રૅશનાલીસ્ટ એન. વી. ચાવડા સાહેબનો એકદમ બુદ્ધીગમ્ય, તર્કબદ્ધ લેખ ‘ઘટનાઓના કારણોનું અજ્ઞાન એ ઈશ્વરના અસ્તીત્વનો પુરાવો નથી’ની ચર્ચામાં માનનીય શ્રી. દીનેશ પાંચાલના રસપ્રદ પ્રતીસાદની રાહ જોવા માટે પ્રતીભાવકશ્રી ડૉ. દીનેશભાઈ પટેલ સાહેબે આ ચર્ચાને એક અઠવાડીયું સુધી લંબાવવા વીનન્તી કરી. માનનીય શ્રી. દીનેશભાઈ પાંચાલને ચાવડાસાહેબના જવાબથી સુવીદીત કરવામાં આવ્યા હતા. તેઓને પ્રતીસાદ આપવા માટે પણ નીમન્ત્રણ પાઠવવામાં આવ્યું છે.
‘વાદે વાદે જાયતે તત્ત્વબોધ:’ એ ન્યાયે ‘અભીવ્યક્તી’ના વાચકમીત્રોના અને રૅશનાલીઝમના લાભાર્થે તા. 8 ઓગસ્ટને શુક્રવારે સવારે 7.00 કલાકે નવો લેખ મુકવામાં આવે ત્યાં સુધી આ ચર્ચા લંબાવવામાં આવે છે. તો રસ ધરાવનાર સર્વને વીષયાંતર કર્યા વીના તન્દુરસ્ત ચર્ચા કરવા માટે હાર્દીક નીમન્ત્રણ છે.
●ગોવીન્દ મારુ●
રૅશનાલીસ્ટ ચાવડા સાહેબના લેખની લીન્ક નીચે આપી છે…