‘પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરીયાણાની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!’ ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સીદ્ધાંત પર બે ઝુંઝાર પત્રકારો ફીલીપાઈન્સની મારીયા રેસા અને રશીયાના ડીમીટ્રી મુરાટોવને પત્રકારીત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો જાનના જોખમે પણ પ્રકાશીત કરવા માટે નોબેલ શાંતી પુરસ્કાર મળ્યા.
નીર્ભીકપત્રકારત્વ, ક્યાં શોધવા જઈશું?
–ભગવાનજી રૈયાણી
જોસેફ મેકવાન દલીત સાહીત્યના એક જબ્બરદસ્ત લેખક, એમનો સગો ભત્રીજો મનીષ મેકવાન લેખક અને ધુરંધર પત્રકાર પણ કોરોનાનો કોળીયો થઈ ગયો, એ કહેતો : “પત્રકારની કલમ તો તેજાબમાં ઝબોળેલી જ હોવી જોઈએ. જો તમે એવું ના લખી શકો તો કરીયાણાની દુકાન ખોલીને બેસી જવું જોઈએ!” પણ સરકારની મહેરબાનીમાં રાચતા મીડીયા માલીકો એને જીરવી ન શક્યા. એ નોકરીઓ બદલતો રહ્યો પણ વ્યવસાયના સીદ્ધાંત સાથે સમાધાન ન કરી શક્યો. સીત્તેર ટકા અખબારો અને નેવું ટકા ન્યુઝ ચેનલો જાણે સરકારી માધ્યમો હોય એવો મસાલો પીરસી રહ્યાં છે.
એક જ દાખલો બસ થશે. યોગી એટલે યોગસાધક અને શીષ્યોનો યોગગુરુ. આદીત્ય એટલે સુર્ય. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદીત્યનાથ. ગોરખપુરના એક આશ્રમના સાધુ અધીપતી; પણ સત્તાગ્રહણ બાદ ફરી સત્તામાં આવવાના અભરખે સાધુત્વ પાતળું પડી ગયું. રોજે રોજ ભારતના એક બે નહીં પણ સેંકડો અખબારોમાં પાનાંઓ ભરીને સરકારી ખર્ચ પોતે શી સીદ્ધીઓ હાંસલ કરી છે એની પ્રસીદ્ધી કરતા રહે છે. ટી.વી. ન્યુઝમાં પણ. કારણ કે રાજ્ય ધારાસભાની ચુંટણીઓ માથે છે. ન્યુઝ ચૅનલોમાં દીવસમાં દસ વાર ડીંડક વગાડતા રહે છે. ગરીબ રાજ્યના કરોડો નહીં પણ અબજો રુપીયા વેડફતા રહે છે. આપણે જાણીએ છીએ કે અખબારના એક પાનાની જાહેરખબરના દર લાખો રુપીયા હોય છે. ન્યુઝ ચેનલના દર પ્રતી સેંકડે લાખોમાં આપવા પડે છે; પણ ક્ષીતીજમાં ઉષાનાં આનંદદાયક ગુલાબી કીરણો પણ ચમકે છે.
તા. 9 ઓક્ટોબર, 2011ના માધ્યમોમાં એક સુખદ સમાચાર વાંચ્યા. ફ્રીડમ ઑફ સ્પીચ ઍન્ડ એક્સપ્રેશનના સીદ્ધાંત પર બે ઝુંઝાર પત્રકારો ફીલીપાઈન્સની મારીયા રેસા અને રશીયાના ડીમીટ્રી મુરાટોવને પત્રકારીત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો જાનના જોખમે પણ પ્રકાશીત કરવા માટે નોબેલ શાંતી પુરસ્કાર મળ્યા. એમના વીશે થોડું :
મારીયા રેસા ફીલીપાઈન્સની આ મહીલા અખબારનવીશને માનવધર્મ આચરતા રહીને સંશોધન માટે અમેરીકાની કુલબ્રાઈટ સ્કૉલરશીપ મળી એ પ્રેસીડેન્ટ ડયુટર્ટ રેપલરના ભ્રષ્ટાચાર સામે સતત લડતી રહી. પ્રમુખના કૉન્ફલીકટ ઓફ ઈન્ટરેસ્ટ (હોદ્દાનો અપ્રમાણીક લાભ) એ મારીયાનો એક પત્રકાર તરીકેનો મુખ્ય મુદ્દો રહ્યો એની સામે સરકારે બદનક્ષીનો કેસ કર્યો અને જેલ ભેગી કરી. અત્યારે જામીન પર છે.
એવો જ બીજો રશીયાનો ભડવીર પત્રકાર ડીમીટ્રી મુરાટોવ સરમુખત્યાર સામ્યવાદી સરકાર સામેની ગેરરીતીઓ સામે અને ખાસ તો પ્રેસીડેન્ટ પુટીનનો કટ્ટર વીરોધી બનીને અખબારોમાં લખતો રહીને શાંતીનું નોબેલ પારીતોષીક જીતી ગયો. એ પહેલાં રશીયામાં એના જેવા છ પત્રકારોનાં ખુન થયેલાં. મુરાટોવે પોતાનો પુરસ્કાર આ શહીદ પત્રકારોને અર્પણ કરીને કહ્યું કે, “ભાષા અને અભીવ્યક્તી સ્વાતંત્ર્ય પરની એની લડાઈ ચાલુ જ રહેશે.” આમ 86 વરસ પછી પ્રથમવાર નીર્ભીક પત્રકારીત્વને વીશ્વનું સૌથી મોટું નોબેલ પ્રાઈઝથી નવાજવામાં આવ્યું.
આપણા બંધારણની કલમ 19 (1) (અ) અન્વયે આપણા મુળભુત અધીકાર (ફન્ડામેન્ટલ રાઈટ્સ) મુજબ આપણને ‘વક્તવ્ય અને અભીવ્યક્તી સ્વાતંત્ર્ય’ની મહામુલી ભેટ મળી છે. કલમ 19 (2)માં દર્શાવ્યા મુજબના વાજબી પ્રતીબંધો સાથે તમારાં મંતવ્યોને ખુલ્લંખુલ્લા વાચા આપી શકો છો. સરકારને એમાં દખલ કરવાની સત્તા નથી. આ નાગરીક હક્ક લોકશાહીની કરોડરજ્જુ સમાન છે; પણ હમણાં હમણાં પેગાસસ સોફટવેર નામે એક ઈઝરાયેલી જાસુસી તકનીકે ઉપાડો લીધો છે. એ તમને ખબર પણ ન પડે એ રીતે તમારા અંગત જીવનની તમામ વીગત વ્યાપારી હીતો, ખાનગી મસલતો, રાજકીય કૌભાંડો, વગેરેમાં છુપી રીતે ઘુસી જાય છે. આ ટેક્નીકનો સૌથી વધુ દુરુપયોગ સત્તાધીશ પાર્ટી દ્વારા વીરોધ પક્ષોના નેતાઓ પર થાય છે. સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે તમે કોઈના ખાનગી જીવન, અન્ય હીતો કે યોજનાઓ પર તરાપ ન મારી શકો. અત્યાર સુધીની તમામ વીગતો ખુલ્લી કરો પણ હંમેશની જેમ સરકાર ગલ્લાતલ્લાં કરી રહી છે.
અત્યાર સુધીમાં દુનીયાના સરમુખત્યાર શાસકો અને સ્થાપીત હીતોની સામે લડતા હજારો પત્રકારોનાં ખુનો થઈ રહ્યાં છે. ‘મેરા ભારત મહાન’ પણ આ મીડીયા સંહારમાંથી મુક્ત નથી.
બંધારણના આમુખમાં આપણા દેશને સાંપ્રદાયીક રાષ્ટ્રનું મહોરું ચડાવ્યું છે પણ પત્રકાર એનો ભંગ થતાના સમાચાર છાપશે કે કટ્ટરવાદી સંપ્રદાયવાળાઓ એના પર તુટી પડશે કે એને મોતને ઘાટ પણ ઉતારી દેશે. ક્યાંક ગુંડાના કરતુતો સામે લેખ છપાય તો લખનારને પતાવી દેવાના કારસા તો જગજાહેર છે. વર્ષોથી જમ્મુ–કાશ્મીરમાં પાકીસ્તાની આતંકીઓએ ઉપાડો લીધો છે પણ સરકાર થોડાને મારે છે અને પોતાનાયે મરાય છે. બધા સોશીયલ મીડીયા, વાઈ–ફાઈ, ઈન્ટરનેટ સરકાર બંધ કરે છે પણ કાયમી ઉકેલ આવતો નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો ઉધડો લીધો છે કે તમે લોકોના માહીતી મેળવવાના હક્કને બંધ ન કરી શકો; પણ સરકાર ઈન્ડીયન પીનલ કોડની કલમ 124–અ બતાવીને કહેશે કે અમુક વ્યક્તીઓએ દેશદ્રોહ કર્યો છે. આતંકીઓને મદદ કરી છે, આમ કોર્ટને પણ ગાંઠતી નથી.
સરકાર જે કાંઈ કરે એની માહીતી પ્રેસનોટ દ્વારા પ્રીન્ટ અને દશ્ય માધ્યમોમાં આવતી જ હોય છે પછી મસમોટી જાહેરખબરોની શી જરુર? તમે સરકારનાં કાળાં કામો ઉઘાડાં કરો તો સરકારી જાહેરખબર ન મળે. મીડીયા મૅગ્નેટોને એ કેમ પોસાય? પત્રકાર બીચારો શું કરે? – એને પણ બેરીછોકરાં હોય કે નહીં?
કરદાતાઓના આવા બેફામ વેડફાટની સામે એક અદના એક્ટીવીસ્ટ (કર્મશીલ) તરીકે બૉમ્બે હાઈ કોર્ટમાં એક પીઆઈએલ (જનહીત યાચીકા) નં. 24 ઑફ 2004 ફાઈલ કરી. પ્રતીવાદી તરીકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 2004ના ફેબ્રુઆરીમાં મે મહીનામાં થનારી લોકસભાની ચુંટણી માટે વાજપેયીની સરકારે પાર્લામેન્ટ બરખાસ્ત કરી. રખેવાળ સરકાર તરીકે અત્યંત જરુરી બાબતો સીવાય કોઈ વધારાનો ખર્ચ ન કરી શકે; પણ તેઓ તો ‘ઈન્ડીયા શાઈનીંગ’નાં સુત્ર હેઠળ જાહેરખબરો દ્વારા પોતાની સરકારી સીદ્ધીઓ બતાવવા કરોડોનો ખર્ચ કરવા માંડ્યા. મહારાષ્ટ્ર સરકારના કોંગ્રેસી મુખ્ય પ્રધાન સુશીલકુમાર શીંદેએ ‘અગ્રેસર મહારાષ્ટ્ર’ની તીતુડી વગાડીને જાહેરખબરો માટે પચીસ કરોડ ફાળવી દીધા જે અગાઉની ચુંટણીઓમાં રુપીયા બે કરોડ જ હતા; પણ વીરોધ પક્ષો છાપાંઓએ કાગારોળ મચાવી મુકી. અંતે ઈલેક્શન કમીશનને પ્રતીબંધ મુક્વો પડયો. મારે ત્યાં ગુજરાતી અંગ્રેજી મળીને ચાર છાપાંઓ આવે છે. એમાંથી 41 મસમોટી જાહેરખબરો જે સુશીલકુમાર શીંદેએ આપેલી એ પકડી પાડીને મેં એફીડેવીડમાં આમેજ કરી. પણ મારું તો ‘વો દીન કહા કી મીયાં કે પાંવમેં જુતી’ જેવું થયું. મારી પીટીશન હજુ હાઈ કોર્ટની આલમારીમાં સુનાવણીની રાહમાં ધુળ ખાતી પડી છે. ભારતના ન્યાયતંત્રની શરમ.
–ભગવાનજી રૈયાણી
રૅશનાલીસ્ટ ભગવાનજી રૈયાણી ઍડવોકેટ નથી; છતાં ભારતભરમાં સૌથી વધુ 115 ‘જનહીંતની અરજી’ (Public Interest Litigation) નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. તેઓ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના સ્થાપક અને માનદ્ અધ્યક્ષ છે. તેઓ અંગ્રેજીમાં ‘ન્યાય દીશા’ ત્રીમાસીક ( http://fastjustice.org ) પણ પ્રકાશીત કરે છે. આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લોગ માટે ખાસ મને મોકલવા બદલ હું તેઓનો આભાર માનું છું.
‘જન્મભુમી પ્રવાસી’ દૈનીક, મુમ્બઈમાં દર રવીવારે પ્રગટ થતી એમની કટાર ‘મેરા ભારત મહાન! મગર કભી કભી’માં તા. 07 નવેમ્બર, 2021ના રોજ પ્રગટ થયેલ એમનો આ લેખ, લેખકશ્રીના અને ‘જન્મભુમી પ્રવાસી’ ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : Mr. Bhagvanji Raiyani, Ground Floorm, Kuber Bhuvan, Bajaj Road, Vile Parle (West), Mumbai – 400 056 Cellphone: 98204 03912 Phone: (O) (022) 2614 8872 eMail: fastjustice@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. હવેથી દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાયશે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 08–04–2022
એક જ દાખલો બસ થશે. યોગી એટલે યોગસાધક અને શીષ્યોનો યોગગુરુ. આદીત્ય એટલે સુર્ય. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદીત્યનાથ. ગોરખપુરના એક આશ્રમના સાધુ અધીપતી; પણ સત્તાગ્રહણ બાદ ફરી સત્તામાં આવવાના અભરખે સાધુત્વ પાતળું પડી ગયું. રોજે રોજ ભારતના એક બે નહીં પણ સેંકડો અખબારોમાં પાનાંઓ ભરીને સરકારી ખર્ચ પોતે શી સીદ્ધીઓ હાંસલ કરી છે એની પ્રસીદ્ધી કરતા રહે છે. ટી.વી. ન્યુઝમાં પણ. કારણ કે રાજ્ય ધારાસભાની ચુંટણીઓ માથે છે. ન્યુઝ ચૅનલોમાં દીવસમાં દસ વાર ડીંડક વગાડતા રહે છે. ગરીબ રાજ્યના કરોડો નહીં પણ અબજો રુપીયા વેડફતા રહે છે. આપણે જાણીએ છીએ કે અખબારના એક પાનાની જાહેરખબરના દર લાખો રુપીયા હોય છે. ન્યુઝ ચેનલના દર પ્રતી સેંકડે લાખોમાં આપવા પડે છે; પણ ક્ષીતીજમાં ઉષાનાં આનંદદાયક ગુલાબી કીરણો પણ ચમકે છે.
Agreed .ક્યારે સુધરસે આપણે લોકો. /
LikeLiked by 1 person
નીર્ભીકપત્રકારત્વ, ક્યાં શોધવા જઈશું?
ક્યાંય મળે તેમ નથી.
ઝુંઝાર પત્રકારો ફીલીપાઈન્સની મારીયા રેસા અને રશીયાના ડીમીટ્રી મુરાટોવ
જેવાં શોધ્યા મળે તેમ નથી😢 જે આજના યુગનું કમભાગ્ય છે.
LikeLiked by 2 people
હાલ ભ્રષ્ટ પત્રકારના જમાનામા
ફીલીપાઈન્સની મારીયા રેસા અને રશીયાના ડીમીટ્રી મુરાટોવને પત્રકારીત્વ ક્ષેત્રે ગુણત્વસભર સમાચારો જાનના જોખમે પણ પ્રકાશીત કરવા માટે નોબેલ શાંતી પુરસ્કાર મળ્યા વાત જાણી આનંદ
ધન્યવાદ
LikeLiked by 2 people