દુરન્દેશી ડૉ. રાજેન્દ્ર ભારુડ
–ફીરોઝ ખાન
દુનીયાની વાત જવા દો આજે આપણા પ્રીય દેશ ભારતને ‘નોવેલ કોરોના વાયરસે’ (COVID–19) ચારેકોરથી ભરડો લીધો છે. લોકો ટપોટપ મરી રહ્યાં છે. સ્મશાનો અને કબ્રસ્તાનોમાં લાઈનમાં રાખેલી નનામીઓના ફોટા અને વીડીઓ જોઈને કાળજું કપાઈ રહ્યું છે. ‘ભાવાંજલીઓ’ લખી, લખીને આંગળીઓ પણ થાકી ગયી છે. લાખો નવા સંક્રમીત કેસો થઈ રહ્યાં છે. હજારો મરી રહ્યાં છે. કુદરત રુઠી છે. કોરોનામાં મેં પોતે એક નાનીબહેન, સાળાભાઈ અને ખુબજ નજીકના એવા ત્રણ જીગરી દોસ્તોને ગુમાવ્યા છે.
કોરોનાની પહેલી લહેર જલ્દી સમાપ્ત થઈ એટલે સરકારે, મીડીયાએ અને લોકોએ ઉજવણીઓ કરેલી. જેના માઠા પરીણામો આજે આપણે ભોગવી રહ્યાં છીએ. વીશ્વના જે દેશોને આપણે વેક્સીન વેચી વ્યાપાર કરેલો આજે એ દેશો આપણને મદદ કરી રહ્યાં છે.
ખેર, આજે એક એવા વ્યક્તીની વાત કરવી છે જે ડૉક્ટર છે, આઈ.એ.એસ. છે અને જીલ્લા કલેક્ટર છે. એમના વીષેનો આ લેખ વાંચીને મને ખાતરી છે કે તમે બધાં કહી ઉઠશો કે કાશ આવા દુરન્દેશી અધીકારી બધે હોવા જોઈએ. એક એવા ડૉક્ટર–કમ–કલેક્ટર કે જેમને ખબર હતી કે કોરોનાની બીજી લહેર આવશે અને એ પહેલી કરતાં વધુ ક્રુર અને ઘાતકી હશે. આ અધીકારીએ પોતાના શહેરમાં અગમચેતી વાપરી ઑક્સીજન બનાવવા માટે પ્લાન્ટ નાખી દીધા.
ડૉ. રાજેન્દ્ર ભારુડ મહારાષ્ટ્રના આદીવાસી વીસ્તારમાં નન્દુરબાર જીલ્લાના કલેક્ટર છે. ડૉક્ટર સાહેબે એટલી સુંદર કામગીરી કરી કે આજે એમના વખાણ ભારતમાંજ નહીં; પણ વીશ્વભરમાં થઈ રહ્યાં છે. કોવીદની બીજી લહેર આવશે એ પારખી જઈને નન્દુરબારમાં મેડીકલ ઑક્સીજન બનાવવાના પ્લાન્ટ્સ નાખ્યા, હૉસ્પીટલ બૅડ બનાવડાવ્યાં, આઈસોલેશન વોર્ડ્સ બનાવ્યા અને શહેરવાસીઓમાં ટીકાકરણની અવીરત મુહીમ ચલાવી. આ બધું એમણે એ સમયે કર્યું જયારે આપણા વડાપ્રધાનથી લઈને આખું ભારત પહેલી લહેર પર મેળવેલી જીતનો ઉત્સવ મનાવી રહ્યાં હતા. નન્દુરબારવાસીઓ ખુબ જ કીસ્મતવાળા છે કે એમને આવો જીલ્લા કલેક્ટર મળ્યો.
આજે નન્દુરબારમાં 150 ખાલી બૅડ ઉપલબ્ધ છે. ઑક્સીજન બનાવવાના બે પ્લાન્ટમાંથી 2,400 લીટર એક મીનીટના હીસાબે ઑક્સીજન બની રહ્યું છે. એમણે શહેરમાં કોરોના પૉઝીટીવનો દર ફક્ત કંટ્રોલમાંજ ના રાખ્યો; પણ એમાં ૩૦ ટકાનો ઘટાડો કરી બતાવ્યો. આજે પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી લોકો ત્યાં ઈલાજ માટે જઈ રહ્યાં છે. આ જાંબાઝ અધીકારી અને એના કર્મચારીઓ એ લોકોની ખડે પગે સેવા કરી રહ્યાં છે.
નન્દુરબારમાં એક પણ ઑક્સીજન પ્લાન્ટ ના હતો; પરન્તુ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં માનનીય ભારુડસાહેબે ત્યાં ઑક્સીજન બનાવવાના એક નહીં પણ બે પ્લાન્ટ બનાવવાની શરુઆત કરેલી. અને એ પણ એવા સમયે જયારે પહેલી લહેર સમાપ્ત થઈ રહી હતી. આને કહેવાય દુરન્દેશી. આવી દુરન્દેશીનો અભાવ ભારતમાં ભરપુર પ્રમાણમાં છે. એમણે પહેલો પ્લાન્ટ જે બનાવ્યો એની ક્ષમતા મીનીટના 600 લીટર ઑક્સીજન બનાવવાની હતી. જયારે કોરોનાની બીજી લહેરની શરુઆત થઈ ત્યારે એમના શહેરમાં એક જ દીવસમાં 1,200 લોકો કોરોના સંક્રમીત થયા અને એમને લાગ્યું કે ફક્ત એક પ્લાન્ટથી કામ નહીં ચાલે એટલે એમણે સમય ગુમાવ્યા વગર બીજો પ્લાન્ટ પણ શરુ કર્યો. આ માટે એમણે લોકો પાસેથી ફન્ડરેઝીંગ કર્યું. આજે બન્ને પ્લાન્ટની ક્ષમતા 3,000 લીટર પ્રતી મીનીટની છે.
ડૉક્ટર સાહેબે અગમચેતી વાપરી જીલ્લાની સ્કુલોને અને કમ્યુનીટી હૉલોને ‘કોવીદ સેન્ટરો’માં ફેરવી નાંખ્યા. 7,000 બૅડ તો આઈસોલેશન માટે અને 1,300 બૅડ આઈ.સી.યુ. અથવા વેન્ટીલેટર સાથેનો બંદોબસ્ત કરી લીધો. ત્રણ લાખની વસ્તીમાંથી એમણે 45ની ઉપરના એક લાખ લોકોનું રસીકરણ કરી લીધું છે.
7 જાન્યુઆરી, 1988ના રોજ જન્મેલા ડૉક્ટર ભારુડસાહેબ ખુબ જ ગરીબ પરીવારમાંથી આવે છે. એમના જન્મ પહેલાં જ એમના પીતાજીનું મૃત્યુ થયું હતું. એમની ‘મા’એ ખેતમજુરી કરી ત્રણ સંતાનોને ઉછેર્યા. એમણે કહ્યું, ‘‘અમે બહુ ગરીબ હતાં. મારી ‘મા’ અને ‘દાદી’ દેશી દારુ પણ વેચતા હતા. અમે ગરીબાઈમાં જીવયા છીએ.’’
સલામ ડૉકટર રાજેન્દ્ર ભારુડને…
સલામ તમારા માતુશ્રીને…
કેનેડાના ‘ગુજરાત ન્યુઝલાઈન’ સાપ્તાહીકમાં પ્રગટ થતી વરીષ્ઠ પત્રકાર, લેખક અને સમાજસેવક જનાબ ફીરોઝ ખાનની લોકપ્રીય કટાર ‘પર્સનાલીટી’ (તા. 23 એપ્રીલ, 2021)માંથી લેખકના અને ‘ગુજરાત ન્યુઝલાઈન’ના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : Mr. Firoz Khan, 504/2825, Islington Ave, Toronto, Ontario, CANADA સેલફોન : +1 416 473 3854 ઈ.મેલ : firozkhan42@hotmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે વાગ્યે, આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ–મેલ : govindmaru@gmail.com
ભારતમાં આવું તો કલ્પી પણ ન શકાય. આટલા સરસ સરકારી અધીકારી!! રાજેન્દ્રભાઈને લાખો આભીનંદન. આ પ્રકારની અત્યંત ઉપયોગી માહીતીની જાણ કરવા બદલ ગોવીન્દભાઈ આપનો ખૂબ ખુબ આભાર.
LikeLiked by 1 person
સારપ બસ સિમિત બની જાય ત્યારે માઠા પરીણામો માઝા મેલે.
રાજ્ય અને કેન્દ્ર સરકારો ડો. ભારુડના કામની નોંધ ન લઈ બહુ મોટી ભૂલ કરી.
આવા સરસ કામનો પ્રચાર કેમ ન થયો? મિડિયા પણ જવાબદાર આમાં, પણ અબ પછતાયે ક્યાં હોત હૈ જબ ચીડિયા ચુગ ગઈ ખેત.
LikeLiked by 2 people
એક તરફ આજના સમાચાર છે-‘મહારાષ્ટ્રમાં કોરોનાનો રોગચાળો વકરીરહ્યો છે દિન પ્રતિદિન કોરોના દરદીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આથી આ કોરોનાના વાઈરસની ચેઈન તોડવા આજથી રાજ્યમાં ૧૫ દિવસન હળવો લોકડાઉન અમલમાં આવી ગયો છે ..’
ત્યારે ત્યાના-‘ ડૉ. રાજેન્દ્ર ભારુડ મહારાષ્ટ્રના આદીવાસી વીસ્તારમાં નન્દુરબાર જીલ્લાના કલેક્ટર છે. ડૉક્ટર સાહેબે સુંદર કામગીરી કરી જેનો ઉલ્લેખ આજે મા ફીરોઝ ખાન દ્વારા થતા માહિતી મળી.
સલામ ડો રાજેન્દ્રજીને અને મા ફીરોઝ ખાનને .
તેમને મહારાષ્ટ્રના કોરોના સલાહકાર બનાવાય તો કોરોનાને મહાત કરવામા સરળતા મળે …
LikeLiked by 1 person
મારા લાખ લાખ નમન , ડો. રાજેન્દ્ર ભારુડને અને તેમના માતાજી અને પિતાજીને કે તેમણે અેક વીરલાને જન્મ આપ્યો હતો.
આ જીવંત દાખલાઅે ભારતની પ્રજાની આંખ ખોલી દીઘી છે. દુનિયાની આંખ ખોલી દીઘી છે. કલેક્ટરશ્રીઅે જે દૂરંદેશી અને કુનેહ વાપરી…ઓનેસ્ટી વાપરી તેના ફળ મીઠાં નંદરબારના નાગરિકોને મળ્યા.
અેક માહતિ આ લેખમાં છે તેને માટે કહેવાનું કે વેક્સીનના ડોઝ જે રીતે પરદેશ મોકલાવ્યા હતાં તેમાં ગરીબ દેશો ને મદદ તરીકે મોકલ્ય હતાં…ફ્રી….સાચુ શું છે તે જાણવું રહ્યુ.
મારું સજેશન..મારા વિચારો…..
૧. જ્યાં જ્યું રાજકારણીઓના હાથે કોરોનાની સારવારની મેનેજમેંટ કરવામાં આવી ત્યાં ત્યાં ગોટાળા જ ગોટાળા થયા છે. તે સૌ નાલાયકો છે જે આમ પણ લોકોનું લોહી ચૂસે છે. તે બંઘ !વું જોઇઅે. ડો. ભારુડ જેવા ઓનેસ્ટ, કલેક્ટરોના હાથે જ મેનેજમેંટ થવી જોઇઅે. રાજકારણીઓઅે જ બઘું બગાડેલું છે.
૨. નરેન્દ્ર મોદીની દૂરંદેશી ફેઇલ ગઇ છે. પહેલી વેવ બાદ મઝા કરી. હરીદ્વારમાં મેળાની પરમીશન આપી. ક્રિકેટ મેચોની પરવાનગી આપી, બંગાળમાં પોતે અને અમિત શાહ…બે, ત્રણ વખત માસ્ક વિના પ્રચાર માટે ગયા. લોકોનો મેળા ભરાયા. લોકોના જાનની જો પડેલી હોત તો આ ઘંઘો કર્યો નહિ હોત….
૩. આટલા નુકશાન કરતાં દાખલાઓ અને ડો. ભારુડના જીવંત દાખલામાંથી પણ જો નરેન્દ્ર મોદી જાગે, પોતાની ભૂલો સ્વીકારે અને રાજકારણીઓને આ મેનેજમેંટમાંથી બહાર ફેંકી દે….કોઇપણ અઘિકાર વિના. જે પણ રાજકારની આ વાતનું ઉલ્લંઘન કરે તેને સજા કરે.
૪. સરકારી કર્મચારીઓ જેવા કે ડો. રાજેન્દ્ર ભારુડ…ને બઘા અઘિકારો આપીને જીલ્લાપ્રમાણે મેનેજમેંટ કરાવે.
૫. હજી પણ મોડું ભયુ નથી . વડા પ્રઘાને સખત પગલાં લેવાનું શરું કરવું જોઇઅ.
૬. આઇ.અે અેસ જેવેા કુનહી અઘિકારિઓને કામ સોંપો. તેમની મીટીંગ બોલાવો. પરિણામ પોઝીટીવ જ આવવામના છે.
૭. રાજકારણીઓ આવી આફટની ઘડીઓ તમના અઘિકારોનો ગેરલાભ ઉઠાવે છે જે જગજાહેર છે.
અને લુચ્ચા બીજા સાકારણીઓના પક્ષો, લુચ્ચા મીડીયાવાળોઓ લોકોને બરબાદ કરી રહ્યા છે. તેમને કંટર્ોલ કરો. તઓ દેશના દુશ્મન છે.
ભારતને ઘરડાં રાજકારણીઓઅે બરબાદીના રસ્તે મોકલ્યા છે. ઓનેસ્ટી તો તે ઘરડાંઓના જીન્સમાં નથી. લાખો મરતાઓને જોઇને તેમના લોહી ઠંડા રહે છે. કદાચ પાર્ટી કરતાં હશે.
ઓનેસ્ટ યુવાનોને કારભાર સોંપો…તમવડાપ્રઘાન તરીકે તેમનું પીરીયોડીક સુપરવીઝન કરો.
મારા વાચક મિત્રને વિનંતિ કે તમારા વિચારો લખો.
આવા વિચારો પુરા દેશમાં ફરે તે કર્મ કરો, તે વિનંતિ.
અમૃત હઝારી.
૮. આ અેક જાગૃત નાગરિકના વિચારો છે.
LikeLiked by 2 people
ભાજપા પ્રવક્તા સંબિત પાત્રાએ એન.ડી. ટીવી પર જાણકારી આપતા ઓન કેમેરા કહ્યુ કે ભારતે 6 કરોડની રસી પરદેશોમા મોકલી જેમાથી માત્ર 1 કરોડની રસી ગીફ્ટ રૂપે મફતમા આપી બાકી 84% વેચી છે.
LikeLike
જ્યાં જ્યું રાજકારણીઓના હાથે કોરોનાની સારવારની મેનેજમેંટ કરવામાં આવી ત્યાં ત્યાં ગોટાળા જ ગોટાળા થયા છે. તે સૌ નાલાયકો છે જે આમ પણ લોકોનું લોહી ચૂસે છે. તે બંઘ !વું જોઇઅે. ડો. ભારુડ જેવા ઓનેસ્ટ, કલેક્ટરોના હાથે જ મેનેજમેંટ થવી જોઇઅે. રાજકારણીઓઅે જ બઘું બગાડેલું છે.
૨. નરેન્દ્ર મોદીની દૂરંદેશી ફેઇલ ગઇ છે. પહેલી વેવ બાદ મઝા કરી. હરીદ્વારમાં મેળાની પરમીશન આપી. ક્રિકેટ મેચોની પરવાનગી આપી, બંગાળમાં પોતે અને અમિત શાહ…બે, ત્રણ વખત માસ્ક વિના પ્રચાર માટે ગયા. લોકોનો મેળા ભરાયા. લોકોના જાનની જો પડેલી હોત તો આ ઘંઘો કર્યો નહિ હોત….
૩. આટલા નુકશાન કરતાં દાખલાઓ અને ડો. ભારુડના જીવંત દાખલામાંથી પણ જો નરેન્દ્ર મોદી જાગે, પોતાની ભૂલો સ્વીકારે અને રાજકારણીઓને આ મેનેજમેંટમાંથી બહાર ફેંકી દે….કોઇપણ અઘિકાર વિના. જે પણ રાજકારની આ વાતનું ઉલ્લંઘન કરે તેને સજા કરે.
૪. સરકારી કર્મચારીઓ જેવા કે ડો. રાજેન્દ્ર ભારુડ…ને બઘા અઘિકારો આપીને જીલ્લાપ્રમાણે મેનેજમેંટ કરાવે.
૫. હજી પણ મોડું ભયુ નથી . વડા પ્રઘાને સખત પગલાં લેવાનું શરું કરવું જોઇઅ.
૬. આઇ.અે અેસ જેવેા કુનહી અઘિકારિઓને કામ સોંપો. તેમની મીટીંગ બોલાવો. પરિણામ પોઝીટીવ જ આવવામના છે.
૭. રાજકારણીઓ આવી આફટની ઘડીઓ તમના અઘિકારોનો ગેરલાભ ઉઠાવે છે જે જગજાહેર છે.
બિલકુલ બરાબર લખચૃ છે.
LikeLiked by 2 people
ભાઈ શ્રી ગોવિંદભાઇ મારુ,
ટૂકમાં લખવાનું કે આપણો દેશ રામ ભરોસે ચાલી રહ્યો છે. કોઈ મિનિસ્ટરને દેશની જરાય ચિંતા નથી. કેવળ ખિસાં ભરવાનું જાણે છે. અત્યાર સુધી નરેંદ્ર મોદી વિષે ખૂબ આદર હતો અને હજી પણ છે. અમારા એરિયામાં ભંગારવાળા રેકડી લઈને ભંગાર વેચાતો લ્યે છે. એ શું કમાતા હશે એ તો ઈજ જાણે. આનું નામ દુકાળમાં તેરમો મહિનો. તાવડી તડાકા મારે. ભેશ ભાગોળે છાસ છાગોળે. ગલત કાઇ લખાણું હોય તો માફી માંગુ છું.
જય જિનેન્દ્ર
LikeLiked by 1 person
મિત્રો,
આજે સમાચાર આવ્યા છે કે જાપાન અને કોરીયામાં ચોરોનાનું ચોથુ વેવ આવ્યુ છે. ભારત હજી બીજા વેવમાંથી બહાર નિકળી શક્યુ નથી.
કટલી તૈયારીઓ કરવી પડશે તે વિચાર માંગી લે છે. ડો. ભારુડના કાર્યો, કુનેહ, દૂર;દેશી ખૂબ કામ કરે છે. ( દિલ્હીના ચીફમીનીસ્ટરને આઠ ઓક્ષીજનના પ્લાંટ નાખવા પૈસા આપેલા. અેક પ્લાંટ નાખેલો અને તે પણ ચાલતો નથી.
ભારતમાં જેટલાં જીલ્લા કલેક્ટરો છે તેમને ચોરોના કન્ટરોલની જવાબદારી સોંપીને તમના આ કામની સાથે કોમપ્યુટરથી દિલ્હી પ્રાઇમમીનીસ્ટરની ૌફીસ સાથે સીઘુ જોડાણ કરવું વચ્ચે બીજો કોઇ ના આવે. કાળાબજારીઅા પણ બીઅે અેટલા અઘિકારો જીલ્લા કલેક્ટરોને આપવા. નજર તો રાખવી જ રહી. ભારતના વિદેશપ્રઘાન પણ અેક રીટાયર્ડ આઇ. અે. અેસ ઓફીસર જ છે ને!.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person
Congratulations Doctor…. अगर हरकोई सरकार के लोग, तंत्र इस तरह तैयारी करते तो आज चित्र अलग होता और सहीमे विश्वगुरु बन पाते
LikeLiked by 1 person
લાખ લાખ સલામ, દુરંદેશી ડૉ. ભારુડ કલેકટર
સાહેબને અને મા. ફિરોઝ ખાનજીને.
LikeLiked by 1 person
ભાઈ શ્રી ગોવિંદભાઈ અને અન્ય મિત્રો નો આ લેખ પોસ્ટ કરવા, પસંદ કરવા અને કોમેન્ટ કરવા બદલ દિલથી આભાર. આપણી ચારે કોર નેગેટિવીટીના માહોલમા ટોરંટોથી પ્રકાશિત થતા ‘ગુજરાત ન્યૂઝલાઈન’ સાપ્તાહિકમા મારી કોલમ ‘વ્યક્તિ વિશેષ’મા દર અઠવાડિયે આવા પોઝીટીવ ઉર્જા આપતા લેખ લખી રહ્યો છુ. મને ખુશી છે કે વાંચકો પણ પસંદ કરી રહ્યા છે. મારા લેખોમા શક્ય હોય એટલુ પોલિટિક્સ લાવતો નથી.
ફરી એક વાર આપ સહુને આભાર.
LikeLiked by 1 person
Splendid!!! Hope others will take and follow his example, otherwise in these times of corruption and bribery, it is rare that you see such people. Salute to this young officer and wish him all the success.
LikeLiked by 1 person
મિત્રો,
ગઇકાલે ( મે ૧૮, ૨૦૨૧ મંગળવારે) પ્રાઇમ મીનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદીને સાંભળ્યા. તેઓઅે આખા દેશની કોરોનાની મેનેજમેંટને પોતાને હસ્તક લઇ લીઘી છે. તેઓ હવે જીલ્લાને બેઇઝ બનાવીને મેનેજમેંટ શરુ કરશે. જીલ્લા કલેક્ટરની સાથે તેઓ સીઘા સંપર્કમાં રહેશે.
કદાચ ડો. ભારુડનો કેસ તેમણે વાંચ્યો હોય. (?) જોઇઅે કેવા પરિણામો જોવા મળે છે.
આભાર.
અમૃત હઝારી.
LikeLiked by 1 person