અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરવામાં, અનુયાયીઓનું શોષણ કરવામાં કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અપવાદરુપ નથી. બધા એક યા બીજી રીતે અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરતા આવ્યા છે અને હજી પણ કરે છે.
આધ્યાત્મીક છેતરપીંડી
–લક્ષ્મીદાસ ખટાઉ
પ્રાચીન સમયના ધર્મસ્થાપકો, દર્શનશાસ્ત્રીઓએ બહુ ચીંતન–મનન કરીને આત્મા–પરમાત્મા, પુનર્જન્મ–કર્મફળ, સ્વર્ગ–નર્ક, પાપ–પુણ્ય, મોક્ષ–નીર્વાણ પર બહુ કહ્યું છે અને ધર્મગ્રંથોમાં બહુ લખાયું છે. તે પ્રાચીન સમયના સન્દર્ભમાં ઉત્તમ કક્ષાનું ચીંતન કહી શકાય, કારણ કે તે સમયે વીજ્ઞાન કે બુદ્ધીવાદનો વીકાસ થયો ન હતો; પણ આજના વીજ્ઞાન અને બુદ્ધીવાદના સમયમાં પ્રાચીન દર્શનશાસ્ત્રનાં કેટલાંક સીદ્ધાંતો–માન્યતાઓ અર્થહીન, કાલ્પનીક, અતાર્કીક અને અસંગત જણાય છે.
બુદ્ધીવાદી વીચારસરણી ધરાવતા આધુનીક સમયના અગ્રગણ્ય બૌદ્ધીક બર્ટ્રાન્ડ રસેલે કહ્યું છે કે “SCIENCE WAS MORE OR LESS WHAT YOU KNOW, WHILE PHILOSOPHY WAS MORE OR LESS WHAT YOU DON’T KNOW.” એટલે કે “જે વીષય પર થોડું ઘણું જાણીએ છીએ તે વીજ્ઞાન છે અને જે વીષય પર થોડું–ઘણું પણ જાણતા નથી તે ફીલોસોફી છે.” પ્રાચીન દર્શનશાસ્ત્રમાં આત્મા–પરમાત્મા, સ્વર્ગ–નર્ક, કર્મફળ–પુનર્જન્મ વીશે જે સીદ્ધાંતો, માન્યતાઓ પ્રસ્તુત કરવામાં આવ્યાં છે તે માટે કંઈ પણ ભૌતીક, તાર્કીક આધાર નથી. માત્ર કલ્પના પર આધારીત આ સીદ્ધાંતો અને માન્યતાઓ છે. આત્મા–પરમાત્માનું અસ્તીત્વ છે કે નહીં તે વીશે પણ કોઈ કંઈ ચોકસાઈપુર્વક કહી ન શકે. ફક્ત કલ્પના અને શ્રદ્ધાનો એ વીષય છે. કોઈ વાચકને એમ વીચાર આવશે કે આમાં છેતરપીંડી ક્યાં આવી? તે સમયે વીજ્ઞાનનો વીકાસ થયો ન હતો અને વીશ્વ–સર્જન, પૃથ્વી પર જીવસૃષ્ટીનું સર્જન, જીવન–મરણનાં રહસ્યો તેઓએ તેમના તે સમયનાં જ્ઞાન અને તર્કશક્તી મુજબ ઉકેલવા પ્રયાસ કર્યો હતો. વાત તદ્દન ખરી છે કે ભારતના કે કોઈ પણ દેશનાં પ્રાચીન દર્શનશાસ્ત્રો એ તો એક શુદ્ધ પ્રકારનું મનોમંથન હતું. તેઓ જે પ્રમાણીકપણે માનતા હતા કે તેઓ કહેતા હતા. તેમાં કોઈને છેતરવાનો હેતુ ન હતો.
પણ આધ્યાત્મીક ક્ષેત્રે છેતરપીંડીની શરુઆત તો જ્યારથી વ્યવસ્થીત રીતે ધર્મોની સ્થાપના થઈ ત્યારથી શરુ થઈ. ધર્મગુરુઓ ભગવાનના અવતાર બની બેઠા. મંદીરો, મસ્જીદો, ચર્ચો બંધાયાં અને તેમાંથી સ્થાપીત હીતોનું સર્જન થયું અને શ્રદ્ધાળુઓને છેતરવાનો ધંધો શરુ થઈ ગયો. અધ્યાત્મ કે ધર્મની મોટામાં મોટી છેતરપીંડી તો સર્વવ્યાપી ઈશ્વર, અલ્લા, ગૉડને મંદીર, મસ્જીદ, ચર્ચમાં બેસાડી દેવાથી શરુ થઈ. જો ઈશ્વર સર્વવ્યાપી હોય તો પછી ધર્મસ્થાનોની શી જરુર છે? ઘરની ચાર દીવાલો વચ્ચે પણ તમે ઈશ્વરનાં પ્રાર્થના, બંદગી, પાઠ–પુજા કરી શકો છો; પણ તેમ થાય તો પછી ધર્મસ્થાનના પુજારીઓ, મૌલવીઓ, પાદરીઓનાં સ્થાપીત હીતો જોખમાય. આ રીતે ઈશ્વર અને ધર્મના નામે ધર્મસ્થાનો બંધાયાં અને પછી તેમાં અનેક અનીષ્ટો પેદા થયાં. લોકોને છેતરવાનું કામ શરુ થયું.
આખા વીશ્વના સર્જનહારને મનુષ્યરચીત નોટો અને સીક્કા શું કામ આવે? આખા વીશ્વનું ભરણપોષણ કરનાર વીશ્વકર્માને પ્રસાદ ધરાવવાની શી જરુર? ઈશ્વર, અલ્લા, ગૉડ તો ભાવનાના ભુખ્યા છે; સોના, ચાંદી, નાણાં અને પકવાનોની ભુખ વીશ્વસર્જનહારને ન હોય. ધનદોલત અને મીષ્ટાન્નની ભુખ તો ધર્માચાર્યોને લાગે. બધા ધર્મોના ધર્માચાર્યો ઉપરવાળાના નામે ખુબ ધન કમાયા અને હજી પણ કમાય છે. એક તરફ કહે કે પૈસો હાથનો મેલ છે, સાદું જીવન એ ઈશ્વરને મળવા માટેનો માર્ગ છે, અને બીજી તરફ ધર્માચાર્યો લોકો પાસેથી અનેક નવી નવી તરકીબોથી પૈસા ઉસેડવા લાગ્યા, વૈભવી જીવનશૈલી અપનાવી. ધર્મસ્થાનોમાં નાણાંના ગંજ ખડકાયા. મંદીરોના ઘુમ્મટો સોનાના બન્યા, મુર્તીઓ સોના–ચાંદીની બની પછી આ રીતે ભેગી થયેલી સમૃદ્ધીના માલીકો ધર્માચાર્યો બન્યા. ક્યારેક સોનાનાં ઘુમ્મટ, આભુષણો લુંટાયાં, ક્યાંક ધર્માચાર્યોએ પોતે તેની ચોરી કરી. આને આધ્યાત્મીકતા અને ધર્મના નામે છેતરપીંડી ન કહેવાય?
સ્વર્ગ–નર્કમાં તો મનુષ્ય સદેહે પ્રવેશ કરી શકતો નથી. મૃત્યુ પછી તેમાં પ્રવેશ મળે. તો પછી બધા ધર્મગ્રંથોમાં સ્વર્ગ–નર્કનો ઉલ્લેખ છે અને બહુ જ સચોટ રીતે સ્વર્ગની શોભા અને નર્કની યાતના વીશે વર્ણન કરવામાં આવેલ છે. તે વર્ણન પ્રમાણે સ્વર્ગ–નર્ક છે તે કેવી રીતે જાણી શકાયું? ધર્મગ્રંથોમાં અને ધર્મના પ્રવચનકારો સ્વર્ગ–નર્કના નામે ટાઢા પહોરનાં ગપ્પાં મારે છે. શ્રદ્ધાળુઓને સ્વર્ગમાં જવું હોય તો તે માટે શું કરવું અને નર્કની યાતનાથી બચવું હોય તો શું કરવું તે માટે ઉપદેશો અને માર્ગદર્શન આપે છે. સ્વર્ગ–નર્કની કલ્પનાના બચાવમાં કહેવામાં આવે છે કે આ તો લોકો સદાચારી બની રહે તે માટે સ્વર્ગનું પ્રલોભન આપવામાં આવે છે અને દુરાચારી ન બને તે માટે નર્કનો ભય બતાવવામાં આવે છે. બહુ સારી વાત છે, જો આ રીતે પણ લોકો સદાચારી બનતા હોય અને દુરાચારી બનતા અટકતા હોય તો.
પણ ધર્માચાર્યોને માટે તો સ્વર્ગ–નર્કની કલ્પના તો દુઝતી ગાય બની ગઈ. ખ્રીસ્તી ધર્માચાર્યો કહે છે કે તમે પાપ કર્યા છે… નર્કથી બચવું છે? કંઈ ફીકર નહીં, અમારી પાસે આવો. એકાંતમાં તમારાં પાપોની કબુલાત કરો એટલે અમે તમને તમારાં પાપોમાંથી મુક્ત કરશું; પણ પાપમાંથી મુક્તી આપવા માટે પુજનીય પાદરીને દક્ષીણા તો આપવી પડશે. પછી જ પાપમુક્ત બનશો! આ પ્રથાના બચાવમાં કહેવામાં આવે છે કે આ તો કોઈને પોતાનાં પાપી કર્મો માટે પસ્તાવો થાય અને તે માટે પ્રાયશ્ચીત્ત કરે તો તે પાપમુક્ત બની જાય તેની એક વીધી છે. ખરી વાત છે. કોઈને પોતાનાં પાપી કર્મો માટે અંતકરણપુર્વકનો પસ્તાવો થાય અને ભવીષ્યમાં પાપી કર્મો કરતો અટકે તો જરુર તેના આત્મા પરથી પાપોનો બોજો ઓછો થાય. કવી કલાપીએ પણ આ કથનને તેમના કાવ્યમાં બહુ સુંદર રીતે વ્યક્ત કરેલ છે :
“રે પસ્તાવો વીપુલ ઝરણું, સ્વર્ગથી ઉતર્યું છે,
પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે.”
કવીએ એમ નથી કહ્યું કે પુણ્યશાળી બનવા માટે પસ્તાવો વ્યક્ત કરવા માટે ધર્માચાર્ય પાસે જવાની જરુર છે. કવી તો કહે છે કે પસ્તાવારુપી સ્વર્ગથી ઉતરેલા ઝરણામાં મફતમાં સ્નાન કરીને પણ પુણ્યશાળી બની શકો છો. તો પછી પસ્તાવો કરવા માટે, પાપ–મુક્તી માટે વચ્ચે ધર્માચાર્યરુપી કમીશન એજન્ટની શી જરુર? આને આધ્યાત્મીક છેતરપીંડી ન કહેવાય? ખ્રીસ્તી ધર્માચાર્યો તો ગમે તેવા પાપીને પણ ફી વસુલ કરીને મૃત્યુ પછી સ્વર્ગમાં પ્રવેશ મળે તે માટે વીઝા–ભલામણચીઠ્ઠી લખી આપે! તેને ધાર્મીક છેતરપીંડી ન કહેવાય?
બધા ધર્મોમાં કહેવામાં આવ્યું છે કે તમે ધર્મના પવીત્ર સ્થળની યાત્રા કરો, પવીત્ર નદી અથવા કુવાનું પાણી માથે ચડાવો; ધર્મસ્થાનને તથા ધર્મગુરુઓ, બ્રાહ્મણો, મહંતો, મૌલવીઓ, પાદરીઓ, પુજારીઓ, સાધુ–સંતો, ફકીરોને દાન કરો એટલે તમારાં પાપ ધોવાઈ જાય. યાત્રા કરી આવ્યા પછી પણ ફરી પાપ થઈ જાય તો કંઈ વાંધો નહીં, ફરી વાર યાત્રાએ જાઓ, પવીત્ર નદીમાં સ્નાન કરો, દાન કરો એટલે તમારાં પાપ બીજી વાર પણ ધોવાઈ જશે! અહીં પ્રાયશ્ચીત્ત કરવાની વાત નથી. પૈસા આપીને પાપ–મુક્ત થઈ શકાય છે એમ કહેવામાં આવે છે. આને આધ્યાત્મીક છેતરપીંડી ન કહેવાય?
ધર્મના નામે છેતરપીંડીમાં તો, કૃષ્ણની ભુમી મથુરા તો પહેલો નમ્બર આવે? યાત્રાળુને યેનકેન પ્રકારે ખંખેરી લેવા અનેક પ્રકારની યુક્તીઓ થાય. યાત્રાળુ શહેરમાં પ્રવેશે એટલે ગોળ પર માખીઓ ભણભણવા મંડે તેમ યાત્રાળુઓની આસપાસ ગોર–પંડાઓ ઘેરા ઘાલી લે. યાત્રાળુનું નામ, અટક વગેરે પુછીને તે યાત્રાળનો અસલ ગોર–પંડો કોણ છે – તે માટે રકઝક ઝામે, ઝઘડા થાય, કોઈવાર મારામારી પણ થાય. છેવટે યાત્રાળુ કોઈ પણ એક ગોર–પંડાનો શીકાર બને અને પછી છેતરપીંડીની શરુઆત થાય. પહેલાં તો નદીમાં સ્નાન કરાવીને પવીત્ર કરતી વખતે પંડો યાત્રાળુને કહે કે દાનમાં શું આપવું છે – ભુમીદાન, સુવર્ણદાન, ગૌદાન, ધનદાન – તેનો સંકલ્પ યાત્રાળુ કરે. તે સમયે યાત્રાળુ વધારેમાં વધારે દાન આપવા સંકલ્પ કરે તે માટે તેના પર મનોવૈજ્ઞાનીક ઢબે વધારેમાં વધારે દબાણ ગોર કરે. યાત્રાળુ આ પ્રકારના દબાણથી વશ થઈને પોતાની શક્તીમાં હોય તેટલું વધુમાં વધુ દાન આપે તે માટે તેને સંકલ્પ કરવા મજબુર કરવામાં આવે. પછી અલગ અલગ મંદીરોમાં દર્શન કરાવવા ગોર યજમાનને લઈ જાય. ત્યાં પણ દરેક મંદીરમાં વધારેમાં વધારે ભેટ ધરાવવા તેના પર દબાણ કરવામાં આવે. તેની પાછળનું કારણ એ હોય છે કે મંદીરમાં પુજારી અને ગોર વચ્ચે કમીશન–લેતીદેતીની સમજુતી હોય છે. યાત્રાળુ જેટલી ભેટ ધરે તેમાંથી પુજારી ગોરને અમુક ટકા ભાગ કમીશન તરીકે આપે! ધાર્મીક છેતરપીંડીના પણ આ રીતે અનેક પ્રકાર હોય છે.
ભારતના પણ યુ. કે.માં સ્થાયી થયેલા બંગાલી વીશ્વવીખ્યાત લેખક નીરદ ચૌધરીએ પોતાના પુસ્તક ‘હીંદુ ધર્મના ઈતીહાસ’માં લખ્યું છે કે THE BRAHMINS ARE THE GREATEST RASKALS. એટલે સૌથી વધારે લફંગાઓ બ્રાહ્મણો છે. બ્રાહ્મણોએ તો હીંદુ સમાજ પર કરોળીયાની જેમ એવી તો જાળ ગુંથી છે કે કોઈ પણ હીંદુ જન્મથી તે મરણ સુધી એક યા બીજી રીતે બ્રાહ્મણના સકંજામાંથી છટકી ન શકે. બાળકનો હજી તો જન્મ પણ થયો ન હોય, ગર્ભમાં હોય ત્યારથી બ્રાહ્મણની વીધી શરુ થાય તે બાળક જન્મે, યજ્ઞોપવીત ધારણ કરે, શાળાએ જાય, સગપણ થાય, લગ્ન થાય, વેપાર–ધંધો–નોકરી શરુ કરે, નવું મકાન લે, મુસાફરી કરવા જાય ત્યાં સુધી દરેક વખતે યજમાનને ગોર મહારાજનાં ખીસ્સાં ભરવાં પડે. એટલું જ નહીં પણ મૃત્યુ પછી બ્રાહ્મણ બારમા–તેરમાના દીવસે મૃત્યુ પામેલા યજમાનના નામે લાડુ ખાય અને દક્ષીણા મેળવે. પછી ભાગવત વાંચવાની વીધી થાય. તેમાં પણ યજમાન બીચારો કથા વાંચનારને દક્ષીણામાં સુવર્ણદાન, વસ્ત્રદાન અને ધનદાન આપીને તથા સાત દીવસ કથા વાંચનારનાં કુટુંબીજનો, જાપ પર બેસનારા બ્રાહ્મણો તથા કથા સાંભળવા આવનારાં સગા–સંબંધીઓને સાત દીવસ જમાડે. પછી જ મૃત્યુ પામનારનો આત્મા સદગતી પામે! જ્યાં સુધી કથા ન વંચાય ત્યાં સુધી આત્મા હવામાં અધ્ધર લટકતો રહે! નીરદ ચૌધરીએ બ્રાહ્મણોને સૌથી વધારે લફંગા યોગ્ય કારણસર કહ્યા છે. મૃત્યુ પામનારનો આત્મા ભલેને ગમે તેટલો પુણ્યશાળી હોય પણ જ્યાં સુધી ભાગવત–કથા ન વંચાય ત્યાં સુધી તેની સદગતી ન થાય. હવામાં અધ્ધર લટકતો રહે. આત્મા, સ્વર્ગ નર્કના નામે આ પ્રકારની છેતરપીંડી થતી આવી છે અને હજી પણ થાય છે.
ઈસ્લામ ધર્મના એક સમ્પ્રદાયના ધર્મગુરુએ પણ બ્રાહ્મણોની જેમ પોતાના અનુયાયીઓની આસપાસ કરોળીયાની જેમ જાળ બીછાવી છે. તે સમ્પ્રદાયની કોઈ વ્યક્તી જન્મે અને મૃત્યુ પામે ત્યારે તથા તે વચ્ચે તેના જીવનમાં બનતા કેટલાય સામાજીક, ધાર્મીક પ્રસંગો માટે ધર્મગુરુને ભેટ ધરવી પડે. તે પણ મરજીયાત અને યથાશક્તી નહીં, ધર્મગુરુએ નક્કી કરેલ ધોરણ મુજબની. કબ્રસ્તાનમાં દાટવા માટે ચોક્કસ રકમ ભરો. પછી જ શબને કબ્રસ્તાનમાં લઈ જવા તથા દફનવીધી માટે મંજુરી મળે.
અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરવામાં, અનુયાયીઓનું શોષણ કરવામાં કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અપવાદરુપ નથી. બધા એક યા બીજી રીતે અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરતા આવ્યા છે અને હજી પણ કરે છે.
– લક્ષ્મીદાસ ખટાઉ
ડૉ. અશ્વીન શાહ, ચીફ મેડીકલ ઑફીસર અને મેનેજીંગ ટ્રસ્ટી, ખારેલ સાર્વજનીક હૉસ્પીટલ, ખારેલ તરફથી લોકજાગૃતી માટે ‘અભીવ્યક્તી’ને મોકલવામાં આવેલ પુસ્તક ‘તમને કોણ, કેવી રીતે છેતરે છે?’ (પ્રકાશક : આર. આર. શેઠની કમ્પની, મુમ્બઈ – 400 002 પ્રથમ આવૃત્તી : ઓગસ્ટ, 2002 મુલ્ય : રુપીયા 75/– ઈ.મેલ : sales@rrsheth.com વેબસાઈટ : www.rrsheth.com )માંથી, લેખક, પ્રકાશક અને ડૉ. અશ્વીન શાહના સૌજન્યથી સાભાર…
લેખક–સમ્પર્ક : અફસોસ, સ્મરણીય લક્ષ્મીદાસ ખટાઉ હવે આપણી વચ્ચે નથી.
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 12–08–2022
Like this article very much. Congratulations to all concerned.
Maybe a few will read this and understand but in spite of that won’t put into practice, maybe due to so many reasons and various presssures. A vast majority won’t read this or won’t give hid to this because for them this is nonsense what we rationalists say or write. For them the word from their babas, gurus or other such is their god’s word, and what we say is just an empty talk and our arguments however logically right is mere bakwas.
Hope their god save them from the clutches of such contractors of so called god.
LikeLiked by 1 person
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
આદરણીય વલીભાઈ,
નમસ્તે…
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘આધ્યાત્મીક છેતરપીંડી’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
ખુબ સરસ લેખ. આભાર લક્ષ્મીદાસ ખટાઉ (Sorry to here he is not between us any more) અને ગોવીન્દભાઈ આપનો.
વર્ષો પહેલાં કદાચ જાન્યુઆરી 1984માં મથુરા જવાનું થયેલું. તે સમયે મને રૅશનાલીઝમ વીશે કશી માહીતી ન હતી, પણ પંડાઓ માત્ર પૈસા પડાવવામાં જ રસ ધરાવે છે એવું સાંભળ્યું હતું. આથી હું મથુરાના એ મંદીરમાં ગયો ન હતો. મારાં પત્ની અને બાળકો ગયેલાં. તેવું જ હરદ્વાર ગંગા નદી પાસે ગયાં ત્યારે ત્યાંના બ્રાહ્મણ આપણા પુર્વજોની સદ્ગતી માટે શ્રાદ્ધક્રીયા કરતા હોય છે. એમની બાબત સાંભળેલું કે જો તમે અસ્પૃશ્ય જાતીના છો એમ કહો તો એ તમારા માટે પુજા કરશે નહીં. મેં ત્યાં એક બ્રાહ્મણ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે તેને કહ્યું કે હું કોળી કોમનો છું. મારા માટે તમે પુજા કરશો? એ ભાઈ તરત જ જતો રહ્યો. હા, એ ખરું કે મને મુર્તીપુજામાં બહુ નાનો હતો ત્યારે જ કોઈ શ્રદ્ધા ન હતી. પણ અહીં વેલીંગ્ટનમાં સમાજનું શોષણ ન થાય એ માટે હીન્દુ ધર્મની વીધી કરવાનું વેલીંગ્ટન ઈન્ડીઅન એસોશીએશન માટે સ્વીકારેલુ. જો કે હવે તો અહીં પણ બ્રાહ્મણ આવી ગયા છે અને સમાજનું શોષણ ચાલુ થઈ ગયું છે.
LikeLiked by 1 person
સરસ લેખ
મા – લક્ષ્મીદાસ ખટાઉ ની ‘અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરવામાં, અનુયાયીઓનું શોષણ કરવામાં કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અપવાદરુપ નથી. બધા એક યા બીજી રીતે અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરતા આવ્યા છે અને હજી પણ કરે છે.’
વાત અર્ધસત્ય છે. હાલ આતંક અને રાજકારણને લીધે પ્રમાણ વધ્યું લાગે છે પણ સંતો સાથે સાધના કરતા ઘણા જટીલ પ્રશ્નોના ઉકેલ ,માનસીક શાંતી અને આનંદની અનુભૂતિ થાય છે
./
LikeLiked by 1 person
“અધ્યાત્મ અને ધર્મના નામે છેતરપીંડી કરવામાં, અનુયાયીઓનું શોષણ કરવામાં કોઈ પણ ધર્મના ધર્માચાર્યો અપવાદરુપ નથી.”✅✅✅
LikeLiked by 1 person
શ્રીમાન લક્ષ્મીદાસ ખટાઉ સાહેબે એક બહુજ અગત્ય ના અને અત્યારે જગત માં ચારે તરફ અને દરેક ધર્મ માં ફેલાયેલા આ દુષણ વિષે પોતાની કલમ ચલાવેલ છે. એ સત્ય છે કે અત્યારે જગત માં દરેક ધર્મ માં ઈશ્વર, અલ્લાહ, ગોડ ના બની બેઠેલા એજન્ટો અસ્તિત્તવ ધરાવે છે, અને ધર્મ ના નામે પોતાની શાખ, શક્તિ કે દબદબો કાયમ રાખેલ છે, અને ભોળા શ્રદ્ધાળુઓ ના પૈસે તાગડધિન્ના કરે છે. આ મલિન કાર્ય દરેક ધર્મ માં ફેલાઈ ગયેલ છે, જેમાં ભોળા શ્રધ્ધ્ધાળુઓ નો ફાળો સૌ થી વધારે છે કે તેઓ ધર્મ ને સમજ્યા વિના આંધળું અનુકરણ કરી ને આ બની બેઠેલા ઈશ્વર, અલ્લાહ, ગોડ ના દુનિયા ના લેભાગુ એજન્ટો પર આંધળો વિશ્વાસ કરે છે અને આ રીતે આ લેભાગુ એજન્ટો ની ઘી કેળા ની મોજ ચાલુ જ રહે છે.
મંદિરો, મસ્જિદો, ચર્ચ, સમાધિઓ, દરગાહો વગેરે મફત ના અને હરામ ના પૈસા કમાવવા ના સાધનો બની ગયેલ છે, અને એક રીતસર નો ધંધો બની ગયેલ છે. પુજારીઓ, મુજાવરો, પાસ્ટરો વગેરે માટે આ જિંદગી ભર ની કમાણી બની ગયેલ છે.
ઇસ્લામ ધર્મ માં ફેલાયેલા આ દુષણ વિષે એક મુસ્લિમ તરીકે મેં અખબારો માં ગુજરાતી, અંગ્રેજી અને ઉર્દુ માં “પૃથ્વી પર ના અલ્લાહ ના એજન્ટો”, “Allah’s. Agents. on. earth” . ના શીર્ષક હેઠળ ઘણું લખેલ છે.
LikeLiked by 2 people
શ્રી ગોવિંદભાઇ,
આ એક વારંવાર લખાતી/ચર્ચાતી વાત છે.આવા લખાણો લખવાથી પરિસ્થિતિમાં કોઈ ફેર પડવાનો નથી. જ્યાં સુધી લોકો પોતે જ આવા બનીબેઠેલા
ગોડફાથરોનો બહિષ્કાર નહીં કરે ત્યાંસુધી આવું ચાલતુંજ રહેવાનું.છેલ્લા સમાચાર પ્રમાણે હાલમાં એક ગલ્ફ કન્ટ્રીમાં પણ ભવ્ય મન્દિરનુ નિર્માણ થઈ રહ્યું
છે અને થોડા જ સમયમાં તેનું ઉદ્ઘાટન થવાનું છે. આના માટે લોકો જ જવાબદાર છે જો સામુહિ બહિષ્કાર કરવામાં આવે તો આ બદીને નાબૂદ કરી શકાય
અને તેના માટે જનજાગૃતિ જરૂરી છે.
રવિન્દ્ર ભોજક-કેનેડા
તા.12-8-2022
LikeLiked by 1 person
‘અભીવ્યક્તી’ બ્લૉગ થકી લોકજાગૃતી માટે જ હું પ્રયત્ન કરું છું.
ધન્યવાદ…🙏 રવીન્દ્રભાઈ
LikeLike
Yes we all have experienced this social evil in every temple & specially at sacred holy places.
So i avoid doing rituals at any holy places .
How ever for family sake every one has to compromise & as said truly in comments now for tourism many such places are developed or being renovated so their business flourishes & specially in digital age of online Pooja,special VIP online passes all increased.
LikeLiked by 1 person