શું ચુંટણી ઢંઢેરા (મેનીફેસ્ટો) માત્ર કાગળના ટુકડા છે?

વીશ્વના બાર દેશોમાં રાજકીય પક્ષો મતદારોને આપેલા વચનોને નોંધપાત્ર રીતે પુર્ણ કરે છે; પરન્તુ આ બાર દેશોની તુલનામાં આપણે ક્યાંય નથી. શું ભારતીય રાજકીય પક્ષો મતદાન વચનોની અપુર્ણતાને વાજબી ઠેરવવા માટે ‘બેશરમ’ બહાના આપે છે? શું આપણે ચુંટણી ઢંઢેરાને માત્ર કાગળના ટુકડા તરીકે ગણીએ છીએ?

શું ચુંટણી ઢંઢેરા (મેનીફેસ્ટો) માત્ર કાગળના ટુકડા છે?

– પ્રવીણભાઈ પટેલ 

ચુંટણી ઢંઢેરો એ ઈરાદાઓ, હેતુઓ, સામાન્ય અને વીશીષ્ટ નીતીઓ, કાર્યક્રમો અથવા વ્યક્તીગત, જુથ, રાજકીય પક્ષોના મંતવ્યોનું પ્રકાશીત ઘોષણાપત્ર છે. આગામી ચુંટણીઓ પર નજર રાખીને તેને જાહેર કરે છે. અને તેનું પ્રકાશન કરી સારી રીતે પ્રચાર કરવામાં આવે છે. આમ, આવા મેનીફેસ્ટો વાસ્તવમાં ઉમેદવાર/રાજકીય પક્ષ દ્વારા મતદારોને આપેલા વચનો છે જે ચુંટણી જીતવા પ્રયાસ કરી રહ્યા છે. મતદારો તેમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને પુર્ણ કરવા માટે કયા ઉમેદવાર/પક્ષને મત આપવો તે નક્કી કરવા માટે તે વચનોનું મુલ્યાંકન કરે છે. ભારતના 44મા માનનીય મુખ્ય ન્યાયાધીશ જગદીશ સીંહ ખેહરે 8 એપ્રીલ, 2017 ના રોજ નવી દીલ્હી ખાતે એક સેમીનારને સંબોધતા જણાવ્યું હતું કે “ચુંટણીના વચનો નીયમીતપણે અધુરા રહે છે અને ઢંઢેરો માત્ર કાગળના ટુકડા બની જાય છે” ભારતના રાષ્ટ્રપતી શ્રી પ્રણવ મુખર્જીની હાજરીમાં બોલતા, CJI ખેહરે એ પણ કહ્યું કે, “રાજકીય પક્ષો તેમના મતદાન વચનોની અપુર્ણતાને વાજબી ઠેરવવા માટે તેમના સભ્યોમાં સર્વસંમતીના અભાવ જેવા ‘બેશરમ’ બહાના આપે છે.” મહામહીમ શ્રી પ્રણવ મુખર્જીએ તેમના ભાષણમાં ચુંટાયેલા પ્રતીનીધીઓની જવાબદારી વીશે વાત કરીને કહ્યું કે, “તમામ રાજકીય પક્ષોએ તેમના કાર્ય માટે સ્વૈચ્છીક આચારસંહીતા વીકસાવવી પડશે.”

પ્રશ્ન એ છે કે રાજકીય પક્ષો દ્વારા તેમના ચુંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો લોકપ્રતીનીધીત્વ અધીનીયમની કલમ 123 મુજબ ‘ભ્રષ્ટ વ્યવહાર’ સમાન છે કે નહીં? માનનીય સર્વોચ્ચ અદાલતે 5મી જુલાઈ, 2013ના તેના 2008ના SLP(C) નમ્બર 21455માં આપેલા ચુકાદામાં ‘(એસ. સુબ્રમણ્યમ બાલાજી વી. તમીલનાડુ સરકાર અને અન્યો)’ એવું ઠરાવ્યું હતું કે મેનીફેસ્ટો એ રાજકીય ભાવી નીતી નીવેદન છે. પાર્ટી તે ભવીષ્યની સરકારનું વચન છે, વ્યક્તીગત ઉમેદવારનું નહીં અને ચુંટણી પંચને તમામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે પરામર્શ કરીને ચુંટણી ઢંઢેરાની સામગ્રીના સન્દર્ભમાં માર્ગદર્શીકા ઘડવા નીર્દેશ કર્યો છે.

ન્યાય મેળવવો એ ભારતના નાગરીકોનો મુળભુત અધીકાર છે, જેની ખાતરી કલમ 14, 19, 21, 32 અને 226 અને ભારતના બંધારણની પ્રસ્તાવના દ્વારા આપવામાં આવી છે. કલમ 39A હેઠળ સમયસર ન્યાય એ રાજ્યની બંધારણીય જવાબદારી પણ છે; પરન્તુ સમયસર ન્યાય એ ભારતના કરોડો લોકો માટે સ્વપ્ન સમાન છે. વર્ષ 2014માં લગભગ ત્રણ કરોડ સાઠ લાખ કેસ પેન્ડીંગ હોવાના આંકડાથી ચીંતીત, ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ અને બાદમાં નેશનલ ફેડરેશન સોસાયટી ફોર ફાસ્ટ જસ્ટીસના અધ્યક્ષ અને વરીષ્ઠ ટ્રસ્ટીઓએ ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સહીત તમામ મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓને મેમોરેન્ડમ સુપરત કર્યા. સમયસર ન્યાય સુનીશ્ચીત કરવા માટે જરુરી કઠોર પગલાંની માંગણી કરી. પાર્ટીના ચુંટણી ઢંઢેરામાં વચનો આપવામાં આવ્યા. ભાજપે 2014 અને 2019 બન્ને સંસદીય ચુંટણીઓ તેના ચુંટણી ઢંઢેરા દ્વારા ન્યાયીક અને પોલીસ સુધારણા કરવાનું વચન આપીને જીતી હતી; પરન્તુ તે ચુંટણી બાદ વચનો પુર્ણ કરવામાં સંપુર્ણપણે નીષ્ફળ રહી છે જેના માટે અદાલતોમાં પેન્ડીંગ કેસોનો ઢગલો વર્ષ 2014માં ત્રણ કરોડ સાઠ લાખ કેસથી છેલ્લા સાત વર્ષમાં વધીને ચાર કરોડ સીત્તેર લાખ કેસ સુધી વધારો થયો છે. લોકો ચુંટણીલક્ષી વચનો તરીકે છેતરપીંડી અનુભવે છે જેણે મતદારોને સમ્ભવીતપણે તેમનો મત ક્યાં મુકવો તે નક્કી કરવામાં મદદ કરી તે વચન ખોખલું (જુમલા) સાબીત થયું છે, યાદ હશે, ટીવી ઈન્ટરવ્યુમાં, ભાજપના ટોચના નેતાઓમાંના એક, સરકારમાં વરીષ્ઠ કેબીનેટ મંત્રી પણ છે, નીષ્ફળ ચુંટણી વચનો પર એક પત્રકારના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે “તેઓ આવા ‘જુમલા’ માત્ર પ્રચારનો એક માર્ગ હતો,” આ વાત આપણને માનનીય મુખ્ય ન્યાયમુર્તી જે. એસ. ખેહરના નીવેદનની યાદ અપાવે છે, જેમણે કહ્યું હતું કે “રાજકીય પક્ષોએ તેમના અપુર્ણ ચુંટણી વચનો માટે જવાબદાર હોવા જોઈએ.”

સમયસર ન્યાય મેળવવા માટેના આપણાં કાયદેસરના અધીકારોનો આદર કરવા માટે તથા બંધારણીય જવાબદારીઓને પુર્ણ કરવા માટે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શાસક રાજકીય પક્ષ સખત સક્રીય પગલાં લઈને તેના ચુંટણી વચનો પુરા કરે. અન્ય દેશોની સરખામણીમાં આપણી પાસે પુરતા ન્યાયાધીશો નથી. વર્ષ 2002માં ભારતની માનનીય સર્વોચ્ચ અદાલતના એક આદેશમાં વર્ષ 2005 સુધીમાં પ્રતી દસ લાખ વસ્તીએ 50 ન્યાયાધીશો રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો; પરન્તુ તે આદેશ સત્તાના ગલીયારાઓ (corridor)માં ધુળ ખાય છે. પ્રતી દસ લાખ વસ્તીમાં લગભગ 16 ન્યાયાધીશોની ઓછી સંખ્યા હોવા છતાં, જેમાં હાલમાં 44% ખાલી જગ્યા છે અને સરેરાશ 33% ખાલી જગ્યા નીયમીત બની ગયું છે. બીજી સમસ્યા એ છે કે ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો પણ ન્યાયાધીશો માટે કોર્ટ ચલાવવા માટે પુરતા કોર્ટ રુમ નથી. જેમ કે, વધારાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવી એ તાત્કાલીક ઉકેલ લાવવાનો મુદ્દો છે જે સરકારને પણ ખબર છે. વધારાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે પુરતા ભંડોળની જરુર છે; પરન્તુ ભંડોળની ફાળવણી સૌથી મોટી અડચણ છે. આ વર્ષના રુપીયા 39.45 લાખ કરોડના કુલ કેન્દ્રીય બજેટમાં ન્યાયતંત્ર માટેની ફાળવણી હસવું આવે તેટલી નજીવી છે. રુપીયા 401.46 કરોડ ભારતની સર્વોચ્ચ અદાલત માટે (તેના વહીવટી અને અન્ય ખર્ચાઓ સાથે) માટે ફાળવવામાં આવે છે. કેન્દ્રીય પ્રાયોજીત યોજના હેઠળ 14 જુલાઈ, 2021ના રોજ યોજાયેલી કેબીનેટની બેઠકમાં પ્રધાનમંડળ દ્વારા રુપીયા 858 કરોડનો નીર્ણય લેવામાં આવ્યો હતો, મુખ્યત્વે રાજ્યો/કેન્દ્ર શાસીત પ્રદેશો(યુટીએસ)માં ગૌણ ન્યાયતંત્રને સ્થાનાંતરીત કરવા માટે જે ભાડાની જગ્યામાં ચાલી રહ્યા છે. નેશનલ મીશન ફોર સેફ્ટી વુમન હેઠળ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના માટે નોન લેપ્સેબલ નીર્ભયા ફંડ માટે રુપીયા 200 કરોડ ફાળવવામાં આવ્યા છે. નીર્ભયા ફંડ એ એક બીજો મુદ્દો છે પણ જો તેને અહીં ધ્યાનમાં લેવામાં આવે તો પણ, આ ત્રણ ફંડ મળીને કુલ બજેટ ખર્ચમાંથી રુપીયા 1459 કરોડ જે સાવ નજીવી ફાળવણી છે (કુલ રુપીયા 39.45 લાખ કરોડમાંથી) તે પુષ્ટી કરે છે કે ન્યાયીક સુધારા કરવાનું ચુંટણી વચન પણ ‘જુમલા’ છે. ભારતના વીવીધ કાયદા પંચો અને ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ અને નેશનલ ફેડરેશન સોસાયટીઝ ફોર ફાસ્ટ જસ્ટીસે સમયાંતરે માનનીય કેન્દ્રીય નાણામંત્રીનું ધ્યાન દોર્યું હોવા છતાં પુરતું ભંડોળ ફાળવવામાં આવ્યું નથી કે જેથી વધારાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ શકે, મહત્વપુર્ણ તથ્યોને અવગણીને ભંડોળની હાસ્યજનક રીતે ઓછી ફાળવણી ખાતરી કરે છે કે અમારી અરજીઓ બહેરા કાને પડી છે જે પુષ્ટી કરે છે કે સરકાર ન્યાયતંત્રને મજબુત કરવામાં રસ ધરાવતી નથી

મોટો પ્રશ્ન રહે છે કે શું સરકાર મજબુત ન્યાયતંત્ર ઈચ્છે છે જે આપણે ભારતના લોકોની સાચી માંગને સમયસર ન્યાય આપી શકે! ચાલો આપણે ન્યાયતંત્રની અંદરના કેટલાક નીવેદનોની મુલાકાત લઈએ. “કોઈ પણ સરકાર મજબુત ન્યાયતંત્ર ઈચ્છતી નથી” સુપ્રીમ કોર્ટના જસ્ટીસ જી. એસ. સીંઘવી અને જસ્ટીસ એ. કે. ગાંગુલીની બનેલી બેંચનું નીવેદન છે, જેમણે ફેબ્રુઆરી 2011ના રોજ કહ્યું હતું કે, “ખુબ જ મુશ્કેલ પરીસ્થીતી છે. તે માત્ર કાગળ પર છે. તેના માટે બજેટની ફાળવણી પર નજર નાખો. તે એક ટકા કરતા ઓછી છે.” નાણાકીય વર્ષ 2013–14ની બજેટ ફાળવણીનો ઉલ્લેખ કરતાં, ભુતપુર્વ CJI, જસ્ટીસ આર. એમ. લોઢાએ જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક દાયકાઓથી જોવામાં આવી રહેલી નજીવી બજેટ ફાળવણી ન્યાયતંત્રની જરુરીયાતોને પહોંચી વળવા માટે એકદમ અપુરતી છે” “નવી અદાલતોની સ્થાપના અને સુધારણા ત્રણ કરોડ ત્રીસ લાખ કરોડ કેસોમાંથી પેન્ડન્સી ઘટાડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ ફાળવણી એક ટકો પણ નથી. તે માત્ર 0.4% છે.” જસ્ટીસ લોઢાના પુરોગામી CJI જસ્ટીસ પી. સદાશીવમે તેમના વીદાય ભાષણમાં કહ્યું હતું કે “ન્યાયતંત્ર માટે બજેટ ફાળવણી ગંભીર ચીંતાનો વીષય છે. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો સવાલ છે ત્યાં સુધી, સરકાર પુરતું બજેટ આપી રહી નથી અને વારંવાર, મુખ્ય ન્યાયાધીશને બજેટની પુરતી ફાળવણી કરવા માટે દરમીયાનગીરી કરવી પડે છે” જાણીતા ન્યાયશાસ્ત્રી અને નેશનલ લૉ સ્કુલના સ્થાપક, પદ્મશ્રી પ્રો. (ડૉ.) માધવ મેનન, 2015 વર્ષમાં અમારા વાર્ષીક સંમેલનમાં જણાવ્યું હતું. “કોઈપણ સરકાર અપર્યાપ્ત સંસાધનો કે માનવબળના બહાનાનો દાવો કરી શકતી નથી, આપણે સંસાધનો માટે એકદમ આરામદાયક છીએ. આપણે ન્યાયતંત્રમાંથી નીર્ણય લેવા માટે, તે વર્ષો અને વર્ષો લે છે.”

સરકાર દ્વારા ન્યાયતંત્રની અવગણનાને એ હકીકતના પ્રકાશમાં પણ જોઈ શકાય છે કે વર્તમાન લોકસભાના લગભગ અડધા સભ્યો તેમની સામે ફોજદારી આરોપો ધરાવે છે, જે 2014ની સરખામણીમાં 26% વધારે છે, (એસોસીએશન ઑફ ડેમોક્રેટીક રીફોર્મ્સ અનુસાર). જો ન્યાયતંત્ર સમયસર કેસનો નીર્ણય કરે તો તેઓ જેલમાં જઈ શકે છે. આથી, એવું માનવામાં આવે છે કે સત્તાના કોરીડોરમાં નીહીત હીત ધરાવતા લોકો તેમના અંગત સ્વાર્થ માટે ન્યાયતંત્રને મજબુત કરવા માંગતા નથી.

નીષ્કર્ષમાં, ચુંટણી ઢંઢેરાના માધ્યમથી ભારતના લોકોને આપેલ ચુંટણીલક્ષી વચન વારંવાર તોડવામાં આવે છે; પરન્તુ ભારતનું ચુંટણી પંચ જે એક વૈધાનીક સ્વતંત્ર સંસ્થા છે, પરીસ્થીતીને બચાવવા માટે suo moto સંજ્ઞાન લેવાની તેમની ફરજ છે પણ જાણીતા કારણોસર તે અન્યથા જોવાનો ઢોંગ કરે છે. આપણા શાસક પક્ષના નેતાઓ દાવો કરે છે કે આપણો દેશ ‘વીશ્વગુરુ’ છે; પરન્તુ કાયદાના શાસનના વૈશ્વીક સુચકાંકમાં ભારત 139 દેશોમાંથી 79મા ક્રમે આવે છે ત્યારે આપણો કેવી રીતે વીશ્વગુરુ? ચુંટણી ઢંઢેરો જાણે કે નકામા કાગળ હોય તેમ રાજકીય પક્ષો દ્વારા ગણવામાં આવે છે. અમેરીકન જર્નલ ઑફ પોલીટીકલ સાયન્સમાં 2017ના અભ્યાસ મુજબ. એવું જાણવા મળ્યું છે કે ઓસ્ટ્રીયા, બલ્ગેરીયા, કેનેડા, જર્મની, આયર્લેન્ડ, ઈટાલી, નેધરલેન્ડ, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન, ઈંગ્લેન્ડ અને અમેરીકા નામના બાર દેશોમાં રાજકીય પક્ષો મતદારોને આપેલા વચનોને નોંધપાત્ર રીતે પુર્ણ કરે છે.” આ દેશોની તુલનામાં, આપણે ક્યાંય ઉભા નથી, પ્રશ્ન ઉભો થાય છે, શું આપણે ચુંટણી ઢંઢેરાને માત્ર કાગળના ટુકડા તરીકે ગણીએ છીએ?

– પ્રવીણભાઈ પટેલ 

‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના માનદ ટ્રસ્ટી અને માનવઅધિકાર કાર્યકર્તા શ્રી પ્રવીણભાઈ પટેલે આ લેખ ‘અભીવ્યક્તી’ બ્લૉગના સુજ્ઞ વાચકમીત્રો માટે ખાસ મોકલ્યો તે બદલ તેઓનો આભાર.  

લેખક સમ્પર્ક :
Mr. PRAVIN PATEL, FLAT NO. 03, 1ST FLOOR, GANESH APARTMENT, POST OFFICE LANE, RAMDASNAGAR, TIKRAPARA, BILASPUR – 495004 (CHHATTISGARH) Cellphone: 98271 58588/83490 31300 eMail:  ncforumforfastjustice@gmail.com 

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત ‘અભીવ્યક્તી’ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 16/05/2022

3 Comments


  1. રાજકારણ અમારો વિષય નથી પણ ‘ફોરમ ફોર ફાસ્ટ જસ્ટીસ’ના માનદ ટ્રસ્ટી અને માનવઅધિકાર કાર્યકર્તા શ્રી પ્રવીણભાઈ પટેલે અમેરીકન જર્નલ ઑફ પોલીટીકલ સાયન્સમાં 2017ના અભ્યાસ મુજબ આપણે ક્યાંય ઉભા નથી, પ્રશ્ન ઉભો થાય છે, શું આપણે ચુંટણી ઢંઢેરાને માત્ર કાગળના ટુકડા તરીકે ગણીએ છીએ? ‘
    અભ્યાસપૂર્ણ લેખથી નવુ જાણવા મળ્યું.
    સાથે એ શંકા જાય છે કે–‘ ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૦,૨૦૨૧ અને ૨૦૨૨ અમેરીકન જર્નલ ઑફ પોલીટીકલ સાયન્સ’ ઉપરાંત આવી બીજી સંસ્થાઓ પાસે અભ્યાસ કરાવવો જોઇએ.

    Liked by 1 person

  2. Promises and manifestos either written or verbal are for propaganda and to win the elections, not to be full filled.
    all the parties do that.

    Liked by 1 person

  3. સ્નેહીશ્રી ગોવિંદભાઇ,
    ચૂંટણી તે ફક્ત પોલીટીક્સ છે.
    લોકોને ઉલ્લુ બનાવીને જીતીને પછી લોકોને ઉલ્લુ બનાવીને પૈસા કમાવાનો ઘંઘો છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s