‘અશ્લીલતાનો વેપાર’ ચલાવી લેવાય છે; પરન્તુ ‘અશ્લીલતાની કલાત્મક અભીવ્યક્તી’ ચલાવી લેવાનો ઈનકાર કરવામાં આવે તે સમાજની માનસીક બીમારીનો નમુનો કહેવાય. જે સમાજમાં નીયંત્રણોને પ્રાધાન્ય આપવામાં આવે તે સમાજમાં કળાનો વીકાસ પુર્ણ કક્ષાએ પહોંચતો નથી.
અશ્લીલતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય
–રમેશ સવાણી
અભીવ્યક્તી સ્વાતન્ત્ર્યને અશ્લીલતાના બહાના હેઠળ મર્યાદીત કરવામાં આવે છે. ‘લેડી ચેટર્લીજ લવર’ અશ્લીલ છે એવું ઘણાં વર્ષો સુધી, ઘણા દેશોની અદાલતોએ માન્યું, અને તેની ઉપરના પ્રતીબંધને કાયદેસર માન્યો; પરન્તુ પાછળથી ઘણાં દેશોની અદાલતોએ આ નવલકથાને ‘સર્જનાત્મક સાહીત્યકૃતી’ ગણી. રુઢીચુસ્તો તરફથી ‘અશ્લીલતા’ સામે ખુબ ઉહાપોહ થાય છે. રુઢીચુસ્તોનું ચાલે તો કોઈ કલાકૃતી બચે નહીં, ખજુરાહોનાં શીલ્પોનો ભુક્કો કરી નાખે. અભીવ્યક્તી પોતાના માનસ મુજબ જ થવી જોઈએ તેવું રુઢીચુસ્તો માને છે. રુઢીચુસ્તોને એ ખબર નથી કે ધાર્મીક સાહીત્યમાં એટલી બધી અશ્લીલતા ભરેલી છે, જેની કલ્પના પણ થઈ શકતી નથી.
અશ્લીલતાનો એક કેસ ચાલતો હતો. એક ખ્રીસ્તી મહીલા અશ્લીલ પુસ્તક સામે જુબાની આપવા આવેલા. બચાવપક્ષના વકીલે પુઠું ચડાવેલું એક પુસ્તક ઉઠાવીને વાંચવા માંડ્યું. એમાં સ્ત્રીના ખુલ્લા નીતંબ, સ્તનાદીનું વર્ણન હતું. સામુહીક બળાત્કારની વાત હતી. એક વીધવાએ પોતાના સસરા પરનું વેર વાળવા માટે સેક્સ વર્કરનો વેશ સજીને તેની સાથે સમ્બન્ધ કર્યો. એ સગર્ભા બની ત્યારે તેના સસરાએ સજા કરવાનો નીર્ણય કર્યો; પરન્તુ ત્યારે જ એને ખબર ષડી કે એ માટે પોતે જ જવાબદાર હતો. વકીલે જુબાની આપી રહેલ મહીલાને પુછ્યું : “આવું લખાણ હોય એ પુસ્તકને તમે અશ્લીલ કહેશો?” મહીલાએ કહ્યું : “અરે, આવું પુસ્તક ભયંકર રીતે અશ્લીલ ગણાય.” વકીલે એ પુસ્તક પરનું પુઠું ઉતારી નાખ્યું. એ હતું : પવીત્ર બાઈબલ – ઓલ્ડ ટેસ્ટામેન્ટ!
અશ્લીલતા કોને કહેવી? સર્જક રમણ પાઠક કહે છે : “સુરુચીભંગ કરે તે અશ્લીલ. સુરુચી–કુરુચીની લાગણી અમુક અંશે પ્રાકૃતીક અને મહદંશે સાંસ્કૃતીક છે. મનુષ્ય માત્રને સુગંધ ગમે, દુર્ગંધ અણગમો પ્રેરે. એ મુખ્યત્વે પ્રાકૃતીક માનસીક પ્રતીભાવ છે. જ્યારે અમુક નૈસર્ગીક ક્રીયાઓનું ગોપન કરવું કે એવી ક્રીયાઓ માટેના ચોક્કસ શબ્દોનું ઉચ્ચારણ ટાળવું એ સાંસ્કૃતીક ભાવ છે. પતીપત્ની વચ્ચેનો સમ્બન્ધ એ નૈતીક અપરાધ નથી; પરન્તુ એ માટે પ્રયોજાતા ચોક્કસ શબ્દો પ્રતીબંધીત મનાય છે. સ્ત્રીપુરૃષના ગુપ્ત અંગો એક વાસ્તવીકતા છે છતાં એ દર્શાવતા અમુક શબ્દો તમામ ભાષાઓમાં લખવા કે બોલવા એ ગુનો ગણાય છે.”
અશ્લીલતા એટલે શું ? જો કોઈ પ્રકાશીત સામગ્રી વાચકોના માનસને ભ્રષ્ટ અને વીકૃત કરે તેમ જ આવી સામગ્રીથી તેના મનમાં અશુદ્ધ અને આચારભ્રષ્ટ વીચારો પેદા થાય તો આવી સામગ્રી અશ્લીલ ગણાય. જો આવી પ્રકાશીત સામગ્રી સમાજની નૈતીકતાને નુકસાનકારક હોય અને જેમનાં મન અનૈતીક અસરો ઝીલી લેવા ખુલ્લાં છે અને તેમના હાથમાં આવું પ્રકાશન આવે, અને તે એમના મનને ખરાબ માર્ગે દોરી જનારી અસર ઉપજાવવાની ગણતરીવાળું હોય તો આવું સાહીત્ય કે સામગ્રી અશ્લીલ ગણાય. કોઈ પણ લખાણને સમગ્ર દૃષ્ટીએ જોયા પછી તેની અસર વાંચનાર, જોનાર કે સાંભળનાર વ્યક્તીઓને ભ્રષ્ટ કરે તેવી હોય તો તે અશ્લીલ ગણાય. કોઈ પણ કૃતી ભ્રષ્ટ કરવાનું વલણ ધરાવે છે કે નહીં તે નક્કી કરતાં પહેલાં તેને સમગ્ર દૃષ્ટીએ તપાસવું જોઈએ. તેવો આગ્રહ રાખીને વીજ્ઞાન, સાહીત્ય, અને કલાના હીતોનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વળી જો એમ સાબીત કરવામાં આવે કે કૃતીની પ્રસીદ્ધી, વીજ્ઞાન, સાહીત્ય, કલા, જ્ઞાન કે સામાજીક હેતુઓના લાભમાં છે અને તેથી તે સામાજીક હીત માટે છે તો તેને જપ્ત કરી શકાય નહીં.
અશ્લીલતા નક્કી કરવા માટે ત્રણ મુદ્દા મહત્ત્વના છે (1) તેનો ઈરાદો શો છે? (2) તે કઈ રીતે રજુ થઈ છે? તેને કઈ રીતે દર્શાવેલ છે? (3) તેની અસર શી છે? આ દૃષ્ટીએ જોઈએ તો ખજુરાહોનાં શીલ્પો અને તેનાં ચીત્રો અશ્લીલ લાગતાં નથી. ખજુરાહોનાં શીલ્પો અને સામયીકોમાં પ્રગટ થતી મહીલાઓની નગ્ન તસ્વીરોમાં તથા બ્લ્યુ ફીલ્મો વચ્ચે તફાવત છે. ખજુરાહોનાં શીલ્પો જુઓ : પોતાનામાં ખોવાયેલા છે, બીજાને લલચાવતા હોય તેવો કોઈ ભાવ તેમાં નહીં જોવા મળે, જ્યારે સામયીકોમાં પ્રગટ થતી નગ્ન તસ્વીરો તથા બ્લ્યુ ફીલ્મોમાં બીજાને લલચાવવાનું તત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે. અને તેથી તે અશ્લીલ છે.
સ્ત્રીઓની અશ્લીલતા, એ અતી ઝડપી રીતે, પૈસા રળવાનું સાધન છે. હીન્દી ફીલ્મોના નીર્માતાઓ અશ્લીલતામાંથી રોટલો રળે છે. કલાકારોના અશ્લીલ ચાળા નીર્માતાને પૈસા અપાવે છે. પુસ્તકને પ્રકાશીત કરતાં પહેલાં કોઈની મંજુરી લેવાની રહેતી નથી, તો ફીલ્મ પ્રદર્શીત કરતાં પહેલાં સેન્સરબોર્ડની મંજુરી શા માટે લેવી? આ પ્રશ્ન વાજબી છે; પરન્તુ તેનો અમલ શક્ય નથી. કેમ કે પુસ્તક વાંચવા–સમજવા માટે અમુક સમજણ જરુરી છે, જ્યારે ફીલ્મ જોવા માટે આવી લાયકાતની જરુર નથી. પુસ્તક કરતાં ફીલ્મની તાત્કાલીક અસર વધુ પડે છે. હીન્દી ફીલ્મોમાં, તેના પોસ્ટરમાં, ફીલ્મ સામયીકોમાં, અન્ય અશ્લીલ સામયીકોમાં મહીલાને ‘પુરુષને આનંદ પુરો પાડનાર વસ્તુ’ તરીકે રજુ કરવામાં આવે છે; પરન્તુ કોઈ લેખક–સર્જક વાસ્તવીક ચીત્ર રજુ કરવા માટે કે કૃતીને બળક્ટતા આપવાના હેતુથી સમાજમાં બોલાતા શબ્દોનો ઉપયોગ કરે ત્યારે તેવી કૃતી ઉપર પ્રતીબંધ મુકવાની ઉતાવળ કરવામાં આવે છે! ‘અશ્લીલતાનો વેપાર’ ચલાવી લેવાય છે; પરન્તુ ‘અશ્લીલતાની કલાત્મક અભીવ્યક્તી’ ચલાવી લેવાનો ઈનકાર કરવામાં આવે તે સમાજની માનસીક બીમારીનો નમુનો કહેવાય. જે સમાજમાં નીયંત્રણોને પ્રાધાન્ય આપવામાં આવે તે સમાજમાં કળાનો વીકાસ પુર્ણ કક્ષાએ પહોંચતો નથી. પ્રાચીન તથા મધ્યકાલીન ભારતીય સમાજ જાતીય વ્યવહારોમાં નીયંત્રણમાં માનતો હતો અને તત્કાલીન ખ્રીસ્તી સમાજ સંયમ ઉપર વધુ પડતો ભાર મુકતો હતો. પરીણામે પ્રાચીન, મધ્યકાલીન ભારતીય શીલ્પ સ્થાપત્ય તથા સાહીત્ય વીકાસની પુર્ણ અવસ્થાએ પહોંચી શક્યા અને એની અપેક્ષાએ યુરોપીય કળાઓ ઘણી અવીકસીત રહી.
કવીની ફરીયાદ છે :
શબ્દ,
જે રાજા –મહારાજાઓના મંડપોમાં નાચે છે,
પ્રેમીકાઓની નાભીનું ક્ષેત્રફળ માપે છે,
મેજ પર ટેનીસના બોલની માફક ઉછળે છે,
મંચો – તખ્તાઓની વાંઝણી ભુમી પર ઉગે છે,
એ
કવીતા નથી હોતી.
પ્રીયતમાની છાતીના ગીતો લખનારાંઓએ
માનુ દુધ
ને
એ દુધની લાજનું
કયું ગીત લખ્યું છે?!
–રમેશ સવાણી
લેખક રમેશ સવાણીની પુસ્તીકા ‘નદીની મોકળાશ કાંઠા વચ્ચે’ (પ્રકાશક : ‘માનવવીકાસ ટ્રસ્ટ, ગુજરાત’ 10, જતીન બંગલો, ફાયર સ્ટેશન રોડ, બોડકદેવ, અમદાવાદ – 380 054, ઈ.મેલ : rjsavani@gmail.com)માંથી, લેખક અને પ્રકાશકના સૌજન્યથી સાભાર..
લેખક સમ્પર્ક : શ્રી. રમેશ સવાણી – ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરબાદ આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 24–03–2023
Brilliant article. I had written a small article about what may be considered to be OBSCENE or ‘ashleel’ in Gujarati. That was the time, when under the guise of that, Government of Gujarat will NOT PERMIT some radical plays which were basically raising voices against the governments’ policies etc. (YES, SURPRISING BUT TRUE). It was published by Shri Bharatbhai Dave (National School of Drama, who has unfortunately left us) – he used to run SAPTASINDHU and once I had worked for him over a long period of time. I too was a theatre activist and running my small group and Bharatbhai asked me to write. My definitiion was very simple, what I may not be able to read aloud, watch or hear in presence of my daughter, mother or even my wife and may feel repulsion within, for me, it will be obscene and that it will be DIFFERENT for every person as it is very subjective. As stated hereiabove, this article is very good and as a fan of Shri Ramesh Savani saaheb, I am thankful for this being shared here.
LikeLiked by 1 person
તમે થીયેટર એક્ટીવીસ્ટ હતા અને તમે નાનું જુથ ચલાવતા હતા તે જાણી આનન્દ થયો. આપના પ્રતીભાવ માટે હું કૃતજ્ઞ છું.
આભાર.
LikeLike
Reblogged this on માનવધર્મ.
LikeLiked by 1 person
‘માનવધર્મ’ બ્લૉગ પર ‘અશ્લીલતા અને અભીવ્યક્તી સ્વાતન્ત્ર્ય’ પોસ્ટને ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
અશ્લીલતા અને અશ્લીલતાની કલાત્મક અભીવ્યક્તી વિષે સરળ ભાષામા સમજાવવા બદલ
શ્રી રમેશ સવાણીને ધન્યવાદ
LikeLiked by 1 person
અશ્લીલતા અને અશ્લીલતાની કલાત્મક અભીવ્યક્તી વિષે સરળ ભાષામા સમજાવવા બદલ
શ્રી રમેશ સવાણીને ધન્યવાદ
LikeLiked by 1 person
આ લેખ બહુ જતન અને સફાઈ થી લખાયો છે.
ધન્યવાદ.
LikeLiked by 1 person