 સુરતના         650
              કુલ સરવાળો                         771 

* જેમાં નવ વીદેશના છે.

આ કોઠો સુચવે છે કે સુરત એક વ્યાપારી–ઔદ્યોગીક કેન્દ્ર હોવાથી બહારગામથી અનેક લોકોની અવરજવર રહે છે. આ અને આવા અન્ય ભગત–પીરની ખ્યાતી કર્ણોપકર્ણ બહારગામના લોકને પણ પહોંચતી હશે. એમાંના અકથીત રોગથી પીડાતા 121 દર્દીઓની વીગતો જોતાં એવું સમજાયું છે કે એમાંના મોટા ભાગના લોકો એમનાં કુટુમ્બોના સભ્યોની જાણકારી હેઠળ ભગતની સેવા લેતા હતા. અલબત્ત, પુત્ર ઝંખનાવાળી અને પ્રેમ પ્રકરણમાં સપડાયેલ દર્દીઓમાંના મોટા ભાગના દર્દીઓ ભગતની સેવા ખાનગી રાહે લેતા દેખાયા હતા. બહારગામના દર્દીઓ કદાચ મુલાકાત ગુપ્ત રાખવાના હેતુથી સુરતના ભગતની સેવા લેતા હોય એવું બન્યું હોય. આમ છતાં બહારગામના દર્દીઓનો વીસ ટકાનો આંકડો મોટો છે. જે ભગતના ચોપડાના આધારે આ માહીતી મળે છે તે પોતે મુળ બહારગામનો છે તેથી કદાચ એના જુના સમ્પર્કોને પરીણામે પણ એને ત્યાં બહારગામથી મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હશે. કોઠા–1માં દર્શાવ્યું છે તેમ કુલ 771 દર્દીઓમાંથી 465 મહીલા દર્દીઓ છે. સ્ત્રીઓના જીવનમાંની મુળભુત અનીશ્ચીતતાઓ, જેવી કે, તદ્દન નવા ઘરને (સસરાને) પોતીકું બનાવીને જીવવાનું, બાળકો પેદા કરવાનાં, પતીને આધીન જીવન જીવવાનું અને તેમાંની કેટલીકના માથે દુ:ખસભર વૈધવ્ય ઠોકી બેસાડાય તે આજીવન જીરવવાનું, એમને સતત સતાવતી હોય છે. ઉપરાંત કુટુમ્બ પરની આર્થીક સમસ્યાનો ભોગ પહેલા એ બનતી હોય છે. સરેરાશ શીક્ષણ ઓછું હોય છે. પરમ્પરાગત મળતાં સંસ્કારને પરીણામે એનો અભીગમ અવૈજ્ઞાનીક–ઈર્રેશનલ હોય છે. આ બધાનું કુલ પરીણામ એ આવે છે કે તે આ અકથીત રોગની સહેલાઈથી અને વધારે પ્રસંગોએ ભોગ બને છે. આ ભગતના કુલ દર્દીઓના ચાલીસ ટકા પુરુષ દર્દી હોવાથી સ્પષ્ટ થાય છે કે વૈજ્ઞાનીક અભીગમ કેળવવામાં અને માનસીક તન્દુરસ્તી જાળવવામાં પુરુષો પણ ઉણા તો ઉતર્યા જ છે. સુરત બહારના દર્દીઓમાં વીદેશના નવ દર્દીઓનો સમાવેશ થતો હતો. આ નવમાંથી પાંચ મહીલા હતી. વીદેશમાં વસનારાઓ ભારતીય સમાજનાં બધા જ લક્ષણો સાથે લઈને વીદેશ જાય છે. આથી આવા બીનનીવાસી ભારતીયો પણ આવા ભગત પાસે આવે તે સ્વાભાવીક છે. આમ છતાં, પાંચ–સાત ધોરણ ભણેલી અને જેને માટે કોઈ પણ પ્રકારનું દુ:ખ દુર કરવું અશક્ય છે એવી વ્યક્તી પાસે એક વર્ષમાં નવ વીદેશવાસી ભારતીય જાય તો એ હકીકત જ ભગતના ‘અહમ્’ને ખુબ પોષે એ સમજી શકાય તેવું છે.

ભગત પાસે આવેલા નવેક બીનનીવાસી ભારતીય રોગીઓ પૈકી એકાદ માટે ભગતે મારેલો તુક્કો જો સાચો પડી જાય તો એ ડૉલરીયા બીનનીવાસી ભારતીય એના પર જરુર કૃપા વરસાવશે. એવા દાખલા નોંધાયા છે કે એમાંના કેટલાકે આવા ભગતોને એમના દેશમાં બોલાવી દીધા છે. એની સાથે ભાગીદારી કરીને બીનનીવાસી ભારતીય વીદેશના એના જેવા ભારતીયોને ગ્રાહક બનાવી ખુબ કમાયા છે. વર્ષ બે વર્ષમાં આવા ભગત વૈશ્વીક ભગત–ભુવા–સન્ત બની ગયા છે. સન્તવીદ્યાનું પણ વૈશ્વીકીકરણ થઈ રહ્યું છે! સાથે જ અવૈજ્ઞાનીકતાનો ફુગ્ગો પલકારામાં આકાશ સાથે દોસ્તી કરવા માંડે છે. જ્યારે વૈજ્ઞાનીકતા એક એક પગથીયું ચઢતા હાંકી જાય છે. આ ભગત ભલે જાતે આક્રમક એવું બજાર ક્રીયા અજમાવતા નહીં હોય; છતાં પચ્ચીસેક દર્દીઓ એવા હતા કે જેમને ભગતના એજન્ટોએ મોકલેલા. આ એજન્ટો મહદંશે ભગતના સગા, સમ્બન્ધી અથવા અકસ્માતે જેમનું કામ થઈ ગયું હોય તેવા દર્દી હતા. મોટા ભાગના દર્દીઓ હીન્દુઓ હતા. 771માં માંડ 71 દર્દીઓ મુસલમાન હતા. પાંચેક ક્રીશ્ચીયન હતા. વીસેક જૈનો હતા. આ આંકડાનો અર્થ એવો નથી થતો કે હીન્દુઓ સીવાયની કોમના લોકો વૈજ્ઞાનીક દૃષ્ટીવાળા છે. ભગત–ભુવા–પીરની પસન્દગી પણ કોમના આધારે થાય છે. હીન્દુઓ ભગત–ભુવા પાસે જાય છે. મુસલમાનો એમના પીર પાસે જાય છે. અન્ય કોમના પણ એવા જ એમના ધર્મના અવૈજ્ઞાનીકતા વધારતા માર્ગદર્શકો છે જ. મોટા ભાગના દર્દીઓએ માધ્યમીક કક્ષાનું શીક્ષણ લીધેલું હતું. જ્યારે અલ્પસંખ્ય સ્નાતકો હતા. અડધા જેટલા દર્દીઓ ઉપલા મધ્યમ વર્ગના અને શ્રીમન્ત વર્ગના હતા. ગરીબો માટે આવા મોંધા ભગત પાસે જવું એ એમની શક્તી બહારની વાત છે. ગરીબોની વસતીમાં ખુબ ઓછી રકમ લઈને અવૈજ્ઞાનીક એવું માર્ગદર્શન આપતા ભુવા–ભગત હોય છે. આથી આ અવૈજ્ઞાનીકતાના ધંધામાં પણ આર્થીક સ્તર એટલે કે શ્રીમન્તાઈ ને ગરીબાઈ કામ કરે છે. શ્રીમન્ત અને ઉપલા મધ્યમ વર્ગના દર્દીઓ માટે ઉંચી ફી લઈને અવૈજ્ઞાનીકતા વધારતા સાધુ–મૌલવી હોય છે.

આથી આ ભગત પાસે અન્ય કોઈ ધર્મના અને અન્ય સ્તરવાળા નહીં આવતા હોય તેનો અર્થ થતો નથી કે તેઓ વૈજ્ઞાનીક અભીગમવાળા હોય છે. એમના ધર્મ અને વર્ગ પ્રમાણેના જે ભગત–પીર હોય છે. તેમની પાસે એમનો અકથીત રોગ લઈને જતા હોય છે. આમ આ અકથીત રોગની સાથે આપણા પુરાણા રોગ સામ્પ્રદાયીકતા અને વર્ગભેદ; પણ લાગુ પડેલા છે. અલબત્ત, દરેક ભગત–પીરના દર્દીઓમાં થોડા અપવાદો મળતા હોય છે.

પ્રા. સુર્યકાન્ત શાહ

લેખક પ્રા. સુર્યકાન્ત શાહનું પુસ્તક આપણો માંદો સમા (પ્રકાશક : સત્યશોધક સભા, C/o શ્રી શં.ફ. અગ્રવાલ ટ્રસ્ટ, 8/1308, રંગીલદાસ મહેતાની શેરી,  ગોપીપુરા, સુરત  395 001 પાનાં : 66, મુલ્ય : રુપીયા 30/–)માંનો આ ત્રીજો લેખ, પુસ્તકનાં પાન 15થી 19 ઉપરથી, લેખકશ્રી અને પ્રકાશકશ્રીના સૌજન્યથી સાભાર..

લેખકસમ્પર્ક : પ્રા. સુર્યકાન્ત શાહ, 17, ગાયત્રી ગંગા નગર, મકનજી પાર્ક પાસે, અડાજણ, સુરત–395009 સેલફોન : 98793 65173 ઈ.મેઈલ : suryasshah@yahoo.co.in

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, ઈ.મેઈલ : govindmaru@yahoo.co.in

પોસ્ટ કર્યા તારીખ : 10–06–2019

7 Comments

  1. ” હોસ્પિટલ ના દાકતરો એ દર્દી માટે આશા છોડી દીધેલ હતી. મેં વઝીફા પઢેલ (મંત્ર ઉચ્ચાર કરેલ), અને દર્દી ઉભો થઈ ગયો. ”

    આ પાખંડી મુલ્લા ના શબ્દો સુરત કે કરાચી જેવા શહેરમાં નથી કહેલ, પરંતુ અમેરિકા – એક પ્રગતિશીલ દેશ ના એક પાખંડી મુલ્લા ના છે. આવા તો કેટલાય પાખંડીઓ ઉત્તર અમેરિકા માં વસી રહ્યા છે, અને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે. ઉપરોકત પાખંડી મુલ્લા પૈસા આપીં ને અમેરિકા ના ઉર્દુ ના અખબારો માં રૂહાની (આધ્યાત્મિક) ઈલાજ ના નામ હેઠળ પોતાની કોલમ લખતો હતો, અને પોતાના ગ્રાહકો પાસે થી ડોલર પડાવતો હતો. મેં ઉર્દુ ના અખબારો માં લખી ને તેની પોલ ખોલેલ, અને આખરે તેને પોતાની કોલમ બંધ કરવી પડી, કારણ કે તેને ગ્રાહકો મળવા બંધ થઈ ગયા.

    આવા પાખંડી મુલ્લાઓ, સાધુઓ, બાવાઓ, ગુરુઓ, પંડિતો વગેરે હજી પણ ઉત્તર અમેરિકા તથા યુરોપ માં અસ્તિત્વ ધરાવે છે, અને તેમનો ધંધો અન્ધશ્રદ્ધાળુઓ ના અસ્તિત્વ થકી ચાલી રહ્યો છે.

    Liked by 1 person

  2. Thought provoking article, thank you Suryakantbhai and Govindbhai.
    So much ignorance in our societies even in this day and age.
    Perhaps it will take decades for people to learn the tricks splayed bu all these fake Gurus, Bhuvas etc even some professionals follow them. Why?
    I guess many people are gullible and don’t know how to ask for help. And then there’s this bandwagon of ‘keeping up with Johnes’s’ so they focus on material things in life.
    I am out of this!

    Have a wonderful day.
    Regards,
    Urmila

    Liked by 1 person

  3. *🙏🏻પ્રાઇવેટ હોસ્પિટલની ચીટીંગ થી બચો:*

    કોર્પોરેટ હોસ્પિટલો તેમના ડોક્ટર ને દર મહિને 1,50000/-નો પગાર આપી રહ્યા છે..🤔

    નોકરીમાં ચાલુ રહેવા માટે તેમને monthly ટાર્ગેટ આપવામાં આવે છે.

    દરરોજ સર્જરી માટે 03 અને પરીક્ષણ અને સ્કેનિંગ માટે 25 દર્દીઓ આપવાના રહે છે.ચેરિટી યાને કે ધર્માદા હોસ્પિટલમાં આ રીતે ટાર્ગેટ આપવામાં નથી આવતા..

    ઘણી હોસ્પિટલોમાં અનિચ્છનીય શસ્ત્રક્રિયાઓ અને જોખમી ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. કોર્પોરેટ હોસ્પિટલો ને દબડાવવા ની જરૂર છે.

    *🙏🏻તમારા મેડિકલ ઇન્સ્યુરન્સ નુ કાર્ડ હોસ્પિટલને બતાવશો નહીં.* અને હોસ્પિટલમાં એમ બોલશો નહીં કે મહેરબાની કરીને મને બચાવો ડોક્ટર ખર્ચની કોઈ ચિંતા નથી..

    તમને હોસ્પિટલમાં સર્જરી કે અન્ય સારવાર લેવા માટેનું દબાણ કરવામાં આવે તો તેમાં તમારે ફસાવુ નહીં.જો તેઓ સર્જરી અને તબીબી પ્રક્રિયા ની સલાહ આપે તો થોડો સમય લો અને ફોન કરો અથવા તમારા રિપોર્ટ નીચે આપેલી સાઈટ ઉપર મોકલો..

    70266 46022 or send Medical Medical Medicine @ or Medicines.visits to Medisensehealth.com *

    *તેઓ તમારા રિપોર્ટ જોઈ ને બે નિષ્ણાત ડોક્ટરો ની પેનલ દ્વારા સાચી સલાહ આપશે.* દર્દીઓ માટે આ મફત સેવા છે.

    દર્દીઓ માટે આ મફત સેવા ભારતના 21 શહેરોમાં ઉપલબ્ધ છે જેમાં પૂણે મુંબઈ બેંગલોર મેંગલોર ચેન્નઈ ઉડુપી હૈદરાબાદ વગેરે..

    *☝🏻તમે જેની કાળજી લો છો તે તમામને કૃપા કરીને આ બાબત ની જાણ કરો..*

    આપણે રેશનાલિસ્ટો ઉપર ની બાબત ઉપર ક્યારે આંખો ખોલીશું અને આવાં લેભાગુ ડોક્ટરો અને હોસ્પિટલોને ખુલ્લાં પાડીશું.

    Liked by 2 people

  4. અભ્યાસપૂર્ણ સ રસ લેખ પરંતુ તેમા એક તરફી વાત કોઇ પણ જાતની અપેક્ષા વગરકોક વાર તો ઘરના ગોપીચંદન કરી સેવા કરતા ભગત-પીરને અન્યાય કર્તા છે.રેશનાલીસ્ટ આ રીતે તટસ્થવ્હાવે વિચાર કરે તો કેટલા રોગોમા નિષ્ણાત તબીબો કરતા પણ સારા પરીણામ અમે ભગત-પીર સારવારમા જોયા છે.હંમણા તો અમારા કવિ ઓ યાદ આવે છે
    બેખુદી બેસબબ નહીં ગાલિબ,
    કુછ તો હૈ જિસકી પર્દાદારી હૈ.’
    આવી બેખુદી કારણ વિનાની નથી હોતી. કંઇક તો એવો રાઝ ભગત-પીરમા છે જ !
    ભગત-પીર આહભી ભરતે હૈ તો હો જાતે હૈ બદનામ
    તબીબ કત્લ કરે તો ચર્ચા નહીં
    હજાર દર્દની એક જ દવા છે અવગણના,
    જખમ રૂઝાય રહ્યા છે ને સારવાર નથી.
    ઉન્માદ! આ તે કેવું દરદ બેઉને ગ્રસે !
    કે જ્યાં પરસ્પરે જ ચિકિત્સાલયો વસે !
    આંખ સામે આંખડી મંડાય જો સદભાવમાં,
    રૂઝ આવી જાય આ દુનિયા સરીખા ઘાવમાં
    એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે,
    હર ઝખ્મને નજરથી ટાંકા ભરી જવાના.
    જે પીતાં વર્ષો વીતે પણ મટે ના રોગ રોગીનો ,
    તબીબો પણ ખરા છે એવી વસ્તુને દવા કે’ છે.
    તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
    હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.
    તબીબ છું હું તો પોતે, શું દર્દ હોય મને?
    શું કહેવું લોકને મારે? ગઝલ લખું છું હું.
    બનવું હોય તબીબ ને મરીજ બની જાઉં તો કાંઈ નહીં
    સિમ્પ્ટમ્સ એ દર્દનાં “દિલ” આપમેળે કળી જશે.
    લાખ પ્રયત્ન કરો સાચા ભગતપીર ને મીટાવી નહીં શકો !

    Liked by 2 people

  5. પ્રા.સુર્યકાંત શાહે અેક રીસર્ચ પેપર બહાર પાડયુ હોય તેવું લાગ્યુ.
    ઘણા આવા લેખો અગાઉ છપાઇ ગયા છે…ફોર્મેટ જુદુ હોય. લોકો જવાબદાર છે નહિ કે ભગત, ભૂઆ, પાદરી, વિ…વિ….તે વાત જ સાચી છે.
    આવા પ્રશ્નોના નિરાકરણની વાતો પણ આપણે ઘણા લેખોમાં પોત પોતાના વિચારોના રુપમાં આપી જ છે. દા.ત. શાળાઓમાં સુરત સત્ય શોઘ સંસ્થાના કાર્યોને સમજાવતા ક્લાસ શરુ કરવા જોઇઅે. સરકારે આ કાર્ય હાથ પર લેવું જોઇઅે. વિ…વિ….
    પ્રશ્નો તો આપણે સહુ જાણીઅે છીઅે. તેને નિર્મૂળ કરવાના ઉપાયો અમલમાં મૂકવાનું કર્મ હાથ ઉપર લેવાની જરુરત છે. બાળક વયેથી જો સમજાવાય તો જરુરથી અંઘશ્રઘ્ઘાને ઓછી કરવામાં સફળતા મળે.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a comment