માનવવાદ/રૅશનાલીઝમ એટલે માત્ર કથાકારો/ભુવાઓ/મુંજાવરો/જ્યોતીષ/દોરાધાગા/અન્ધશ્રદ્ધાનો વીરોધ નહીં; પરન્તુ માનવમુલ્યો કચડી નાખનારનો સખત વીરોધ. માનવવાદી એટલે જેના આચાર–વીચારમાં કેન્દ્રસ્થાને વ્યવસ્થા નહીં; પણ માણસ હોય. માનવવાદી વ્યક્તી ધર્મ/નાતજાત/રંગરુપના કારણે કોઈને અન્યાય કરતી નથી. […………………]
માનવવાદી એટલે કોણ?
–રમેશ સવાણી
અન્યાય થતો હોય ત્યારે મૌન ધારણ કરવું; ખેડુતો આત્મહત્યા કરી રહ્યા હોય ત્યારે કથાઓ કરી વાસ્તવીકતા ભુલાવવી; હીંસા થતી હોય ત્યારે યોગ કરવા; બુદ્ધીજીવીઓની હત્યા થતી હોય ત્યારે ભજન કરવા કે તાળીઓ પાડવી; મોંઘી શીક્ષણ ફી ન ભરી શકે એટલે ગરીબ/વંચીત બાળકો અભ્યાસ છોડી દે કે ગરીબ હોવાના કારણે હૉસ્પીટલની સારવાર ન લઈ શકે અને મરણ પામે કે અસહાય હોય તેને ગુંડાઓથી સુરક્ષા ન મળે; તે સ્થીતી પ્રત્યે આંખ બન્ધ રાખવી; ગતજન્મ/આવતા જન્મની વાતમાં લોકોને ચકરાવે ચડાવીને વર્તમાન પ્રત્યે અન્ધ કરવા; આ બધા લક્ષણો માનવવીરોધી છે, રાક્ષસી છે. પ્રત્યેક માનવવાદીએ જાગૃત રહેવું જોઈએ અને રાજકારણમાં રસ લેવો જોઈએ. શીક્ષણ ફી/પેટ્રોલ/બસ–ટ્રેન ભાડું/શાકભાજી/અનાજ/કઠોળ/તેલ/દુધ/મીઠું–મરચું/દવાઓ વગેરેનો ભાવવધારો રાજકીય નીર્ણયોને આધારે થાય છે. માનવવાદીઓની ગેરભાગીદારીના કારણે લીલાછમ્મ ખેતરો આખલા ચરી જાય છે!
માનવવાદી એટલે જેના આચાર–વીચારમાં કેન્દ્રસ્થાને વ્યવસ્થા નહીં; પણ માણસ હોય. માનવવાદી વ્યક્તી ધર્મ/નાતજાત/રંગરુપના કારણે કોઈને અન્યાય કરતી નથી. માનવવાદી વ્યક્તી અસ્પૃશ્યતામાં માનતી નથી; તે પશુ કરતા માણસને પવીત્ર માને છે. માનવવાદી વ્યક્તી કોમવાદથી દુર રહે છે; ગુઢવાવાદ, ઝનુન, અસહીષ્ણુતા, મીથ્થા તત્ત્વજ્ઞાન, અબૌદ્ધીકતા, લાગણીની ઉશ્કેરણી, ડબલ થીંક, મુળભુતવાદ, સ્થગીતતા, માનવવીરોધી વલણ અને બીનલોકશાહી વલણથી દુર રહે છે. કોઈ નેતાએ મુસ્લીમોને સીધા કરી દીધા એ કારણસર જ તેની વાહવાહી કોઈ માનવવાદી વ્યક્તી ક્યારેય કરે નહીં. તે હાઈપર પેટ્રોઓટીઝમથી દુર રહે છે. તે દરેક વ્યક્તી માટે સ્વતન્ત્રતા/સમાનતા/બન્ધુત્વમાં માને છે. તે લોકશાહી જીવનપધ્ધતી, માનવઅધીકારો સાથેની લોકશાહી, આર્થીક–સામાજીક સમાનતા, સામાજીક ન્યાય, માનવ આધારીત નીતીવાદ, મુક્ત વીચારસરણી, સહીષ્ણુતા, પ્રગતીશીલતામાં માને છે. માનવવાદી વ્યક્તી જીવનમુલ્યોમાં માને છે, ધર્મ/પરલોક/દીવ્યતામાં નહીં. તે નરસીંહ મહેતા/કબીર/અખાની માણસાઈમાં માને છે. રૅશનલ એટલે નાસ્તીક નહીં. રાક્ષસો નાસ્તીક હતા અને હત્યાઓ કરતા; રૅશનલ માનવી આવું વીચારી શકે જ નહીં. રૅશનલ માણસ સંવેદનાથી ભરેલો હોય છે. રૅશનલ માણસ બીજાની વેદના જોઈ શકતો નથી; તે બીજાની પીડા પોતાની ગણે છે.
માનવવાદ/રૅશનાલીઝમ એટલે માત્ર કથાકારો/ભુવાઓ/મુંજાવરો/જ્યોતીષ/દોરાધાગા/અન્ધશ્રદ્ધાનો વીરોધ નહીં; પરન્તુ માનવમુલ્યો કચડી નાખનારનો સખત વીરોધ. બંધારણીય મુલ્યો ઉપર બળાત્કાર કરનારની કડક ટીકા કરવી જ પડે. સંસદના પગથીયે માથું ટેકવે તે લોકશાહી પ્રત્યેની નીષ્ઠાનો પુરાવો નથી, પરન્તુ લોકશાહીના મુલ્યોની માવજતમાં કેટલી રુચી લે છે તે મહત્ત્વનું છે. ઢગલો ગુણો ધરાવનાર તાનાશાહ ખતરનાક હોય છે. તાનાશાહ ક્યારેય માનવવાદી હોઈ શકે નહીં. તાનાશાહ માટે માનવ એક સાધન હોય છે. તાનાશાહ વાહવાહીમાં માને છે; વાહવાહી કરનાર ભ્રષ્ટ અધીકારીઓને મહત્ત્વની જગ્યાએ મુકે છે; DySP પરમારને નીવૃતી પછી પણ મહત્ત્વની જગ્યાએ ચાલુ રાખીને SPનું પ્રમોશન આપે છે અને મુલ્યનીષ્ઠ અધીકારીશ્રી આર. બી. શ્રીકુમાર, IPSને પ્રમોશનથી વંચીત રાખે છે; એને પ્રમોશન માટે નામદાર હાઈકોર્ટની શરણમાં જવું પડે છે! તાનાશાહ બોલશે કંઈક અને કરશે કંઈક જુદું જ; ગરીબકલ્યાણ મેળા યોજશે અને 10 લાખનો કોટ પહેરશે! Rs
(‘ફેસબુક’ પર આ પોસ્ટને 75 પ્રતીભાવો પ્રાપ્ત થયા છે. જીજ્ઞાસુઓને આ પ્રતીભાવો માણવા માટે સ્રોત : https://www.facebook.com/groups/apnaaddagujarati/permalink/3085251468205273/ )
–રમેશ સવાણી
‘ફેસબુક’ના ‘અપના અડ્ડા’ ગ્રુપમાં તા. 12, ફેબ્રુઆરી, 2020ના રોજ પ્રગટ થયેલ લેખકની પોસ્ટમાંથી, લેખકના, ‘અપના અડ્ડા’ ગ્રુપના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી, નીવૃત્ત આઈ. પીએસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
” ખેડુતો આત્મહત્યા કરી રહ્યા હોય ત્યારે કથાઓ કરી વાસ્તવીકતા ભુલાવવી; હીંસા થતી હોય ત્યારે યોગ કરવા; બુદ્ધીજીવીઓની હત્યા થતી હોય ત્યારે ભજન કરવા કે તાળીઓ પાડવી ”
–રમેશ સવાણી
તેવી જ રીતે:
દરિદ્રો ટાઢ માં થરથરતા હોય ત્યારે દરગાહોં પર ચાદર ચઢાવવી. ગરીબો ભુખ થી પીડાતા હોય ત્યારે લાખો ના ખર્ચે મહોરમના કે ઈદે મિલાદ ના જુલૂસો કાઢવા વગેરે માનવતાની તદ્દન વિરુદ્ધ છે. મુસ્લિમ ધર્મશાસ્ત્ર માં બે જગ્યાએ ” માનવતા પહેલા અને પછી રોજીંદુ / નિયમિત / કર્મકાંડ ( બંદગી ) ” વિષે કહેવામાં આવેલ છે. માનવતા એજ મોંટો ધર્મ .
LikeLiked by 2 people
એકદમ સચોટ વિચારધારા સવાણી સાહેબ ના લેખોમાં હોય છે. આભાર ગોવિંદભાઈ લેખ ખુબ ગમ્યો મીત્રોને વોટસેપ મેસેન્જર પર ફોરવર્ડ કરું છું.
LikeLiked by 1 person
મંદિરો બાંધવામાં કરોડો વપરાય, ગરીબો માટે ઘર બાંધવા માટે પૈસા ના વપરાય. લગ્ગ્નમાં બુફે, ગરીબોને આપવામાં હાથ સંકોચાય. સુટ બૂટ સિવડાવાય, ગરીબોને ફાટેલા કપડાં અપાય.
શું છે આ બધુ??
LikeLiked by 1 person
Congratulations to Rameshbhai for this fine article on Rationalism. A true rationalist is also a humanist, in all aspect of life pertaining to society, community, country and the world. Also he has to be an exemplary, awakened and conscientious citizen. He should also be totally unbiased in outlook and altruistic.
You have described these quite aptly, so nothing more to add.
LikeLiked by 1 person
This is mim and bhim type rationalism. Apna Adda is full of racist people.
LikeLike
રેશનાલીઝમ-માનવતાવાદની ખુબ વીસ્તૃત છણાવટ રમેશભાઈએ કરી. સરસ લેખ. હાર્દીક આભાર ગોવીન્દભાઈ તેમજ રમેશભાઈનો. રમેશભાઈના બધા જ લેખો વાંચવા ગમે છે.
LikeLiked by 2 people
It’s very nice article written on our “feku” (a very cheater man) pm indirectly, which is not liable person seating on higher position of our country and making innocent people fool, and makes punishment on educated and rational people when they oppose their wrong policies. Even he is not a good person to talk on this platform. But, if we talk, more and more people will know about the chameleon man. keep patience he will see the hell one day certainly on this earth.
Thank you Mr. Rameshbhai and Mr. Govindbhai for such a eye opener article.
LikeLiked by 1 person
‘માનવવાદી એટલે જેના આચાર–વીચારમાં કેન્દ્રસ્થાને વ્યવસ્થા નહીં; પણ માણસ હોય. માનવવાદી વ્યક્તી ધર્મ/નાતજાત/રંગરુપના કારણે કોઈને અન્યાય કરતી નથી. માનવવાદી વ્યક્તી અસ્પૃશ્યતામાં માનતી નથી; તે પશુ કરતા માણસને પવીત્ર માને છે. માનવવાદી વ્યક્તી કોમવાદથી દુર રહે છે; ગુઢવાવાદ, ઝનુન, અસહીષ્ણુતા, મીથ્થા તત્ત્વજ્ઞાન, અબૌદ્ધીકતા, લાગણીની ઉશ્કેરણી, ડબલ થીંક, મુળભુતવાદ, સ્થગીતતા, માનવવીરોધી વલણ અને બીનલોકશાહી વલણથી દુર રહે છે. કોઈ માનવમુલ્યો કચડી નાખનારનો સખત વીરોધ. બંધારણીય મુલ્યો ઉપર બળાત્કાર કરનારની કડક ટીકા કરવી જ પડે. ‘ શ્રી રમેશ સવાણીનો રેશનાલીઝમ-માનવતાવાદની સરસ વીસ્તૃત છણાવટ લેખ
LikeLiked by 1 person