શું ચઢીયાતું ?
વીજ્ઞાન કે અન્ધશ્રદ્ધા ?
–અરવીંદ કે. પટેલ
ચઢીયાતું એટલે શું…..? સાદી ભાષામાં કહેવું હોય તો ……થી આગળ. ગુણ લક્ષણમાં એકબીજાથી વધુ… પછી એ વ્યક્તી– વ્યક્તી હોય, માનવ હોય કે દાનવ હોય, સજીવ હોય કે નીર્જીવ હોય, વીજ્ઞાન હોય કે અન્ધશ્રદ્ધા હોય. તે દરેક વ્યક્તીમાં ટકાવારી અલગ–અલગ હોય છે; પણ મારા મત અનુસાર વીજ્ઞાન જ સૌથી વધુ ચઢીયાતું છે.
1. પ્રસ્તાવના : વીજ્ઞાન = વી + જ્ઞાન.
વીશીષ્ટ જ્ઞાન, વસ્તુ અથવા વીષયનું માત્ર ઉપર છેલ્લું નહીં; પરન્તુ વીશીષ્ટ રીતે મેળવેલું જ્ઞાન તે વીજ્ઞાન. વીજ્ઞાનથી થયેલી પ્રગતી જોતા એમ લાગે છે કે વીજ્ઞાન એ અન્ધશ્રદ્ધા કરતાં 100ગણી (100%) ચઢીયાતી છે. વીજ્ઞાનના બે ભાગ Pure Science and Applied Science. શુદ્ધ વીજ્ઞાન અને ટેકનોલૉજી. પ્રકૃતીના નીયમો શોધવાનું કાર્ય શુદ્ધ વીજ્ઞાન કરે છે. દા.ત.; ફળ ઝાડ પરથી નીચે પડ્યું શા માટે? ગુરુત્વાકર્ષણ બળના કારણે… કોરોના વાઈરસ શાથી ફેલાયો? ક્યાંથી આવ્યો? કયા લક્ષણો જવાબદાર છે? તેના ઉપાય શું? એ રોગાણું સામે લડતું પ્રોટીન કયું? જો સાજી થયેલી વ્યક્તીના લોહી કે પ્લાઝમાને લઈને કોરોના પીડીતને ચઢાવવામાં આવે તો દર્દી સાજો થઈ શકે છે વગેરે… ટેકનોલૉજીએ આ નીયમોનો ઉપયોગ કરીને સામાન્ય જીવનની સુખ સગવડમાં કેવી રીતે વધારો કરવો તે શોધે છે.
2. વીજ્ઞાનથી ભૌતીક જીવનમાં પ્રગતી : પ્ર + ગતી = પ્રકૃષ્ટ ગતી = શ્રેષ્ઠ તરફની ગતી. સુખ.
● સગવડનાસાધનો વધ્યા છે. ફ્રીઝ, એ.સી. વગેરે.. – ભૌગોલીક અંતર ઘટ્યા છે. તેથી સાંસ્કૃતીક આદાન–પ્રદાન, વેપાર, વીનીમય વધ્યા. કુદરતી પ્રકોપ, વાવાઝોડા, પુર ધરતીકંપ વગેરે પ્રતીકારની ક્ષમતા વધી, ખેતી જે પહેલાં ફક્ત વરસાદ પર આધારીત હતો. તેના બદલે હવે સીંચાઈના સાધનો વગેરે વધતાં તેના પરની dependency ઘટી. મોટા યન્ત્રોથી ઉત્પાદનની વીપુલતા તેમ જ ચોકસાઈ વધ્યા છે.
● ઈન્ટરનેટ, ટી.વી, મોબાઈલ, ફેસબુક, વોટ્સઅપ વગેરેના ઉપયોગથી વીશ્વભરની માહીતીઓ વ્યક્તીના દીવાનખંડમાં આવી ગઈ છે.
● 20દીવસમાં રશીયામાં સૌથી મોટી કોરોના હોસ્પીટલ ઉભી કરી. માસ્કથી કાન દુખ્યા તો કેનેડા 12 વર્ષના કુઈને ૩ડી પ્રીન્ટરથી બનાવ્યો ઈયરગાર્ડ .
● કોરોના સામેની લડાઈમાં જરુરી એવા એન–95 માસ્ક, PPE કીટ તથા એક જ વેન્ટીલેટર પર છ દર્દીઓને સારવાર આપી શકે એવાં સ્પલીટ વાલ્વ ૩ ડી ટેક્નોલૉજીથી બનાવવું શક્ય બન્યું છે.
● કોરોનાની સંજીવની :હાઈડ્રોકસી ક્લોરોક્વીન, ઈજીથ્રોમાઈસીન ફ્રાંસ, ચીન, ભારત સહીતના દેશોમાં અક્સીર સાબીત થઈ.
૩. વીજ્ઞાનથી માનસીક/બૌદ્ધીક સ્તર પર પ્રગતી :
● બુદ્ધીનું મહત્ત્વ વધ્યું હોવાથી લોકો બુદ્ધીના વીકાસ માટે પ્રયત્નશીલ બન્યા છે.
● શીક્ષણનું વૈવીધ્ય વધ્યું છે. ઓનલાઈન, બાઈસેગ, વીડીયો કોન્ફરન્સ, યુટ્યુબ, બ્લૉગ, ઈન્સ્ટોલેશન, ઈ.બુકથી શીક્ષણમાં ક્રાંતી આવી છે.
● માહીતી ભેગી કરવા માટે હવે કોમ્પ્યુટર છે. બધાજ શ્રમયુક્ત કામો પણ યન્ત્રથી થાય છે. તેથી માણસને ભાગે હવે બુદ્ધીયુક્ત કામો જ રહે છે. તેથી બુદ્ધીતત્ત્વ વીકસતું જાય છે.
4. વીજ્ઞાનથી ધાર્મીક સ્તરે પ્રગતી :
● ધર્મનાં રહેલા વહેમો, અન્ધશ્રદ્ધાખોટી માન્યતાઓ વગેરેની સાચી સમજણ આવી છે.
● વીજ્ઞાનના વીકાસથી આજકાલ ગુણવત્તા, પુર્ણતા, ચોકસાઈનો આગ્રહ વધ્યો છે. બાહ્યસ્તરથી આ આગ્રહ આંતરીક સ્તર સુધી લઈ જવામાં આવે તો વીકાસનો માર્ગ થઈ શકે છે.
આમ, વીજ્ઞાન થકી જ વીકાસ શક્ય છે તેથી દ્રઢપણે કહી શકાય કે અન્ધશ્રદ્ધા કરતાં તે ચોક્કસ ચઢીયાતો છે.
5. ઉતરતી અન્ધશ્રદ્ધા :
દુનીયામાં અન્ધશ્રદ્ધા પાછળ માત્ર ઓછું ભણેલો વર્ગ જ નથી. રાજકારણથી માંડીને ઉધોગપતીઓ, શીક્ષકથી માંડીને સેનાપતી, સડકથી માંડીને સોસાયટી… સુધી ક્યાંક ને ક્યાંક આ ચક્કરમાં ફસાયેલા છે. કોરોનાનો અણધાર્યો હુમલો, મહામારીના ઓથાર નીચે સમગ્ર વીશ્વ દટાયેલું છે ત્યારે છેલ્લા 34 દીવસના લોકડાઉનના ગાળામાં એક પણ ચમત્કાર કોઈ સન્ત, મહન્ત, ગુરુ, મૌલવી, પાદરી, ભુવા કે મેલીવીદ્યાના જાણકાર દ્વારા થયો હોય એવું મેં સાંભળ્યું નથી. બારમે શુક્ર, ત્રીજે શની ગુરુ વકી, ગ્રહોની દશા, શનીની સાડા સાતની પનોતી, મંગળની અમંગળતા.. એક સાથે આખા દેશ પર ખરાબ ચાલે છે..? કોઈ ડૉક્ટર, જયારે કોરોનાની કે હૃદયરોગની સારવાર કરતાં હોય ત્યારે કોઈ જ્યોતીષી વીરોધ કરવા જાય છે? કે આ તો રાહુની દશાને લીધે બીમાર છે. તેને બુધવાર કરાવો, ઈન્જેકશનની જરુર નથી. અરે! નીર્મલબાબાએ તો હદ કરી.. દુનીયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહીયે… પહેલાંના યુગમાં લોકો વઘુ અન્ધશ્રદ્ધાળુ હતા તથા અત્યારે ભણતરનું વઘતું જતું પ્રમાણ માણસને તેમાંથી મુક્ત કરી રહ્યું હોય તેવું પ્રથમ દૃષ્ટીએ જોવા જાણવા અને માણવા મળે છે; પરન્તુ આ શું? જેમ ટેકનોલૉજીનો વીકાસ થતો જાય છે તેમ અન્ધશ્રદ્ધાના પ્રવર્તકો તેનો દુરુપયોગ કરીને આપણને અન્ધશ્રદ્ધાની ઉંડી ખીણ કે જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ જ નહીં; પરન્તુ અશક્ય છે, તે તેરફ ખેંચાણ ઉત્પન્ન કરી રહ્યાં છે. અને આપણે તેની પોચી ચીકણી માટીમાં ઘસડાતા જઈએ છીએ.
આજે ચાર રસ્તાની ચોકડી પર ઉતાર કરી મુકેલ લાલ ઘાગાથી વીંટેલ નાળીયેર કે ખીલી મારેલું લીંબુ અને તેને ફરતે પાણીથી કરેલ સર્કલ જોઈ ભણેલોગણેલો અને અન્ધશ્રદ્ધામાં નહીં માનનારો માનવ પણ તે સર્કલથી બહાર ચાલે છે. બીજી બાજુ હાથની આંગળીયોમાં ગ્રહોના નંગ પહેરનારા અત્યારે ઠેર ઠેર જોવા મળશે. કદાચ એ પણ સાચું હશે; પરન્તું દસમાંથી આઠ આંગળીમાં નંગ પહેરનારને તમે શું કહેશો, શ્રદ્ધાળુ કે અન્ધશ્રદ્ધાળુ? દુનીયા વીજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રમાં પાંખો ફેલાવતી ક્યાંય ઉડી રહી છે. આપણે અન્ધશ્રદ્ધા રુપી પરમ્પરાઓનો પાલવ જ પકડી રાખીશું તો પાછળ રહી જઈશું.
આજે માનવીને ડરાવવા માટે હાથની ચાલાકી અને ટેકનોલૉજીનો દુરઉપયોગ કરવામાં આવે છે. એક ગુરુના બે શીષ્યો એક મહાન જાદુગર તરીકે અને બીજો ભગવાન તરીકે પુજાય છે. આવા કેટલાય બનાવટી ચમત્કારીઓએ આપણને તેના કહેવાતાં ચમત્કારોમાં ગુંચવી રાખ્યાં છે. ભગવાન સાથેની આપણી અનન્ય શ્રદ્ધા અનન્ત કાળથી ચાલી આવી છે. જો આપણને તેનામાં શ્રદ્ધા હોય તો પછી આ બઘા ધુતારા પાછળ દોટ લગાડવાથી શું ફાયદો? ઘણાં એવું માને છે કે ભગવાન નથી પણ તે વીજ્ઞાન છે. મતલબ તો એક જ છે કે આ ગ્રહોની ગતી, સજીવ સૃષ્ટી વગેરેને ચલાવતી કોઈક શક્તી તો જરુર છે અને જેને ઘણા કુદરત માને છે અને ઘણા વીજ્ઞાન. અંતમાં માત્ર આટલું જ કહીશ :
‘વીજ્ઞાન તણી શ્રદ્ધાનો દીપક સદા પ્રજ્વલીત રહે આપણા અંતરમાં અન્ધશ્રદ્ધાનો ક્ષણીક વીચાર કદી ના આવે જીવનમાં.’
વીજ્ઞાન અને અન્ધશ્રધ્ધમાં કોણ ચઢીયાતું છે તે શ્રી. ખીમજીભાઈ કચ્છીની રચના ‘ધર્મ અને વીજ્ઞાન’ સ્પષ્ટ કરે છે :
‘ધર્મ અને વીજ્ઞાન’
અન્ધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યન્ત્રો શોધી, ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયન્ત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યન્ત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મન્દીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
♦ખીમજીભાઈ કચ્છી♦
એ–38, જલારામ સોસાયટી
વેડ રોડ, સુરત – 395 004
સેલફોન : 98251 34692
–અરવીંદ કે. પટેલ
લેખક–સમ્પર્ક :
‘બેસ્ટ સેકન્ડરી શીક્ષક એવોર્ડ’ અને ‘શ્રેષ્ઠ શીક્ષક એવોર્ડ’થી સન્માનીત એવા નવોદીત લેખક શ્રી. અરવીંદ કે. પટેલ ગામ : ડેભારી. તાલુકો : વીરપુર. જીલ્લો : મહીસાગર. પીનકોડ : 388 260 ફોન : +91 94298 41401 ઈ–મેઈલ : patelarvind101@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લૉગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
સાહેબ ખુબજ સરસ રીતે વિજ્ઞાન અને ધર્મ ક્ષેત્રે રહેલી અંધ શ્રદ્ધા નું આંકલન કર્યું.
સાહેબ હું જ્યારથી “અભિવ્યક્તિ” ના પોર્ટલ સાથે જોડાયો છું હું અહી પર મા મોટા ભાગના લેખો, આર્ટિકલ્સ વાંચું છું.જ્ઞાન થકી લેખો વાંચવા મારો ખાસ શોખ છે.હું પણ Rational વિચારો ધરાવું છું.મને અહીંયા ખુબજ જ્ઞાન, વિજ્ઞાન સભર લેખો વાંચવા ગમે છે.પરંતુ મને એક સવાલ થાય છે કે આટલી બધી ટેકનોલજીના સમય મા પણ ભણેલ ગણેલ વ્યક્તિ પણ અંધ શ્રદ્ધા મા રહેલો હોય છે.તમને ખ્યાલ હશે કે હમણાં થોડા સમય પહેલા આપડા ભારત દેશે એક ફાઇટર પ્લેન ખરીદ્યું હતું પરંતુ તે પ્લેન ને લીંબુ મરચા બાંધી ને આપડે તેને અંધ શ્રદ્ધા મા બાંધી દીધું.
આ લીંબુ મરચા બાંધવા વાળા આપડા નેતા જ હતા.જો લીંબુ મરચા થી સુરક્ષા થઈ શકતી હોય તો પ્લેન ખરીદવા પાછળ આટલો ખર્ચ કરવો વાજબી નથી.
બીજું એક ઉદાહરણ આપું કે આપડે ત્યાં સમાજ મા બાળક નો જન્મ થાય તો તેના હાથ કે પગ મા કાળા લાલ દોરા બાંધવા માં આવે છે.આવું કામ ખાસ કરીને શિક્ષિત વર્ગ મા જોવા મળે છે.એટલે માણસ વિજ્ઞાન નો સ્વીકાર કરે છે.એટલી અંધ શ્રદ્ધા પણ રાખે છે.એટલે એમ કહી શકાય કે આપડા મા તર્ક વિતર્ક કરવાની ક્ષમતા હોવા છતાં આપડે અભણ છીએ એવું સાબિત થાય છે.
LikeLike
Thank you saheb 🎉🌹🙏🙏
LikeLiked by 1 person
શ્રી અરવિંદ પટેલને હાર્દિક અભિનંદન.
‘ અભિવ્યક્તિ ‘ ને ખોળે કદાચ મેં તેમનો આર્ટીકલ પહેલી વાર વાંચ્યો. અને તે પણ વિજ્ઞાનના રીસર્ચ પેપરની ઢબે. અભિનંદન.
૨૦૨૦ના અગ્રેજી વર્ષમાં સુઘીમાં જે આઘુનિક સુખ સગવડો વિજ્ઞાને સમાજને આપી છે તેનો નીચોવી નીચોવીને ઉપયોગ કરીને પણ અંઘશ્રઘ્ઘાના જંગલોમાં ફરતાં અને બરબાદ થતાં ભણેલા ગણેલા પણ ડૂબી રહ્યાને જોઇને દુ:ખ થાય છે. ભારતની અડઘી ઇકોનોમી આવી અંઘશ્રઘ્ઘામાની શ્રઘ્ઘા માં ગુમાવાય છે. પોલીટીશીયનો પોતાના અંગત લાભ માટે ,જાણે તેઓ લોકોની સાથે છે, તે બતાવવા કરતા હોય છે.
મંદિરો અેટલા રીચ હોય છે….છે જ…જેની થકી ભારતની અડઘી અર્થવ્યવસ્થા સંભાળી શકાય.
મફતનું ખાવા, પીવાનું મેળવીને પેલા બાવાઓની સંખ્યા અેટલી છે કે ભારતના ગરીબોના છોકરાઓના પેટ ભરી શકાય. શાળાના ટીચરો છોકરાઓને અંઘશ્રઘ્ઘામાં પોતે માનતા હોય તેવા શીક્ષણ બતાવતા મળે છે.
કોરોના વાયરસની તાજી માહિતિ તમે આપી. તેજ રીતે શિતળાના વાયરસે અેક વખત કેર મચાવ્યો હતો. ભારતીઓ શિતળામાતાના મંદિર બનાવી બેઠા. પશ્ચિમે રસી શોઘીને તે વાયરસને નિર્મૂળ કર્યા. કથાકારોની પાછળ વઘુ મોટી સંખ્યામાં સ્ત્રીઓ સમય વેડફે છે. તે સમયનો ઘરની ઇકોનોમી સુઘારવા ઘરે બેસીને સદઉપયોગ કરી શકાય…તેને બદલે મિલઓનીયર કથાકારને ચરણે પૈસા મુકી આવે છે. શ્મસાન વૈરાગ્ય જેવી કથાઓમાં સમય વેડફીને શું શીખીને ઘરે આવે ? તે જ ઘરોની જૂની પોલીટીકલ રહેણી કરણી.
ભારતની બરબાદી અેટલે અંઘશ્રઘ્ઘામાં માનીને ચાલવું…જીવવું.અને વિજ્ઞાને આપેલાં વિશેષજ્ઞાનનો લાભ લઇને જીવીને વિજ્ઞાનની ઉપલબ્ઘીઓને માટે સવાલો પુછવા.
મને લાગે છે કે નવી જનરેશન પણ આ અંઘશ્રઘ્ઘાના શીકાર બની ગયા છે. દેવ દેવીઓના વાર્ષિક સરઘસો અને નાચગાનો ભારતની સંસ્કૃતિ ગણાવાય છે. ૨૦૨૦માં જે ભારતીય સંસ્કૃતિ નો બદલાવ જોવા મળે છે તેને પુરાણોના દિવસોની સંસ્કૃતિ સાથ કોલર ઉંચા કરવા કેટલિ હદે યોગ્ય ? સંસ્કૃતિનો નિયમ છે કે તે કોઇપણ દિવસ સ્થગીત નથી રહેતી…તે સમયની સાથે હંમેશા બદલાતી રહે છે…ચલના જીવનકી કહાણી…રુકના મૌતકી નીશાની. જેને જે રીતે જીવવું હોય તેને તેની રીતે જીવવા દેવા…તેને તેની જીંદગી પોતાની રીતે જીવવાનો અઘિકાર છે.
સ્નેહી શ્રી અરવિંદભાઇ તમને ફરી પાછા હાર્દિક અભિનંદન.
આભાર.
અમુત હઝારી.
નોંઘ :શ્રી ખીમજીભાઇ કચ્છીને પણ સાદર પ્રણામ. તેઓ ગુજરાતના આઘુનિક સમાજ સુઘારક છે.
LikeLiked by 1 person
શું ચઢીયાતું ? વીજ્ઞાન કે અન્ધશ્રદ્ધા ?
કેટલી નવાઈ ની વાત છે કે અન્ધશ્રદ્ધા નું અનુસરણ કરવા વાળા અન્ધશ્રદ્ધાળુઓ પણ ડગલે ને પગલે વીજ્ઞાનનો ઉપયોગ કરે છે, અને એટલે સુઘીકે ધાર્મિક સ્થળોમાં, જ્યાં થી અન્ધશ્રદ્ધાનો ઉદય થાય છે, ત્યાં પણ વીજ્ઞાનનો છડેચોક ઉપયોગ થાય છે.
એ પણ સત્ય છે કે અન્ધશ્રદ્ધાના પ્રતાપે જગત ના દેશો ની પ્રગતિ રૂંધાય જાય છે. કદાચ આ સત્ય અન્ધશ્રદ્ધાળુઓને સમજાય!
LikeLiked by 1 person
ખુબ સરસ લેખ. હાર્દીક અભીનંદન ભાઈ અરવીંદ કે. પટેલને અને ગોવીંદભાઈને. ઉપરાંત મને તો ખીમજીભાઈનું કાવ્ય પણ ખુબ જ ગમ્યું. જો કે મને સ્મરણ છે ૧૯૭૧ની આસપાસનો મારા જીવનમાં બનેલો એક પ્રસંગ જ્યારે હું પણ અંધશ્રદ્ધાળુ હતો- ગણીતનો સ્નાતક હોવા છતાં. અને હવે આ બધી અંધશ્રદ્ધા કેટલી બધી હાસ્યાસ્પદ લાગે છે મને!!!
LikeLiked by 1 person
શું ચઢીયાતું ?વીજ્ઞાન કે અન્ધશ્રદ્ધા ? શ્રી –અરવીંદ કે. પટેલનો સ રસ લેખ
.
વીજ્ઞાન એ અન્ધશ્રદ્ધા કરતાં ૧00% ચઢીયાતી છે તે વાત બધા જ સ્વીકારે છે જ પણ વિજ્ઞાન બધા કાળે સત્ય નથી. ગોયન્કાજીએ કહ્યું કે “જેના હ્રદયમાં શુધ્ધ પ્રેમ અને કરુણા છે, એ આંતરિક સ્વર્ગીય સુખનો અનુભવ કરી શકે છે. આ નિસર્ગનો નિયમ છે, ભલેને પછી કોઈ કહે કે આ ઈશ્વરની ઈચ્છા છે.”
LikeLiked by 1 person
Ghana badha articles ma andhshraddha vishe jagruti ave eva saras lekho mathi ek bahuj sundar… 6tay haji loko ni mansikta evi j 6e ke jo teo aam nahi kare to kik anisht thi jase ane e bike pan bhanela loko andhshraddha ma rahe 6e… lokoma jagruti sathe emni andhshraddha pan dur thay evu kik karvu joiye…
khub saras article ….
aabhar shri Arvind Patel and Shri Govind Maru.
LikeLiked by 1 person