‘માનવવાદ’ : ત્રીજા વીશ્વની જરુરીયાત
–ડૉ. ઈન્દુમતી પરીખ
વીશ્વના અન્ય માનવવાદીઓની જેમ જ, ભારતના માનવવાદીઓ સ્વાતન્ત્ર્ય, જ્ઞાન, સત્ય અને ધર્મનીરપેક્ષતા આધારીત સહકારી વીશ્વની રચના કરવા ઈચ્છે છે. સાંખ્ય, વીશેષીકા અને લોકાયત દર્શનોમાં BC 800 વર્ષ અગાઉ કપીલ અને ચાર્વાક જેવા વીદ્વાનોએ આ પ્રકારના પોતાના વીચારો પ્રગટ કર્યા છે. BC 600 વર્ષ અગાઉ ગૌતમ બુદ્ધે જ્ઞાતીવીહીન સમાજ અને બીનસાંપ્રદાયીક ધર્મનો પ્રચલીત કરેલ ખ્યાલ ભારતની સરહદો ઓળંગી દક્ષીણ–પુર્વ એશીયાના દેશોમાં પ્રસાર પામ્યો હતો. થોડી સદીઓ બાદ બ્રાહ્મણવાદે બૌદ્ધધર્મને ભારતમાંથી હાંકી કાઢ્યો અને ધાર્મીક ક્રીયાકાંડ ચુસ્ત ધર્મ સ્થાપ્યો અને આજે પણ તેની બોલબાલા છે.
ભારતીય ઉપખંડ એવો પ્રદેશ છે કે જ્યાં અનેક દેશોની સંસ્કૃતીઓનું મીશ્રણ થયેલ હોવા છતાં, કોઈ એક સ્વતન્ત્ર સંસ્કૃતી વીકસી શકી નથી. ભારતમાં અનેક જાતીઓ, ધર્મો અને સંસ્કૃતીઓનું મીશ્રણ છે. આ ઉપખંડમાં અનેક મુળનીવાસીઓ અને આધુનીક જાતીઓ વસે છે અને દરેક પોતાની ઓળખ અને જીવન રીતી ટકાવી રાખવા માગે છે. દેશના બહુમતી લોકો પ્રાચીન પ્રણાલીકાઓ, ધાર્મીક સંસ્કારો અને રીતીઓમાં માને છે અને તેને અનુસરે છે. સાથે સાથે તેઓ આધુનીક વીજ્ઞાન અને ટૅકનોલૉજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે; પરન્તુ તેની પાછળના વૈજ્ઞાનીક સીદ્ધાંતથી તેઓ અજાણ છે. આધુનીક શીક્ષીતલોકો પણ વધતા જતા ધાર્મીક કટ્ટરતાનાં વાતાવરણમાં રખે ને અલગ પડી જવાના ભયથી ધાર્મીક વીધીઓ પુર્નજીવીત કરી રહ્યા છે.
ઉપખંડની ખરી સમસ્યાઓ ગરીબી, અજ્ઞાનતા. વસ્તીવીસ્ફોટ અને તેનાં પરીણામે સામાજીક અસલામતી વધતી જાય છે. કંટાળેલા લોકો આખરે સત્તાધીકારવાદ (Authoritarianism)માં પોતાનો આશ્રમ શોધે છે. ઉપખંડના દેશોની મોટાભાગની સરકારો, સમસ્યાઓના ઉકેલનો પ્રયત્ન કર્યા સીવાય અધકચરી સેવાઓ આપે છે. બહુ ઓછા નાગરીકો પોતાની આસપાસના બનાવોથી માહીતગાર છે. તેમના મોટાભાગના પ્રયત્નો બે ટંક ભોજન અને તાપ તથા વરસાદથી બચવા સલામત આશ્રય મેળવવાની મહેનતમાં ખર્ચાઈ જાય છે. પ્રશ્ન એ થાય છે કે શા માટે લોકો અવાજ ઉઠાવતા નથી અને જ્યારે તેઓ ભુખમરો વેઠતા હોય ત્યારે નસીબ વીશે વીચારવાના બદલે શા માટે તેઓ સમાજ અને રાજ્ય વ્યવસ્થામાં પરીવર્તન લાવવા વીચારતા નથી?
આ પ્રશ્નનો જવાબ એ હકીકતમાં રહેલો છે કે ભારતમાં સદીઓથી ઉચ્ચક્રમ ધર્મસત્તાધીકાર (hierarchical) સામાજીક માળખુ સ્વીકારાયેલ છે. સદીઓ પુરાણી જ્ઞાતીપ્રથા વર્તમાનમાં પણ જીવન્ત છે અને બ્રાહ્મણ જ્ઞાતી તેમાં શ્રેષ્ઠ છે. અન્ય તમામ જ્ઞાતીઓ જીવનના તમામ ક્ષેત્રોમાં બ્રાહ્મણો કરતાં ઉતરતી છે. ઉચ્ચ જ્ઞાતીમાં જન્મ નસીબને આધીન છે. પુર્વજન્મમાં કરેલ પાપોનાં કારણે તેણે આ જન્મમાં દુઃખો સહન કરવા પડે છે. કોઈ પણ વ્યક્તીનું દરેક કાર્ય ધર્મ અને નસીબથી નીશ્ચીત થયેલું છે. કોઈને પણ તેમાં ફેરફાર કરવાનો અધીકાર નથી. તેનું દેખીતું પરીણામ એ આવ્યું કે લોકો નસીબવાદી અને ગુલામી માનસીકતા ધરાવતા થઈ ગયા. આજે પણ શીક્ષીત લોકો સહીત હીંદુ માનસમાં આ માન્યતા દૃઢ થયેલી છે. વીકાસમાર્ગમાં આ સૌથી મોટો અવરોધ છે અને મોટાભાગના લોકો હજુ પણ એ સ્વીકારતા નથી કે માનવ પોતે જ પોતાના ભાગ્યનો વીધાતા છે.
આજે આપણે ગરીબી, અજ્ઞાનતા, વસ્તીવીસ્ફોટ, કટ્ટરવાદ અને નસીબવાદી વલણના વીષચક્રમાં ફસાયેલા છીએ. માનવવાદી દષ્ટીકોણ આ વીષચક્ર તોડવામાં આપણને મદદરુપ થશે. બેશક, આ લાંબી અને અઘરી મંઝીલ છે અને છતાં નીશ્ચીત લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ એક જ માર્ગ છે. સૌ પ્રથમ, માનવ જાતના મોટા ભાગના સમુહોમાં જીવન ધોરણમાં સુધારો થવો જોઈએ. તેમની સમસ્યાઓ હલ કરવા માટે તેમની ઈચ્છાશક્તી અને સહકાર હોવા જોઈએ. આ લોકોએ તેમની વચ્ચેના જ્ઞાતી વીભાજન અને ધાર્મીક મતભેદો ભુલી જવા જોઈએ અને પોતાને માત્ર માનવી તરીકે સ્વીકારવા જોઈએ. કમનસીબે ભારતમાં સત્તામાં રહેલ લોકો આ બાબત સ્વીકારતા નથી. ભારતમાં લોકશાહી અને (કાગળ પર જ) ધર્મનીરપેક્ષતા શાસન વ્યવસ્થાના આધારસ્તંભ તરીકે સ્વીકારાયેલ છે. ત્રીજા વીશ્વના લોકોએ એ સમજવું જોઈશે કે ઉચ્ચ સામાજીક જીવન માટે સમાજ વ્યવસ્થામાં તેમણે જ પરીવર્તન લાવવું પડશે. આ અલબત્ત, વીકટ કામગીરી છે.
વૈયક્તીક, સ્વાતન્ત્ર્ય અને માનવ અધીકારોની બાબતમાં, બીજા દેશો કરતાં ભારત થોડી સારી સ્થીતીમાં છે. પાકીસ્તાનમાં પ્રગતીશીલ વીચારો દબાવવામાં આવે છે. શ્રીલંકામાં પણ કાંઈક આવી જ સ્થીતી છે. બ્રીટીશરોએ આ ઉપખંડમાં પગ પેસારો કર્યો; કારણ કે તેમને પોતાના ઉદ્યોગો માટે ભારતમાંથી સસ્તો કાચો માલ અને તેમના તૈયાર માલ માટે બજારોની જરુર હતી. યુરોપમાં થયેલ પુર્નજાગરણ ચળવળે પશ્ચીમના લોકોને ધાર્મીક પ્રભુત્વમાંથી અને અલૌકીક શક્તીના ખ્યાલથી મુક્ત કર્યા. આ ચળવળનાં પરીણામે પ્રબુદ્ધતા (enlightenment) યુગનો અને ઔદ્યોગીક ક્રાંતીનો જન્મ થયો. યુરોપના દેશોએ પોતાની આર્થીક અને રાજકીય સત્તા મજબુત બનાવી. આર્થીક વીકાસ પાછળ મુખ્ય પરીબળ નફો હતું. મુડીવાદી પદ્ધતીઓ વીકસી રહી હતી. યુરોપના દેશોએ પોતાની હકુમત હેઠળના દેશોમાં અમાનવીય શોષણથી પોતાના દેશના લોકોને સુખી અને સમૃદ્ધ બનાવ્યા; પરન્તુ તેમની વચ્ચેની ગળાકાપ હરીફાઈનાં કારણે બે વીશ્વયુદ્ધો થયા. બીજું વીશ્વયુદ્ધ પ્રથમ કરતા વધારે વીનાશક હતું. બીજા વીશ્વયુદ્ધના અંત બાદ શક્તીશાળી રાષ્ટ્રોની સત્તા કડડભુસ ભાંગી ગઈ. અનેક નવાં સ્વતન્ત્ર રાષ્ટ્રો અસ્તીત્વમાં આવ્યા; પરન્તુ આ નવા રાષ્ટ્રો આર્થીક, રાજકીય, શૈક્ષણીક તેમ જ સાંસ્કૃતીક રીતે અત્યન્ત પછાત હતા. વર્ષોની ગુલામી, વૈજ્ઞાનીક ટૅકનોલૉજી તેમ જ વહીવટી કુશળતાના અભાવના કારણે તેમની આ સ્થીતી થઈ હતી.
ભારતને આઝાદી સાથે જ પીડાદાયક વીભાજન અને ભયંકર કોમી વીખવાદની અનુભુતી થઈ. તેનાં કેટલાક સ્થાનીક કારણો હતા. તેમ છતાં બ્રીટીશરોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ નીતીનું આ પરીણામ હતું. ભારતને અલબત્ત, બ્રીટીશરોના ઉદામ વીચારોથી લાભ થયો છે. ભારતના લોકોને બ્રીટીશરોએ આધુનીક વીજ્ઞાન, ટૅકનોલૉજી અને નવા રાજકીય વીચારોથી માહીતગાર કર્યા. આઝાદી બાદ ભારતે બ્રીટીશ લોકશાહી પદ્ધતી અપનાવી છે. બ્રીટીશરોએ પોતાનાં શાસન દરમ્યાન મજબુત વહીવટી માળખું રચેલ હતું અને તે ભારતને વારસામાં મળેલ છે. દાદાભાઈ નવરોજી, વીઠ્ઠલભાઈ પટેલ, ડૉ. આંબેડકર, જવાહરલાલ નહેરુ, ગાંધીજી વગેરેએ બ્રીટનમાં ઉચ્ચ શીક્ષણ પ્રાપ્ત કરેલ હતું.
બ્રીટીશરોએ જ્યારે ભારત છોડ્યું. ત્યારે ભારતમાં અશાંતી હતી. ખેતીવાડી સૌથી મોટો ઉદ્યોગ હતો; પરન્તુ તેને વૈજ્ઞાનીક પદ્ધતી કે રીતનો સ્પર્શ થયો ન હતો. જમીનદારો પાસે ખુબ મોટા પ્રમાણમાં જમીન હતી અને જમીન વીહોણા ખેત મજુરો લાચાર દેશામાં જીવન ગુજારી રહ્યા હતા. ભારતમાં ઉદ્યોગોનું ઉત્પાદન મોટા ભાગે બ્રીટીશ ઉદ્યોગોની જરુરીયાત પુરી કરી રહ્યું હતું. ભારતના લોકોની જરુરીયાતોની પુર્તી અર્થે ઉત્પાદનનો વીચાર હજુ ઉદ્ભવ્યો ન હતો. શીક્ષણ બ્રીટીશ શાસન માટે કારકુનો પેદા કરવા માટે શરુ કરાયેલ હતું. કુદરતી સંસાધનોના ઉપયોગ કે વીતરણ માટે કોઈ ચોક્કસ નીતી ઘડાઈ ન હતી. વીજ્ઞાનશીક્ષણ, વીજ્ઞાનપદ્ધતી કે વીજ્ઞાનસંશોધન પાછળ ધ્યાન અપાયું ન હતું. ભારતે લોકશાહી અને ધર્મનીરપેક્ષ શાસન વ્યવસ્થા સ્વીકારી હતી. જ્યારે પાકીસ્તાન ધાર્મીક રાજ્ય બન્યું હતું. અંગ્રેજી ભાષા બહુ ઓછા લોકો જાણતા હતા. આ તમામ મુશ્કેલીઓ છતાં, આપણે લોકશાહી અને સ્વાતન્ત્ર્ય ટકાવી રાખવાના હતા. કેટલાક દેશો વચ્ચે ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હતું. સત્તાધારી લોકોને લોકોની સમસ્યા ઉકેલાવા કરતાં પોતાની સત્તા જાળવી રાખવામાં વધુ દીલચસ્પી હોય છે. તેઓ નથી ઈચ્છતા કે લોકો પોતાની જાતે તેમની સમસ્યા ઉકેલવા સક્ષમ બને. આ સ્થીતીમાં માનવવાદી અભીગમ જ આપણને ઉપયોગી બને; કારણ કે માનવવાદી અભીગમ નાત, જાત, ધર્મ, ભાષા, પ્રદેશ અને રાષ્ટ્રની સીમાઓથી પર છે. માનવવાદી ચળવળે ત્રીજા વીશ્વના દેશોની સમસ્યાઓ સમજવા પ્રયાસ કરવો જોઈએ.
વીકસીત દેશોમાં પણ બધું બરાબર તો નથી જ. ત્યાં પણ ગરીબી, બેરોજગારી, સામાજીક અસલામતી વગેરે વધી રહ્યાં છે. જાહેરાતો અને પ્રચાર દ્વારા ઉપભોક્તાવાદને બહેકાવવામાં આવે છે. શક્તીશાળી દેશો પોતાના દેશની વ્યવસ્થા ઠીક કરવાના બદલે નબળા દેશોમાં પેસી શક્ય તેટલું શોષણ કરી રહ્યા છે. તેઓ ગરીબ રાષ્ટ્રોને શસ્ત્ર વેચી રહ્યા છે. વર્લ્ડ બેંક જેવી સંસ્થાઓ શક્તીશાળી દેશોની તરફેણ કરે છે. પર્યાવરણને નુકસાનકારક ચીજ વસ્તુઓ ત્રીજા વીશ્વના દેશોને પધરાવવામાં આવે છે. વીશ્વના 2/3 દેશો ગરીબી અને અજ્ઞાનતાથી ગ્રસીત છે. તેમને છોડીને વીકાસ સાધી શકાય નહીં.
ભારતમાં પુર્નજાગરણની જરુર છે. તે ઉચ્ચ વર્ગના લોકો માટે નહીં; પરન્તુ સામાન્ય જનતાના હીતમાં થવું જોઈએ. આપણે આપણા લોકોનો આત્મવીશ્વાસ વધારવો જોઈએ કે જેથી સામાજીક પરીવર્તન લાવી શકે, વીચાર પદ્ધતીમાં પરીવર્તન લાવી શકે અને સમજી શકે કે કટ્ટરતા તમામનો ખાત્મો બોલાવી દેશે. માનવવાદી દષ્ટીકોણમાં જીવનના વીકાસ માટે એકાંગી નહીં; પરન્તુ સમગ્રતયા (holistic) અભીગમ અપનાવવામાં આવે છે. વીશ્વને ધર્મ, ભાષા, જાતી, પ્રદેશના આધારે વહેંચી શકાય નહીં. દુનીયાના અન્ય દેશોની સ્થીતી ધ્યાનમાં લીધા સીવાય કોઈ દેશ વીકાસની ઉંચાઈ સર કરી શકશે નહીં. માનવવાદીઓએ સત્તાધારી લોકોનાં માનસમાં પણ ફેરફાર લાવવો પડશે કે જેથી ત્રીજા વીશ્વના લોકો સાથે સારો વ્યવહાર થાય.
મને ખાત્રી છે કે 21મી સદી માનવવાદની સદી હશે; પરન્તુ તેનો આધાર વીકસીત દેશોના માનવવાદીઓની વૈશ્વીક પરીસ્થીતીની સમજ પર રહેલો છે. ત્રીજા વીશ્વના ઘણા લોકો સમજવા લાગ્યા છે કે માનવવાદ એકમાત્ર આશા છે. સ્ત્રીઓને શીક્ષણ, આરોગ્ય, કુટુમ્બ નીયોજન, સ્વતન્ત્ર આવક અને સામાજીક આર્થીક અને રાજકીય બાબતોમાં નીર્ણયશક્તીની જરુર છે. કીશોર–કીશોરીઓનો જવાબદાર નાગરીક તરીકે ઉછેર થવો જોઈએ. માનવવાદી જુથો માટે આ તાકીદની કામગીરી છે અને તેમણે નીચેનાં સ્તરથી કામ કરવું જોઈએ. સત્તાધારી લોકો યેનકેન પ્રકારે સત્તામાં રહેવા નવા–નવા પૈતરા રચે છે. તેથી મતદારોને જાગૃત કરવાની જરુર છે. સત્તાનું કેન્દ્રીકરણ નહીં; પરન્તુ વીકેન્દ્રીકરણ થવું જોઈએ.
આપણા રાજકારણીઓ દ્વારા પોષાઈ રહેલ કટ્ટરતા પર કાબુ મેળવવાની ખાસ જરુર છે. તેમના દ્વારા કોમી વેરઝેર અને નફરત ફેલાવવામાં આવે છે. આપણા હાથ અને મસ્તકની મદદથી આપણે ગરીબી, અજ્ઞાનતા અને કોમી નફરતનું વીષચક્ર તોડવાની જરુર છે. આપણે તમામ લોકો સાથે એકતા અને શાંતીથી રહેવાનું છે. તેનાથી જ મુક્ત માનવોનો સમાજ રચી શકાશે.
– ડૉ. ઈન્દુમતી પરીખ
સમ્પાદકો બીપીન શ્રોફ અને અશ્વીન ન. કારીઆની પુસ્તીકા ‘માનવવાદ’ (પ્રકાશકો : (1) રૅશનાલીસ્ટ ગીરીશ સુંઢીયા, મહામન્ત્રી, બનાસકાંઠા જીલ્લા અન્ધશ્રદ્ધા નીર્મુલન સમીતી, 69/2, ચાણક્યપુરી સોસાયટી, હનુમાન ટેકરી, આબુ હાઈ વે, પાલનપુર – 385 001 અને સેલફોન : 942 666 3821 (2) રૅશનાલીસ્ટ સીદ્ધાર્થ ટી. દેગામી, પ્રમુખ, સત્યશોધક સભા, 410, આગમ ઓર્ચીડ, નન્દીની–2 પાસે, વેસુ, સુરત – 395 007 સેલફોન : 942 680 6446 પ્રથમ આવૃત્તી : માર્ચ, 2021 પાનાં : 88 + 10, મુલ્ય : રુપીયા 70/-)માંથી), સમ્પાદકો અને પ્રકાશકોના સૌજન્યથી સાભાર..
સમ્પાદક–સમ્પર્ક :
(1) શ્રી. બીપીન શ્રોફ, તન્ત્રીશ્રી, ‘માનવવાદ’, 1810, લુહારવાડ, મહેમદાવાદ – 387 130 ફોન : (02694) 245 953 સેલફોન : 97246 88733 ઈ–મેલ : shroffbipin@gmail.com
(2) અશ્વીન ન. કારીઆ, (નીવૃત્ત પ્રીન્સીપાલ, લૉ કૉલેજ) 16, શ્યામવીહાર એગોલા રોડ, પાલનપુર – 385001 સેલફોન : 70167 48501/ 93740 18111
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com
ડૉ. ઈન્દુમતી પરીખનો ‘માનવવાદ’ : ત્રીજા વીશ્વની જરુરીયાત ખૂબ સુંદર લેખ
‘ગરીબી, અજ્ઞાનતા, વસ્તીવીસ્ફોટ, કટ્ટરવાદ અને નસીબવાદી વલણના વીષચક્રમાં ફસાયેલા છીએ. માનવવાદી દષ્ટીકોણ આ વીષચક્ર તોડવામાં આપણને મદદરુપ થશે. બેશક, આ લાંબી અને અઘરી મંઝીલ છે’ સટિક વાત .
‘ વૈયક્તીક, સ્વાતન્ત્ર્ય અને માનવ અધીકારોની બાબતમાં, બીજા દેશો કરતાં ભારત થોડી સારી સ્થીતીમાં છે.’ આને લીધે મુક્ત માનવોનો સમાજ રચી શકવાનુ શક્ય છે.અને આની અસર બીજા દેશોમા પણ પડશે.સુધારાની ગતી ધીરી છે પણ માનવવાદ થશે જરુર
LikeLiked by 1 person
ધર્મ એ અફીણની ગોળી છે. આ એક જૂની કહેવત છે. વીશ્વને ધર્મ, ભાષા, જાતી, પ્રદેશના આધારે વહેંચી શકાય નહીં. પોતાના મૂલ્ય સમજો એજ ખરો ધર્મ કહેવાય. ક્રિયા કાંડ કરવાથી શું ધર્મ કર્યો કહેવાય. મન ચંગા તો કથરોટમે ગંગા. મે તપ કર્યા પણ મારુ મન તો નકામા વિચારોમાં ગુથાયેલું છે. તો પછી તાપણું ફળ શું? બ્રાહ્મણોએ જાતિવાદ ફેલાવીને શા માટે બુદ્ધ ધર્મ ભારતમાથી હાકિ કાઢ્યો? માફ કરોજો, બ્રાહ્મણોમાં ઘનાંઓ nonweg છે.
LikeLike
It is very good analysis and I liked it so much. I really appreciate her ideas.
Thanks,
Pradeep H. Desai
USA
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
આપશ્રીનો બ્લૉગ ‘માનવધર્મ’ પર લેખીકા ડૉ. ઈન્દુમતી પરીખનો લેખ ‘‘માનવવાદ’ : ત્રીજા વીશ્વની જરુરીયાત’ને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર..
LikeLike
Dr. Indumati Parikh has elucidated the problem of religion, politics and humanism very well in this short but concise article.
India is a secular democracy but majority is Hindu, so many of them think to make her a Hindu nation and the present administration, kind of encourages this idea.
She elucidated this point very well.
It’s now time for all the rationalist and humanitarian groups to work together to make the world better place for all.
Many thanks to the author and Govindbhai.
LikeLiked by 1 person
ડો. ઇન્દુમતી પરીખનો લેખ…‘ માનવવાદ ‘ સરસ છે.
જે આદર્શને તેઓ ઇચ્છી રહ્યા છે તે તેમના જ આર્ટીકલમા..લખેલા મહાપુરુષો પણ પામી ન્હોતા શક્યા.
ભારતનું સામાજીક અને પોલીટીકલ માળખું દિવસે દિવસે બગડતું જાય છે. ઘાર્મિક વિખવાદો અેટલી હદે બગડી ગયા છે કે ભાવિ કદાચ ઢૂંઢળું દેખાય છે.
આદર્શો ૧૦૦ ટકા પામવું અશક્ય જ હોય છે. માનવવાદ જેવું તો કોઇક જ ‘ માનવી‘ કરે છે, જીવે છે. મેજોરીટી સીટીઝન્સ…હિંસાવાદના ચક્કરમાં જ જીવે છે. ‘અહિંસા‘ તો પ્રયોગની પાટી પર છે. શબ્દરુપે તે સરસ દેખાય છે. પૃથ્વિ ઉપર ‘હિંસા‘નું જ રાજ ચાલે છે.
કોમનમેન કે મઘ્યમવર્ગના લોકો જીવવાના નામે જીવી રહ્યા છે.
પુરુ વિશ્વ આજે ‘ હિંસા‘ના વાદળોથી ઘેરાયેલુ છે. કોઇને અેમાંથી બહાર નિકળવાનો રસ્તો જડતો નથી.
આ લખવા પાછળમારો આશય છે….‘ સત્ય‘ લોકોને આપવું.
કુલ વસ્તીના ૫ કે ૧૫ ટકા માનવવાદને પ્રમોટ કરે તો પણ પરિણામ ઝીરો જ રહેશે.
માનવવાદની વ્યાખ્યા જો સમજવી હોય તો નરસીંહ મહેતાના આ ભજનના અેકે અેક શબ્દને જીવનમાં ઉતારો…અને માનવતાથી ભરેલાં માણસો જોવા મળશે.
વૈશ્ણવજન તો તેને રે કહિયે જે પીડ પરાઇ જાણે રે
સકળ લોકમાં સહુને વંદે નિંદા ના કરે કેની રે…..
આખા ભજનની દરેક કડી અને તેમાંના અેકે અેક શબ્દને સમજીને જીવનમાં ઉતારે તો માનવઘર્મ જરુરથી આવે.
કોવિદના સમયમાં કાળાબજાર કરનાર જે કરે છે તે પણ ‘ હિંસા ‘નું જ અેક સ્વરુપ છે.
માણસ….માનવ….માનવતા…..ઇઝીલી મેળવી શકાતું આદર્શ નથી. પ્રમાણિક બનીને સમજવું રહ્યું….તો પછી ત્રીજા વિશ્વની જરુરીઆત કોણ પુરી પાડશે ?
માણસ પોતે જ પોતાનો મારક અથવા તારક છે. ઓનેસ્ટીથી જીવે તો…..
અમૃત હઝારી.
LikeLiked by 1 person
સરસ આદર્શ લેખ, પણ કદાચ આકાશકુસુમવત્ આદર્શ જ રહેશે એમ લાગે છે. આભાર ડૉ. ઈન્દુમતિબહેનનો અને ગોવીન્દભાઈનો
LikeLiked by 1 person