સાપદંશની ધનીષ્ઠ સારવાર (ભાગ : 2)

સાપદંશ થયેલ દરદીને બચાવવાનો શ્રેષ્ઠ ઈલાજ ‘વીષ પ્રતીરોધક રસી’ છે. વીષ પ્રતીરોધક દ્રવ્યની માત્રા, તેનો અખતરો, તેની આડઅસરો, તેના રીએક્શન/પ્રત્યાઘાતી અસરો વીશે આજે જાણકારી મેળવીએ…

(તસવીર સૌજન્ય : કનીષ્ક ઉકુવાલા)

25

સાપદંશની ધનીષ્ઠ સારવાર
(ભાગ : 2)

–અજય દેસાઈ

(‘સાપદંશની ધનીષ્ઠ સારવાર’ લેખનો પ્રથમ ભાગ વાંચવા માટેનો સ્રોત : https://govindmaru.com/2021/03/01/ajay-desai-13/)

સારવાર શરુ કરતાં પહેલાં, વીષ પ્રતીરોધક રસીનો અખતરા પુરતો ઉપયોગ કરવો જોઈએ. આ માટે 0.02થી 0.03 મી.લી. વીષ પ્રતીરોધક દ્રવ્ય લઈ તેને કાંડા ઉપર રસીની મદદથી આપવું જોઈએ. 30 મીનીટ સુધી કોઈ પ્રત્યાઘાતી અસરો ન જણાય તો વીષ પ્રતીરોધક દ્રવ્યની પુરતી માત્રા આપવી જોઈએ; પરન્તુ 5થી 30 મીનીટમાં રસીના છીદ્રની આસપાસ જો ગોળ ચકામા જેવું ઉઠી આવે તો, તે દરદીને આવી રસીની પ્રતી અસરો થશે તેવું જાણી શકાય છે. જેટલા જલદીથી આવું ચકામા જેવું ઉઠી આવે, તેટલી વધુ પ્રત્યાઘાતી અસરો થશે તેવું જાણી શકાય છે.

– 
ખુશ ખબર
ઝડપભેર બદલાતાં વીશ્વમાં ગુંચવાઈ જતાં ચીત્તતન્ત્રોને સમજવામાં

ક્યાંક કોઈક વાત કામ લાગી જાય એવી અપેક્ષા સહ,
મનોસ્થીતી વીષે ડૉ. મુકુલ ચોકસી લીખીત
12 લેખોની ‘ઈ.બુક’ ‘વીચારોના વહેણમાં’ પ્રગટ કરી છે.
‘અભીવ્યક્તી’ બ્લૉગના મથાળે ‘ઈ.બુક્સ’ વીભાગ
https://govindmaru.com/e-books પરથી
આ ઈ.બુક ડાઉનલોડ કરવા વીનન્તી છે.
ગોવીન્દ મારુ
– ● – – 

જો કે હાલના સમયમાં ઘણા આવો પ્રયોગને યોગ્ય નથી માનતા; કારણ કે આ પ્રયોગ દરમીયાન દરદીના જીવનની કીંમતી 30 મીનીટનો વ્યય થાય છે અને આ પ્રયોગ ખોટો પડવાના ઘણાં પરીબળો છે. આ પ્રયોગથી એનાફાયલેસીસ (Anaphylaxis) થશે કે નહીં તે વીશે ચોક્કસ માહીતી નથી મળતી. આવા વીકલ્પમાં હવે તો એનાફાયલેસીસ થાય તો તે સામે લડવાની તૈયારી સાથે દરદીને વીષ પ્રતીરોધક રસી આપી દેવાનું ચલણ છે; કારણ કે એનાફાયલેસીસના મારણ માટે એડ્રીનાલીન (Adrenalin) એ સચોટ ઈલાજ ઉપલબ્ધ છે જ.

સાપ વીષ પ્રતીરોધક રસીની (Anti snake venom) પ્રત્યાઘાતી અસરોમાં સહુથી પ્રબળ અસર એનાફાયલેસીસની (Anaphylaxis) છે. જે વ્યક્તીને વીષ પ્રતીરોધક રસી આપી હોય તેનું ઘણી વાર પ્રત્યાઘાતી અસરોથી ત્વરીત મૃત્યુ પણ થઈ શકતું હોય છે. આની પ્રત્યાઘાતી અસરોમાં મુખ્યત્વે શરીર પાણી પાણી થઈ જવું, ખુબ ખંજવાળ આવવી, શ્વાસ ચઢવો, પરસેવો થવો, નાડીના ધબકારા ધીમા થઈ જવા, રક્તના દબાણમાં ઘટાડો થવો, ઉલટી થવી અને અંતે મૃત્યુ થવું વગેરે છે. આવી પ્રત્યાઘાતી અસરોના મારણ એડ્રીનાલીન (Adrenalin) નામની દવા 1:1000ના ભાગમાં, સ્ટીરોઈડ (Steroid) તથા એન્ટી હીસ્ટામીનીક (Antihistaminic) સાથે આપવી જોઈએ અને સકસન (Suction) મશીન વડે શ્વાસનો માર્ગ સ્વચ્છ રાખવો જોઈએ.

અન્ય અસરોમાં દરદીને ઘણીવાર ગ્લુકોઝની બોટલ ચઢાવવાની શરુઆત કરતાં 10થી 15 મીનીટમાં ઠંડી લાગે છે અને તે ધ્રુજે છે. આવું થવાનું કારણ પાયરોજન (Pyrogen) હોઈ શકે છે. આવી અસરો બોટલ પુરી નથી થતી, ત્યાં સુધી રહે છે. આવા સંજોગોમાં દરદીને પેરાસીટામોલ (Paracetamol) આપવી જોઈએ.

લાંબા ગાળાની અસરોમાં દરદીને એકવાર પુરતી માત્રામાં વીષ પ્રતીરોધક દ્રવ્ય આપ્યા બાદ દરદી સમ્પુર્ણ ભયમુક્ત બની જાય, ત્યારબાદ 4થી 24 દીવસ સુધીના સમયગાળા દરમીયાન શરીર તુટવું, તાવ આવવો, હાડકાં તથા સ્નાયુઓ ખેંચાવા, સોજા રહેવા, ઉબકા આવવા, ઉલટી થવી વગેરે જેવી પ્રત્યાઘાતી અસરો રહે છે. આ અસરોના શમન માટે સેલીસીલેટ (Salicylates) આપવી જોઈએ.

વીષ પ્રતીરોધક રસી, દરદીને આપવાનો મુખ્ય ઉદ્દેશ દરદીના શરીરમાં પ્રવેશેલ વીષની અસરો નાબુદ કરવાનો છે. વીષ પ્રતીરોધક રસી આપવાની બધી તૈયારી કર્યા બાદ દરદીને શરુઆતમાં કેટલી માત્રામાં વીષ પ્રતીરોધક દ્રવ્ય આપવું જોઈએ, તે પણ નક્કી કરવું જોઈએ. નાગનો દંશ લાગ્યો હોય અને દરદીને તરત દવાખાનામાં લાવ્યા હોય તથા ઝેર પુરતી માત્રામાં શરીરમાં પ્રવેશ્યું હોય તો લગભગ 0.6 મી.ગ્રા. જેટલું ઝેર લોહીમાં પ્રવેશ્યું હોય છે. આટલા ઝેરની અસર નાબુદ કરવા માટે 100 મી.ગ્રા. વીષ પ્રતીરોધક દ્રવ્ય જોઈએ; કારણ કે ભારતમાં જે સંસ્થાઓ વીષ પ્રતીરોધક દ્રવ્ય તૈયાર કરે છે, તેમની 10 મી.ગ્રા.ની એક શીશીમાં નાગનું વીષ 0.6 મી.ગ્રા., કાળોતરોનું વીષ 0.45 મી.ગ્રા., ખડચીતળનું વીષ 0.60 મી.ગ્રા. તથા ફુરસાના 0.45 મી.ગ્રા. વીષની અસર નાબુદ કરવાની ક્ષમતા હોય છે. એટલે નાગના 0.6 મી.ગ્રા. વીષની અસર નાબુદ કરવા 100 મી.ગ્રા. વીષ પ્રતીરોધક દ્રવ્ય જોઈએ. ટુંકમાં 10 મી.ગ્રા.ની એક એવી 10 શીશી જોઈએ; પરન્તુ દંશ લાગ્યાના 3થી 4 કલાક બાદ દરદીને દવાખાનામાં લાવવામાં આવ્યો હોય તો 200 મી.ગ્રા. જેટલું વીષ પ્રતીરોધક દ્રવ્ય આપવું જોઈએ. જ્યારે કાળોતરોના દંશમાં શરુઆતના તબક્કામાં 20થી 50 મી.ગ્રા.ની માત્રામાં અને ત્યારબાદ જરુરીયાત અનુસાર વધુ ને વધુ માત્રામાં વીષ પ્રતીરોધક દ્રવ્ય આપવું જોઈએ. ખડચીતળના દંશમાં આવી પ્રાથમીક માત્રામાં 50 મી.ગ્રા.ની હોવી જોઈએ; પરન્તુ દરદીને જેમ મોડો લાવવામાં આવે તેમ આવી માત્રા વધુ ને વધુ આપવી જોઈએ. આવું દ્રવ્ય પાવડર સ્વરુપમાં મળે છે. તેને શુદ્ધ જન્તુરહીત પાણીમાં ઓગાળી ગ્લુકોઝની બોટલ દ્વારા દરદીને આપવી જોઈએ. આવી વીષ પ્રતીરોધક રસીની સાથે સાથે દરદીને અન્ય કેટલીક રસી તથા દવાઓ પણ આપવી જરુરી છે.

ઝેરી સાપનો દંશ હોવાના કોઈ પણ ચીન્હો ન જણાય તો દંશ બીનઝેરી સાપનો કે અન્ય કોઈ જીવ, જંતુનો હોઈ શકે છે. આવા કીસ્સાઓમાં પણ દરદીને દવાખાનામાં 24 કલાક સુધી નીરીક્ષણ હેઠળ રાખવો જોઈએ. ત્યારબાદ તેને રજા આપવી જોઈ. આ સમયગાળા દરમીયાન ગભરાઈને કે આવેશમાં આવીને દરદીને વીષ પ્રતીરોધક રસી આપવી ન જોઈ.

ધનુર (Tetanus)ની રસી દંશ લાગ્યાના 24 કલાકમાં આપવી જ જોઈએ, આવી રસી સાપ કરડ્યો હોય કે દંશ અન્ય કોઈ જીવ જંતુનો હોય તો પણ આપવી જોઈ.

એમ્પીસીલન (Ampicillin) કે એમોક્સીલીન (Amoxycillin) આપવી જોઈએ; પરન્તુ ટ્રેટાસાઈકલીન (Tretacycline) કે સ્ટ્રેપ્ટોમાઈસીન (Streptomycin) જેવી દવાઓ ન આપવી જોઈ.

જો દંશની જગ્યાએ સડો જણાય, ઘા પડ્યો હોય કે ચાંદા જણાય, તો યોગ્ય માત્રામાં એરીથોમાઈસીન (Erythomycin), સેફોલોસ્પોરીન (Cephalosporin) કે કલોક્સાસાઈકલીન (Cloxacycline) આપી શકાય.

ખડચીતળના દંશમાં ખુબ દરદ થતું હોય, ત્યારે કોડીન (Codein), બ્રુફેન (Brufen) કે પેન્ટાઝોસીન (Pentazocin)ની ગોળી આપી શકાય અને જો દુખાવો અસહ્ય થતો હોય તો પેન્ટાઝોસીનની રસી લોહીની નસમાં આપી શકાય.

ક્યારેક દરદીના શરીરમાંથી ઘણું બધું લોહી વહી જતું હોય છે. આવા સંજોગોમાં દરદીને અન્ય વ્યક્તીનું તેના લોહીને મળતું લોહી આપી શકાય. ઘણીવાર દરદી ખુબ નબળો, અશક્ત હોય ત્યારે પણ આવું વધારાનું લોહી આપી શકાય.

આવી વીષ પ્રતીરોધક રસી દરદીના શરીરમાં ફેલાયેલાં વીષની બધી જ અસરો નાબુદ કરવા સક્ષમ નથી હોતી. દા.ત.; વીષ પ્રતીરોધક રસી આપ્યા પહેલાં થયેલ સ્થાનીક નુકશાન; પરન્તુ દરદીને બચાવવાનો આ જ શ્રેષ્ઠ ઈલાજ હોય, રસી આપવી હીતાવહ તો છે જ, સાથે ફરજીયાત પણ છે.

સાપદંશના દરદીને સાપના ઝેરની સારવાર પુરી થતાં હૉસ્પીટલમાંથી રજા આપ્યા પછી, જો દરદીને ઘરે શ્વાસોચ્વાસમાં કે માનસીક તકલીફ જણાય, રક્તસ્રાવ થાય, તાવ આવે કે દુખાવો જણાય, શરીરના જે ભાગમાં સાપદંશ થયો હોય ત્યાં સોજો જણાય તો દરદીને તરત જ પાછો દવાખાને દાખલ કરવો જોઈએ. દરદીને ફરીથી નીરીક્ષણ હેઠળ રાખી, આ બધી અસરો નાબુદ કરવા પ્રયત્નો કરવા જોઈએ. વીષ પ્રતીરોધક રસીની આડઅસરો ન જન્મી હોય, રીએક્શન ન આવ્યા હોય તો પણ ઘણીવાર તેના થકી કેટલાક ફેરફાર થોડા દીવસ સુધી શરીરમાં થતા હોય છે.

ઘણા કીસ્સામાં ખાસ કરીને ખડચીતળ જેવા સાપના દંશમા, દંશ લાગ્યાની જગ્યાએ વાઢકાપની આવશ્યકતા જણાતી હોય તો સર્જનનો સમ્પર્ક કરવો જરુરી છે. આ સારવાર લાંબી ચાલતી હોય છે. લાંબા સમય સુધી ડ્રેસીંગ કરાવવું પડતું હોય છે.

ઘણીવાર દંશ એટલો સખત હોય છે કે દરદીના એ અંગમાં કાયમી ખોટ રહી જતી હોય છે, તે અંગ કાપવું પણ પડતું હોય છે. દરદીને સારવાર બાદ પણ ઘણા કીસ્સામાં ખાસ કરીને નીચે મુજબની અસરો રહી જતી હોય છે.

  • દંશ લાગેલા અંગનું સડી જવું.
  • અન્દરના હાડકામાં સડો થવો.
  • ચાંદા પડવા.
  • સાંધાનો દુખાવો થવો.
  • કેન્સર થવું.
  • મુત્રપીંડમાં નુકસાન થવું.
  • મગજમાં રક્તસ્રાવ થવો અને ચેતાકીય ખામી સર્જાવી વગેરે.

–અજય દેસાઈ

પ્રકૃતી અને પર્યાવરણપ્રેમી શ્રી. અજય દેસાઈનો ગ્રંથ ‘સર્પસન્દર્ભ’ (પ્રકાશક : પ્રકૃતી મીત્ર મંડળ, ‘પ્રકૃતી ભવન’, અમૃતવાડી સોસાયટી પાસે, રેલ્વે સ્ટેશન રોડ, દાહોદ – 389 151 સેલફોન : 98793 52542 ઈ.મેલ : pmm_dhd@yahoo.com  વેબસાઈટ : www.pmmdahod.com છઠ્ઠી આવૃત્તી : એપ્રીલ, 2017 પાનાં : 250, કીમ્મત : રુપીયા 250/-)માંથી લેખક, પ્રકાશક અને તસવીરકારોના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. અજય મહેન્દ્રકુમાર દેસાઈ, 24, ‘પ્રકૃતી’, વૃંદાવન સોસાયટી, માર્કેટ રોડ, દાહોદ – 389151 સેલફોન : 94264 11125 ઈ.મેલ : desaiajaym@yahoo.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે 7.00 અને દર સોમવારે સાંજે 7.00 વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેઈલ : govindmaru@gmail.com

3 Comments

  1. અજયભાઇઅે સર્પદંશની બીજી બીહામણી બાજુ સમજાવી.
    સરસ લેખ.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  2. ખુબ જ સરસ ઉપયોગી માહિતીસભર લેખ.
    આભાર! લેખક અજય દેસાઈ તથા મા. ગોવિન્દભાઈ નો…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s