અતીતને વાગોળવામાં શો ભલીવાર ?

અતીતને વાગોળવામાં શો ભલીવાર ?

‘જ્યાં ન પહોંચે રવી ત્યાં પહોંચે કવી’– એ ન્યાયે મહર્ષી વાલ્મીકી અને વ્યાસે અનુક્રમે રામાયણ તથા મહાભારતની રચના કરેલી. રામાયણ તથા મહાભારતની રચના કરવામાં તેઓએ કલ્પનાને બહેલાવી છુટો દોર આપ્યો. પૌરાણીક પરી–કથાઓમાં કલ્પીત વાતોનું પ્રમાણ સવીશેષ હોય તે સ્વાભાવીક છે. હા, સાહીત્યની દૃષ્ટીએ મહાભારત અને રામાયણ ઉત્ત્તમોત્ત્તમ મહાગ્રંથો છે, તેનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી; પરંતુ આ આધાર પર એમ તારવવું કે, એ જમાનામાં આપણી પાસે આજના જેવાં જ શસ્ત્રો તથા વીમાનો હતાં અને તેનાં ઉડ્ડયનો/નીર્માણ આપણે કરી શકતા હતા, તે તો કેવળ મનને મનાવવાનું અને પોરસાવાનું બહાનું માત્ર જ છે. આ પ્રામાણીક/ વાસ્તવીક હકીકત નથી.

વળી કેટલાક તો લુલો બચાવ પણ કરે છે કે, ‘અંગ્રેજો અને જર્મનોએ આપણાં શાસ્ત્રો અહીંથી લઈ જઈ, તેનો અભ્યાસ કરીને તેઓએ આધુનીક વૈજ્ઞાનીક શોધો કરેલી છે, જે અસલમાં આપણી જ છે.’ ત્યારે પુછવાનું મન થાય છે કે, જે શાસ્ત્રો આપણી પાસે હજારો વર્ષથી હતાં, તો તે શાસ્ત્રોમાંથી આપણે કેમ કંઈ જ કરી ન શક્યા ? તે જ શાસ્ત્રોમાંથી અંગ્રેજ/જર્મન વગેરે પ્રજાએ ફક્ત બસો વર્ષમાં માનવને રાહતપુર્ણ જીવન બક્ષનારી સેંકડો/હજારો આધુનીક શોધો કરી જગતને ખોળે કેવી રીતે ધરી ? આ વાતે આપણે ગૌરવ લેવું જોઈએ કે શરમાવું જોઈએ ? હજારો વર્ષથી આપણી પાસે જો આજના જેવાં જ વીમાનો અને શસ્ત્રો આપણી પાસે હતાં પછી આપણે આ વીમાનો અને તે શસ્ત્રોનો ઉપયોગ કરીને, દેશ આખાને સદીઓ સુધી ગુલામ બનાવનાર પ્રજાઓ સામે ઝઝુમ્યા કેમ નહીં ? બસો વર્ષ સુધી મુઠ્ઠીભર અંગ્રેજોની ગુલામી આપણે શા માટે વેઠી હતી ? આપણા સાહીત્યમાં નીરુપાયેલા કલ્પનાના તોખાર સમું કશુંક નક્કર સ્વરુપનું આપણી પાસે હોત તો આજે આપણે ‘સુપર પાવર’ તરીકે દુનીયા પર આધીપત્ય ભોગવતા ના હોત ?

ગોવીન્દ મારુ નવસારી

24 December 2009

‘ગુજરાતમીત્ર’ દૈનીક, સુરતના ‘ચર્ચાપત્ર’ વીભાગમાં તા.5/10/1992ના રોજ પ્રકાશીત થયેલ મારું એક ચર્ચાપત્ર …

દર સપ્તાહે મુકાતા રૅશનલ વીચારો માણવા જોતા રહો મારો બ્લોગ https://govindmaru.wordpress.com/

28 Comments

  1. આપે જેમ વિચાર રજૂ કર્યા એવા વિચારો બીજા કૉઈએ

    લખ્યા અને તમને હવામાં ગોળીબાર કરવાનો મોકો મળ્યો.

    ઘણી સારી વસ્તુ અને સમાજને એક મોડેલ ઉદાહરણ પ્રાપ્ત

    થાય એવા ગ્રંથો પછી પણ માનવ અને દાનવની હારમાળા ચાલવાની જ છે.

    રેશનાલીષ્ટના ઓઠા હેઠળ સારી વસ્તુ આગળ પડ્દા રાખવામાં

    કેટલું ઓચીત્ય?

    આવો મને વિચાર આવ્યો ખોટો પણ પડે.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  2. I think we always talking about “Manav Dharam”. First need to learn that then we can be super power. We need to learn honesty n hardworking. Today we cheat with each other n blaming politics. Its escaping same we did with our Ramayan n Mahabharat. We speak Oam but we never want to Oam=one.

    Like

  3. શ્રી ગોવિંદ ભાઈ
    આપની વાત સ્વીકારી લઈ એ ત્પ પણ એક વાત તો નિશ્ચિત છે કે જે કોઈ ઉલ્લેખો રામાયણ અને મહાભારતમાં હથિયારો વિષે કે વિમાન વગેરે માટે આવે છે તેનો મતલબ આપણાં જે તે લોકો પાસે આવા હથિયારો હતા કે નહિ તે વાતને થોડી વાર વીસારીને વિચાર કરીએ તો આપનાં મહર્ષિ વ્યાસ અને વાલ્મિકી જેવા ઋષિઓ પાસે આવી કલ્પના શક્તિ તો જરૂર હતી જેમ જુલે વર્ને કેટલીક વાતો લખી છે તે તેના સમયમાં અસ્તિત્વમાં નહિ હતી પણ તેની કલ્પના ત્યાર પછીના સમયમાં સાકાર થઈ જ ને ? અને તેથી જ એમ માનવાનું મન થાય છે કે શક્ય છે કે રામાયણ અને મહાભારતના સમયમાં પણ આવા હથિયારો અને વિમાનો અસ્તિત્વમાં હોય પણ ખરા ! અને કાળક્ર્મે આ વિધ્યા સચવાઈ ના રહી હોય અને લુપ્ત થઈ ગઈ હોય ! બાકી આપણાં લોકોએ તે વિધ્યા સાચવી ના હોય તો તે સમયના જવાબદાર લોકોની બેદરકારી ગણાય ! પણ તેથી જ માત્ર આવી કોઈ વિધ્યા નહિ હતી તેમ માનાવા મારું મન ત્યાર થતું નથી. આપણે ક્યારે ય આ વિધ્યાનો ઉપયોગ કરી વિદશીઓના આક્રમણ સામે પ્રતિકાર કરવા તૈયાર નહિ થયા કે પ્રતિકાર ના કર્યો તેના અનેક અન્ય કારણો હોઈ શકે ! જેમકે જે તે સમયની સામાજિક પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ અને યુધ્ધ માટે લોક માનસની તૈયારી વગેરે ! આપણાં દેશમાં તો આ સમય બાદ અહિંસાનો ફેલાવો તમામ ધર્મમાં એતલી હદે કરવામાં આવેલો કે ક્યારે ક લોકો નપુંસક બની ગયા હોય તેવું માનવા મન થઈ જાય ! આપની એક વાત સાથે સમ્મત છું કે બાલપણ કે ભૂતકાળ મમરાવવાથી પ્રગતિ ના થાય્ !
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

    1. આ લેખમાં ગોવિંદભાઈએ જે વાત કરી છે એમાં કોઈ અતીશયોકતી લગતી નથી. હકીકતે રામાયણ અને મહાભારતની કથા વસ્તુ ઉત્તમ છે. અને લેખકે કરેલ વર્ણન પણ ઉત્તમ છે. છતાંયે એમાં કેટલીયે વાતો વાંચીને મુઝવણમાં મુકાઈ જવાય કે આ વિમાનની વાત છે તો વિમાનમાં ભગવાન રામ એક જ વાર કેમ બેસે છે? અને વારમવાર ઉપયોગ કેમ નથી કરતા? અને પાણીમાં તરતા પથ્થરો વગેરે. જો એવી ટેકનોલોજી હતી તો આજે ક્યાં ગઈ? છતાંયે આહી કમેન્ટ લખનારા હજુ એ વાત પચાવી નથી શકતા કે કેટલીયે વાતો કાલ્પનિક અને ફક્ત મનોરંજન માટે લખાઈ હોય એવું બને.

      ઉપરથી “મેરા ભારત મહાન”નો જપ રટયે રાખે છે. ભારતની સંસ્કૃતિ તો ક્યારેય ના આથમે એવી અને માણસાઈ તો આહી જ જોવા મળે. એ લોકો ત્યારે એવું કેમ નથી બોલતા કે નવી દિલ્હી જે આવા મહાન દેશની રાજધાની છે ત્યાં રાત્રે ૮:૦૦ વાગ્યા પછી બહાર નીકળશો તો અચૂક લુંટાઈ જવાના ચાન્સ છે? કે પછી આ દેશમાં પાઈ પાઈ માટે પડોશી કે મીત્ર તો શું, ભાઈઓ અને બહેનો પણ સ્વાર્થી વર્તન કરી શકે છે? કે પછી તમને કોઈ પણ વસ્તુ વેચનારથી તમે ખુબ ડરી જાવ કારણકે મોટાભાગે તમને છેતરવાની વાત હોઈ શકે….

      મૂળ વાત એ છે કે જે સાચું અને સારું હોય એની પ્રશંશા કરવામાં કોઈ વાંધો નહિ. પણ જયારે વાતમાં કોઈ માલ ના હોય, કોઈ ઠેકાણા ના હોય ત્યારે ઘડીએ ને પડીએ ભારત સુપર પાવર થવાનો છે અને ભારતમાં જે છે એ ક્યાય નથી એવી મૂર્ખતાભર્યા ગાણા ગયે રાખવાનો શો અર્થ? આવા મિથ્યાભિમાનને કારણે ઘણા લોકો કેવી હાસ્યાસ્પદ વાતો કરતા હોય છે: એક ભાઈ કહે કે ગુરુજી એ મંત્ર આપ્યો છે, રોજ એનો દસ હજાર જપ કરવાથી ઘરમાં બધું સારું થાય….હવે એને જયારે હું એમ કહું કે આનો અર્થ નથી ત્યારે મારી વાતોથી મિત્ર નારાજ થઇ જાય છે. મને એમ કહે છે કે હું ભારતની સંસ્કૃતિનો અનાદર કરું છુ! હવે મારી સંસ્કૃતિની તમામ સારી વાતો પ્રત્યે મને ખુબ ગર્વ છે, પણ આવી મૂર્ખતા અમલમાં મુકવાથી શું શક્કરવાર વળે? આને સંસ્કૃતિ, વારસો, માણસાઈની મિસાલ, એવું કઈ રીતે કહેવાય?

      Like

  4. ગોવીંદભાઈ, તમે ૨૪ કેરેટના સોના જેવી વાત કરી છે, કોઈએ એ માનવી ફરજીયાત નથી. આ વીજ્ઞાનયુગમાં હજીયે પરંપરા, શાસ્ત્રો, પુરાણોનો આધાર ટાંકીને માણસ અંધશ્રદ્ધામાં ગળાડુબ છે, ત્યાં વૈજ્ઞાનીક દૃષ્ટીકોણની વાત સમજાવવી–ગળે ઉતારવી એ કપરું કામ છે. છતાં તમારા પ્રયત્નોને સલામ છે.

    Like

  5. પ્રિય ગોવીન્દભાઇ, આપનો લેખ ચિંતન કરવા જેવો છે. વાલ્મિકિ અને વ્યાસજીની તેમની કલ્પનાશક્તિ માટે કદર કરવી રહી.
    કોઈ ભારતીય ત્યાર પછીના વર્ષોમા તેમની કલ્પના પરિપૂર્ણ કરવામા કેમ સફળ ન થયો તે ઍક વિચાર માંગી લે છે.

    Like

  6. Govindbhai tamaro aa lekh khubaj saras chhe,,
    ane aasha chhe ke darek maanvi vanchi ne vichare to
    bahuj saaru.

    Like

  7. shree govindbhai, 500 varsh pachhi “saktiman” t.v.serial
    na actors tatha anyo pan aavij vato kahechhe.mukesh-
    khanna na vansajo davo karashe ke aamara vadavao allop
    thavani shakti dharavatahata.

    Like

  8. આ ગ્રંથોમાં કલ્પના છે કે હકિકત તેની ય આપણે તો કલ્પના જ કરવી રહી. સાબિત ન કરી શકાય તેવા સત્યો પણ હોય જ છે ને? “સત્યના દર્શન હોય પારખા નહી” એવુ કહેનારાને કદાચ આપણે અંધશ્રધ્ધાળુ માનીએ પણ સત્યને આચર્યા વગર તો તેના સુધી પહોંચાતુ જ નથી. અન્યને ખોટા પાડવા કરતા આપણે સત્યની કસોટીમાં પાર ઉતરવાની કોશિશ કરીએ તે અંધશ્રધ્ધા ન પોષવા માટેનું પ્રથમ ચરણ કહી શકાય. મોટાભાગના લોકો અન્યનો પોતાના પર અંધવિશ્વાસ જ ચાહતા હોય છે અને પોતાના પર વિશ્વાસ ન કરનારને ખોટા માનતા હોય છે. રેશનાલીસ્ટ પણ આમાંથી બાકાત હોય જ એવું તો નથી.

    Like

  9. આપણે આપણે વ્યક્તીગત 5 વર્ષ જુનો સારો ભુતકાળ પણ વાગોળ વાગોળ કરતા હોઈએ છીએ. શાળા, કૉલેજ કે ધન્ધા/નોકરીમાં શું તીર માર્યા એ પણ બધાને બહુ કહેતા હોઈએ છીએ. તો આમાં શી હરકત???

    Like

  10. મહાભારત અને રામાયણનો ઉલ્લેખ કરવો અને તેમાં વર્ણવેલી ચમત્કારિક વાતોને અનુલક્ષીને કહેવુમ કે “વાગોળવામાં શું ભલીવાર?”. આ વાત જરા અજુગતી લાગે છે.

    રામાયણ- મહાભારતને અગર જે રીતે વાગોળવામાં આવે છે તે તેમાં રહેલા સાહિત્યિક કલા તત્વને કારણે અને ચરિત્ર-ચિત્રણના ખજાના માટે વાગોળવામાં આવે છે. અલબત્ત તેનું ઐતિહાસિક મહત્વ છે. પણ તે અનુસંધાન દ્વારા સંશોધનનો વિષય છે.

    તેમાં કેટલા ચમત્કારો છે અને કેટલા ઐતિહાસિક છે તે વસ્તુ પણ સંશોધનનો વિષય છે.

    “અત્યારે આપણી પાસે કશું નથી” એમ કહી એક ઝાટકે કહી નાખીએ કે બધું જ બોગસ છે. “સાધ્યમ્ ઈતિ સિદ્ધમ્‌”

    હવે તેજ પ્રમાણૅ આપણે કહી શકીએ કે “આદિવાસી રેડ ઇન્ડીયનો પાસે કશું જ ખગોળશાસ્ત્રીય જ્ઞાન નહતું કારણકે અત્યારે તેમની પાસે કશું નથી.” તો આ વાત કેવી ગણાશે? વાસ્તવમાં માયા સંસ્કૃતિના અવશેષો બતાવે છે કે તેમની પાસે સારુ એવું જ્ઞાન હતું.

    દરેક દેશને કાળો સમય આવે છે. એટલે વધુ ચર્ચા કરવાનો અર્થ નથી. જેને જે બુદ્ધિગ્રાહ્ય લાગે તે ગ્રહણ કરે. વાગોળવામાં કે આનંદમાં કોઇને નુકશાન ન થવું જોઇએ.

    ઘણાને “આર્ય” એ એક જાતિ લાગે છે. ઘણાને માટે “આર્ય” એ એક વિશેષણ છે.
    બન્ને પક્ષે દલીલો છે. “આર્ય” એ એક વિશેષણ છે એ વાત વધુ ગ્રાહ્ય લાગે છે. પણ કેટલાક પોતાને પ્રગતિશીલ દર્શાવવામાટે બીજાને “ભગવાકરણ”વાળા એ રીતે બતાવવા માગે છે.

    Like

  11. Sri Govindbhai

    Chalo tame etlun to svikryun Ke Sahityani drashti ae atulya – Uttam grantho chhe. Atlu Svikarva mate pan Aa vat tamare vaglovi padi, Aa nani vat nathi. Bija aemathi biju kain svikarshe. Darek ne kain ne kain svikarva jevu sarun hashe j.

    Mara mate sauthi sari vat Ae ke ketla badha abhiprayo vanchva malya.

    Like

  12. We should not avoid anything but if we believe that our ancestors having that type of knowledge then we shud try to gain same with positive thinking. Jai Hind.

    Like

  13. Govindbhai.

    Ghani Var mane samaj ja nathi padti ke tame kaheva shoo mango chho ?

    Maharshree vyas a badhi kalpana ja kari chhe am ?

    Ano matlab Abhimanyu ani mata na garbh ma thi yuddha mate nu gnan lai ne avyo hato a pan jutthu chhe am ?

    Pan a vat to Science pan mane chhe ke ek balak ani mata na garbh ma rahi ne ghanu badhu sikhi sake chhe. main news channel ma joyu chhe..

    Avi to Ghani Badha topic chhe..
    Bye and thanks..

    Like

  14. ગોંવીદભાઇ,
    જવાબ ગુજરાતીમાં આપુ છું. ભારતના ભુતકાળના સંદર્ભમાં એટલું વીચારવાની જરુર છે કે કયા કારણોસર લોકો ફકત અને ફકત નસીબવાદી જ બની રહ્યા ? કયા કારણોસર આ પ્રજા (વસ્તી) કુદરતી પરીબળો ને Knowldge મેળવવાના સાધન તરીકે ગણવાના ને બદલે કુદરતી પરીબળોને ભજવાનું એકમ ગણી, દુન્યવી વાસ્તવીકતાઓના અને સમસ્યાઓના ઉકેલ તરફ વ્યકતીગત અને સમાજની બચતનો ઉપયોગ કરવાને બદલે પોતાની મહામુલ્ય બચત પુરોહીતો અને ધર્મગુરુઓના પેટ ભરવામાં વાપરતી આવી છે.. દુનીયાની કઇ પ્રજા (વસ્તી) નદી, પર્વત, ઝાડ વગેરે ને ભજે છે, પુજે છે ?? અને કઇ વસ્તી તેનો સાધન તરીકે ઉપયોગ કરી સુખી થઇ છે ?? યુરોપીયન લોકોએ કુદરતને ભજવાને બદલે નાથી, તેના નીયમો સમજી પોતાની સમસ્યાઓ ઉકેલી માનવ સમાજના લગભગ બધા પ્રશ્નો ઉકેલાયા. આપણે આપણી જાતને આ અંગે ઢંઢોળી શકીયે તેમ છે ખરા !! તેનો જવાબ વિવેકબુધ્ધીવાદ અને રેશનાલાઝીમ આપે છે.
    બીપીનભાઇ.
    બ્યુફોઁડ અટલાન્ટા યુએસએ.

    Like

    1. ભારતની અજ્ઞાન પ્રજાને પ્રકૃતીમાંથી મળતી ઉપજની જાણકારી નથી. તેથી જ પુષકળ પ્રમાણમાં મળતી આયુર્વેદ વનસ્પતી તેમજ ફળફળાદી મફતના ભાવે વેચીને છેતરાય છે. જેથી વેપારીઓ તેના ઉપર 10 થી 15 ગણો નફો મેળવે છે.

      Like

  15. રામાયણ -મહાભારતના શ્રવણ-મનનથી કરોડો લોકોને માનસીક શાન્તી-પ્રસન્નતા થઈ છે

    થાય છે—-

    Like

    1. કૃષણએ પાંડવોને અલગ રાજ્ય સ્થાપીને માનસીક શાંતી મેળવવા શામાટે પ્રેરણા ન આપી ?? હસ્તીનાપુરને પ્રાપ્ત કરવાની મોહ-માયામાં કૃષણએ પાંડવોને ફસાવ્યા તે કેટલે અંશે ઠીક કહેવાય !!!
      ગોવીન્દ મારુ

      Like

  16. 1st we should learn Sanskrit
    to-read our Upanishads & Veda Purana
    Because without reading we will not reach anywhere
    we Notice a lot of foreigners Specially Germans come to India
    Not Just to Learn Sanskrit & Yoga But To also do reserch on this Invaluable Knowledge
    We are still talking about Freedom Fight Politicians
    Where are WE
    When YOGA got famous in Western countries
    We Indians & Our educated people started accepting in Corporate House & Offices AS A Fashion
    How about about it
    Same is with Ayurveda Medicines
    We our-self Fill Our ancestors are old fation Narrow mind
    We give way to forighner who dont want to pay
    He & His goverment can effort to send them all the way to India to do This Study -Resetch
    We will help him Out of the way
    But Fellow Indian who is doing Same reserch -Study we Ignore him
    Our governments Spends Croress of Rs, On Corruption On Party Fund Election
    But No Money on Research ???????????
    Good morning to all of US
    Jag-ya tyathi sawar
    Mara dikrane Sanskrit awade Che Pan Mane to Sanskrit Pan nathi awadtu

    Like

  17. ગોવિંદભાઈ,

    આપે ઊઠાવેલ મુદ્દો મહત્વનો છે. અતીતને વાગોળવાથી શું થશે. ઉત્તર ઘણા છે પણ મુખ્ય મુદ્દો આ પ્રમાણે છેઃ

    અતીતને બરાબર સમજી લઈએ તો એ વાતનો સાર્થક ગર્વ જાગૃત કરી શકાય કે લગભગ ચાર થી પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતીના આપણે વારસદારો છીએ અને એટલે જ પશ્ચિમની છેલ્લા ત્રણસો ચારસો વર્ષમાં વિકસિત થયેલી વૈજ્ઞાનિક વિચારધારાની બૌદ્ધિક ગુલામીની આપણને જરૂર નથી. ધ્યાન આપજો હોં કે હું વૈજ્ઞાનિક વિચારધારાનો વિરોધી નથી પણ એની બૌદ્ધિક ગુલામીનો સખત વિરોધી છું. મુંબઈથી પ્રગટ થતાં જન્મભૂમિ પ્રવાસીની ૨૭ ડિસેમ્બરની રવિપૂર્તિમાં ડૉ. જે.જે.રાવળના વિજ્ઞાન જગતમાં એમણે “આધૂનિક વિજ્ઞાનનાં પ્રાચીન મૂળિયાં” નામે લેખમાળા શરૂ કરી છે. એના લેખાંક એકના કેટલાક ચમકારા અહીં આપુ છુઃ

    * વિશ્વના પ્રથમ ગ્રંથ ઋગ્વેદના નારદિય સૂક્તમાં હાલની બિગબૅન્ગ થીયરીનું આબેહૂબ વર્ણન છે.
    * ઋગ્વેદમાં ઋષિ દીર્ઘતમસ રચિત માવસ્ય સૂક્તમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર, સૌથી નજીકના તારા મિત્રનું અંતર …વગેરે વગેરે છે જે આજના વિજ્ઞાનની કસોટી એ સાચા ઉતરે છે.
    વધુ લખાણ માટે જુઓઃ http://pravasi.janmabhoominewspapers.com/ePaper.aspx

    તો આશા રાખુ છું કે આપ ડૉ. જે.જે. રાવળ જેવા ગુજરાત-રત્ન એ લખેલ વાતો પર વિશ્વાસ રાખી શકશો અને એમની પણ ડાગળી ચસકી ગઈ છે એવા તારણ પર નહીં આવો.

    આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો થયા પણ માનસિક ગુલામી હજુ ચાલુ જ છે.
    ૧) પંડિત રવિશંકર વિદેશમાં જઈ સિતાર વગાડી આવ્યા તો એમને તરત ભારતરત્ન મળી ગયું તો પંડિત ભીમસેન જોષીને ગયા વર્ષ સુધી રાહ જોવી પડી.
    ૨) ઓસ્કાર મળે તો લોકો ગાંડા ગાંડા થઈ જાય છે જાણે કે આપણે સારા ચલચિત્રો બનાવીએ છીએ એ પશ્ચિમની મહોર વગર નક્કી ન થઈ શકે. જે દેશમાં નાટ્યકળાનો હજારો વર્ષોનો વારસો હોય એના માટે આવી ગુલામી શરમજનક કહેવાય.
    ૩) કલ્પના ચાવલા કઈ રીતે ભારતરત્ન છે એ તો મને આજ સુધી નથી સમજાયું. જે વ્યક્તિ એ ભારત માટે કંઈ કરતાં કંઈ કર્યું ન હોય એવી વ્યક્તિ ભારતરત્ન થઈ જાય છે. વાહ!
    ૪) સાલુ આજે પણ બાળકોને ભણાવીએ છીએ કે રેડિયોની શોધ માર્કોની એ કરી. આપણા જગદીશચંદ્ર બોસને ઉલ્લેખ ન કરવો એ ગુલામીની ચરમસીમા છે.
    And the list goes on……

    અંગ્રેજોની ગણીએ તો ૨૦૦ વર્ષની અને મુસ્લિમ રાજ્યકાળ પણ ભારતીય પરંપરાને ખાસ અનુકૂળ ન હતો એમ ગણીએ તો ૧૦૦૦ વર્ષની ગુલામીની આ અસર ૬૦ વર્ષમાં તો ભૂંસી ન શકાય. પણ આશા રાખુ છું કે માનસિક ગુલામીનો આ કાળ પણ આજે નહીં તો કાલે પૂરો થશે અને આવનાર પેઢીઓ જૂના અને નવાનું નીરક્ષીરન્યાયે મૂલ્યાંકન કરીને યોગ્ય તે આગળ લઈ જશે.

    Like

  18. ઈશાવાસ્ય ઉપનિષદનો આ શ્લોક જુઓઃ

    ॐ पुर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुद्च्यते ।
    पूर्णस्य पूर्ण्मादाय पूर्णमेवावशिष्यते ॥

    શબ્દશઃ અર્થ –> તે પૂર્ણ છે આ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ ઉલેચાય છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ તો પૂર્ણ જ રહે છે.

    તો Infinity – Infinity = Infinity જેવું સૂત્ર ઈશાવાસ્યોપનિષદ લખનાર ઋષિઓને જ્ઞાત હતું. શું કહેશો?

    Like

  19. shri govindbahi
    એક એનીજીનીયાર આવેલા ગુજરાત થી અહી અમેરિકા,તો કહે ભીમે મહાભારત pachhi badha hathi akkash ma feki didha je haju pachha avya nathi.have vignan pan કહે chhe space ma gurutvakarshan na hoy etale pachha na ave.bolo murkhane shu kahevu.એક nano kankaro pan manas space ma feki na sahke.

    Like

  20. રામાયણ અને મહાભારત મહાકાવ્યો છે. આ મહાકાવ્ચોના પાત્રો આપણાં જીવનમાં એટલા બધા સમરસ થઈ ગયા છે કે લોકો આ પાત્રોના જીવન-કવનમાંથી કાઈ ને કાઈ પ્રેરણા લેતા રહે છે. આ ઉપરાંત મહાભારત એક ઉત્તમ સમાજશાસ્ત્રનું પુસ્તક છે. આદર્શ વ્યક્તિત્વનું ઘડતર કરી શકવા માટે તેમાં અનેક પાત્રોના જીવંત ઉદાહરણો અને મનોભાવો સારી રીતે પ્રગટ કરેલા છે. વળી મહાભારતની મધ્યમાં કહેવાયેલી ભગવદ ગીતા આજે પણ સર્વ અધ્યાત્મ શાસ્ત્રના નીચોડરુપ ગણાય છે.

    કોણે ક્યારે શું કરવું જોઈએ? તે જે તે વ્યક્તિએ જે તે સમયે નક્કી કરવાનું હોય છે. તેથી કૃષ્ણએ શું કર્યુ અને શુ કામ કર્યું તે તેણે તે વખતની પરિસ્થિતિ પ્રમાણે નક્કી કર્યું હશે. પણ વધારે મહત્વનું તે છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે આપણે શું કરવુ જોઇએ? અને તે સહુ કોઈ પોતપોતાની યથામતિ પ્રમાણે નક્કી કરી જ રહ્યા છીએ. મને લાગે છે કે આપણે ઓછુ કામ કરનારા અને મિથ્યા બકવાદ કરનારા વાજા બની રહેવાને બદલે આપણી શક્તિ અને સમજણ પ્રમાણે પુરતો પુરુષાર્થ કરીને આપણું પોતાનું કલ્યાણ તો કરવું જ જોઈએ.

    બાકી આ દેશમાં લોકો ઠેર ઠેર પાનના ગલ્લે ઉભાં રહીને સોપારી અને તમાકુ વાગોળ્યા કરે છે તેના કરતા રામાયણ અને મહાભારતની વાતો વાગોળવી અનેક ગણી ફાયદાકારક છે.

    Like

  21. Shri Govindbhai,
    This very good point you have raised, History can not give food to eat, only it gives vapouns to fight with others.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s