ગ્લોબલાઈઝેશન સમજીએ

મુરજી ગડા

ગ્લોબલાઈઝેશન એટલે વૈશ્વીકીકરણ. એ સમસ્ત દુનીયાને આવરી લેતો વર્તમાનનો એક મુખ્ય પ્રવાહ છે. તે એટલો પ્રબળ છે કે એને રોકવાનું કોઈ એક વ્યક્તી કે દેશ માટે શક્ય નથી રહ્યું. ફક્ત પોતા પુરતું કોઈ એને રોકી શકે છે. આ પ્રવાહ બહુમતીના લાભમાં હોવાથી એને રોકવા કરતાં એમાં જોડાવું આપણા હીતમાં છે.

ગ્લોબલાઈઝેશન એ ભારતમાં સરખી રીતે ન સમજાયેલી પ્રક્રીયા છે. એનો સાચો અર્થ છેઃ દેશ, જાતી, ધર્મ વગેરેના ભેદભાવ ભુલી માનવ સમાજ પરસ્પર સહકારથી અને શાન્તીપુર્વક રહે. આ ગ્લોબલાઈઝેશનનુ અન્તીમ ધ્યેય છે. અત્યારે એનો જે અર્થ કરવામાં આવે છે તે છેઃ માલસામાન, મુડી, સેવાઓ, ટૅકનૉલૉજી અને પ્રોડક્ટીવ વ્યક્તીઓ માટે રાષ્ટ્રીય સરહદોની મર્યાદાઓ ઘટાડવાની. આને મુક્ત આર્થીક નીતી પણ કહેવાય છે.

આ બધી બાબતોનો પ્રવાહ છતવાળા પ્રદેશમાંથી અછતવાળા પ્રદેશ તરફ જતો હોવાથી બધાને એનો ફાયદો થાય છે. દરેક દેશની અંદર આ પ્રક્રીયા ચાલે જ છે. હવે એને બીજા દેશો સુધી વીસ્તારવાની છે. એ વીષમતા નહીં; પણ સમાનતા લાવનારી છે. એમાં આર્થીક ગુલામી નથી, ત્યાં કાબેલીયતની કદર થાય છે.

ગ્લોબલાઈઝેશન નવું નથી. એ સદીઓ પહેલા શરુ થયું છે. છેલ્લે તે રાજકીય સામ્રાજ્યવાદના સ્વરુપમાં હતું. જે એ સમજી શક્યા નહીં એમનું ખુબ જ આર્થીક શોષણ થયું હતું. હાલમાં ગ્લોબલાઈઝેશનનો જે તબક્કો ચાલે છે તે આર્થીક અને સાંસ્કૃતીક વીચારધારાના રુપમાં ફેલાઈ રહ્યો છે. એને રાષ્ટ્રીય સરહદો રોકી શકે એમ નથી.

ઓગણીસમી સદીના સામ્રાજ્યવાદથી ગભરાયેલા લોકો હજી પણ ગ્લોબલાઈઝેશનને એ જ સ્વરુપે જુએ છે. ત્યારની અને અત્યારની પરીસ્થીતી સાવ જુદી છે. અત્યારે ભારત એક શક્તીશાળી દેશ છે. ત્યારે શક્તીશાળી તો દુર; એક દેશ પણ નહોતો. સેંકડો નાના રજવાડાઓનો સમુહ હતો.

ગ્લોબલાઈઝેશનનો લાભ બધાને એકસરખો, એકસાથે અને આપોઆપ ન મળે એ સમજવાનું અને સ્વીકારવાનું છે. પોતા માટે યોગ્ય જગ્યા બધાએ જાતે મેળવવાની છે. સામે ચાલીને કોઈ આપી દેવાનું નથી. જે એમાં જોડાતાં નથી કે જોડાઈ શકતાં નથી તે પોતાની મર્યાદાઓ માટે પદ્ધતીનો વાંક કાઢે છે.

ગ્લોબલાઈઝેશન શબ્દ પ્રચલીત થયો એના ઘણા વખત પહેલાથી આપણે એનો લાભ લેતા થયા છીએ. સાંઈઠના દાયકામાં જ્યારે શીક્ષીત વર્ગે પશ્ચીમના દેશોમાં જવાનું શરુ કર્યુ ત્યારે આપણા માટે ગ્લોબલાઈઝેશનની શરુઆત હતી. ત્યારે ‘Brain Drain’ના નામે ઘણી બુમો સંભળાતી હતી. આજે એનું જે વળતર મળી રહ્યું છે તે બધાને ગમે છે. એ જ રીતે કારીગર વર્ગ અખાતના દેશોમાં જઈ પોતાના કુટુમ્બનું આર્થીક ધોરણ ઉંચું લાવી શક્યો તે બધું ગ્લોબલાઈઝેશનને આભારી છે.

ભારત જેવો વીશાળ દેશ જ્યાં પ્રાંતો વચ્ચે ભાષા, પોશાક, ખાનપાન, રીતરીવાજ વગેરે જુદાં છે ત્યાં પરપ્રાંતમાં જવું એ વીદેશ જવા જેટલુ મોટું પગલું હતું. જે લોકોએ ત્યારે દેશમાં જ સ્થળાન્તર કર્યું તેઓએ પણ ઘણી પ્રગતી કરી હતી.

ગુજરાતીઓ ગુજરાત છોડીને અન્યત્ર ગયા એનાથી એમને ફાયદો થયો છે, ગુજરાતને ફાયદો થયો છે અને નવા વસવાટના તે પ્રદેશોને પણ ફાયદો થયો છે. એમણે એવું ન કર્યું હોત તો એમની ધંધાકીય કુનેહ બહાર ન આવી હોત. પેઢીઓ પહેલાં થયેલું આ સ્થળાન્તર ગ્લોબલાઈઝેશનની નાની આવૃત્તી જેવું હતું.

‘ઈન્ડીયા’ કહેવાતા શહેરોની હાલની આબાદીનો યશ ઘણે અંશે ગ્લોબલાઈઝેશનને આપી શકાય; પણ ‘ભારત’ કહેવાતાં ગામડાંની બરબાદી માટે તેને જવાબદાર ન બનાવાય. ગામડાંની હાલત ખરાબ છે તે ખરું; પણ તે હમણાં નથી થઈ, પહેલેથી જ થયેલી છે. એ સમજવું જરુરી છે કે પહેલાંની સ્થીતી વાજબી કે ન્યાયી હતી એમ માની લેવું યોગ્ય નથી.

ગામડાના પછાતપણાનાં કારણો આન્તરીક અને સનાતન છે. ગામડાંના ગરીબોનું શોષણ થયું છે જમીનદારો દ્વારા; ખર્ચાળ, ધાર્મીક અને સામાજીક ક્રીયાકાંડો માથે ઠોકી દેનાર બ્રાહ્મણ વર્ગ દ્વારા અને આવા પ્રસંગો માટે આકરી શરતે નાણા ધીરનાર શાહુકારો દ્વારા. આ ત્રણ વર્ગની વ્યક્તીઓએ ગામડાંની પ્રજાને ગરીબ અને પછાત રાખવામાં ખુબ મોટો ભાગ ભજવ્યો છે. ગરીબોની પાયાની જરુરીયાતો પુરી કરવા સાથે આ બાબતોનો ઉકેલ લાવવો પણ એટલો જ જરુરી છે. આ પ્રકારની માનસીક ગુલામીમાંથી બહાર નીકળ્યા વગર એમની પ્રગતી શક્ય નથી.

ચાલુ વ્યવસ્થામાં જેમને વધુ ફાયદો હોય એમના વીશીષ્ટ લાભ (Monopoly) ગ્લોબલાઈઝેશનથી જતા રહેવાના છે. આવા કીસ્સાઓમાં હમ્મેશની જેમ ગુમાવનાર વ્યક્તી કે જુથ, ગરીબો અને એમના પ્રશ્નોને આગળ ધરી વીરોધ કરવાના જ. દરેક દેશમાં સ્થાપીત હીતો દ્વારા કોઈ ખાસ બાબતમાં ગ્લોબલાઈઝેશનનો વીરોધ થઈ રહ્યો છે.

સામ્યવાદી અર્થવ્યવસ્થામાં કામદારોનુ હીત પહેલાં જોવાય છે. મુડીવાદી અર્થવ્યવસ્થામાં માલીક અને રોકાણકારોનું હીત અગ્રસ્થાને હોય છે. જ્યારે મુક્ત આર્થીક નીતીનો સૌથી વધુ લાભ ઉપભોક્તાને મળે છે. કામદારો, રોકાણકારો વગેરે સમાજનો નાનો વર્ગ છે જ્યારે કન્ઝ્યુમર તો બધા જ હોય છે.

સામ્યવાદી અર્થવ્યવસ્થા ઘણા દેશોએ અજમાવી અને તેઓ ભુંડી રીતે નીષ્ફળ ગયા. મુડીવાદ પહેલેથી ચાલતો આવ્યો છે. એનાં ખરાબ પરીણામો આપણે અંગ્રેજી શાસન દરમીયાન ભોગવ્યાં છે. જાણવા જેવી વાત એ છે કે મુડીવાદી પશ્ચીમી દેશોમાં ખેડુતો અને કામદારોની સ્થીતી બીજાઓને ઈર્ષા ઉપજાવે એટલી સારી છે, જ્યારે મજુરોના દેશ ચીનમાં એમનું ખુબ શોષણ થયું છે અને થાય છે.

મુક્ત વેપાર નીતીનો પાયો હરીફાઈ પર રચાયેલો છે. હરીફાઈમાં હમ્મેશાં ગ્રાહકોને ફાયદો થાય છે. ગ્લોબલાઈઝેશન આ હરીફાઈને સ્થાનીક સ્તરથી વૈશ્વીક સ્તરે લઈ જાય છે. હરીફાઈમાં ટકી રહેવાની અને આગળ નીકળવાની લાયકાત આપણે કેળવવાની છે.

મુક્ત આર્થીક નીતી અન્ય વ્યવસ્થાઓના પર્યાયરુપે આવી છે. આજ સુધી અજમાવેલી બધી જ અર્થવ્યવસ્થાઓ કરતાં એ પ્રમાણમાં સારી છે. એને અપનાવવી આપણા હીતમાં છે. ટેલીફોન તંત્રમાં આવેલ ક્રાન્તીનુ એકમાત્ર ઉદાહરણ એના માટે પુરતું છે. લાંબે ગાળે બહુમતી લોકો માટે જે ફાયદાકારક હોય એ નીતી જ અપનાવાય. નીતી કે વ્યવસ્થા ગમે તેટલી સારી હોય; અમુક લોકોને એનાથી ગેરલાભ થવાનો છે. એના માટે નીતીને દોષ ન દેવાય. વીશાળ જનસમુદાયના લાભ માટે જે લોકોનો વીશીષ્ટ લાભ જતો રહે એમણે બીજા વીકલ્પો શોધવા જરુરી છે. બધાનું હીત એકીસાથે જાળવવા જઈએ તો એક ડગલું પણ આગળ વધી શકાય નહીં.

રોગને મટાડવા દવા લેવી પડે છે. જો આડઅસરના ડરથી દવા ન લઈએ તો રોગ મટવાને બદલે આપણે જ મટી જઈએ. ક્યારેક આડ અસરને નભાવી લેવી પડે છે અને એને સુલટાવવાના બીજા ઉપાય શોધવા પડે છે.

દરેક વાતનો વીરોધ કરતા, વાતવાતમાં હડતાલ પાડતા લોકો વીકાસનાં કાર્યો અટકાવે છે અને પછી ‘સરકાર કશું કરતી નથી’ની ફરીયાદ પણ કરે છે. સર્વાંગી સમતોલ વીકાસની આડે સરકારની નીતી ઉપરાન્ત સાધનોની મર્યાદાઓ, વહીવટી તંત્રની જડતા, ભ્રષ્ટાચાર અને પ્રજાની બેજવાબદારી બધું જ નડે છે. માત્ર ગ્લોબલાઈઝેશનને એનો દોષ ન દેવાય. ગ્લોબલાઈઝેશન અને ઔધોગીકીકરણ એક સાથે ચાલતી પ્રક્રીયા છે. ફક્ત એકનો ઉલ્લેખ કરવાથી ચર્ચા અધુરી રહી જાય છે.

ગામડાંની આર્થીક સમસ્યાઓ પાછળનું એક મોટું કારણ છે : છેલ્લી સદીમાં ચાર ગણી વધેલી વસ્તી. આઝાદી વખતે ખેતી પર નભતી 90 % પ્રજા આજે ભલે 70% થઈ હોય; ત્યારની 90% વસ્તી 30 કરોડ જેટલી હતી. જ્યારે આજની 70% વસ્તી 80 કરોડથી પણ વધુ છે ! આ 70% વસ્તીનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં માત્ર 25% જેટલો જ ફાળો છે. મર્યાદીત ખેતીની જમીન, બમણાથી વધારે લોકોને નભાવી, એમનું જીવન ધોરણ ઉંચું ન લાવી શકે. એના માટે માત્ર ખેતી પર નભતા લોકોની સંખ્યા ઘટવી જરુરી છે.

આટલી વધેલી વસ્તી છતાં આપણે અનાજની બાબતમાં સ્વાવલમ્બી બની શક્યા એ મોટી સીદ્ધી છે. આ વધેલા ઉત્પાદનનો લાભ ખેડુતો અને ખેતમજુરોને ઓછો અને જમીનદારોને વધુ મળ્યો છે. આના માટે બહારનાં કારણો નહીં; પણ માણસની શોષણખોર વૃત્તી જવાબદાર છે.

ભારતની ખેતી, દેશની વસ્તીને અનાજ પુરું પાડવાની ક્ષમતા ધરાવે છે; પણ એના પર નભતા લોકોની બધી જ પાયાની જરુરીયાતો પુરી પાડી શકતી નથી. વારસાગત રીતે મળતી જમીનના ખુબ નાના ટુકડા થઈ ગયા છે. સતત વધતા વારસદારોને આવકનાં સાધનો શોધવા શહેરમાં જવા સીવાય બીજો રસ્તો નથી.

શહેરમાં જનારને બારેમાસ કામ મળી રહે છે. ગામડાંના લોકોને અડધો વખત કામ વગર બેસી રહેવું પડે છે. ઔદ્યોગીકીકરણ સામેની હરીફાઈમાં ગ્રામોદ્યોગ ટકી ન શકે. ભુતકાળમાં જવાની વાત આવે ત્યારે વર્તમાનની વસ્તી તેમ જ પ્રજાની જરુરીયાતો અને અપેક્ષાઓ વીશે વીચારવું જરુરી બને છે. કોઈ પણ નાના ગામમાં આધુનીક ઉદ્યોગ શરુ કરવામાં આવે તો ટુંક સમયમાં એ ગામ મટી શહેર બની જવાનું છે. શહેરીકરણ એ ભવીષ્યની વાસ્તવીકતા છે. એને અટકાવવું એ પરીકલ્પના છે. શહેરોના પ્રશ્નોનો ઉકેલ શોધવો એ અગત્યનું છે; પણ તે અલગ વીષય છે.

નાનકડો દેશ જપાન, ભારત કરતાં વધુ ગીચ વસ્તી ધરાવે છે. પહેલેથી જ ઔદ્યોગીકીકરણ અને વૈશ્વીકીકરણ અપનાવી જપાને વસ્તીને દેશની પુંજી (Asset) બનાવી, એક સમૃદ્ધ રાષ્ટ બન્યું છે. કોઈપણ ખેતીપ્રધાન દેશ માટે વધુ વસ્તી એક જવાબદારી(Liability) બની જાય છે. માત્ર ઔદ્યોગીકીકરણ એને પુંજીમાં બદલી શકે છે.

આપણી સાથે આઝાદ થયેલ ચીનની વસ્તી આપણા કરતાં પણ વધુ છે. સાડા ત્રણ દાયકા પહેલા એણે સામ્યવાદી આર્થીક નીતી છોડી ઔદ્યોગીકીકરણ અને વૈશ્વીકીકરણ અપનાવ્યાં. આજે તે વીકસીત દેશોને હંફાવી રહ્યું છે. બધા જ વીકસીત દેશોએ વૈશ્વીકીકરણ અપનાવ્યું છે. એમના અનુભવમાંથી આપણે ઘણું શીખવા જેવું છે.

બધા દેશોની જેમ ભારતને પણ સમસ્યાઓનો સામનો કરવવાનો છે. તકલીફ એ છે કે આપણને આપણી સમસ્યાઓનો દોષ બીજાઓ પર ઢોળવાની આદત પડી ગઈ છે. હાલમાં ઔદ્યોગીકીકરણ અને વૈશ્વીકીકરણને બલીનો બકરો બનાવાય છે. અન્ય દેશો સાથે જે પણ કરાર કરવામાં આવે છે એમાં આપણુ હીત જાળવવા જરુરી તકેદારી રાખવામાં આવે એટલુ પુરતું છે. વધુ પડતી કડકાઈથી તક ગુમાવી શકાય છે.

આપણી ધાર્મીક વીચારધારાઓમાં પુરુષાર્થ કરતાં પ્રારબ્ધને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ‘ભાગ્ય, નસીબ, લખ્યા લેખ’ જેવી વીચારસરણી વ્યક્તીને પોતાના કાર્યોની જવાબદારીમાંથી છટકવાનું કારણ પુરું પાડે છે. આ એક પ્રકારની પલાયનવૃત્તી છે.

ગ્લોબલાઈઝેશનની આડ અસર આજે આપણે વીશ્વવ્યાપી મંદીના સ્વરુપે જોઈ રહ્યા છીએ. આમાં પણ ધીરેધીરે સુધારો આવી રહ્યો છે. વૈશ્વીક મંદી છતાં આપણી આજની આર્થીક સ્થીતી અને જીવનધોરણ, વૈશ્વીકીકરણ પહેલાંની સ્થીતી કરતાં ઘણી સારી છે. અત્યારની મંદી, વધી ગયેલ આતંકવાદ તેમ જ બીજા બધા પ્રશ્નો ઉપરાન્ત આમ જનતા માટે વર્તમાન સમય પહેલાં કરતાં વધુ સારો છે. ભવીષ્ય હજી પણ ઉજળું થવાનું છે.

         –મુરજી ગડા

લેખક સમ્પર્ક:  

શ્રી. મુરજી ગડા,  1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390007 સેલફોન: 972 679 9009 ઈ–મેલ: mggada@gmail.com

કચ્છી વીશા ઓસવાળ સમાજ, મુમ્બઈનું મુખપત્ર ‘પગદંડી’ માસીકના 2006ના નવેમ્બર માસના અંકમાં તેમ જ કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મન્દીર’ માસીકના 2009ના એપ્રીલ માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે ? તેના પરીચયમાં રહેવા નીયમીત આ રૅશનલ બ્લોગ https://govindmaru.wordpress.com/ વાંચતા રહો. દર શુક્રવારે નવો લેખ મુકાય છે. તમારી મહેનત ને સમય નકામાં નહીં જાય તેનું ધ્યાન રાખીશ… ..ગોવીન્દ મારુ..

 ♦ ‘રૅશનલવાચનયાત્રામાં મોડેથી જોડાયેલા વાચકમીત્રો, પોતાના સન્દર્ભ–સંગ્રહ સારુ કે પોતાના જીજ્ઞાસુ વાચકમીત્રોને મોકલવા ઈચ્છતા હોય તે માટે, મારા ‘અભીવ્યક્તી’  બ્લોગના  હોમ–પેઈજ પર મથાળે, આ લેખ સહીત આગલા બધા જ લેખોની પીડીએફ વર્ષવાર ગોઠવીને મુકી છે. સૌ વાચક મીત્રોને ત્યાંથી જ જરુરી પીડીએફ ડાઉનલોડ કરવા વીનન્તી છે.

અક્ષરાંકન: ગોવીન્દ મારુ, 405, સરગમ સોસાયટી, કાશીબાગ, કૃષી યુનીવર્સીટીના પહેલા દરવાજા સામે, વીજલપોર પોસ્ટ: એરુ એ. સી. – 396 450 જીલ્લો: નવસારી. સેલફોન: 9537 88 00 66 ઈ.મેઈલ: govindmaru@yahoo.co.in

પ્રુફવાચન સૌજન્ય: ઉત્તમ ગજ્જર  uttamgajjar@gmail.com

પોસ્ટ કર્યા તારીખ: 29/08/2014

17 Comments

  1. I fail to understand how socialism/communism improved the social/economical conditions? if their systems were better off than capitalism, china/russia and mera bharat , a socialist republic would not have adopted capitalsm. all these isms are fooling masses ,including democracy.

    Liked by 1 person

    1. I copy- paste two sentences from my article. I did not include Indian style socialism’s drawbacks here as it was covered in on of my earlier article. It also failed miserably.
      સામ્યવાદી અર્થવ્યવસ્થા ઘણા દેશોએ અજમાવી અને તેઓ ભુંડી રીતે નીષ્ફળ ગયા.
      મુક્ત આર્થીક નીતી અન્ય વ્યવસ્થાઓના પર્યાયરુપે આવી છે. આજ સુધી અજમાવેલી બધી જ અર્થવ્યવસ્થાઓ કરતાં એ પ્રમાણમાં સારી છે.

      Liked by 1 person

      1. sattadhario na faldrup magaj ni badhi yojnao sarvanse potane sattama rehva matej amaliksran karvamaa ave chhe. hal,mr. modi je kari rahya chhe te to aam jantane ketlo labhdayak thase tena parinam ni rah jovani. globalisation jo khare khar aakhi duniyana labharthe chhe to pachhi Africa khand maa kem teni asar nathi? koy pan yojna na amali karnan karva mate satta dhario ketla nitiman chhe tena upar aadhar rakhe chhe

        Liked by 1 person

  2. I concur readily with Murjibhai’s assertions that the phenomenon of globalization is not new, as a matter of fact, it goes back to the days of silk road trade and before (Indus Valley traded with Mesopotamia) . We were in Marrakesh, Morocco last year and visited the famed central market square which was the destination of exchange of goods from sub-Sahara Africa and Europe. Kerala (Malabar coast) has a long history (from early Christianity) of trading with Romans, Arabs, Jews. I submit that had it not for Y2k conundrums, coupled with failure of the fiber optic industries in USA making , ready availability of English speaking qualified Indians familiar with coding in Cobol ETC contributed greatly in getting the boom going in India. Murjibhai is quite right in stressing the fact that the benefits of globalization have not been equitable. In BRICS nations the disparity between the haves and have-not’s has widened. In India’s context, bitter truth is, there is a fallacy to assume and equate affluence to civility. I will conclude here for the fear of over-extending assumed constraints on the size my of comments.

    Liked by 1 person

    1. Globalization provides the opportunity to everyone who is willing to grab it, which was not available to the masses in the old order world. Globalization does not guarantee good life to everyone equally. Everyone needs to earn it for himself.
      It is also true that the social and the political conditions in a given country have lot to do with the economic system they adopt. Most Monarchial and dictatorial countries would like to have the system to their advantage. On the other hand, Democratically elected governments do not have total freedom. The maturity of the democracy also comes in a picture. The reason for highly unequal distribution of wealth in India is that We are far from a matured democracy. I like to emphasize that the total equality is not possible under any system anywhere as everyone has different talents.

      Liked by 1 person

  3. A very good article on globalization .Worth understanding by everyone but particularly by politicians and industrialists.Thanks for sharing.—Arvind Mehta

    Liked by 1 person

  4. ખુબ જ સરસ લેખ. આજે જગત નાનું બની ગયું છે. કોઈ પણ દેશ કોન્ટેક્ટ ઈફેક્ટથી મુક્ત નથી. અમેરિકા માટે પહેલાં કહેવાતું તે આજે વિશ્વને માટે કહી શકાય “મેલ્ટિંગ પોટ”. માનું છું કે થોડા જ દાયકામાં એક વૈશ્વિક સંસ્કૃતિ સ્થાપીત થઈ જશે.

    Liked by 1 person

  5. મુરબ્બી મુરજીભાઈ ગડાએ છેલ્લે ભાગ્ય, નસીબ, લખ્યા લેખ નો ઉલ્લેખ કરી પલાયનવૃત્તીનો ઉલ્લેખ કરેલ છે.

    છેલ્લા ૨૦-૩૦ વરસમાં કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, મોબાઈલ, વેબ, બ્લોગની સગવડને કારણે હવે બધાને બધી ખબર પડી ગઈ છે. મોબાઈલ અને એન્ડ્રોઈડના કારણે નજીકના ભવીષ્યમાં ઋષી મુનીઓ, સાધુ, બાવા, ફકીરને પોતે ડફોળ હતા એ ખબર પડી જશે. રાજકરણીઓ જે રોટલી સેકતા હતા એમાં હવે એમના પોતાના હાથ દાઝશે. જેમ જેમ લોકો ભાગીદાર બનતા જશે એમ સુધારા થતા જશે. રસ્તા ઉપર કે જાહેરમાં વાર તહેવારે ધાર્મીક પ્રચાર પ્રસાર બંધ થશે.

    છેલ્લે……આમ જનતા માટે વર્તમાન સમય પહેલાં કરતાં વધુ સારો છે અને ભવીષ્ય હજી પણ ઉજળું થવાનું છે….. મુરબ્બીએ સાચું કહેલ છે…

    Liked by 2 people

  6. સરસ વિષય , નવો વિષય, ખૂબ ઉપયોગી વિષય , આજની આપણ સૌની જીંદગીને સ્પર્શતો વિષય. આપણી આજની જીંદગીના પ્રેક્ટીકલ નાના મોટા વળાંકોને વાચા આપતો વિષય.
    હ્યુ અેન સાંગ….કે ….ચંગેઝખાન.( દુનિયાના મોટા ભાગના લોકો તેના જીન્સથકી બનેલી પેઢીના છે…..મહાન ગલોબલાઇઝેશન… )….કે પછી ભારતમાં આવેલા અંગ્રેજોઅે, આફ્રિકા મોકલાવેલા, મજૂરોના રુપમા….ઉત્તરપ્રદેશ કે બિહારના ગીરમીટીયા.( આજનાં ભણેલા, ગણેલા વિશ્વમાનવો…)….વેસ્ટઇન્ડીઝમા સદીઓથી મજુરો તરીકે જઇને વસવાત કરીને આજે ત્યાંની સરકારમાં વડાપ્રઘાન કે પ્રેસીડન્ટ બનનારા
    ભારતના લોકોની પેઢી….બઘા જ ગ્લોબલાઇઝેશનના આંખ ઉઘાડનારા દાખલાઓ છે. કોન્સ્ટેન્ટીનોપલ / ઇસ્ટંબુલ શહેર….તે જમાનામાં યુરોપ અને ભારતને જોડનારા ગ્લોબલાઇઝેશનનું સેન્ટર હતું. ( આફઘાનીસ્તાનમાં ગૌતમ બુઘ્ઘની મુર્તી હતી. મહાભારતના સકુનીમામા પણ ત્યાંના જ હતાં ને !!!!!!!!)અેક દેશમાંથી બીજા દેશમાં માઇગ્રેશન થતું રહેતું અને મીક્ષ પ્રજા જન્મતી. તે વખતે ઘર્મોનો પ્રભાવ હતો માટે કન્વર્ટ થતી અેક ઘર્મની પ્રજા કદાચ બીજા ઘર્મનો અંગીકાર કરતી હતી. પગપાળા ચાલીને પરદેશ જનારા પછી પ્રાણીઓને સહારે જતાં થયા. તે બાદ માર્ડન મીકેનીકલ વાહનોને સહારે પરદેશગમન કરતાં થયા.આજે ૨૧મી સદીમાં જ્યારે ભણતર વઘ્યુ છે, વિચારો કુવાના દેડકાઓને કુવાની બહાર લઇ આવ્યા છે ત્યારે મોટા ફલક ઉપર ઘર્મોના વિરોઘીઓ જન્મી રહ્યા છે. આની સાબિતિ અમેરિકામાં થતાં આંતરદેશી , આંતરઘર્મી, લગ્નો છે. અેક બીજાને સમજીને સ્વીકારવાનું અને વિશ્વમાનવ બનવાનું ચાલુ થયુ છે. પરસ્નટેજ ઘીમે ઘીમે વઘશે.વેપાર, વિજ્ઞાન અને ઇકોનોમી આજના ગ્લોબલાઇઝેશનના મુખ્ય અંગો છે. માનવઘન, અેડયુકેટેડ માનવઘન, જ્ઞાન અને વિજ્ઞાન આજના વિશ્વકરણના મુખ્ય અંગો છે. ભારત પાસે તે ભરપૂર પ્રમાણમાં છે. તેનો સદઉપયોગ કરવો જરુરી છે….પરંતુ ભારતના પોલીટીશીયનો દેશને માટે નથી જીવતાં. ભારતીય ભણેલાં માનવઘનનું ગ્લોબલાઇઝેશન ભારતના ઉજ્જવળ ભાવિષ્ય માટે ખૂબ જરુરી છે.હજી ઘણી ચર્ચા કરી શકાય…….
    આભાર…
    અમૃત હઝારી.

    Liked by 2 people

  7. ખુબ સરસ આર્ટીકલ.
    પ્રવીણભાઈ કહે છે, “થોડા જ સમયમાં એક વૈશ્વીક સંસ્કૃતી સ્થાપીત થઈ જશે.”
    જો કે કેટલો સમય લાગશે તેની ખબર નથી, પણ એક ઉદાહરણ આપવા ઈચ્છું છું.
    મને અહીં ન્યુઝીલેન્ડમાં સ્થળાંતર કર્યાને ચાળીશ વર્ષ પુરાં થવાને છે. અહીં વેલીંગ્ટન સીટી કાઉન્સીલે વયસ્કોના વર્ષ નીમીત્તે થોડા સમય પહેલાં એક પુસ્તીકા બહાર પાડેલી જેમાં ન્યુઝીલેન્ડની સંસ્કૃતીમાં જેમનું કંઈક પ્રદાન હોય તેમનો સમાવેશ કરવામાં અવ્યો હતો, જેમાં મારા જીવન વીશે પણ માહીતી આપવામાં આવી છે.

    Liked by 2 people

  8. I am of the opinion that globalisation is a positive sign as long as it does not harm our traditional,time tested roots and belief.Uniformity will disfigure our own individual identity and unfortunately we are unable to prevent the sweeping current of all what is coming in the name of globalisation.I am very comfortable with my Indian identity and yet I always welcome what helps me to strengthen my existence in a more positve way.
    Harish Shukul.

    Liked by 1 person

  9. ભવીષ્ય હજી પણ ઉજળું થવાનું છે. Yes, Indeed. It is up to us individually how much we want to accept this. Those who do not want to be part of this will definately left out and will be far behind rest of world. Mahendra Bhrambhatt question about Africa. My thought is that those who choose not to be part of this ‘bandwagon’ will always be left out. I do believe that some of African country has issue of their economy and political system just India. In 37 years of me being in USA, I have witnessed changess as what Amrutkaka have mention. Either we join to bandwagon or we move over and ‘whine’ …… choice is ours!!!

    Liked by 1 person

  10. This phenomenal process , i.e. Globalisation ,was started since human race was born in Africa. Those days it was for food and comfortable atmosphere to live in…generally on the bank of river…..The moving did not stop….Europe , Middle East, Asia, Far East and every where …where there was land……It will never stpo even in 21st Century…and beyond… This is inborn nature of animals and humans. The different physical outlook and different living nature of a same creed is the example of migration and to change oneself according to the environment and other factors….White , Black, Yellow , Brown colored skin is one of the examples. ચલના જીવનકી કહાની, રુકના મોતકી નિશાની. મોર્ડન ટેકનોલોજી સાથે પણ જે કદમ સાથે કદમ મીલાવીને ચાલશે નહિ તેને માટે જીવન જીવવું કપરું થઇ પડશે. આગળ વઘી ગયેલા પાસે પાછળ જોવાનો સમય નહિ હોય…..ભલેને પછિ તે પોતાનો ભાઇ હોય……..ચલના જીવનકી કહાની……….
    અમૃત હઝારી.

    Liked by 1 person

  11. Very interesting article and correct analysis of present trend in the world. Mr. Gada, your analysis very simple to understand for the commner who is not familiar with the word “Globalization”. If Indian leadership or administration misses this opportunity, it will be a misfortune for Indians at large. But this needs support of each citizen at each ones level.

    Liked by 1 person

Leave a comment