પુરુષ નપુંસક છે એવું કઈ રીતે જાણી શકાય?

સામાન્ય વ્યક્તીઓ અને ઘણા તબીબોને પણ ખબર નથી હોતી એવા આ સંવેદનશીલ વીષય અંગે 6 પ્રશ્નોના વૈજ્ઞાનીક માળખામાં સમાવીષ્ટ થઈ શકે તેટલી સ્પષ્ટતા સાથે ડૉ. મુકુલ ચોકસીઉત્તરો આપ્યા છે.

10

પુરુષ નપુંસક છે એવું કઈ રીતે જાણી શકાય?

–ડૉ. મુકુલ ચોકસી

[‘જાતીય પ્રશ્નાવલી’ – 9 માણવા માટે લીન્ક : https://govindmaru.com/2022/08/15/dr-mukul-choksi-31/ ]

પ્રશ્ન : આવતા મહીને મારા લગ્ન થવાનાં છે. બન્યું એવું કે, મારી વાગ્દત્તા સાથે મેં એકવાર શરીર સમ્બન્ધ બાંધવાની કોશીશ કરી જોઈ પણ હું સફળ રહ્યો નથી. તો શું મારે હવે તેની સાથે લગ્ન કરવાં જોઈએ કે નહીં? જો હું તેને સુખ આપવામાં સફળ ન રહેવાનો હોઉં તો મારે તેની કે બીજા કોઈની સાથે લગ્ન કરવાનો કશો અર્થ નથી. મહેરબાની કરીને જે સાચું હોય તે જણાવીને મને ચીંતામુક્ત કરવા વીનન્તી.

(2) મારી ભત્રીજીની સમસ્યા બહુ ગંભીર છે. તેનાં હજુ લગ્ન થવાનાં છે પણ તેને ક્યાંકથી એવી વાત મળી છે કે, તેનો ભાવી પતી નપુંસક છે. મને પણ એક સગાએ કહ્યું છે કે, તે માણસ પુરુષમાં નથી. તમે તાત્કાલીક કોઈ એવો ઉપાય બતાવશો કે, જેથી આ વાતની અમે ખાતરી કરી શકીએ, મારી ભત્રીજીની આખી જીંદગીનો સવાલ છે. ડૉક્ટરની પાસે ચેકીંગ કરાવી લેવું જોઈએ ખરું?

(3) મને શરીરે કોઢના ડાઘ છે. આથી મારી સગાઈ એક મોટી ઉમ્મરના પુરુષ સાથે થઈ છે. પણ તેઓ મારામાં જરાય રસ લેતાં હોય એમ લાગતું નથી. શું તેઓ મને લગ્નજીવનનો આનન્દ આપી શકશે ખરા? હું તેમને એવું પુછી જોઉં તો ચાલે? મારે કઈ રીતે જાણવું કે તેઓ પૌરુષસભર છે કે નહીં?

ઉત્તર : આપના પ્રશ્નોમાં એક સામ્ય એ છે કે, આપ સહુ એવું જાણવા માગો છો કે ફલાણો પુરુષ જાતીય રીતે તંદુરસ્ત છે કે નહીં. તે તેની થનાર પત્નીને શરીરથી સંતોષી શકવા સક્ષમ છે કે નહીં. આવા પ્રશ્ન એટલા માટે ઉપસ્થીત થતા હોય છે, કે લગ્ન પહેલાં વ્યક્તી ‘હા’ કે ‘ના’ કરી શકવાની સ્થીતીમાં હોય છે. ઘણીવાર એવું બને છે કે, સેક્સ થેરાપીસ્ટના કીલનીકમાં એકાદ સ્વજનને લઈને ચીંતીત કુટુંબીજનો આવી પહોંચે છે. તેઓએ માત્ર આટલું જ પુછવાનું હોય છે, ‘ભાઈને ચેક કરી આપો! એમનાં લગ્ન કરવાના છે! કાંઈ વાંધો તો નથી ને?’ ‘સેક્સથેરાપી’ એ વીજ્ઞાન છે. તેના પોતાના નીતી–નીયમો છે. એ અન્વયે ધારણા થઈ શકવી જોઈએ કે ફલાણા ભાઈ તેમનાં લગ્ન પશ્ચાત સેક્સ ભોગવી શકશે કે નહીં! પણ કમનસીબે બધા કીસ્સાઓમાં સો ટકા સફળ નીષ્કર્ષ પર પહોંચી શકાતું હોતું નથી.

આ સાયન્સ ‘પ્રીડીકટીવ’ નહીં બલકે ‘પોસ્ટડીકટીવ’ પ્રકારનું છે. કશુંક બને ત્યારબાદ કહી શકાય કે, આને કારણે આમ બનવા પામ્યું. પણ એ બનાવ પુર્વ ન કહી શકાય કે, આમ બને, આમ બનશે. એક ઉદાહરણ લઈને જ વાત કરીએ.

બાબુભાઈની ઉમ્મર ચોત્રીસ વર્ષની છે. બાળપણથી જ તેનું મગજ સહેજ અવીકસીત રહી જવા પામ્યું છે. ડૉક્ટરો કહે છે કે, તેને ‘મંદબુદ્ધી’ ‘માઈલ્ડ મેન્ટલ રીટાર્ડેશન’ છે. આ સાથે તેને વાઈ અથવા ખેંચ તરીકે ઓળખાતો ‘એપીલેપ્સી’ નામનો રોગ પણ છે જેને માટે છેલ્લા બે દાયકાથી બાબુભાઈ ખેંચ અટકાવવા માટેની દવાઓ લઈ રહ્યા છે.

મંદબુદ્ધી માટે કહે છે કે, કોઈ દવા નથી હોતી. અલબત્ત, બાબુભાઈ પૈસાપાત્ર કુટુંબમાં હોવાને કારણે તેમની કાળજી તથા ઉછેર સારી રીતે થઈ રહ્યા છે. આથી હજી સુધી તેમને કોઈ મોટી સામાજીક મુશ્કેલીનો સામનો કરવાનો વારો નથી આવ્યો; પણ હવે લગ્નની વાત રહી રહીને આવી છે અને બાબુભાઈનાં સ્વજનો તથા પાલકોને દહેશત છે કે બધું સમુસુતરું પાર ઉતરશે કે નહીં!

મોટી વાત હતી. સહુ ડૉક્ટરને પુછી રહ્યા હતાં કે, બાબુભાઈનાં લગ્ન કરવાં જોઈએ કે નહીં? તેઓને ડર એ વાતનો હતો કે, આજથી પાંચેક વર્ષ પુર્વ પણ આ જ રીતે તેઓએ બાબુભાઈનાં લગ્ન લેવડાવ્યા હતાં; પણ છોકરી એક જ અઠવાડીયામાં તેઓ ‘નપુસંક’ છે એવું કહીને પીયર પાછી ચાલી ગઈ હતી. વચ્ચેના ગાળામાં એક ધંધાદારી સ્ત્રીનો સંગ કરાવી, પ્રયોગ ખાતર તેઓએ બાબુભાઈને ચેક કરી જોવડાવ્યા હતા જેમાં પણ સારાં પરીણામો નહોતાં મળ્યાં. હવે કોઈકના કહેવાથી તેઓ ડૉક્ટરની સલાહ માટે આવ્યા હતા.

તેનું મુળ કારણ એ હતું કે બાબુભાઈ પોતે લગ્ન કરવા માટે ખાસ્સા ઉત્સુક હતા અને એક છોકરીવાળા તરફથી માંગું પણ આવ્યું હતું. આ વખતે ભુલ ન થઈ જાય અને નામોશી ન વહોરવી પડે એટલા માટે તેઓ ડૉક્ટરી અભીપ્રાય લઈ રહ્યા હતા.

બીજા એક કીસ્સામાં સહેજ જુદું બને છે. આડત્રીસ વર્ષના કુંવારા પ્રવીણભાઈ જાતે પોતાની તપાસ કરાવવા આવે છે. તેઓ આજપર્યંત એવું માનતા આવ્યા હતા કે, તેઓ પોતે ‘નપુંસક’ છે અને એટલા માટે લગ્નની વાતચીતો ટાળતાં આવ્યા હતા; પણ હવે કૌટુંબીક દબાણ આગળ અને સામાજીક સંજોગો આગળ ઝુકવું પડે તેમ હોવાથી તેઓ ‘ચેકીંગ’ કરાવવા માગતા હતા. અલબત્ત, તેમની પોતાની લગ્ન માટેની સહેજ પણ તૈયારી કે ઈચ્છા નહોતી.

આવા અનેક કીસ્સાઓમાં નીર્ણય ડૉક્ટરને પુછવામાં આવતો હોય છે. એ અંગે કેટલીક સામાન્ય ગાઈડલાઈન આપવી જોઈએ. જેમ કે –

(1) લગ્ન અંગેનો અંતીમ નીર્ણય દર્દી અથવા તેમનાં સ્વજનોએ કરવો જોઈએ, ડૉક્ટરે નહીં.

(2) અલબત્ત, ડૉક્ટર આવનારી જાતીય સમસ્યાઓ અંગે વૈજ્ઞાનીક માળખામાં સમાવીષ્ટ થઈ શકે તેટલી સ્પષ્ટતા કરી શકે.

(3) ભુતકાળના એકાદ નીષ્ફળ પરફોર્મન્સ ઉપરથી એવું ચોક્કસપણે ના કહી શકાય કે, દર્દી નપુંસક જ છે અને એમ જ રહેશે.

(4) તે જ રીત ક્યારેક સફળ સમાગમ કરી શકનાર વ્યક્તી વીષે પણ એવી ખાતરી ન રાખી શકાય કે, તેના આગામી લગ્નજીવનમાં તે સંપુર્ણ સફળ થશે જ.

(5) આ ભાવી અચોક્કસતાઓ એટલા માટે હોય છે કે, સફળ પરફોર્મન્સ અને સફળ કામજીવનનો આધાર અનેકાનેક વસ્તુઓ પર રહેલો હોય છે. જેવી કે આવડત, સમજ, ચીંતાઓ તથા જીવનસાથીનો સહકાર.

(6) ઉપરના પહેલા કીસ્સામાં મેન્ટલી રીટાર્ડેડ બાબુભાઈ પોતાના કાર્યક્રમમાં નીષ્ફળ જઈ શકે તે માટેનાં ઘણાં કારણો હતાં. જેવા કે, લાંબા ગાળાની ખેંચને કારણે મનમાં વ્યાપેલી ક્ષીણતા, લઘુતાગ્રંથી, ખેંચની દવાઓના લાંબા ગાળાના સેવનના કારણે સ્વભાવમાં પ્રવેશેલ પરીબળો, મંદબુદ્ધીને કારણે ઉભી થયેલી જાતીય ગેરસમજો, જાતીય મુશ્કેલીઓને પહોંચી વળવા માટેના બૌદ્ધીક સામર્થ્યની ઓછપ, કોઈ પણ પ્રકારની જાતીય અભીવ્યક્તીઓ વગર પસાર કરેલું દીર્ઘ જીવન, શારીરીક ખોડખાંપણ તથા ગેરમાન્યતાઓ ધરાવતી પત્નીની ઉપસ્થીતી, કેવળ એક અઠવાડીયાના ટુંકાં સાહચર્ય દરમીયાન સર્જાયેલ અરસપરસના વૈચારીક આદાનપ્રદાનનો અભાવ વગેરે.

(7) એ જ રીતે બીજા કીસ્સામાં પ્રવીણભાઈને પણ જાતીય મુશ્કેલીઓ ઘણાં કારણોસર જન્મી શકે એમ હતું. પહેલું તો એ કે તેઓ પોતે કશા દેખીતા કારણ વગર આટલાં વર્ષોથી પોતે નપુંસક હોવાની તીવ્રચીંતા અને ગેરમાન્યતા લઈને ફરતાં હતાં. આથી તેઓ ‘જાતીય આનન્દ’ને બદલે ‘જાતીય સામર્થ્ય’ વીષે જ વીચારવામાં વ્યસ્ત રહેતા! પોતાની આ ચીંતા એટલી ઉંડી અને વ્યાપક હતી કે, તેઓ તમામ પ્રકારની ‘અંગત કામપ્રવૃત્તીઓ’ – ‘સોલીટરી સેક્સયુલ એકટીવીટીઝ’માંથી પણ રસ ગુમાવી બેઠાં હતાં અને માત્ર સામાજીક દબાણોને કારણે જ લગ્ન કરવા તૈયાર થયાં હતાં!

(8) આમ છતાં માનસીક સંતુલન, સ્થીર સમાજજીવન, સમજવાની તૈયારી તથા સમજદાર જીવનસાથી મળી શકવાની શક્યતા વગેરે એવા પરીબળો પણ હતાં જે તેમને મુશ્કેલીઓ દુર કરવામાં મદદ કરી શકે!

(9) સરવાળે એવું કહી શકાય કે, કેવળ જનનાંગોના ચેકીંગથી કહી શકાતું નથી કે, વ્યક્તી સેક્સ ભોગવવા સમર્થ નીવડશે કે કેમ! તે જ રીતે ભુતકાળના એકાદ પ્રસંગ પરથી પણ ભવીષ્ય અંગે ખાતરીપુર્વક કશું ન કહી શકાય!

(10) આથી ઉલટું એ કે જે પુરુષના સેક્સ જીવનમાં ચાર મહત્ત્વનાં પાસાંઓ–કામેચ્છા, ઉત્થાન, યોનીપ્રવેશ તથા સ્ખલન લાંબા ગાળા સુધી વ્યવસ્થીતપણે કાર્ય કરતાં હોય તેઓનો ડર હોય એવું મોટા ભાગે બનતું હોય

(11) અલબત્ત, આવા નીરોગી પુરુષોના ભાવી સફળ કામજીવન માટે પણ પત્ની સાથેના પારસ્પરીક સમ્બન્ધો, સુઝબુઝ, સમજ વગેરે હોવા અનીવાર્ય છે.

(12) જેણે ક્યારેક યૌનકામાનુભવ લીધો નથી તેવા પુરુષના ભાવી કામજીવનની સફળતા અંગે કઈ રીતે કહી શકાય? એક વૈજ્ઞાનીક તથ્ય એવું છે કે, જે પરીણીત પુરુષ હસ્તમૈથુન (કામેચ્છા, સ્ખલન, આનન્દ સહીત) સફળતાપુર્વક કરી શકતો હોય તેને જો યોગ્ય, આકર્ષક, જીવનસાથી મળે તો કામજીવનમાં ખાસ મુશ્કેલી પડવાની શક્યતા નથી.

(13) અલબત્ત, અહીં પણ જો અને તો–ની વાત આવે છે. ચેકીંગ પ્રથાના ફાયદા કરતાં ગેરફાયદા વીશેષ છે. તેની અનેક મયાર્દાઓ પણ છે. સામાન્ય સંજોગોમાં બરાબર કામકર્મ કરી શકતો પુરુષ ચેકીંગ દરમીયાન નીષ્ફળ થઈ શકે છે, આથી ઉલટું ચેકીંગમાં સફળ નીવડનાર વ્યક્તી શયનખંડમાં નીષ્ફળ જઈ શકે છે.

(14) કેટલાંક વળી લેખીત ડૉક્ટરી રીપોર્ટનો આગ્રહ રાખતાં હોય છે. તેઓના સંતોષ માટે ડૉક્ટરો વીર્યની તપાસનો રીપોર્ટ પણ કાઢી આપતાં હોય છે. જે કશા કામનો નથી. કેમ કે નપુંસક્તા સાથે પણ વીર્યસ્ખલન થવું સંભવીત છે. અને એ વીર્ય તદ્દન નોર્મલ હોઈ શકે છે. વીર્યના રીપોર્ટથી કેવળ પ્રજનન ક્ષમતા વીશે જાણી શકાય–પુરુષત્વ વીશે નહીં.

(15) એ જ રીતે વ્યક્તીની ઉલટતપાસ લઈને પણ નીદાન નથી કરી શકાતું. ઘણીવાર છોકરીવાળાઓ આવીને કહે છે કે, પુરુષ નપુંસક છે કે નહીં તે કહી આપો. છોકરો મોટા ભાગે એવું જ કહે છે કે, છોકરી જુઠું બોલે છે અને મામલો કોર્ટ–કચેરીએ પહોંચે છે. આ માટે પણ એવો કોઈ તબીબી રીપોર્ટ આવતો નથી, જે બેમાંથી એકેય વાતને સાચી કે ખોટી પુરવાર કરી શકે.

(16) એન.પી.ટી. (રીજીસ્કેન)

મોનીટરીંગ નામના સાધનથી પણ એટલું જ જાણી શકાય છે કે, નપુંસકતા હોય તો તેનું કારણ શારીરીક કે માનસીક છે! ચેકીંગ માટે ઈન્ટ્રીપીનાઈલ વાઝોડાઈલેટર દવાઓના ઈંજેકશન મુકવાથી ધારો કે ઉત્થાન આવે તોય તે એટલું જ પુરવાર કરે છે કે, ઈન્દ્રીય ‘ઉત્થાનક્ષમ’ છે. આથી છોકરો શયનખંડમાં સફળ નીવડશે તેવી કોઈ પ્રકારની ખાતરી આપી શકાતી નથી.

(17) આ મુદ્દો વધારે ત્યારે ગુંચવાય છે, જ્યારે માનવ મુલ્યો, અધીકાર અને સમાજીક જવાબદારીની વાત આવે છે. કેવળ છોકરા પર એકવાર નપુંસક હોવાનો આક્ષેપ થયો છે! અથવા તો મંદબુદ્ધીના કારણે તેને સમજ પડતી નથી એ કારણોસર તેને જાતીય જીવનથી અલીપ્ત અથવા વીમુખ રાખીએ એ સહેજ પણ ઉચીત નથી.

(18) તો સામે પક્ષે, જે પુરુષ પોતે સ્ત્રીને કામસુખ આપવા સમર્થ નથી તેવું જાણતો હોય તેણે છોકરીને અંધારામાં ન રાખવી જોઈએ! આમ એકબાજુ ‘વ્યક્તીગત હકક’ છે તો બીજી બાજુ ‘સામાજીક જવાબદારી’ છે. આ બન્નેને એક સાથે નીભાવવા જરુરી છે. જે ક્યારેક મુશ્કેલ નીવડે છે.

(19) સ્વજનોની જવાબદારી એ રહે છે કે, તબીબી અભીપ્રાય મેળવે પણ તેની મર્યાદા સમજે અને આ પરીસ્થીતીની સંકીર્ણતા સમજીને આગળ વધે. સામા પક્ષને વીશ્વાસમાં લે. બને તેટલી વૈજ્ઞાનીક માહીતીઓ જાણે અને પછી જ નીર્ણય લે.

(20) કેમ કે જે રીતે મંદબુદ્ધીના યુવકનો સેક્સ્યુઅલ પરફોર્મન્સ નોર્મલ પણ હોઈ શકે છે. તે જ રીતે કેટલાક તબીબી રીપોર્ટમાં તદ્દન નોર્મલ જણાતા યુવકને લગ્નશૈયા પર તકલીફ પણ પહોંચી શકે છે.

(21) તેમ છતાં તબીબી અભીપ્રાય ક્યારેક ચોક્કસ કામ લાગી શકે છે કે, જ્યારે તદ્દન નોર્મલ માણસને અમથો જ ભય લાગ્યા કરતો હોય અથવા તદ્દન ઉપજાવી કાઢેલા આક્ષેપો વ્યક્તી પર થયા હોય, અથવા અપવાદરુપ જોવા મળતી ખુબ મોટી શારીરીક ખોડખાંપણો વ્યક્તીમાં રહેલી હોય.

(22) આપણી આ અંગેની એક ખોટી માન્યતા એ છે કે, નપુંસકતા કાયમી બીમારી છે. ઘણા કીસ્સાઓમાં એવું નથી હોતું. ક્યારેક નપુંસકતા શરદી, ખાંસીની જેમ કામચલાઉ બીમારી પણ હોઈ શકે છે. જરુરી નથી કે એ આજીવન ખોડખાંપણ જેવી જ હોય.

આપ સહુ પ્રશ્નકર્તાઓ આટલી સમજ સાથે આપના વ્યક્તીગત કીસ્સામાં વીચારી શકો. યોગ્ય તબીબી અભીપ્રાય ભલે પરફેક્ટ ઉકેલ નથી પણ એનો કોઈ વીલ્પ પણ નથી.

પ્રશ્ન : હું કુંવારો છું અને આવતા વર્ષે લગ્ન કરવાનો છું. વીવાહ કરતાં પહેલાં હું છાપામાં આવતી જાહેરખબર વાંચીને મારું ચેકીંગ કરાવવા ગયો હતો. તો ત્યાં મારો ટેસ્ટ લઈ મને કહેવામાં આવ્યું કે મારા શીશ્નની નસો નબળી પડી ગઈ છે. તેઓએ વાયરો ગોઠવીને લાલ લાઈટ થાય એ પ્રકારની ટેસ્ટ કરી હતી. હું સમાગમ કરી શકું છું, પણ હવે મને ડર પેસી ગયો છે કે, મારી નસો નબળી પડી ગઈ હોવાથી હું લગ્નજીવનમાં કામીયાબ ન થઈ શકીશ. મારે લગ્ન કરવાં કે નહીં?

ઉત્તર : મને લાગે છે કે, આપના મનમાં રોગ (અથવા તો રોગોનો ભય) ઠોકી બેસાડવામાં આવ્યો છે. આપે જ લખ્યું છે કે, આપ સમાગમ કરી શકો છો. તો પછી ડરવાનું કોઈ કારણ નથી. જેમાં વાયરો ગોઠવીને લાલ લાઈટ થાય એવું કોઈ ચેકીંગ હોતું નથી. આ બધી નરી બનાવટ હોય છે. કહેવાતો ધુર્ત ડૉક્ટર પોતે દર્દીને ગભરાવવા આવા બધા નાટક કરે છે. જેથી દર્દી તેની મોંઘીદાટ દવા ખરીદે. મોટેભાગના કુંવારા છોકરાઓએ ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુન કર્યું જ હોય છે. બાકીનાઓને સ્વપ્ન કે નીદ્રામાં સ્ખલન થયું હોય છે. તમે આવા ચીંતીત યુવાનને એમ કહો કે, ‘અરેરેરે! તેં આ શું કરી નાંખ્યું? અમુલ્ય વીર્ય વેડફી નાખ્યું? બા..પ રે!’ તો એ અચુક ડરીને દવા કરવા તૈયાર થઈ જશે. એલોપેથી, હોમીયોપેથી કે આયુર્વેદ કશામાં લીંગ પર વાયરો મુકીને લાઈટ કરવાની હોય એવું કોઈ ચેકીંગ કરવામાં આવતું નથી.

તમે આવા કહેવાતા લીંગવૈદ્યોથી દુર રહો. તમારા પોતાના ફેમીલી ડૉક્ટરને વીશ્વાસમાં લઈ એમની સાથે પહેલાં તમારી સમસ્યાની ચર્ચા કરો. પછી એમની સલાહ મુજબ (જરુર જણાય તો જ) અન્ય ડોક્ટરને કન્સલ્ટ કરો. યાદ રાખો! લગ્ન પહેલાં પોતાની ભાવી સેક્સલાઈફ અંગે થતી ચીંતાઓમાંથી મોટેભાગની બીનજરુરી હોય છે!

પ્રશ્ન : હું મોટી ફેક્ટરીમાં વર્કર છું. મારે જાણવું છે કે, શું એક્સ–રે યા અન્ય વીકીરણો લાગવાથી માણસ નપુંસક બની જાય ખરો?

ઉત્તર : જી, ના એક્સ–રેથી માણસ નપુંસક બની જતો નથી; પણ પોતાનાં જનાનાંગ ઉપર એક્સ–રે કે અન્ય વીકીરણો પડે અને જો એના ડરથી માણસ ગભરાઈને એવું વીચારવા માંડે કે મને નુકસાન થશે તો મનોવૈજ્ઞાનીક કારણોસર એને એવું લાગી શકે ખરું. આથી વ્યક્તીની જાતીય નહીં, બલકે માનસીક સારવાર કરવી જરુરી બની જાય છે. ટુંકમાં કીરણોથી નહીં બલકે એના ખોટા ડરથી માણસ નબળાઈનો ભોગ અચુક બની શકે છે.

પ્રશ્ન : શું નાનપણમાં સુન્નત કરાવી હોવાને કારણે મને સમાગમ વખતે વીર્યસ્ખલન ઝડપી થઈ જવાની મુશ્કેલી પડતી હશે?

ઉત્તર : જી. ના, આપની બીમારી ‘શીઘ્રસ્ખલન’ની છે. જેના નીદાન તથા ઉપાયની ચર્ચા ‘અંગત અંગત’ પુસ્તકમાં કરવામાં આવી છે. ‘સુન્નત’ની શસ્ત્રક્રીયામાં ઈન્દ્રીયના અગ્રભાગ ‘ગ્લાસ’ની ઉપર સરકતી ‘ફોર–સ્કીન’ કાપીને દુર કરવામાં આવે છે. વીશ્વમાં ઘણે ઠેકાણે ધાર્મીક કારણોસર આવી શસ્ત્રક્રીયા થાય છે; પરન્તુ તેનાથી ‘શીઘ્રસ્ખલન’ની બીમારી થતી નથી.

કુદરતી, સુન્નત ન કરાયેલા (અનસર્કમ્સાઈઝ) શીશ્નમાં પણ સમાગમ વખતે અગ્રત્વચા (ફોર–સ્કીન) સરકીને ઉપર જતી રહે છે અને ઈન્દ્રીયનો અગ્રતમ ભાગ ‘ગ્લાસ’ છતો થાય છે. આમ યોનીના સંપર્કમાં તો ત્વચા વગરનો ‘એકસ્પોઝ્ડ ગ્લાસ’ જ આવે છે. આમ ‘સુન્નત કરાયેલા’ કે ‘ન કરાયેલા’ શીશ્નના યોનીસંપર્કમાં કોઈ ફરક પડતો ન હોવાથી ‘શીધ્રસ્ખલન’ સુન્નત કરાવવાથી વીર્યસ્ખલન ઉપર ‘નીયંત્રણ’માં કશો ફરક પડતો નથી.

શીશ્ન તથા અગ્રત્વચાની રચના–પ્રક્રીયા કંઈક એવી છે કે, સુન્નતની શસ્ત્રક્રીયાના કેટલાક ફાયદાઓ પણ છે. ઘણીવાર અગ્રત્વચાની નીચે વીર્ય, ત્વચાના કોષો, ચીકાશ વગેરે ભેગા થઈને સુકાઈને જમા થાય છે. આ કચરાને ‘સ્મેગમા’ કહેવામાં આવે છે. સર્કમ્સાઈઝડ (સુન્નત કરાયેલ પુરુષોમાં ત્વચા ન હોવાને કારણે ‘સ્મેગમા’ એકત્રીત નથી થતું. જેથી તે પુરુષોની પત્નીઓમાં સર્વીક્સ (ગર્ભાશયના મુખ)ના કેન્સરનું જોખમ ઘટતું હોવાનું જણાયું છે. આમ કેટલાક ડૉકટરો ‘સર્કમસીઝન’ની જરુરીયાત ઉપર ભાર મુકે છે. પરન્તુ તેના વીરોધીઓ એવું માને છે કે, સુન્નતની શસ્ત્રક્રીયાથી અગ્રત્વચા કપાઈને ગ્લાન્સ એકસ્પોઝ્ડ થતાં તે અંત:વસ્ત્રોના વધુ પડતા ઘર્ષણમાં આવતાં તે પુરુષની જાતીય સંવેદનશીલતા ઘટાડવાનું કામ કરે છે. સરવાળે નીષ્કર્ષ એ આવે છે કે, જેઓ ઈન્દ્રીયની ચોખ્ખાઈની પુરતી સારસંભાળ લેતાં હોય તેઓને ‘સર્કમસીઝન’ની જરુર નથી તેમ છતાં 1982માં ડોનાલ્ડ ગ્રીર નામના સર્જને કેટલાક એવા લોકો વીષે જણાવ્યું જેઓ બાળપણામાં પોતાના ઉપર થયેલ સુન્નતની શસ્ત્રક્રીયાથી અસંતુષ્ટ અને વીશુદ્ધ થયા હતા અને તેઓએ પોતાની ગુમાવાયેલી અગ્રત્વચા પુનઃસર્જી આપવાની માગણી કરી હતી. ડૉ. ડોનાલ્ડે ‘ફોર–સ્કીન રીકન્સ્ટ્રકશન’નું કાર્ય એક વર્ષની સર્જીકલ જહેમત પછી પાર પણ પાડ્યું હતું અને દર્દીઓએ આનન્દ પણ વ્યક્ત કર્યો હતો.

પરન્તુ ડૉ. પ્રકાશ કોઠારી ‘બાલસુન્નત’ (નવજાતશીશુ ઉપર કરવામાં આવતી સુન્નતની શસ્ત્રક્રીયાને બહુ કમનસીબ ઘટના ગણાવતા કહે છે, ‘શીશુ સુન્નત કરાવવું એટલા માટે સલાહભર્યું નથી કે ક્યારેક એનેસ્થેશીયા વગર જ શરીરનો તંદુરસ્ત ભાગ વ્યક્તીની અનુમતી વગર કાઢી નંખાય છે. જે યોગ્ય નથી.’ એપ્રીલ 1987ની ‘આર્મી જર્નલ ઑફ પબ્લીક હેલ્થ’માં જણાવ્યા પ્રમાણે સર્કમસાઈઝ્ડ પુરુષોને ‘નોનગોનોકોકલ યુરેથ્રાઈટીસ’ નામનું ઈન્ફેકશન થવાની શક્યતા સામાન્ય માણસ કરતાં બમણી હોય છે. થર્ડ વર્લ્ડ ક્રોંગ્રેસ ઑફ વીકટીમોલૉજીમાં બોલતાં મીરીલીન એફ. મીલોસે જણાવ્યું છે કે, તંદુરસ્તી, કાળજી કરનારાઓએ તેમના પ્રોફેશનલ એથીકસને લક્ષમાં લઈને આવી બીનજરુરી તથા નુકસાનકારક પ્રથા બંધ કરવી જોઈએ. યુનાઈટેડ સ્ટેટ્સ એ કદાચ એકમાત્ર એવો દેશ છે જ્યાં કોઈ ધાર્મીક કે તબીબી કારણ વગર નવજાત શીશુઓની સુન્નત શસ્ત્રક્રીયાના જોખમ હેઠળ ઉછરતા હોય છે.

પ્રશ્ન : સુન્નતનો રંગ બાકીના શરીર કરતાં વધારે કાળો અને ડાર્ક હોય તો તેનાથી કોઈ નુકસાન ખરું?

ઉત્તર : જી, ના જાતીય કર્મ, આનન્દ, પરફોર્મન્સ, કુશળતા વગેરે ઈન્દ્રીયના રંગ ઉપર આધાર નથી રાખતા. કેટલાક લોકોના જનન અવયવો બાકીના શરીર કરતાં સહેજ વધુ શ્વેત અથવા ઉજળા હોય છે, એને કારણે કોઈ વીશેષ ફાયદો થતો હોવાનું જણાયું નથી. રંગની બાબતમાં આપ નીશ્ચીત રહી શકો છો.

પ્રશ્ન : ત્વચા ઉપર ન સરકતી હોય તો ‘સર્કમસીઝન’ નામની શસ્ત્રક્રીયા કરાવવી જોઈએ. હવે એક ડૉક્ટરે મને એવું કહ્યું છે કે, શસ્ત્રક્રીયા કરાવવાથી સંભોગનો આનન્દ ચાલ્યો જશે. તો શું સાચું છે?

ઉત્તર : જી, ના. આમ પણ શીશ્ન જ્યારે યોનીમાર્ગમાં સમાગમ–રત થાય છે. ત્યારે ત્વચા ઉપર સરકી જ ગયેલી હોય છે. જેથી વ્યવહારીક રીતે જોતાં ત્વચા વીનાનો અગ્રભાગ (ગ્લાન્સ પેનીસ)જ યોનીમાર્ગના સંપર્કમાં આવે છે. આમ આનન્દમાં ઘટાડો થતો હોવાની બાબત પુરવાર થતી નથી. વળી આ સમસ્યામાં શસ્ત્રક્રીયા સીવાય બીજો કોઈ ઈલાજ હોતો નથી.

  –ડૉ. મુકુલ ચોકસી

સાઈકીઆટ્રીસ્ટ તથા સૅક્સ થૅરાપીસ્ટ ડૉ. મુકુલ ચોકસીનું મનુષ્યની સૅક્સલાઈફનાં અનેકાનેક પાસાંઓની તલસ્પર્શી છણાવટ કરતું પુસ્તક ’જાતીય પ્રશ્નાવલી’ (પ્રકાશક : સાહીત્ય સંકુલ, ચૌટાબજાર, સુરત – 395003 ફોન : (0261) 7431449 અન્ય પ્રાપ્તીસ્થાન : સાહીત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત – 395003 ફોન : (0261) 7427882/7432563 પાનાં : 124, મુલ્ય : રુપીયા 90/–)માંથી લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..

લેખક સમ્પર્ક : DR. MUKUL M CHOKSI “ANGAT CLINIC” 406, WESTERN BUSINESS PARK, OPP. S. D. JAIN SCHOOL, VESU CHAR RASTA, UNIVERCITY ROAD, SURAT –395 007.  Phone : (0261) 3473243, 3478596 Fax : (0261)  3460650 e.Mail : mukulchoksi@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 5–09–2022

8 Comments

  1. ડૉ. મુકુલ ચોકસીએ સામાન્ય વ્યક્તીઓ અને ઘણા તબીબોને પણ ખબર નથી હોતી એવા આ સંવેદનશીલ વીષય અંગેનાં પ્રશ્નોના વૈજ્ઞાનીક માળખામાં સમાવીષ્ટ થઈ શકે તેટલી સ્પષ્ટતા સાથે ઉત્તરો આપવા બદલ ધન્યવાદ

    Liked by 2 people

  2. Dr Mukul Choksi’s this article bloged by Govinbhai Maru is realy great help to humanity as this is most important subject for reproduction.
    Impotency subject is dealt in full detail.
    Sunnat benefits & also harmful effects explained so nicely.
    Also inbetween taken casestudy of Ling red light test to cheat innocent people of society & make them purchase costly medicine to make nerves strong .
    In our young age we heard of Safed Musali & other Ayurvedic cure – normally advertised in Public Urinal – great idea in those old days.

    Liked by 2 people

  3. સેક્સનું નામ પડતાં જ આપણા લોકો કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સમજીને એના વિશે જાહેરમાં ચર્ચા કે સંવાદ કરતાં ગભરાય અથવા તો પાછા પડે છે, અહીંયા વિજ્ઞાનની દ્રષ્ટિએ સેક્સ વિશેની ખુબ જ અગત્યની માહિતી આપીને ડૉ. મુકુલ ચોકસી અને ગોવિંદભાઈએ ઘણું સારું કાર્ય કર્યું છે, સેક્સના નામે લોકોને એમની નબડાઇ જાણીને લૂંટ ચલાવતા ઊંટ વૈધથી સાવધાન રહેવાની અગત્યની માહિતી મળી. ખુબ સરસ લેખ
    આભાર

    Liked by 1 person

  4. સરસ માહિતી સભર લેખ આપવા બદલ ડૉ. મુકુલભાઈનો ધન્યવાદ સાથે આભાર…

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s