મોરારીબાપુને જાહેર પત્ર

દેશની આઝાદી પછી અનેક મહાવીદ્વાનો દ્વારા ‘રામ–ભાગવત–શીવકથાઓ’ થકી ધર્મ અને અધ્યાત્મના અવીરત પ્રચાર પછી; પણ આજે 72 વર્ષ પછી આપણો સમાજ ‘સત્ય’ સમજવા તો ઠીક; પરન્તુ સાંભળવાયે તૈયાર થઈ શકતો ન હોય, તો આ પ્રકારના ધર્મ–અધ્યાત્મના પ્રચારમાં કંઈ પાયાની ભુલ થઈ હોય એવું ન માની શકાય? અર્થાત્ આ વીષયમાં પુન: વીચારણાની તાતી આવશ્યક્તા છે?

મોરારીબાપુને જાહેર પત્ર

પ્રતી,
આદરણીય શ્રી. મોરારીબાપુ,
તલગાજરડા–મહુવા,
સૌરાષ્ટ્ર.

સાદર વન્દન.

સવીનય જણાવવાનું કે હું આપની સમક્ષ બુદ્ધી–વીદ્વતા, જ્ઞાન–વીજ્ઞાન, અભ્યાસ–અનુભવ, તપ–સંયમ, શક્તી–સમ્પત્તી, આદી તમામ બાબતોમાં હજારો ગણો નાનો અને પાછળ છું. મારી તુલના આપની સાથે કરવાની કલ્પના, હું સ્વપ્નમાં પણ કરવાની હેસીયત ધરાવતો નથી, તે અતી વીનમ્રપણે કબુલ કરતાં હર્ષ અનુભવું છું.

આપે સમ્ભવત: 50–60 વર્ષથી ‘રામચરીતમાનસ’ આધારીત ‘રામકથા’થી દેશ અને દુનીયાની પ્રજાને લાભાન્વીત કર્યાં… આ ઉપરાંત તેની સાથે ભારતની તમામ પ્રજાઓને એકસાથે જોડવાના અને એમનામાં પ્રેમ અને સહોદરભાવ વધારવાના યશસ્વી, અભીનન્દનીય પ્રયત્નો પણ કર્યા… એટલું જ નહીં; ધર્મ–અધ્યાત્મ, ગીત–સંગીત, ભજન–કીર્તન–ધુન દ્વારા પણ, માનવસમાજમાં વીશ્વબન્ધુત્વ સ્થાપવાનું અમુલ્ય કાર્ય સાકાર કર્યું છે.

પરન્તુ તેમ છતાંય; આપની 50–60 વર્ષની આવી દીર્ઘ આકરી તપશ્ચર્યા પછી પણ; આપે જ્યારે શ્રીકૃષ્ણ મહારાજ વીષે મહાભારત ગ્રન્થ આધારીત થોડીક સાચી વાતો આજે કરવા માત્રથી, સમાજના કેટલાક વર્ગે આપની ઉપર રોષે ભરાઈને, આપને એ બદલ માફી માગવાની ફરજ પાડી છે, જે સાશ્ચર્ય ખેદજનક હોવાં ઉપરાંત, ગહન વીચારણીય છે – આમ કેમ થયું? એવો પ્રશ્ન અવશ્ય સંશોધનને પાત્ર છે.

મારા અતી વીનમ્ર મતાનુસાર આપે જીવનભર ‘રામચરીતમાનસ’ આધારીત ‘રામકથા’ અને તેની સાથે આનુષાંગીક વીષયોની, જે ‘વીવેકબુદ્ધી’ને બદલે ‘આસ્થા’ આધારીત જ્ઞાનવીચારધારા વહાવી, તેના પરીણામે ‘આસ્થા’ આધારીત માનસીકતાથી પરીષ્કૃત થયેલો સમાજ, આપની આજની ‘વીવેકબુદ્ધી’ આધારીત સાચી વાતને પચાવી શક્યો નથી. વાસ્તવમાં આજની આપની સ્થીતી મહાભારતના કૃષ્ણ જેવી જ છે. સમગ્ર જીવન દરમીયાન યાદવોને અન્યો સામે લડાવનાર કૃષ્ણ, જીવનને અન્તે યાદવોને પરસ્પર લડતાં રોકી શક્યા નહોતા. અર્થાત્ કૃષ્ણને હાથના કર્યાં હૈયે વાગ્યાં હતાં.

દેશની આઝાદી પછી આપના જેવા અનેક મહાવીદ્વાનો દ્વારા, રામ–ભાગવત–શીવકથાઓ દ્વારા ધર્મ અને અધ્યાત્મના અવીરત પ્રચાર પછી પણ; આજે 72 વર્ષ પછી આપણો સમાજ ‘સત્ય’ સમજવા તો ઠીક; પરન્તુ સાંભળવાયે તૈયાર થઈ શકતો ન હોય, તો આ પ્રકારના ધર્મ–અધ્યાત્મના પ્રચારમાં કંઈ પાયાની ભુલ થઈ હોય એવું ન માની શકાય? અર્થાત્ આ વીષયમાં પુન: વીચારણાની તાતી આવશ્યક્તા છે એવું ન માની શકાય?

અલબત્ત, હું કોઈ મોટો બહુશ્રુત વીદ્વાન નથી. સામાન્ય ચર્ચાપત્રી છું. મારા આ પત્રને પણ આપની વીનમ્ર જાણકારી માટેનો માત્ર ચર્ચાપત્ર સમજવા વીનન્તી છે.

ભુલ–ચુક બદલ ક્ષમાયાચના.

લી. આપનો…
એન. વી. ચાવડા
તા. 10/06/2020

ખાસ નોંધ
‘અભીવ્યક્તી’ પર તન્દુરસ્ત ચર્ચા આવકાર્ય છે.. લેખકશ્રીની સાથે સમ્મત ન હોય કે કોઈ વ્યક્તી કે સમાજના વર્ગની લાગણી દુભાયાની આક્ષેપબાજી કોમેન્ટમાં વ્યક્ત કરવાને બદલે લેખક સાથે ફોનચર્ચા કે પત્રવ્યવહાર કરવા વીનન્તી. લેખક સાથે સમ્પર્ક કરવાની વીગત નીચે આપી છે. ..ગોવીન્દ મારુ

લેખક સમ્પર્ક : શ્રી. એન. વી. ચાવડા, શીક્ષક સોસાયટી, કડોદ – 394 335 તાલુકો : બારડોલી. જીલ્લો : સુરત. સેલફોન : 63597 46102

લેખક શ્રી. એન. વી. ચાવડાએ આ પત્ર ‘અભીવ્યક્તી’ બ્લૉગ માટે જ ખાસ લખ્યો અને ‘વોટ્સએપ’ દ્વારા મોકલી, મને ફોન કર્યો તે બદલ તેમનો આભાર..

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/  વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ, govindmaru@gmail.com

 

8 Comments

  1. મારા માનવા મુજબ સમાજને ગુરૂ ની જરૂર છે. ધર્મગુરૂ ની નહીં. મોરારી બાપુએ શિક્ષક ની નોકરી કરી હોત તો સમાજને ઉપયોગી થાત. જે થયું છે તે બરાબર જ છે. બાપુ સાચા છે પણ ધર્મ પોતાના પુરતો મર્યાદીત ન રાખતા દુકાન બનાવી તે બરાબર નથી કર્યું. લોકોને દરેકને પોતાનો જ ધર્મ,ધર્મગુરૂ, અને પોતાના ભગવાન સાચા લાગે તેનું આ પરીણામ છે.

    Liked by 1 person

  2. Few days before I saw video of Marari Bapu on TV. Marari Bapu was swinging on lavish Zula. Zula was furnished with pillow and Gadi which and ordinary man can’t afford to purchase such Zula. According to my understanding, Morai Bapu should use only a plain bed. Take the example of Mahatma Gandhi. In his Whole life Mahatma Gandhi used pancha and dhoti. Now I presume people are wise enough not to hear the lecture of Morai Bapu. I am not criticizing his way of living. Excuse if anybody feels ill about my comment. I beg pardon of all who may not like my comment.

    Liked by 1 person

  3. Let us understand on thing Clearly that thousands of man hours spent in katha, bhajan, kirtan, satsang , yatra sangh, religious rituals Etc has not improved over all characters of people. It means it is ineffective. Stop this tamasha which will save crores to spend on health and education.

    Liked by 1 person

  4. મા મોરારી બાપુને ઉપદેશ આપવાને બદલે પ્રશ્ન કરવો હોય તો આ રીતે કરી કરવો જોઇએ-
    તિથિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ।
    ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાાનં જ્ઞાાનિનસ્તત્વદર્શિન: ।।
    અમને તેઓની ગમતી વાતો
    બાપુએ રામકથા સાંભળવાનો અધિકાર સમાજના નિમ્ન કહેવાતા વર્ણ સહિત મુસ્લીમોનો પણ છે એમ ઘણીવાર જણાવેલું.આ એકતા માટે તેઓ પ્રયત્નો પણ કરે છે અને રામકથા દરમિયાન એક ટંકનું ભોજન તેઓ કોઇ હરિજનના ઘરે જમે છે.એક કથા તેમણે સોરઠમાં હરિજન અને મુસ્લીમો માટે પણ કરેલી.
    મહુવામાં તેમણે કરેલા રામ પારાયણના એક હજાર આઠ પાઠની પૂર્ણાહુતી સમયે રામાયણની આરતી માટે હરિજન લોકોને મંચ પર બોલાવેલા.જેથી ઘણાં કટ્ટરવાદીઓને બાપુ અળખામણા થયેલા અને અમુક કથા મુકી ચાલ્યાં ગયેલા,પણ એનો પ્રભાવ બાપુ ઉપર ના પડ્યો.
    લોકસાહિત્ય અને લોકકલાકારો માટે આશરા સમાન છે બાપુ –
    મોરારીબાપુ સાહિત્યરસિક માણસ છે,
    સાહિત્યમાં તેઓ ઉંડી સમજ પણ ધરાવે છે.પરીણામે અનેક સાહિત્યકારો સાથે તેમનો સ્નેહભર્યો સબંધ છે.બાપુની કથામાં સાહિત્ય ગોષ્ઠીઓ થાય છે તો લોકગાયકીને પણ બાપુ પ્રોત્સાહન આપનાર છે.ઘણા લોકડાયરામાં બાપુની હાજરી હોય છે.લોકગાયકો માટે બાપુ એ વિશ્રામનો વડલો જ છે! ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી , ઓસમાણ મીર, માયાભાઇ આહીર, રાજભા ગઢવી, સાંઇરામ જેવા અનેક લોકગાયકોને મોરારીબાપુ બિરદાવતા નજરે ચડે છે.
    સાહિત્યક્ષેત્રમાં અને લોકકલા ક્ષેત્રમાં બાપુ વતી ઘણા એવોર્ડ પણ અપાય છે.તેમના વતન તલગાજરડા વતી ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.કવિ દુલા ભાયા કાગની પૂણ્યતીથી નિમિત્તે મજાદર ખાતે “કાગને ફળિયે કાગની વાતો”કાર્યક્રમમાં કાગએવોર્ડ બાપુના હાથે અર્પણ કરવામાં આવે છે.
    તેઓએ ધીરૂભાઇ અંબાણીને પણ પ્રેરણા આપી હતી
    આજે બાપુની રામકથાઓ સમાજને અનેક રીતે ઉપરોગી છે,સમાજના સાચા ઉધ્ધારની દિશા નક્કી કરે છે.પછી તે કિન્નરો માટેની સુરતમાં થયેલી કથા હોય કે શહિદો માટે કરોડોની દાન એકઠી કરનારી સુરતની “માનસ શહિદ” કથા હોય.દેશ અને ધર્મની સર્વોપરી ઉન્નતિ એક સંત દ્વારા થઇ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મોરારીબાપુ છે.ઉત્તરાખંડમાં આવેલા પુર વખતે એક ટહલ નાખીને બાપુ અમેરીકામાંથી કરોડો રૂપિયા પિડીતો માટે એકઠા કરી શકે છે તો લંડનમાંથી એક ટહલ નાખતા લાખો રૂપિયા બનાસકાંઠાના પુરગ્રસ્તો માટે એકઠા કરી શકે છે.એટલું જ નહિ પોતે પણ દાન કરે છે.
    દરકથામાં બાપુ “કમાણીનો દસમો ભાગ ગરીબો માટે કાઢવાનું”કહે છે.આજે લોકો તેમની વાત સારી રીતે સમજીને અમલમાં પણ મુકતા થયા છે.સર્વહિતકારી પ્રેમ બાપુની આગવી ઓળખ છે.તેમની કથાઓ ઘડીભર કરૂણ તો ઘડીભર હાસ્યરસથી વહેતા વેણ સમાન ચાલતી હોય છે.

    Liked by 1 person

  5. Asaram Ramrahim has also done lots of good work. List is long, his followers will give you. It does not absolve Asaram and Ramrahim of their wrong doings.

    Like

  6. ગુજરાતી લેખક અને વાચક —
    નિખાલસ લેખક ગુણવંત શાહ નુ પુસ્તક કાર્ડિયોગામ એમેઝોન દ્વારા મંગાવ્યું. ૧૫ મી માઈલ સ્ટોન આવૃત્તિ. દર વખતે ૧૦૦૦ થી ૧૨૦૦ પ્રત પ્રમાણે વધારે મા વઘારે ૨૦૦૦૦ પુસ્તકો છપાયેલા. ૧૯૭૭ થી ૨૦૧૨ સુધી માં.
    ૨૦૦૦૦ પુસ્તક છપાય એટલે સાહિત્ય જગતમાં પાર્ટી, ઉજવણી થાય.
    ઉપર દર્શાવેલ દષ્ટાંત આપણા ગુજરાતી સમાજ ની વાંચન પ્રતયે ની નિરસતા દર્શાવે છે.
    વાંચન કરવું નથી, પ્રવાસ કરવો નથી, વૈજ્ઞાનિક અભિગમ
    કેળવવો નથી, નવું જાણવા નો, માણવાનો, પ્રયાસ કરવો નથી પણ પોતે બહુ સુખી, જ્ઞાની, સંતોષી છે એવા ભૃમ માં રહેવું છે.
    હવે અંગ્રેજી લેખક Richard Dawkins ના પુસ્તકો વિશે વાત કરીએ The God Delusion, The Selfish Gene, લાખો પ્રત છપાય, લાખો એટલે દસ વીસ ત્રીસેક લાખ પ્રત. અને એટલીજ ઇબુક ડાઉનલોડ થાય.
    હું આજથી ૩૨ વર્ષ પહેલાં FOUNTAINHEAD પુસ્તક વાંચતો હતો. bestseller book by Iyan Rand. મારા સાહેબ ને વાંચવાની જિજ્ઞાસા થઈ, એમણે વાંચીને એમના મિત્ર ને આપ્યું. પુસ્તક પાછું ના આવ્યું. જો કે એમણે ખરીદી ને મને બીજું પુસ્તક આપ્યું હતું.
    કહેવાનું તાત્પર્ય એજ કે ગુજરાતી પ્રજા ને વાંચન મા ઝાઝો રસ નથી.
    પણ સાંભળવા ને સંભાળવા મા વધારે રસ છે.

    Like

  7. Congratulations! You don’t have to be this much he humble to ask the questions. You can be respectful and civil in your questioning.
    You had been a teacher so I assume you must be a college graduate and also a diploma in education. While the person whom you have asked has not cleared even a matriculation of the high school. So there is education difference.
    Now about katha which you say he is reciting for past 50-60 years and must done this maybe thousand times or more, so he is expert in this field and you can’t compare with him. What you have done as your career, he can’t do as well.
    Now the questions you asked, I don’t think you will get any satisfactory answers. The things will go on as usual as long as public supports this kind of ventures mostly based as you aptly said on “ astha “faith and not on rational thought. We rationalists are a minuscule minority and we don’t have power to stop this kind of programs. We can only express our opinions and see that some minds maybe changed. That’s all.
    Appreciate your courage!

    Liked by 1 person

  8. Such a wonderful post but I am rather confused on how to reply.
    Ok, I salute Shree Moraribapu on all his hard work of Narrating Stories from Ramcharitmanas over so many years all around the World. I have not read this Scripture myself because I have not found it appealing.
    I have read Ramayan and Mahabharat.
    I don’t wish to judge Shree Moraribapu because in a way he is trying to spread ‘Hinduism’ and making people aware of how to live a good moral life, fair enough. I think lately this venture has turned into a Corportae Business but that’s what happens to many Leaders in this field. Many Temples are heading in that direction too but that’s another story.

    For this article I would like to ask a few questions if I may:
    Why do all those people not read the Scriptures themselves?
    Can they not read the language it’s written in?
    Are they lazy so they rely on others to read for them?
    Do they have plenty of money to show off their wealth by sponsoring such events?
    Are they too busy and can’t find time to read themselves?
    Do,they find the language too difficult to interpret themselves?

    Whatever the reason, I don’t wish to criticise anyone on this platform.
    As for me, I do read Bhagawad Gita in different languages and interpret the meaning myself. There’s a wealth of knowledge in our Scriptures we need to pursue ourselves. Why don’t we try to discuss that here? Wouldn’t that be a good step in a positive direction?
    Just saying!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s