સાપદંશ થતાં ઝેર ઉતારનાર લોકો કે ભુવા, બડવાઓ પાસે દરદીને લઈ જવામાં સમય ન બગાડવો. દરદીને વીષપ્રતીરોધક રસી ઉપલબ્ધ હોય તેવા દવાખાનામાં તાત્કાલીક દાખલ કરી, ધનીષ્ઠ સારવાર કરાવવી હીતાવહ છે.
25
સાપદંશની ધનીષ્ઠ સારવાર
–અજય દેસાઈ
સાપદંશની શ્રેષ્ઠ સારવાર ગુજરાત સરકાર દ્વારા ચાલતા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર (P.H.C.)માં તથા સામુહીક આરોગ્ય કેન્દ્ર (C.H.C.)માં ઉપલબ્ધ હોય છે. આ સારવાર માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, મફત સારવાર થાય છે. આ દવાખાનાનાં ડૉક્ટર્સને સાપદંશની સારવારનો અનુભવ પણ હોય છે. વળી, વીષ પ્રતીરોધક રસી સરકારી દવાખાનાઓમાં જ મળતી હોય છે. બહારથી લેવા જતાં દરેક રસી 1,000/- રુપીયા ઉપરાંતની કીમ્મતમાં (આ કીમ્મ્ત પુસ્તક પ્રકાશન સમયે અર્થાત્ એપ્રીલ, 2017ના સમયની છે. –ગો. મારુ) મળે છે. સાપદંશ વ્યવસ્થીત રીતનો હોય તો ઘણીવાર 20થી પણ વધુ વીષ પ્રતીરોધક રસીની આવશ્યક્તા હોય છે, તેથી જ દરદીને અન્ય ખાનગી દવાખાનાઓમાં ન લઈ જતાં સીધાં જ સરકારી દવાખાને લઈ જવા જોઈએ..
સાપદંશવાળા દરદીને બને તેટલી ઝડપથી દવાખાનામાં દાખલ કર્યા બાદ ત્યાં હાજર રહેલા જવાબદાર ડૉક્ટરે કેટલીક પ્રાથમીક જાણકારી મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. સાપને જીવતો કે મરેલો સાથે લાવ્યા હોય તો તેની ઓળખ કરવી જોઈએ. જો સાપ સાથે ન લાવ્યા હોય તો દરદીને કે તેની સાથે આવેલા સમ્બન્ધીઓને સાપના રંગ, લમ્બાઈ, શરીર ઉપરના ચીન્હો, કરડવાના સંજોગો, સમય, રહેઠાણની આસપાસ સામાન્ય રીતે જોવા મળતા સાપ અંગે પુછપરછ કરવી જોઈએ. સાપ અન્ધારામાં કરડ્યો હોય અને સાપને જોઈ શકાયો ન હોય, તેવા સંજોગોમાં સાપદંશના નીશાનોનો પુરતા પ્રમાણમાં અભ્યાસ કરવો જોઈએ. સાપદંશ ઉઝરડા સ્વરુપનો છે કે એક યા બે દંશ જોવાય છે કે બચકાં રુપે જોવાય છે, તે જોવું જોઈએ. સામાન્ય રીતે ખડચીતળના દંશના નીશાન લાંબા સમય સુધી જોઈ શકાય છે. જ્યારે કાળોતરાના દંશના નીશાન 3થી 6 કલાક સુધી દેખાય છે અને નાગના દંશના નીશાન 24થી 36 કલાક સુધી જોઈ શકાય છે. આપણે ત્યાં થતાં દંશના 100 કીસ્સાઓ પૈકી 50 કીસ્સા નાગનાં, 17 કીસ્સા કાળોતરાના, 23 કીસ્સા ખડચીતળના તથા 10 કીસ્સા ફુરસાના હોય છે.
આપણા ગુજરાતમાં બધા મળીને જમીન ઉપર રહેવાવાળા જે ઝેરી સાપ છે, તે પૈકી મનુષ્ય જાત માટે જેમના દંશ ઘાતક હોય તે મુખ્ય ચાર સાપ છે. નાગ, કાળોતરો, ખડચીતળ તથા ફુરસા. હાલ આ ચારેય ઝેરી સાપ માટે એક જ પ્રકારની વીષ પ્રતીરોધક રસી સામાન્ય છે (Polyvelant). કેટલાક વર્ષો અગાઉ સુધી આ ચારેય ઝેરી સાપ માટે સામાન્ય એવી એક જ પ્રકારની વીષ પ્રતીરોધક રસી ઉપલબ્ધ નહોતી. તે સમયે જે સાપ કરડ્યો હોય તે સાપને ઓળખવો જરુરી હતો; કારણ કે તે ઓળખને આધારે જ જે તે સાપની વીષપ્રતીરોધક રસી આપવાની થતી. દા.ત.; કાળોતરો કરડ્યો હોય તો તેના મારણ માટે તેના ઝેરમાંથી બનાવેલી વીષ પ્રતીરોધક રસી જ આપવાની થતી. આવા કીસ્સામાં જો સાપને જીવતો કે મરેલો સાથે લાવ્યા હોય અથવા સાપને જોયો કે ઓળખ્યો હોય તો જ સારવાર કરવામાં સરળતા રહેતી. જો સાપ સાથે લાવ્યા ન હોય કે તેને જોયો કે ઓળખ્યો ન હોય ત્યારે તેના દંશના ચીન્હો તથા અસરો પરથી સાપની ઓળખ કરવી પડતી. આ માટે કયા સાપના ઝેરની કેવી અસરો થાય છે, તે જાણવું જરુરી રહેતું. જો કે આજે બહુહેતુક રસી ઉપલબ્ધ હોય, સાપને ઓળખ્યો ન હોય તો પણ ઝેરી હોવાની ખાતરી થતાં વીષ પ્રતીરોધક રસી આપી શકાય છે; પરન્તુ જે લોકો સાપનો નીકટતાથી અભ્યાસ કરવા માંગતા હોય તેઓએ, મેડીકલનો અભ્યાસ કરતાં વીદ્યાર્થીઓએ અને ઝેરી સાપના દંશની સારવાર કરતા ડૉક્ટરોએ જે તે સાપના ઝેરના લક્ષણો જાણવા જ જોઈએ.
સાપદંશ લાગ્યો હોય, સાપ ઓળખી ન શકાયો હોય, બાહ્ય ચીન્હો પણ સ્પષ્ટ ન હોય ત્યારે દરદીના શરીરમાં વીષ પ્રવેશ્યું છે કે નહીં તેની જાણ આપણને અમુક તપાસથી થઈ શકે છે. દા.ત.;
● શરીરમાં પ્રોટીન આલ્બ્યુમીન ઓછા થઈ જાય.
● લોહી વહી જવાથી લોહી ઓછું થઈ જાય.
● લોહીમાં માયોગ્લોબીનનું પ્રમાણ વધી જાય.
● પ્રોથોમ્બીન સમય વધી જાય.
● બ્લડ યુરીયા વધી જાય.
● રક્તકણોનો આકાર બદલાઈ જાય.
● બ્લડપ્રેશરમાં ફેરફાર થાય.
● ઍટેક આવ્યા વગર કાર્ડીયોગ્રામમાં ફેરફાર થાય.
● લોહીમાં સી.પી.કે. વધુ આવે.
વીષ પ્રવેશ્યું હોય, અને તેની સારવાર શરુ કરવાની હોય તો સહુથી પહેલા નીચે દર્શાવેલા પરીક્ષણો કરાવવા જોઈએ. આ ઉપરાંત બીજી અન્ય સારવાર પણ જરુર જણાય તો શરુ કરવી જોઈએ.
● લોહીનું પરીક્ષણ કરાવવું. પેશાબનું પરીઝણ કરાવવું.
● દંશની આસપાસના સ્નાયુઓની બાયપ્સી કરાવવી.
● દુ:ખાવો બંધ કરવાના ઈંજેક્શનો આપવા.
● વીષ પ્રતીરોધક રસી આપવી.
● ઓછી માત્રામાં ઘેન આપી શકાય.
● લોહી ઓછું થયું હોય તો લોહી આપવું.
● સ્નાયુઓને લકવો થયો હોય તો કૃત્રીમ શ્વાસોચ્છવાસ આપી શકાય.
● કીડની બરાબર કામ ન કરતી હોય તો ડાયાલીસીસની સારવાર આપી શકાય.
● લોહીમાં ઘટકો ઘટી જાય તો, પુરક ઘટક તત્ત્વો આપી શકાય.
લોહી પરીક્ષણ :
રસી દ્વારા દરદીના શરીરમાંથી પાંચ સી.સી. જેટલું લોહી કાચની ટેસ્ટ ટ્યુબમાં લેવું જોઈએ અને તેનું નીરીક્ષણ કરવું જોઈએ. લોહી સામાન્ય રીતે ગંઠાઈ (થીજી) જાય છે, તેવી જ રીતે ટેસ્ટ ટ્યુબ અન્દરનું લોહી ગંઠાઈ જાય તો સાપનું ઝેર લોહીમાં ભળ્યું નથી એમ કહી શકાય. આવું પરીક્ષણ થોડા થોડા સમયાંતરે લોહી લઈને કરવું જોઈએ. ઘણીવાર લોહીમાં વીષની અસર મોડેથી પણ વર્તાતી હોય છે. જો ટેસ્ટ ટ્યુબ અન્દરનું લોહી ગંઠાય નહીં અને પ્રવાહી જ રહે તો સાપનું વીષ લોહીમાં ફેલાઈ ચુક્યું છે, તેમ કહી શકાય એટલે કે દંશ, ઝેરી સાપનો છે તેમ કહી શકાય.
હાલમાં ELISA એટલે કે Enzyme-Linked ImmunoSorbent Assay નામની ટેસ્ટ પદ્ધતી અમલમાં આવી છે. જે પદ્ધતી પ્રમાણમાં સરળ, સાદી અને વધુ અસરકારક છે. આ પદ્ધતી વીષની અસરો જાણવા વધુ પ્રચલીત છે. આ પદ્ધતી દ્વારા સાપનું વીષ કેટલી માત્રામાં પ્રવેશ્યું છે તે જાણી શકાય છે. ફક્ત સાપનું જ નહીં; પરન્તુ અન્ય કોઈ પણ પ્રકારના વીષની માહીતી આ પદ્ધતી થકી જાણી શકાય છે. દરદીને વીષ પ્રતીરોધક રસી આપતાં અગાઉ ELISA ટેસ્ટ દ્વારા લોહીની તપાસ કરવી જોઈએ. જો કે આ પદ્ધતી થોડો વધુ સમય માંગી લે છે. આ પદ્ધતી દ્વારા 30થી 50 મીનીટમાં ચોક્કસ પરીણામ જાણી શકાય છે.
પેશાબનું પરીક્ષણ :
ટેસ્ટ ટ્યુબમાં પેશાબ લઈને, પેશાબમાંના આલ્બ્યુમીન (Albumin)ની તપાસ કરવી જોઈએ. જો પેશાબમાં નરી આંખે રક્તકણો જણાય તો ઝેરી સાપનો દંશ કહી શકાય.
દંશ ઝેરી સાપનો જ છે એવું ચોક્કસ થાય એટલે સમય ન બગાડતાં તાત્કાલીક વીષ પ્રતીરોધક રસી આપવાની તૈયારી કરવી જોઈએ. હા, આવી રસી આપતાં અગાઉ કેટલીક માહીતી મેળવવી જરુરી છે તથા કેટલીક પુર્વ તૈયારી કરવી પણ જરુરી છે.
● સહુ પ્રથમ તો દરદીને પુછવું જોઈએ કે આ અગાઉ તેને આવી કોઈ રસી આપવામાં આવી હતી કે કેમ?
● જો રસી આપવામાં આવી હતી તો તેની પ્રત્યાઘાતી અસરો થઈ હતી કે કેમ?
● દરદીને અસ્થમા, તાવ હોય કે અન્ય કોઈ દવાની પ્રત્યાઘાતી અસરો થાય છે કે કેમ?
● વીષ પ્રતીરોધક રસીની પ્રત્યાઘાતી અસરો (Reaction) થાય તો તેવી અસરોને શમાવવા તૈયારી કરવી.
તા.ક.; સાપદંશ થયેલ દરદીને બચાવવાનો શ્રેષ્ઠ ઈલાજ ‘વીષ પ્રતીરોધક રસી’ છે. વીષ પ્રતીરોધક દ્રવ્યની માત્રા, તેનો અખતરો, તેની આડઅસરો, તેના રીએક્શન/પ્રત્યાઘાતી અસરો વીશે જાણકારી મેળવવા માટે તા. 15 માર્ચ, 2021ના રોજ ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવાનું ચુકશો નહીં.
–અજય દેસાઈ
પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com
“સાપદંશની શ્રેષ્ઠ સારવાર ગુજરાત સરકાર દ્વારા ચાલતા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર (P.H.C.)માં તથા સામુહીક આરોગ્ય કેન્દ્ર (C.H.C.)માં ઉપલબ્ધ હોય છે. આ સારવાર માટે કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી, મફત સારવાર થાય છે. આ દવાખાનાનાં ડૉક્ટર્સને સાપદંશની સારવારનો અનુભવ પણ હોય છે. વળી, વીષ પ્રતીરોધક રસી સરકારી દવાખાનાઓમાં જ મળતી હોય છે. બહારથી લેવા જતાં દરેક રસી 1,000/- રુપીયા ઉપરાંતની કીમ્મતમાં મળે છે.—–અજય દેસાઈ
ખુબ જ અગત્યની માહીતી જાણી.
આ ઉપરાંત સાપદંશ લાગ્યા બાદના લક્ષણો તથા તેની સારવાર અંગેના વિવિધ પરીક્ષણો વિશે ઊંડા અભ્યાસનો રસપ્રદ લેખ. આભાર લેખક શ્રી અજય દેસાઈ અને મા. ગોવિંન્દભાઈ નો.
મારો પ્ર્શ્ન: જે વિસ્તારોમાં ઝેરી સાપનો ભય વધુ હોય ત્યાંના લોકોને જન્મથી જ ‘બહુહેતુક વીષ પ્રતીરોધક રસી’ આપીને તેમને સલામતી ન આપી શકાય?
LikeLiked by 2 people
માનનીય અજય દેસાઈ સાપદંશની ધનીષ્ઠ સારવાર અંગેની ખૂબ અગત્ય માહિતીનો બને ઍટલો વધુ અને વધુ પ્રચાર થાય તે જરુરી છે.
રાહ……….
સાપદંશ થયેલ દરદીને બચાવવાનો શ્રેષ્ઠ ઈલાજ ‘વીષ પ્રતીરોધક રસી’ છે. વીષ પ્રતીરોધક દ્રવ્યની માત્રા, તેનો અખતરો, તેની આડઅસરો, તેના રીએક્શન/પ્રત્યાઘાતી અસરો વીશે જાણકારી મેળવવા માટે તા. 15 માર્ચ, 2021ના રોજ ‘અભીવ્યક્તી’ બ્લૉગની મુલાકાત લેવાનું ચુકશો નહીં.
‘સત્યશોધક સભા’, સુરતે તા. 17 માર્ચ, 2019ના રોજ
રૅશનાલીઝમના ક્ષેત્રે વીશીષ્ટ કામગીરી કરવા બદલ
‘અભીવ્યક્તી’ બ્લૉગના સમ્પાદકને
‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી આભુષીત કર્યા.
અંતરના અભિનંદન
LikeLiked by 1 person
‘રમણભ્રમણ સુવર્ણચન્દ્રક’ એવોર્ડથી આભુષીત થયાને બે વર્ષ પુરાં થયાં; છતાં આપ જેવાં કદરદાનો તે પ્રસંગને યાદ કરો છો અને આજેય અંતરથી અભીનન્દન પાઠવો છો તે બદલ ખુબ ખુબ આભાર.
‘અભીવ્યક્તી’ની મુલાકાત લઈ નીયમીત પ્રતીભાવ લખી મને બળ પુરું પાડનારાં પ્રતીભાવકમીત્રો અને વાચકમીત્રોના પ્રોત્સાહનથી ગુજરાતી બ્લૉગજગતમાં ‘અભીવ્યક્તી’ બ્લૉગ 13 વરસ થયા છતાં કમીટમેન્ટ સાથે સક્રીય છે તે બદલ સર્વ લેખકમીત્રો, પ્રતીભાવકમીત્રો અને વાચકમીત્રોનો હૃદયથી આભાર.
LikeLike
SHREE GOVINDBHAI,
SHREE DESAI SAHEBE BAHUJ SARAS RITE SARP DANSH BABATNU LAKHAN GHANI AGAYTE
RITE SAMJAN AAPELU CHHE. DOCTORNE MATE PAN SACHI SALAH AAPPEL CHHE.
SARP DANSHNA GHANA PRASONGO BANYA CHHE. LAGBHAG KHAS KARINE THANDI JAGA,ANE KHETARNI JAGAMA VADHRE HOVANI SHAKYTA HOI CHHE.
BADHI JANKARI BAHUJ SARAS RITE SAMJAVEL CHHE. SUCHNA MUJAB TURAT DARDINE HOSPITAL
DAKHAL KARVA JARURI CHHE.
SHREE DESAINE ABHINANDAN.
SHIRISH KOTHARI
LikeLiked by 1 person
Most informative lesson.
Thanks to Shri Ajay Desai and Govindbhai Maru.
Person who is roaming in forest or Agricultural area, if, possible put on long protective shoes. WORK BOOT. BOOT covering Ankle.
Snakes bite only to protect itself. Man should use leg protective devices.like HEAVY WORK SHOES which cover leg ankle.
Thanks.
Amrut Hazari.
LikeLiked by 2 people