સુહાગણ પક્ષીઓ જંગલી પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેઓ ચટક રંગોવાળાં, ટુંકી ડોકવાળા અને મધ્યમ કદના પક્ષીઓ છે. તેમની પુંછડી લાંબી હોય છે પરન્તુ પીંછા નાના વર્તુળાકારના હોય છે. તેઓ એકલા અથવા ક્યારેક જોડીમાં પણ જોવા મળે છે.
પક્ષી પરીચય : 3
સુહાગણ
સં. : પ્રા. દલપત પરમાર
ગુજરાતી નામ : સુહાગણ (લાજના)
હીન્દી નામ : मालाबार ट्रोगन
અંગ્રેજી નામ : Malabar Trogon
વૈજ્ઞાનીક : Harpactes Fasciatus
પરીચય : સુહાગણ પક્ષીઓ જંગલી પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેઓ ચટક રંગોવાળાં, ટુંકી ડોકવાળા અને મધ્યમ કદના પક્ષીઓ છે. તેમની પુંછડી લાંબી હોય છે પરન્તુ પીંછા નાના વર્તુળાકારના હોય છે. તેઓ એકલા અથવા ક્યારેક જોડીમાં પણ જોવા મળે છે.
આ પક્ષીઓ એકલા અથવા વીખુટા પડેલા જોડાઓમાં જોવા મળે છે. તેઓ લાંબા વખત સુધી એક જ સ્થીતીમાં ઝાડના વચલા માળા ઉપર સ્થીર ઉભી સ્થીતીમાં બેસી રહેવું એ તેમની લાક્ષણીકતા છે. સુહાગણ મધ્યમ કદનું તેજસ્વી રંગનું પક્ષી છે. તે જાતીયતાની રીતે ડીમોર્કીક પક્ષી છે. એટલે કે નર અને માદા એક સરખા દેખાતા નથી. આ પક્ષીની લંબાઈ 30 સે.મી. જેટલી હોય છે અને વજન 60થી 65 ગ્રામ જેટલું હોય છે.
સુહાગણ ઉડતા કીટકોને એમની પાંખોથી માખીમારની જેમ વાંકુચુંકુ થઈને બહુ ચપળતાથી પકડે છે. મોટા ભાગના અન્ય ટ્રોગનની જેમ આ પક્ષીઓ તેજસ્વી, રંગીન અને લૈંગીક રીતે દ્વીરુપી હોય છે. નર અને માદા દેખાવે સાવ જુદા હોય છે. સુહાગણ નરનું માથુ અને ગળા (ગરદન)નો ભાગ કાળા રંગનો હોય છે. ગળાની નીચેનો ભાગ છાતીનો ભાગ લાલ–ગુલાબી રંગનો હોય છે. નરના સ્તનના ભાગને અને તેના નીચેના ભાગને સફેદ કીનારી જુદા પાડે છે. તેની છાતીનો ભાગ કીરમજી રંગનો વધારે આકર્ષક લાગે છે. તેની પાંખો કાળી અને રાખોડી હોય છે. પાંખોના ઢાંકણ નકશીવાળા હોય છે.
માદાના માથાનો રંગ ધેરા કથ્થાઈ રંગનો એટલે કે કાટવાળો (ઓલીવ બ્રાઉન) જેવો હોય છે. ગળાથી નીચેનો ભાગ ઝાંખા કથ્થાઈ રંગનો હોય છે. પાંખોનું આવરણ ઝીણા સફેદ વર્મીક્યુલેશન સાથે કાળા રંગના હોય છે. માદામાં માથા અને ગરદન ઉપર કાળા રંગનો અભાવ હોય છે. આંખોની આસપાસની ત્વચા વાદળી હોય છે; પરન્તુ આંખનો રંગ મેઘધનુષ્યમાં હોય તેવો કાળો રંગ હોય છે. તેમના પગ આછા વાદળી રંગના હોય છે. નર અને માદા બન્નેમાં ચાંચ વાદળી રંગની હોય છે. તરુણ નર ધેરા કથ્થાઈ રંગના હોય છે. આ પુખ્ત પક્ષીઓને પુંછડીમાં 12 જેટલાં પીંછાં હોય છે. મધ્ય પુંછડી કાળા છેડા સાથે ચળકતા બદામી રંગની હોય છે. મધ્યમાંથી બીજી અને ત્રીજી જોડી ચળકતા બદામી રંગ કરતાં વધુ કાળા રંગની હોય છે. બહારની ત્રણ જોડીમાં લાંબી સફેદ ટીપ્સ હોય છે.
આ પક્ષીને ટુંકી, પહોળી અને અંતમાં સહેજ વળાંકવાળી હોય છે, તે સાથે તેમની સૌથી નીર્ણાયક વીશેષતા તેમના પગ છે. તેમના પગના બે અંગુઠા આગળની તરફ અને બાકીના પાછળની બાજુ વળેલા હોય છે.
આ પક્ષીઓ ઓછા અવાજવાળા છે. બોલતી (કોલ કરતી) વખતે તેઓ કેટલીકવાર તેમની પુંછડી ઉંચી કરે છે અને શુદ્ધ વ્યાપક રીતે બોલે છે. આ પક્ષી સરળ રીતે બોલે છે. તેઓ સંવર્ધનની ઋતુ દરમીયાન સમાગમના કોલ અલગ કરે છે. જે સામાન્ય રીતે પુરુષોની દૃષ્ટીએ આક્રમક હોય છે. આ પક્ષીઓ ભયના સમયે મોટેથી એલાર્મ કોલ કરે છે.
પેટાજાતીઓ : આ પક્ષીની ત્રણ પેટાજાતીઓ છે.
- Harpactes Fasciatus legerili :
આ પેટાજાતીના પક્ષીઓ પશ્ચીમ ઘાટના ઉત્તર છેડે, દક્ષીણ–પુર્વ ગુજરાત અને દક્ષીણ–પશ્ચીમ મધ્યપ્રદેશમાં જોવા મળે છે.
- Harpactes Fasciatus malabaricus :
આ પેટાજાતીના પક્ષીઓ મધ્ય અને દક્ષીણ પશ્ચીમ ઘાટ, પુર્વ ઘાટના ઉત્તરીય ભાગો આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડીશા અને પશ્ચીમ બંગાળમાં જોવા મળે છે.
3. Harpactes Fasciatus : શ્રીલંકામાં જોવા મળે છે.
આહાર : સુહાગણ પક્ષી ફ્લાયકેચર પક્ષીઓની જેમ હવામાંથી ઉડતા જંતુઓને પકડવાની ક્ષમતા ધરાવે છે. આ પક્ષી પોતાના આહારમાં કરોળીયા, તીડ, માખીઓ, ગોકળગાય, કીડીઓ, ઈયળો, શલભ, ભૃંગ અને તીતીઘોડા જેવા જંતુઓને મારીને ઉપયોગ કરે છે. શ્રીલંકાની પેટાજાતીઓ જીવજંતુઓની સાથોસાથ બીજ, કળીઓ, પાંદડા પણ ખાય છે.
આવાસ : સુહાગણ જંગલી પક્ષી છે. ગાઢ અને ગૌણ જંગલો, સદાબહાર અને અર્ધસદાબહાર જંગલો તેના કુદરતી રહેઠાણો છે. આ પક્ષીઓ જ્યારે ગભરાઈ જાય છે ત્યારે શાખાઓ સાથે ચોંટી જાય છે. તેમાં પણ જંતુભક્ષી પક્ષીઓની સાથે સક્રીય રીતે શીકાર કરે છે. ઉનાળામાં તેઓ નીલગીરી ટેકરીઓના પ્રદેશમાં ચાલ્યા જાય છે. ભારતમાં મોટાભાગે તે દ્વીપકલ્પના પ્રદેશોમાં મુખ્યત્વે પશ્ચીમ અને પુર્વ ઘાટના ભેજવાળા વીસ્તારોમાં જોવા મળે છે.
સંવર્ધન અને માળો : સુહાગણ નર સામાન્ય રીતે પ્રજનનની ઋતુમાં વૃક્ષની ડાળી ઉપર બેસીને ગાવાનું શરુ કરે છે. આ નરનું ગાન જો કોઈ માદાને ગમી જાય તો તે સામે ગાન વડે જવાબ આપે છે. જ્યાં સુધી તેઓને ખાત્રી ન થઈ જાય કે પોતપોતાને લાયક સાથી મળી ગયો છે ત્યાં સુધી થોડીવાર માટે એકબીજાની સાથે હળેમળે છે અને ત્યારબાદ જોડામાં જોડાય છે.
ભારતમાં સુહાગણ પક્ષીની પ્રજનન ઋતુ ચોમાસા પહેલાં ફેબ્રુઆરીથી જુન માસ સુધીની હોય છે. શ્રીલંકામાં તેમની પ્રજનન ઋતુ માર્ચથી મે સુધીની હોય છે. આ પક્ષી ઝાડની બખોલમાં માળો બનાવે છે. નર અને માદા બન્ને તેમની ચાંચ વડે સડતા લાકડાને કોતરીને માળો બનાવે છે. તેમને માળો બનાવતાં એક મહીના જેટલો સમય લાગી શકે છે.
સુહાગણ માદા સામાન્ય રીતે બે કે ત્રણ ઈંડાં મુકે છે. માદા ઈંડાંને રાત્રે અને નર દીવસે સેવવાનું કામ કરે છે. આ પક્ષીનો ઈંડાં સેવવાનો સમયગાળો 20થી 22 દીવસનો હોય છે. શરુઆતમાં બચ્ચાંને માતા–પીતા બન્ને જીવજંતુઓ લાવીને ખવડાવે છે. નર અને માદા આ બચ્ચાં પાંચ કે છ મહીનાનાંના થાય ત્યાં સુધી સાર–સંભાળ રાખે છે.
પ્રાતીસ્થાન : આ પક્ષીઓ ભારતના જંગલવાળા વીસ્તારોમાં મળી આવે છે. તેમાંય જંગલવાળા વીસ્તારોમાં સતપુરા રેંજ, ડબલ્યુ ઘાટ, પુર્વથી ઓરીસ્સા અને ઈ ઘાટના ભાગોમાં મળી આવે છે. આ પક્ષીઓ જંતુભક્ષી છે અને સ્થળાંતરીત ન હોવા છતાં પર્વતીય પ્રદેશોમાં મોસમી હીલચાલ કરે છે. તે ભારતમાં ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડીશા અને પશ્ચીમ બંગાળમાં જોવા મળે છે.
સં. : પ્રા. દલપત પરમાર
વ્યક્તી અને સમષ્ટીના સ્વસ્થ વીકાસ અંગે 34 વર્ષથી પરીશીલન કરતું સામયીક ‘લોકનિકેતન’ (સરનામું : ‘લોકનિકેતન’ મુ. પો. રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 ફોન : [02742] 245171, 246444નો ઈ.મેલ : lokniketanratanpur@gmail.com માર્ચ, 2022ના અંક)માંથી તંત્રી/સંપાદક અને સંકલનકારના સૌજન્યથી સાભાર…
‘લોકનિકેતન’ સામયીકનું વાર્ષીક લવાજમ : રુપીયા 350/– અથવા આજીવન લવાજમ : રુપીયા 4,000/– બેંકમાં Name : Lokniketan Masik Patrika Bank A/c No. : 34990733811 IFSC Code : SBIN0000443થી જમા કરાવી શકાય અથવા ‘લોકનિકેતન માસિક પત્રિકા’ નામનો ડ્રાફ્ટ ‘લોકનિકેતન’ના ઉપરોક્ત સરનામે મોકલવો.
તંત્રી/સંપાદક–સમ્પર્ક : પ્રા. દલપતભાઈ પરમાર, અધ્યાપક, બેચલર ઓફ રુરલ સ્ટડીઝ, લોકનિકેતન, રતનપુર તા. પાલનપુર જી. બનાસકાંઠા – 385001 સેલફોન : 94266 48824 ઈ.મેલ : dalpatparmar008@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે સાંજે આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 21–11–2022
પ્રા. દલપત પરમારનો- ‘સુહાગણ પક્ષીઓ જંગલી પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેઓ ચટક રંગોવાળાં, ટુંકી ડોકવાળા અને મધ્યમ કદના પક્ષીઓ છે. તેમની પુંછડી લાંબી હોય છે પરન્તુ પીંછા નાના વર્તુળાકારના હોય છે. તેઓ એકલા અથવા ક્યારેક જોડીમાં પણ જોવા મળે છે.’ અંગે પક્ષી પરીચય નો સ રસ લેખ
ધન્યવાદ
LikeLiked by 1 person
ખુબ જ સરસ. આનંદ સાથે આભાર.
LikeLiked by 1 person